ધ્વનિ/પરિશિષ્ટ-૨: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:
પણ જો કવિઓને પૂછવામાં આવે કે કાવ્યનો ઉદ્દેશ શો? તો તો આદિકાળથી તે આજ લગીના કવિઓએ સર્વાનુમતે આ પ્રશ્નનો એક જ ઉત્તર આપ્યો છે કે કાવ્યનો ઉદ્દેશ કાવ્ય. એટલે જ સ્તો આપણા કવિએ આ સંગ્રહના પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કહી નાખ્યું: નિરુદ્દેશે. પણ આ નિરુદ્દેશનો અર્થ કંઇક ગીતાની અનાસકિતના અર્થ જેવો છે. જેમ અનાસક્તિ એટલે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ પણ ઈશ્વર પ્રત્યે તો આસક્તિ તેમ કાવ્યોનો ઉદ્દેશ કાવ્ય, તે ભલે, પણ કવિનો ઉદ્દેશ કવિ સ્વયં નહીં (અહીં રંગદર્શી કવિ-romantic poet-ની ક્ષમા યાચવી રહી) પણ કાવ્ય છે. કાવ્યને કાવ્ય સિવાય ભલે અન્ય કોઈ ઉદ્દેશ ન હોય પણ કવિને તો ઉદ્દેશ છે જ અને તે છે કાવ્ય. કારણ કે કાવ્ય સિવાય અન્યત્ર ક્યાંય કવિનું અસ્તિત્વ જ નથી-કવિ અને કાવ્ય એટલા અભિન્ન છે, ઓતપ્રોત છે. કાવ્યથી અલિપ્ત એવું પોતાનું અસ્તિત્વ કવિ તો નથી જ કલ્પી શકતો. આ કાવ્યના અંતે કહ્યું છે ‘હું જ રહું અવશેષે' આ ‘હું' તે માત્ર કવિ નહીં પણ, પહેલી અને છેલ્લી પંક્તિઓની વચમાંની પંક્તિઓમાં વર્ણવી છે તે પ્રક્રિયામાંથી પસાર થયા પછીનો, સહુ સંગ વિલસી રહ્યા પછીનો, રૂપાંતર પામેલો, વિકાસ પામેલો ‘હું' એટલે કે કાવ્ય. જે પ્રક્રિયામાંથી કાવ્ય જન્મે છે તે પ્રક્રિયા એટલે એક ‘હું' માંથી આરંભ પામતી અને બીજા ‘હું'માં અંત પામતી યાત્રા.
પણ જો કવિઓને પૂછવામાં આવે કે કાવ્યનો ઉદ્દેશ શો? તો તો આદિકાળથી તે આજ લગીના કવિઓએ સર્વાનુમતે આ પ્રશ્નનો એક જ ઉત્તર આપ્યો છે કે કાવ્યનો ઉદ્દેશ કાવ્ય. એટલે જ સ્તો આપણા કવિએ આ સંગ્રહના પ્રથમ કાવ્યની પ્રથમ પંક્તિમાં જ કહી નાખ્યું: નિરુદ્દેશે. પણ આ નિરુદ્દેશનો અર્થ કંઇક ગીતાની અનાસકિતના અર્થ જેવો છે. જેમ અનાસક્તિ એટલે કર્મના ફળ પ્રત્યે અનાસક્તિ પણ ઈશ્વર પ્રત્યે તો આસક્તિ તેમ કાવ્યોનો ઉદ્દેશ કાવ્ય, તે ભલે, પણ કવિનો ઉદ્દેશ કવિ સ્વયં નહીં (અહીં રંગદર્શી કવિ-romantic poet-ની ક્ષમા યાચવી રહી) પણ કાવ્ય છે. કાવ્યને કાવ્ય સિવાય ભલે અન્ય કોઈ ઉદ્દેશ ન હોય પણ કવિને તો ઉદ્દેશ છે જ અને તે છે કાવ્ય. કારણ કે કાવ્ય સિવાય અન્યત્ર ક્યાંય કવિનું અસ્તિત્વ જ નથી-કવિ અને કાવ્ય એટલા અભિન્ન છે, ઓતપ્રોત છે. કાવ્યથી અલિપ્ત એવું પોતાનું અસ્તિત્વ કવિ તો નથી જ કલ્પી શકતો. આ કાવ્યના અંતે કહ્યું છે ‘હું જ રહું અવશેષે' આ ‘હું' તે માત્ર કવિ નહીં પણ, પહેલી અને છેલ્લી પંક્તિઓની વચમાંની પંક્તિઓમાં વર્ણવી છે તે પ્રક્રિયામાંથી પસાર થયા પછીનો, સહુ સંગ વિલસી રહ્યા પછીનો, રૂપાંતર પામેલો, વિકાસ પામેલો ‘હું' એટલે કે કાવ્ય. જે પ્રક્રિયામાંથી કાવ્ય જન્મે છે તે પ્રક્રિયા એટલે એક ‘હું' માંથી આરંભ પામતી અને બીજા ‘હું'માં અંત પામતી યાત્રા.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ક્યારેક મને આલિંગે છે... સહુ રંગ’</poem>'''}}  
{{Block center|'''<poem>‘ક્યારેક મને આલિંગે છે... સહુ રંગ’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
કાવ્ય એ ઇન્દ્રિયરાગની લીલા (Sensuous activity) છે. કવિના અંતરજગતનો બહિર્જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જ સધાય છે. બહિર્જગતના સઘન પદાર્થો (concrete objects ) દ્વારા, એમની સહાયથી કવિ એનું આંતરજગત પ્રગટ કરતો હોય છે. આથી જ પ્રતીકો (images, symbols) એ કાવ્યની અનિવાર્ય સામગ્રી છે. કવિને સૌથી વધુ પ્રતીકો પ્રકૃતિએ પૂરાં પાડ્યાં છે, એનું કારણ પ્રકૃતિની વિપુલતા અને વિવિધતા છે. કવિતાનો પ્રશ્ન અંતે તો ભાવપ્રતીકોનો પ્રશ્ન છે. ભાવને અનુકૂળ, અનુરૂપ, ઉચિત અને ઉપકારક એવા પ્રતીકની શોધમાં જ કાવ્યની સિદ્ધિ છે. પ્રતીક વિના ભાવને પ્રગટ કરવો ભાગ્યે જ શક્ય છે. પ્રતીકની આસપાસ જ કવિનો ભાવ ઘનીભૂત થતો હોય છે. આ ભાવપ્રતીકોમાં જગતનો સૌથી વધુ પારંગત કવિ ડેન્ટિ છે. જિજ્ઞાસુઓને પાઉન્ડ અને એલિયટના ડેન્ટિ પરના નિબંધો વાંચવાની ભલામણ છે. આ વિવેચકોએ ડેન્ટિની કાવ્યપ્રતિભાનું રહસ્ય બે જ શબ્દોમાં સમજાવ્યું : idea in image.
કાવ્ય એ ઇન્દ્રિયરાગની લીલા (Sensuous activity) છે. કવિના અંતરજગતનો બહિર્જગત સાથેનો સંબંધ ઇન્દ્રિયો દ્વારા જ સધાય છે. બહિર્જગતના સઘન પદાર્થો (concrete objects ) દ્વારા, એમની સહાયથી કવિ એનું આંતરજગત પ્રગટ કરતો હોય છે. આથી જ પ્રતીકો (images, symbols) એ કાવ્યની અનિવાર્ય સામગ્રી છે. કવિને સૌથી વધુ પ્રતીકો પ્રકૃતિએ પૂરાં પાડ્યાં છે, એનું કારણ પ્રકૃતિની વિપુલતા અને વિવિધતા છે. કવિતાનો પ્રશ્ન અંતે તો ભાવપ્રતીકોનો પ્રશ્ન છે. ભાવને અનુકૂળ, અનુરૂપ, ઉચિત અને ઉપકારક એવા પ્રતીકની શોધમાં જ કાવ્યની સિદ્ધિ છે. પ્રતીક વિના ભાવને પ્રગટ કરવો ભાગ્યે જ શક્ય છે. પ્રતીકની આસપાસ જ કવિનો ભાવ ઘનીભૂત થતો હોય છે. આ ભાવપ્રતીકોમાં જગતનો સૌથી વધુ પારંગત કવિ ડેન્ટિ છે. જિજ્ઞાસુઓને પાઉન્ડ અને એલિયટના ડેન્ટિ પરના નિબંધો વાંચવાની ભલામણ છે. આ વિવેચકોએ ડેન્ટિની કાવ્યપ્રતિભાનું રહસ્ય બે જ શબ્દોમાં સમજાવ્યું : idea in image.
Line 36: Line 36:
આમ, અંધારું જ્યાં ખડક સમ દુર્ભેધ ત્યાં તેજનો શો ઉઘાડ થાય છે! અને નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન ન્યાળ્યો અંભોધિને તેજ-પુંજે. કવિએ તેજના અંભોધિને રૂપહીન કહ્યો કારણ કે અંધારના અનેક રૂપ જોયાં છે. ઘડીકમાં ‘કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે' તો ઘડીકમાં ‘એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે'. તો વળી ઘડીકમાં ‘અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય'. અહીં કહ્યું છે ‘કાયા એને નથી’ અને છતાં ય પૃ.૯૬ પર ‘તિમિર ઘુંમટના ઝળુંબે' અને પૃ. ૧૦૧ પર ‘અરવ પગલે ઊતરે અંધકાર' એમ પણ કહ્યું છે. આવા અંધકારમાં કવિનાં નયન જે રહસ્ય ન્યાળે છે તે સાચે જ નિરાળું નહીં તો અમિત કરુણાથી ભરેલું તો છે જ અને કવિ પૂરતું નિરાળું પણ છે. એ રહસ્ય છે :
આમ, અંધારું જ્યાં ખડક સમ દુર્ભેધ ત્યાં તેજનો શો ઉઘાડ થાય છે! અને નયન કીધ જ્યાં બંધ ત્યાં રૂપહીન ન્યાળ્યો અંભોધિને તેજ-પુંજે. કવિએ તેજના અંભોધિને રૂપહીન કહ્યો કારણ કે અંધારના અનેક રૂપ જોયાં છે. ઘડીકમાં ‘કાયા એને નથી તદપિ શો ભાર અંધારનો છે' તો ઘડીકમાં ‘એને સીમા નથી અતલ ઊંડાણ એનાં કશાં રે'. તો વળી ઘડીકમાં ‘અંધારું જ્યાં ખડક સમ દુર્ભેદ્ય'. અહીં કહ્યું છે ‘કાયા એને નથી’ અને છતાં ય પૃ.૯૬ પર ‘તિમિર ઘુંમટના ઝળુંબે' અને પૃ. ૧૦૧ પર ‘અરવ પગલે ઊતરે અંધકાર' એમ પણ કહ્યું છે. આવા અંધકારમાં કવિનાં નયન જે રહસ્ય ન્યાળે છે તે સાચે જ નિરાળું નહીં તો અમિત કરુણાથી ભરેલું તો છે જ અને કવિ પૂરતું નિરાળું પણ છે. એ રહસ્ય છે :
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો,  
{{Block center|'''<poem>‘મેં સંધિકાળ દીઠ આવત ને જનારનો,  
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો :  
આનંદનો કરુણ-વિહ્વલ ક્રંદના તણો :  
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ  
મેં સંધિકાળ દીઠ ભૂમિ પરે અપાર્થિવ  
Line 49: Line 49:


'''પૃ. ૧૨'''  
'''પૃ. ૧૨'''  
{{Block center|<poem>‘પ્રલ'બ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો’</poem>'''}}  
{{Block center|'''<poem>‘પ્રલ'બ તવ પુચ્છની ઝપટ માત્રથી ઢાળતો’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ પંક્તિમાં બલવંતા ‘પૃથ્વી'ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી'ની પણ ઝપટ વાગે છે.
આ પંક્તિમાં બલવંતા ‘પૃથ્વી'ની શક્તિનો પરિચય થાય છે. પુચ્છની જેમ ‘પૃથ્વી'ની પણ ઝપટ વાગે છે.
Line 55: Line 55:


'''પૃ. ૧૪'''  
'''પૃ. ૧૪'''  
{{Block center|<poem>(ગુંજરતો વહ્યો ધ્વનિ  
{{Block center|'''<poem>(ગુંજરતો વહ્યો ધ્વનિ  
તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં')</poem>'''}}  
તરંગ-આવૃત્ત અનંત શાન્તિમાં')</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 69: Line 69:
'ઘર ભણી'માં ડમણી, ચીલો, તમિસ્ર, ઘુઘરી (એનો રણકાર), ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા વ. ઝીણી ઝીણી વીગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર પરોઢના વાતાવરણને કેવી સરળતાથી સજીવ કરે છે અને ‘આયુષ્યના અવશેષે' ‘ઘર ભણી' જતા પાત્રના મનોગતને કેવી સહાનુભૂતિથી પ્રગટ કરે છે.
'ઘર ભણી'માં ડમણી, ચીલો, તમિસ્ર, ઘુઘરી (એનો રણકાર), ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા વ. ઝીણી ઝીણી વીગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર પરોઢના વાતાવરણને કેવી સરળતાથી સજીવ કરે છે અને ‘આયુષ્યના અવશેષે' ‘ઘર ભણી' જતા પાત્રના મનોગતને કેવી સહાનુભૂતિથી પ્રગટ કરે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની'</poem>'''}}   
{{Block center|'''<poem>‘ખખડ થતીને ખોડંગાતી જતી ડમણી જૂની'</poem>'''}}   
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે! આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં, એક વાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક (symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની' છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય ઘન તમિસ્ર જેવું નથી? વળી તમિસ્રમાંથી રહસ્ય દર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે ‘દર્શન' લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી'નો બેવડો અર્થ સૂચવીને. એક અર્થ તદ્દન વાસ્તવિક અને સ્વાભાવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય.  
જીવનના એક ગહન દર્શનમાં અંત પામતી કૃતિની આરંભની પંક્તિ કેટલી તો સાદી, સામાન્ય, સ્વાભાવિક અને વાસ્તવિક છે! આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં, એક વાર આખું કાવ્ય વાંચ્યા પછી ફરી વાંચતાં, જાણે કે નાયકના ચિત્તનું આબેહૂબ પ્રતીક (symbol) બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ એનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ એના વયને અનુરૂપ એવી ‘જૂની' છે. આયુષ્યના અવશેષે આવી પહોંચેલા પાત્રનો જીવનપથ પણ લગભગ વિજન જેવો છે અને કોનું ભવિષ્ય ઘન તમિસ્ર જેવું નથી? વળી તમિસ્રમાંથી રહસ્ય દર્શન લાધે છે એમ કવિએ આગળ કહ્યું છે. આ કાવ્યને અંતે ‘દર્શન' લાધે છે તે આ તમિસ્રમાંથી પસાર થયા પછી. આમ પ્રથમ પંક્તિમાં જ કવિએ સંગ્રહનું નામ સાર્થ કર્યું છે, ‘ડમણી'નો બેવડો અર્થ સૂચવીને. એક અર્થ તદ્દન વાસ્તવિક અને સ્વાભાવિક અને બીજો અત્યંત ધ્વનિમય અને કાવ્યમય.  
વળી પથ વિજન છે અને તમિસ્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડં-ગાતી’ (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખખડ થાય અને ગતિ મંદ હોય (વાંકાચૂકા ચીલા પર) ત્યારે ખોડંગાય; આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એક સાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી'માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે.
વળી પથ વિજન છે અને તમિસ્ર ઘન છે અને ડમણી ચીલે ચીલે જાય છે એટલે એના અવાજનું અને એની હાલકડોલક ગતિનું તીવ્ર ભાન થાય જ. ‘ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને ‘ખોડં-ગાતી’ (શબ્દના ઉચ્ચારમાં વચમાં વિરામ અનિવાર્ય છે) શબ્દથી એની હાલકડોલક ગતિ પ્રત્યક્ષ થાય છે. વળી ડમણીની ગતિ વેગીલી હોય (સીધા ચીલા પર) ત્યારે ખખડ થાય અને ગતિ મંદ હોય (વાંકાચૂકા ચીલા પર) ત્યારે ખોડંગાય; આ વેગીલી ગતિ ‘ખખડ થતી’માં એક સાથે પાંચ લઘુ અક્ષરોથી અને મંદ ગતિ ‘ખોડંગાતી'માં એક સાથે ચાર ગુરુ અક્ષરોથી સ્પષ્ટ થાય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘સ્વપન મધુરી... મીઠા રણકારથી'</poem>'''}}  
{{Block center|'''<poem>‘સ્વપન મધુરી... મીઠા રણકારથી'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂત-કાળ ભરતો હશે?
આ અંજન સાચે જ મીઠા રણકારથી ધોરીની ઘુઘરી ભરતી હશે કે પછી અનેક આછા ઘેરા ભણકારથી ભર્યો ભર્યો ભૂત-કાળ ભરતો હશે?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>'ચરમ પ્રહરે... પ્રસરી રહી'</poem>'''}}  
{{Block center|'''<poem>'ચરમ પ્રહરે... પ્રસરી રહી'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્મૃતિદુ:ખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહીં છાની વાત છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુઃખ વ્યાપી જ વળ્યું છે.
સ્મૃતિદુ:ખનો આમ તો ઉપમા રૂપે જ ઉલ્લેખ થયો લાગે છે. પણ ઉપમા દ્વારા અત્યંત ધ્વનિપૂર્ણ રીતે અહીં છાની વાત છતી થાય છે, રહસ્ય પ્રગટ થાય છે. નાયકના મનમાં સ્મૃતિદુઃખ વ્યાપી જ વળ્યું છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>'લઘુક દીવડે... પડખું ફરી’</poem>'''}}  
{{Block center|'''<poem>'લઘુક દીવડે... પડખું ફરી’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ અહીં એક અદ્ભુત, જીવંત અને ગતિશીલ (dynamic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે.  
કવિએ અહીં એક અદ્ભુત, જીવંત અને ગતિશીલ (dynamic) ચિત્ર આંક્યું છે. એથી ડમણીની ગતિ વધુ પ્રત્યક્ષ થાય છે.  
Line 88: Line 88:
'પ્રવેશ'માં ધુમ્મસ, ઉજેશ, મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળાં, દ્વાર, હવા, પાત્રો વ. ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરનારની મનોદશા અને એની નજરે જેનું દર્શન થાય છે તે દૃશ્ય તાદૃશ કરે છે.
'પ્રવેશ'માં ધુમ્મસ, ઉજેશ, મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળાં, દ્વાર, હવા, પાત્રો વ. ભર્યું જવ હતું તેની યાદે સૂને ઘર સંચરનારની મનોદશા અને એની નજરે જેનું દર્શન થાય છે તે દૃશ્ય તાદૃશ કરે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ત્યહીં ધુમસથી... દિશા અનુકંપને'</poem>'''}}  
{{Block center|'''<poem>‘ત્યહીં ધુમસથી... દિશા અનુકંપને'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
ભર્યા ઘરની યાદ લઈને સૂના ઘરમાં પ્રવેશનાર, એના રજોમય આંગણે આયુષ્યના અવશેષની લઘુક ગઠડી મૂકનારના ભીતરમાં પણ બહારની જેમ જ વિષણ્ણ ઉજેશની ટશર લાગે છે અને તે ઉજેશ પણ ધુમ્મસે છાએલો જ હોય છે. (આમ ‘ગગન’ એટલે ચિત્તરૂપી ગગન એવો ધ્વનિ અહીં સ્પષ્ટ છે). વળી દિશાએ દિશામાં આવા પાત્ર પ્રત્યે અનુકંપા ન જાગે તો જ નવાઈ! આખું ગગન અને બધી દિશાઓ, ચોમેરની પ્રકૃતિને કવિએ અનુકંપા અનુભવતી વર્ણવી છે. વર્ષો પછી ઘરે પાછા ફરતાં મનુષ્યના ઉરમાં ઉંબર ઓળંગતાં જ ઉઘાડ થાય અને એ જ ક્ષણે પૂર્વગગનમાં ઉષાનો ઉઘાડ થાય એનો અર્થ એ જ કે ફરીને આ સૉનેટમાં પણ કવિએ હૃદયનો ભાવ અને પ્રકૃતિની વચ્ચે અનુકંપા દ્વારા સુમેળ સ્થાપ્યો છે.
ભર્યા ઘરની યાદ લઈને સૂના ઘરમાં પ્રવેશનાર, એના રજોમય આંગણે આયુષ્યના અવશેષની લઘુક ગઠડી મૂકનારના ભીતરમાં પણ બહારની જેમ જ વિષણ્ણ ઉજેશની ટશર લાગે છે અને તે ઉજેશ પણ ધુમ્મસે છાએલો જ હોય છે. (આમ ‘ગગન’ એટલે ચિત્તરૂપી ગગન એવો ધ્વનિ અહીં સ્પષ્ટ છે). વળી દિશાએ દિશામાં આવા પાત્ર પ્રત્યે અનુકંપા ન જાગે તો જ નવાઈ! આખું ગગન અને બધી દિશાઓ, ચોમેરની પ્રકૃતિને કવિએ અનુકંપા અનુભવતી વર્ણવી છે. વર્ષો પછી ઘરે પાછા ફરતાં મનુષ્યના ઉરમાં ઉંબર ઓળંગતાં જ ઉઘાડ થાય અને એ જ ક્ષણે પૂર્વગગનમાં ઉષાનો ઉઘાડ થાય એનો અર્થ એ જ કે ફરીને આ સૉનેટમાં પણ કવિએ હૃદયનો ભાવ અને પ્રકૃતિની વચ્ચે અનુકંપા દ્વારા સુમેળ સ્થાપ્યો છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ખબર પૂછતાં... નિજ મોચન'</poem>'''}}  
{{Block center|'''<poem>‘ખબર પૂછતાં... નિજ મોચન'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
મોટેરાં વહુવારુઓ, બાળકો અને શ્વાન એ સૌ પરિચિત અને અપરિચિત જીવોનો આ ઉલ્લેખ, એમના વર્તનનું આ ઝીણી વીગતનું વર્ણન માનવરસથી તરબોળ છે. એ કેટલી ઉષ્માથી ધબકે છે!   
મોટેરાં વહુવારુઓ, બાળકો અને શ્વાન એ સૌ પરિચિત અને અપરિચિત જીવોનો આ ઉલ્લેખ, એમના વર્તનનું આ ઝીણી વીગતનું વર્ણન માનવરસથી તરબોળ છે. એ કેટલી ઉષ્માથી ધબકે છે!   
તાળાં ઊઘડ્યાં તે દ્વારના મુખથી જ માત્ર ઊઘડ્યાં છે? ક્રન્દન કર્યું તે દ્વારે જ માત્ર કર્યું છે? અચલ સ્થિતિમાં જડાઈ ગયાં હતાં તે દ્વારનાં જ ગાત્રો માત્ર જડાઈ ગયાં હતાં? ભીતરથી હવા ધસી તેમ નાયકના ભીતરમાંથી સ્મૃતિ પણ તક લાધતાં નથી ધસી શું? અને હવાની જેમ એ સ્મૃતિ પણ ભીની વાસી અને હવે જ જેણે નિજ મોચન લહ્યું એવા પ્રેત જેવી નથી શું?
તાળાં ઊઘડ્યાં તે દ્વારના મુખથી જ માત્ર ઊઘડ્યાં છે? ક્રન્દન કર્યું તે દ્વારે જ માત્ર કર્યું છે? અચલ સ્થિતિમાં જડાઈ ગયાં હતાં તે દ્વારનાં જ ગાત્રો માત્ર જડાઈ ગયાં હતાં? ભીતરથી હવા ધસી તેમ નાયકના ભીતરમાંથી સ્મૃતિ પણ તક લાધતાં નથી ધસી શું? અને હવાની જેમ એ સ્મૃતિ પણ ભીની વાસી અને હવે જ જેણે નિજ મોચન લહ્યું એવા પ્રેત જેવી નથી શું?
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘કિરણ પરશે... નિરખ્યાં ફરી'</poem>'''}}  
{{Block center|'''<poem>‘કિરણ પરશે... નિરખ્યાં ફરી'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
સુદૂર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મની પ્રફુલ્લિત સૃષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું મેડી વ. ‘જૂનાં' અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવા પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે.  
સુદૂર, અગમ્ય, અનંત સૃષ્ટિમાં, કર્મની પ્રફુલ્લિત સૃષ્ટિમાં આયુષ્યભર ભ્રમણ કરતા અસામાન્ય મનુષ્યને પણ ખાટ, પરસાળ, વલોણું, સીકું મેડી વ. ‘જૂનાં' અને અત્યંત સામાન્ય પાત્રોનું કેવું અજબ આકર્ષણ હોય છે! ગમે તેવા મનુષ્યનો ઉત્કટમાં ઉત્કટ જીવનરસ આવા પાત્રોમાં જ પર્યાપ્ત હોય છે.  
Line 112: Line 112:
આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો'થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી —'લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો : લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ ’-જેવી સુરેખ પંક્તિઓ દ્વારા વ્યકત કરી આપી છે. સ્ત્રીની માંગલ્યની ઘડી માટેની આતુરતા, અધીરાઈ, મૃત્યુના મિલનની ઉત્કંઠા, લગ્નની ક્ષણની ઉત્સુકતા વ. મૃત્યુની પ્રેયસીના પ્રેમના વૈભવને વ્યકત કરતી લલિતમધુર વાણી દ્વારા અને વચમાં અનુષ્ટુપ છંદના ખંડકો દ્વારા કવિએ વહાવી છે.
આરંભમાં જ મૃત્યુની વેગીલી ગતિનું પ્રાણવાન વર્ણન અને મૃત્યુની રહસ્યમય આકૃતિનું રમણીય ચિત્ર કવિએ આપ્યું છે. ‘ચૂપ હો'થી શાંતિનો અનુરોધ કરતી મરનાર સ્ત્રીની મૃત્યુ પ્રત્યેની લાગણી —'લ્હેરાતો અંચળો એણે ઓઢ્યો ભ્રૂરેખ ઢાંકતો : લોચનો પ્રેમીનાં જાણે ઝગે છે શુક્રની જ્યમ ’-જેવી સુરેખ પંક્તિઓ દ્વારા વ્યકત કરી આપી છે. સ્ત્રીની માંગલ્યની ઘડી માટેની આતુરતા, અધીરાઈ, મૃત્યુના મિલનની ઉત્કંઠા, લગ્નની ક્ષણની ઉત્સુકતા વ. મૃત્યુની પ્રેયસીના પ્રેમના વૈભવને વ્યકત કરતી લલિતમધુર વાણી દ્વારા અને વચમાં અનુષ્ટુપ છંદના ખંડકો દ્વારા કવિએ વહાવી છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘કિન્તુ શાને રે શ્વાન, ખમ્મા ય એહને...’</poem>'''}}   
{{Block center|'''<poem>‘કિન્તુ શાને રે શ્વાન, ખમ્મા ય એહને...’</poem>'''}}   
{{Poem2Open}}
{{Poem2Open}}
મૃત્યુ સમયે શ્વાનના રુદન વિષેના પ્રચલિત વહેમનો અહીઁ કવિએ કેવો કાવ્યમય ઉપયોગ કર્યો છે! આવી લોકમાન્યતા પાસેથી પણ કવિતાનું કામ કવિએ કઢાવી લીધું છે. એને પણ કાવ્યની સામગ્રી રૂપે યોજી છે. સર્વસમર્પણ, વિસર્જન સમયે, માંગલ્યની ઘડીએ, લગ્નની ક્ષણે આ રુદન વિક્ષેપરૂપ લાગે છે, વિલંબકારી લાગે છે, અસહ્ય લાગે છે, એટલે તો આ પ્રશ્ન પૂછવો પડ્યો છે. આ પ્રશ્ન દ્વારા સ્ત્રીની મૃત્યુના મિલન માટેના તલસાટની માત્રા વધારી મૂકી છે. શેષાભિસારના નૃત્યના તાલમાં ભંગ પડાવવા મથતા ધર્મરાજના અંતિમ સાથીના આ પિતૃદ્રોહી વંશજ પ્રત્યે પણ સ્ત્રી કેટલું હેત પ્રગટ કરે છે! એને પણ ક્ષમા કરી શકે એવી ઉદારતાથી એનું હૃદય ભર્યું ભર્યું છે. આ ક્ષમાવૃત્તિ પ્રગટાવીને કવિએ મૃત્યુનો મહિમા જ ગાયો છે. જે વિક્ષેપરૂપ છે, વિલંબકારી છે, અસહ્ય છે એને પણ ક્ષમા આપવી એવી સ્ત્રીના હૃદયની આ વિશાલતાનું, એના આ વિકાસનું કારણ મૃત્યુ જ છે. મૃત્યુ સમયે મનુષ્ય સૌથી વધુ ઉદાર હોય છે. મૃત્યુના પવિત્ર સાન્નિધ્યમાં મનુષ્ય શું માફ નથી કરતો? વળી આ ક્ષમા એ સ્ત્રીના અનહદ આનંદનું, એની પરમ શાંતિ (મૃત્યુના મિલનની પ્રતીક્ષાને કારણે)નું પરિણામ છે. જેણે આનંદ અને શાંતિ નથી અનુભવ્યાં તે શું માફ કરવાનો હતો? આમ, શ્વાનના રુદનના ઉલ્લેખ દ્વારા સ્ત્રીની અધીરાઈ, આનંદ અને શાંતિના અનુભવમાંથી જન્મતી ઉદારતા, ક્ષમા તથા મંગલકારી મૃત્યુનો મહિમા -કવિએ વ્યક્ત કર્યાં છે; એટલે કે એક પ્રચલિત વહેમનો પૂરો કાવ્યમય ઉપયોગ કર્યો છે.
મૃત્યુ સમયે શ્વાનના રુદન વિષેના પ્રચલિત વહેમનો અહીઁ કવિએ કેવો કાવ્યમય ઉપયોગ કર્યો છે! આવી લોકમાન્યતા પાસેથી પણ કવિતાનું કામ કવિએ કઢાવી લીધું છે. એને પણ કાવ્યની સામગ્રી રૂપે યોજી છે. સર્વસમર્પણ, વિસર્જન સમયે, માંગલ્યની ઘડીએ, લગ્નની ક્ષણે આ રુદન વિક્ષેપરૂપ લાગે છે, વિલંબકારી લાગે છે, અસહ્ય લાગે છે, એટલે તો આ પ્રશ્ન પૂછવો પડ્યો છે. આ પ્રશ્ન દ્વારા સ્ત્રીની મૃત્યુના મિલન માટેના તલસાટની માત્રા વધારી મૂકી છે. શેષાભિસારના નૃત્યના તાલમાં ભંગ પડાવવા મથતા ધર્મરાજના અંતિમ સાથીના આ પિતૃદ્રોહી વંશજ પ્રત્યે પણ સ્ત્રી કેટલું હેત પ્રગટ કરે છે! એને પણ ક્ષમા કરી શકે એવી ઉદારતાથી એનું હૃદય ભર્યું ભર્યું છે. આ ક્ષમાવૃત્તિ પ્રગટાવીને કવિએ મૃત્યુનો મહિમા જ ગાયો છે. જે વિક્ષેપરૂપ છે, વિલંબકારી છે, અસહ્ય છે એને પણ ક્ષમા આપવી એવી સ્ત્રીના હૃદયની આ વિશાલતાનું, એના આ વિકાસનું કારણ મૃત્યુ જ છે. મૃત્યુ સમયે મનુષ્ય સૌથી વધુ ઉદાર હોય છે. મૃત્યુના પવિત્ર સાન્નિધ્યમાં મનુષ્ય શું માફ નથી કરતો? વળી આ ક્ષમા એ સ્ત્રીના અનહદ આનંદનું, એની પરમ શાંતિ (મૃત્યુના મિલનની પ્રતીક્ષાને કારણે)નું પરિણામ છે. જેણે આનંદ અને શાંતિ નથી અનુભવ્યાં તે શું માફ કરવાનો હતો? આમ, શ્વાનના રુદનના ઉલ્લેખ દ્વારા સ્ત્રીની અધીરાઈ, આનંદ અને શાંતિના અનુભવમાંથી જન્મતી ઉદારતા, ક્ષમા તથા મંગલકારી મૃત્યુનો મહિમા -કવિએ વ્યક્ત કર્યાં છે; એટલે કે એક પ્રચલિત વહેમનો પૂરો કાવ્યમય ઉપયોગ કર્યો છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘અહો શી પગલી...ખર્યું, જાણે ખર્યું...'</poem>'''}}  
{{Block center|'''<poem>‘અહો શી પગલી...ખર્યું, જાણે ખર્યું...'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વજનોના ઉદ્ગારો દ્વારા મૃત્યુશૈયાની આસપાસનું વાતાવરણ કવિએ જીવંત કર્યું છે. મૃત્યુ સમયે ધીરે ધીરે શિથિલ થતા જતા દેહનું વર્ણન અને હવે ક્ષણમાં, અરધી ક્ષણમાં ક્યારે પ્રાણ દેહનો ત્યાગ કરશે, એ માટેની તંગદશા (Suspense) પીંપળાના પર્ણની ઉપમાને કારણે કેવી સફળ થઈ છે!
સ્વજનોના ઉદ્ગારો દ્વારા મૃત્યુશૈયાની આસપાસનું વાતાવરણ કવિએ જીવંત કર્યું છે. મૃત્યુ સમયે ધીરે ધીરે શિથિલ થતા જતા દેહનું વર્ણન અને હવે ક્ષણમાં, અરધી ક્ષણમાં ક્યારે પ્રાણ દેહનો ત્યાગ કરશે, એ માટેની તંગદશા (Suspense) પીંપળાના પર્ણની ઉપમાને કારણે કેવી સફળ થઈ છે!
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ના, ના, ગતિ શી...રે ગઈ ઢળી.'</poem>'''}}  
{{Block center|'''<poem>‘ના, ના, ગતિ શી...રે ગઈ ઢળી.'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
૧લું સ્વજન હજુ તો કહે ‘ખર્યું, જાણે ખર્યું ત્યાં તરત જ રજું સ્વજન ‘ના, ના'થી વિરોધ કરે છે. જાણે કે દેહને ત્યાગીને ચાલ્યો ગયેલો પ્રાણ પાછો ફરે છે. જીવનનો ફરી સંચાર થાય છે તે ચપલા અને ઝંઝાની ઉપમાઓથી વ્યક્ત કર્યો છે. આમ, આ ઉદ્ગારો સ્વજનોનું વિસ્મય વધારી મૂકે છે અને વાતાવરણને વધુ ઉપસાવી આપે છે.
૧લું સ્વજન હજુ તો કહે ‘ખર્યું, જાણે ખર્યું ત્યાં તરત જ રજું સ્વજન ‘ના, ના'થી વિરોધ કરે છે. જાણે કે દેહને ત્યાગીને ચાલ્યો ગયેલો પ્રાણ પાછો ફરે છે. જીવનનો ફરી સંચાર થાય છે તે ચપલા અને ઝંઝાની ઉપમાઓથી વ્યક્ત કર્યો છે. આમ, આ ઉદ્ગારો સ્વજનોનું વિસ્મય વધારી મૂકે છે અને વાતાવરણને વધુ ઉપસાવી આપે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘થીજેલું જલ પીગળી...સ્વધા, સ્વધા!'</poem>'''}}  
{{Block center|'''<poem>‘થીજેલું જલ પીગળી...સ્વધા, સ્વધા!'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
સ્વજનોના આ ઉદ્ગારો સ્ત્રીના મૃત્યુ સમયના છે. સ્ત્રી અને મૃત્યુના મિલનની સ્વજનો પરની અસર આ દ્વારા કવિએ વ્યક્ત કરી છે. એને માટે પણ કવિએ થીજેલા જલની અને મધુની ઉપમા યોજી છે. મૃત્યુમાં થતી જાગ્રતિની ક્રિયાની થીજેલા જલની પીગળવાની ક્રિયા સાથેની સરખામણી કેટલી ઉચિત છે. મૃતદેહની નીરવ શાંતતા, એનું અનિર્વચનીય સૌંદર્ય અને એનું પરમ પાવનકારી દર્શન-આલિંગન, નેત્ર, હોઠ વ.ના ઉલ્લેખથી કેવું સહાનુભૂતિપૂર્વક અત્યંત ઋજુ હૃદયે વ્યક્ત થયું છે.
સ્વજનોના આ ઉદ્ગારો સ્ત્રીના મૃત્યુ સમયના છે. સ્ત્રી અને મૃત્યુના મિલનની સ્વજનો પરની અસર આ દ્વારા કવિએ વ્યક્ત કરી છે. એને માટે પણ કવિએ થીજેલા જલની અને મધુની ઉપમા યોજી છે. મૃત્યુમાં થતી જાગ્રતિની ક્રિયાની થીજેલા જલની પીગળવાની ક્રિયા સાથેની સરખામણી કેટલી ઉચિત છે. મૃતદેહની નીરવ શાંતતા, એનું અનિર્વચનીય સૌંદર્ય અને એનું પરમ પાવનકારી દર્શન-આલિંગન, નેત્ર, હોઠ વ.ના ઉલ્લેખથી કેવું સહાનુભૂતિપૂર્વક અત્યંત ઋજુ હૃદયે વ્યક્ત થયું છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘આપણે ત્યાં જવું...વસ્ત્ર હો પરું’</poem>'''}}  
{{Block center|'''<poem>‘આપણે ત્યાં જવું...વસ્ત્ર હો પરું’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
મૃત્યુ એટલે મુક્તિ. વસ્ત્ર પણ એમાં બંધનરૂપ છે. અનેક કાવ્યોમાં જીવનના રહસ્યના દર્શનની જેમ આ એક જ પંક્તિ ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું' દ્વારા કવિએ મૃત્યુ એટલે મુક્તિ એવું મૃત્યુના રહસ્યનું કેવું અદ્ભુત સુંદર દર્શન કર્યું છે, એટલું જ નહિ કિંતુ મૃત્યુ પણ સહર્ષ સ્વીકારી લે એવી કાવ્યમય વાણીમાં કર્યું છે.
મૃત્યુ એટલે મુક્તિ. વસ્ત્ર પણ એમાં બંધનરૂપ છે. અનેક કાવ્યોમાં જીવનના રહસ્યના દર્શનની જેમ આ એક જ પંક્તિ ‘અંગથી સ્પર્શનું તારું રેશમી વસ્ત્ર હો પરું' દ્વારા કવિએ મૃત્યુ એટલે મુક્તિ એવું મૃત્યુના રહસ્યનું કેવું અદ્ભુત સુંદર દર્શન કર્યું છે, એટલું જ નહિ કિંતુ મૃત્યુ પણ સહર્ષ સ્વીકારી લે એવી કાવ્યમય વાણીમાં કર્યું છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘મારા શેષાભિસારની... ડૂસકું ત્યારે? ..'</poem>'''}}  
{{Block center|'''<poem>‘મારા શેષાભિસારની... ડૂસકું ત્યારે? ..'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
જીવનની અંતિમ ક્ષણે સ્ત્રીનું આ અંતિમ શ્રવણ છે. ત્યાર પછી તો મૃત્યુ સિવાય એ કોઈની વાણી કાને ધરતી નથી. અંતિમ શ્રવણમાં ડૂસકું? મૃત્યુ એ શોકનો નહિ, આનંદનો પ્રસંગ છે એથી આ આશ્ચર્ય થાય છે. આગળ શ્વાનના રુદનથી તેમ અહીં સ્વજનના ડૂસકાથી પ્રશ્ન થાય છે.
જીવનની અંતિમ ક્ષણે સ્ત્રીનું આ અંતિમ શ્રવણ છે. ત્યાર પછી તો મૃત્યુ સિવાય એ કોઈની વાણી કાને ધરતી નથી. અંતિમ શ્રવણમાં ડૂસકું? મૃત્યુ એ શોકનો નહિ, આનંદનો પ્રસંગ છે એથી આ આશ્ચર્ય થાય છે. આગળ શ્વાનના રુદનથી તેમ અહીં સ્વજનના ડૂસકાથી પ્રશ્ન થાય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘સ્પર્શનું વસ્ત્ર હો પરું ...તું ને હું’</poem>'''}}  
{{Block center|'''<poem>‘સ્પર્શનું વસ્ત્ર હો પરું ...તું ને હું’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
મૃત્યુ એટલે સર્વ ઇન્દ્રિયોનો અને પોતાને સૌથી વધુ વહાલા એવા પ્રાણનો પણ ત્યાગ, સર્વત્યાગ. આ સર્વત્યાગ પછી જ સાચો આત્મસાક્ષાત્કાર થાય છે, મૃત્યુ પછી જ સાચો જન્મ થાય છે. આનું નામ તે મરીને જીવવાનો મંત્ર. આથી જ સ્ત્રીએ પોતાના મૃત્યુની ક્ષણને ‘ધન્યવેળા સુમંગળ’ કહી.
મૃત્યુ એટલે સર્વ ઇન્દ્રિયોનો અને પોતાને સૌથી વધુ વહાલા એવા પ્રાણનો પણ ત્યાગ, સર્વત્યાગ. આ સર્વત્યાગ પછી જ સાચો આત્મસાક્ષાત્કાર થાય છે, મૃત્યુ પછી જ સાચો જન્મ થાય છે. આનું નામ તે મરીને જીવવાનો મંત્ર. આથી જ સ્ત્રીએ પોતાના મૃત્યુની ક્ષણને ‘ધન્યવેળા સુમંગળ’ કહી.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘શાન્તિ હો ગતને.... શાન્તિ शान्ति હો………’</poem>}}
{{Block center|'''<poem>‘શાન્તિ હો ગતને.... શાન્તિ शान्ति હો………’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ત્રણ વાર ‘શાંતિ' શબ્દના ઉચ્ચાર સાથે, જેમ જીવનનો તેમ જ, કાવ્યનો અંત થાય છે. મૃત્યુ એટલે સાક્ષાત્ શાંત રસની મૂર્તિ. જીવનના સૌ રસો જેમાં વિરમે છે, એમનું જેમાં પર્યવસાન થાય છે, મધુર મિલન થાય છે તે શાંત રસ મૃત્યુનો રસ છે. મૃત્યુ એટલે મુક્તિ એવા સ્ત્રીના અનુભવની અસર કવિએ આ ઉક્તિઓમાં યોજેલા અનુષ્ટુપ પર પણ પડી છે (છંદ પણ મુક્તિ અનુભવે છે) એ કાવ્યની સચ્ચાઇનો પુરાવો છે.  
ત્રણ વાર ‘શાંતિ' શબ્દના ઉચ્ચાર સાથે, જેમ જીવનનો તેમ જ, કાવ્યનો અંત થાય છે. મૃત્યુ એટલે સાક્ષાત્ શાંત રસની મૂર્તિ. જીવનના સૌ રસો જેમાં વિરમે છે, એમનું જેમાં પર્યવસાન થાય છે, મધુર મિલન થાય છે તે શાંત રસ મૃત્યુનો રસ છે. મૃત્યુ એટલે મુક્તિ એવા સ્ત્રીના અનુભવની અસર કવિએ આ ઉક્તિઓમાં યોજેલા અનુષ્ટુપ પર પણ પડી છે (છંદ પણ મુક્તિ અનુભવે છે) એ કાવ્યની સચ્ચાઇનો પુરાવો છે.  
Line 151: Line 151:
{{center|A Passer-by}}
{{center|A Passer-by}}


{{Block center|<poem>The deafening street roared on. Full, slim, and grand  
{{Block center|'''<poem>The deafening street roared on. Full, slim, and grand  
In mourning and majestic grief, passed down  
In mourning and majestic grief, passed down  
A woman, lifting with a stately hand  
A woman, lifting with a stately hand  
Line 172: Line 172:


'''પૃ. ૫૧-૫૨'''  
'''પૃ. ૫૧-૫૨'''  
{{Block center|<poem>‘અચર તરુનાં પાણી... પલક વિસર્યાં નેત્રે'</poem>'''}}  
{{Block center|'''<poem>‘અચર તરુનાં પાણી... પલક વિસર્યાં નેત્રે'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
પુલિન પરના તરુનું વિરલ વર્ણન, નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે, કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે.
પુલિન પરના તરુનું વિરલ વર્ણન, નિરીક્ષણથી નવાજેલું આ ચિત્ર અદ્ભુત છે, કારણ કે એથી તરુઓ પ્રેમીજનોનાં પ્રતીક બની ગયાં છે. આવી ચિત્રાત્મકતા આ કવિની આગવી શક્તિ છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘અધિક સરક્યાં પાસે... મળ્યા જીવ ચુ'બને'</poem>'''}}  
{{Block center|'''<poem>‘અધિક સરક્યાં પાસે... મળ્યા જીવ ચુ'બને'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (Sensuousness) પ્રગટ કરે છે. આ પ્રકારનાં, ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D. G. Rossettiનાં, ‘The House of Life'નાં સૉનેટો  વાંચી જવા રસિકજનોને આગ્રહ છે.
આ કાવ્યમધુર ચિત્ર કવિનો ઇન્દ્રિયરાગ (Sensuousness) પ્રગટ કરે છે. આ પ્રકારનાં, ચિત્રાત્મકતા અને ઇન્દ્રિયરાગથી સભર ભર્યાં D. G. Rossettiનાં, ‘The House of Life'નાં સૉનેટો  વાંચી જવા રસિકજનોને આગ્રહ છે.
Line 194: Line 194:
પંચ તત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ વ. ની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુપદ છે ‘એકાકી હું નહીં' અને આહ્વાન છે, ‘એકાકી તો પણે.. હૈયાનો મેળ ના જ્યહીં.’
પંચ તત્ત્વોનું સાહચર્ય અને સર્વનો સંગ પામ્યાના આનંદનો આ ઉદ્ગાર છે. વૃક્ષ, વનસ્પતિ, કિરણોનો શાંત વૈભવ, વાયુ વ. ની વન્ય રિદ્ધિ એટલે કે પ્રકૃતિ અને જીર્ણતાની જ્યાં ઝરી છે રજ ચોગમ એવા અતીત સાથે કવિનો મેળ છે એટલે તો કાવ્યનું ધ્રુપદ છે ‘એકાકી હું નહીં' અને આહ્વાન છે, ‘એકાકી તો પણે.. હૈયાનો મેળ ના જ્યહીં.’
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>'મને તો દાખવે.......સરે સૌંદર્ય સર્પનું’</poem>'''}}  
{{Block center|'''<poem>'મને તો દાખવે.......સરે સૌંદર્ય સર્પનું’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિને કાનનમાં સાકાર સુન્દરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસ્ર પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ, વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચ તત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ-ધોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુન્દર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.' જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશ'નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતા પંચ તત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહીં પણ પંખીના છંદનો રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહીં પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુન્દર'. પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુન્દર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેના જંગલોમાં આ કવિએ લાકડાના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે.
કવિને કાનનમાં સાકાર સુન્દરનાં દર્શન થાય છે. કારણ કે સૌંદર્ય એટલે સંવાદ, અભેદ, એકત્વ. કવિને કોમળાંગી મૃગોનાં ટોળાં અને હિંસ્ર પ્રાણીની ગર્જના બન્ને એકસરખાં ગમે છે. વિરોધ, વિસંવાદની વચ્ચે આ સંવાદ સ્થપાય છે. કારણ કે પંચ તત્ત્વોના સાહચર્ય અને સર્વના સંગમાં, પ્રકૃતિ અને અતીતમાં કૈં ખૂટતું હોય તો કવિએ એના હૈયાનો, જેની આનંદ-ધોષણા ગાજી રહી છે એવો, પ્રેમ એમાં પૂર્યો છે. એથી તો આ સંવાદ સ્થપાયો છે, સુન્દર સાકાર બન્યો છે. કવિ કહી શકે છે, ‘એકાકી હું નહિ નહિ.' જેની પાસે પ્રેમની પૂંજી છે એ એકાકી રહી જ શકતો નથી, એ સહુમાં વિલસી રહે છે. પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશ'નો વિચાર વળી પાછો અહીં પ્રગટ થાય છે. કવિને જે સૌંદર્યનો અનુભવ છે એ દર્શન, સ્પર્શ, શ્રવણ, સ્વાદ અને ગંધ, એમ પાંચે ઇન્દ્રિયો દ્વારા થતા પંચ તત્વોના સૌંદર્યનો અનુભવ છે. ડાળીએ ડાળીએ પંખી નહીં પણ પંખીના છંદનો રવ ઊડે છે, રેખાળી ગતિમાં સર્પ નહીં પણ સર્પનું સૌંદર્ય સરે છે. આ બન્ને પંક્તિઓનું લાવણ્ય કેવું સ્વયંસિદ્ધ છે. કવિએ આગળ કહી દીધું છે, ‘મને તો દાખવે સંધે બન્યો સાકાર સુન્દર'. પંખી અને સર્પની એટલે કે સાકારની પછવાડે જે સુન્દર એટલે કે છંદનો રવ અને રેખાળી ગતિમાં સૌંદર્ય વસે છે એનું દર્શન એને અહીં થાય છે. અનુષ્ટુપમાં જે શબ્દો અને જે ક્રમમાં એ શબ્દો યોજ્યા છે એ એવો લય પ્રગટ કરે છે કે આપણે પંખીના છંદનો રવ ડાળીએ ડાળીએ ઊડતો અને સર્પનું સૌંદર્ય રેખાળી ગતિમાં સરતું પ્રત્યક્ષ અનુભવીએ છીએ. થાણા પાસેના જંગલોમાં આ કવિએ લાકડાના વ્યવસાયનો અનુભવ લીધો છે એમાં બીજી જે કંઈ કમાણી કરી હોય તે તો કવિ જાણે પણ આપણે એટલું જાણીએ કે આ કાવ્ય પણ એની જ કમાણી છે.
Line 203: Line 203:
આ કાવ્ય પણ આ કવિની એક અત્યંત લાક્ષણિક અને મહત્વની કૃતિ છે. કવિના જન્મસ્થાન કપડવંજથી શ્રાવણના કોઈ મધ્યાહ્ને ઉત્કંઠેશ્વર લગી પદયાત્રા કરો (કવિએ અનેકવાર અને આ લખનારે કવિના જ સંગમાં એકવાર કરી છે અને આ કાવ્ય પ્રત્યક્ષ અનુભવ્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે) તો પ્રતીતિ થશે કે પગલે પગલે આ કાવ્ય પથરાયેલું પડ્યું છે; ઠેર ઠેર આ કાવ્યનાં ચિત્રો નજરે ચડે છે. આ ગામ, ભીનો પંકિલ દુર્વાથી છાયો, વાડ થકી દબાયો વન્ય પંથ, વેલ તણી ઝૂલ, કંકાસિની, ખેતર, બાજરી, ખંજન, કીર, લેલાં, મોર, મહિષી-ધણ દાદૂર, બાવળ, તળાવ, અશ્વત્થ અને શંભુનું સદન વ. બધું જ આ કવિએ સગી આંખે જાણ્યું, માણ્યું અને પ્રમાણ્યું છે એટલે તો આ કાવ્યમાં કવિએ અપૂર્વ મનહર અને મનભર ચિત્રાત્મકતા સિદ્ધ કરી છે. વસંતતિલકા છંદ પરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે.
આ કાવ્ય પણ આ કવિની એક અત્યંત લાક્ષણિક અને મહત્વની કૃતિ છે. કવિના જન્મસ્થાન કપડવંજથી શ્રાવણના કોઈ મધ્યાહ્ને ઉત્કંઠેશ્વર લગી પદયાત્રા કરો (કવિએ અનેકવાર અને આ લખનારે કવિના જ સંગમાં એકવાર કરી છે અને આ કાવ્ય પ્રત્યક્ષ અનુભવ્યું છે, એનો સાક્ષાત્કાર કર્યો છે) તો પ્રતીતિ થશે કે પગલે પગલે આ કાવ્ય પથરાયેલું પડ્યું છે; ઠેર ઠેર આ કાવ્યનાં ચિત્રો નજરે ચડે છે. આ ગામ, ભીનો પંકિલ દુર્વાથી છાયો, વાડ થકી દબાયો વન્ય પંથ, વેલ તણી ઝૂલ, કંકાસિની, ખેતર, બાજરી, ખંજન, કીર, લેલાં, મોર, મહિષી-ધણ દાદૂર, બાવળ, તળાવ, અશ્વત્થ અને શંભુનું સદન વ. બધું જ આ કવિએ સગી આંખે જાણ્યું, માણ્યું અને પ્રમાણ્યું છે એટલે તો આ કાવ્યમાં કવિએ અપૂર્વ મનહર અને મનભર ચિત્રાત્મકતા સિદ્ધ કરી છે. વસંતતિલકા છંદ પરનું પ્રભુત્વ પણ એટલું જ અસાધારણ છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત  
{{Block center|'''<poem>‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાન્ત  
ધીરે ધીરે સરતી ગોકળગાય જેમ'</poem>'''}}  
ધીરે ધીરે સરતી ગોકળગાય જેમ'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આખું કાવ્ય જાણે કે આ પ્રથમ પંક્તિનો જ વિસ્તાર અને વિકાસ છે. આ એક પંક્તિમાંથી જ જાણે કે આખું કાવ્ય પ્રસર્યું છે. અલસતા અને પ્રશાંતિ માત્ર મધ્યાહ્નની વેળમાં જ નહીં, ક્ષણે ક્ષણમાં જ નહીં, પણે ગામથી તે શંભુના સદન લગી સર્વત્ર અણુએ અણુમાં વ્યાપી વળ્યા છે. એટલે કે સ્થળ અને કાળ બન્નેમાં વ્યાપી વળ્યા છે. બીજી પંક્તિમાં ગોકળગાયની ઉપમાથી આ અલસતા અને પ્રશાંતિ કેવાં પ્રત્યક્ષ થાય છે. વળી ‘ધીરે' શબ્દના પુનરાવર્તન અને ગોકળગાય શબ્દમાં ગો-કળગાય એમ વચમાં અલ્પવિરામ લેવો જ પડે એવા સ્થાને એની યોજનાને કારણે આ અલસતા અને પ્રશાંતિ છંદના લય દ્વારા પણ પ્રત્યક્ષ થાય છે.
આખું કાવ્ય જાણે કે આ પ્રથમ પંક્તિનો જ વિસ્તાર અને વિકાસ છે. આ એક પંક્તિમાંથી જ જાણે કે આખું કાવ્ય પ્રસર્યું છે. અલસતા અને પ્રશાંતિ માત્ર મધ્યાહ્નની વેળમાં જ નહીં, ક્ષણે ક્ષણમાં જ નહીં, પણે ગામથી તે શંભુના સદન લગી સર્વત્ર અણુએ અણુમાં વ્યાપી વળ્યા છે. એટલે કે સ્થળ અને કાળ બન્નેમાં વ્યાપી વળ્યા છે. બીજી પંક્તિમાં ગોકળગાયની ઉપમાથી આ અલસતા અને પ્રશાંતિ કેવાં પ્રત્યક્ષ થાય છે. વળી ‘ધીરે' શબ્દના પુનરાવર્તન અને ગોકળગાય શબ્દમાં ગો-કળગાય એમ વચમાં અલ્પવિરામ લેવો જ પડે એવા સ્થાને એની યોજનાને કારણે આ અલસતા અને પ્રશાંતિ છંદના લય દ્વારા પણ પ્રત્યક્ષ થાય છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ફોરાં ઝરે દ્રુમથી ર્હૈ રહી એક એક'</poem>'''}}  
{{Block center|'''<poem>‘ફોરાં ઝરે દ્રુમથી ર્હૈ રહી એક એક'</poem>'''}}  
દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે, ‘એક' શબ્દના પુનરાવર્તન અને ‘ર્હૈ રહી એક એક'માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ ર્હૈ રહી એક એક સરે છે.  
દ્રુમથી એકે એકે રહી રહીને ઝરતાં ફોરાંના આ ઉલ્લેખથી અલસતા અને પ્રશાંતિને ઉપસાવી છે, ‘એક' શબ્દના પુનરાવર્તન અને ‘ર્હૈ રહી એક એક'માં છંદના અતિવિલંબિત લય દ્વારા વળી પછી વધુ ઉપસાવી છે. દ્રુમથી જેમ ફોરાં તેમ કવિની કલમમાંથી શબ્દો પણ ર્હૈ રહી એક એક સરે છે.  
{{Block center|<poem>'ભારો ઉતારી શિરથી નિજમાં નિમગ્ન'</poem>'''}}  
{{Block center|'''<poem>'ભારો ઉતારી શિરથી નિજમાં નિમગ્ન'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે.
શ્રાવણ મહિનામાં વિસામો લેતા ગામનું આ વર્ણન અને બે ભરતીની મધ્ય જલધિની આ ઉચિત ઉપમા પ્રથમ પંક્તિના પ્રશાંત શબ્દને સાર્થ કરે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘કર્તવ્ય કોઈ અવશેષમહીં..... હતા ન સૂના'</poem>'''}}  
{{Block center|'''<poem>‘કર્તવ્ય કોઈ અવશેષમહીં..... હતા ન સૂના'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એ જ સમયે કવિના મનની સ્થિતિનું આ વર્ણન માત્ર બહિર્જંગતમાં જ નહીં પણ કવિના આંતરજગતમાં પણ કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે કેવો સુમેળ સધાયો છે એની પ્રતીતિ કરાવે છે.
એ જ સમયે કવિના મનની સ્થિતિનું આ વર્ણન માત્ર બહિર્જંગતમાં જ નહીં પણ કવિના આંતરજગતમાં પણ કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે, પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે કેવો સુમેળ સધાયો છે એની પ્રતીતિ કરાવે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘મેં સ્હેલવા મન કરી.... પ્રસૂન વડે પ્રફુલ્લ'</poem>'''}}  
{{Block center|'''<poem>‘મેં સ્હેલવા મન કરી.... પ્રસૂન વડે પ્રફુલ્લ'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
વન્ય પથ અને કવિના સ્હેલતા મનનુ વીગતભર્યું સુરેખ ચિત્ર. ‘ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ' પંક્તિમાં પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે'નો એક વિચાર વળી પાછો અહીં વ્યક્ત થયો છે આ પંક્તિ કવિ માત્રનો મિજાજ રજૂ કરે છે. અને એથી કાવ્યસંગ્રહના પ્રથમ પાને ટાંકી શકાય એવી છે.
વન્ય પથ અને કવિના સ્હેલતા મનનુ વીગતભર્યું સુરેખ ચિત્ર. ‘ઝીલાય તેમ ઝીલતો સહુ સૃષ્ટિ રંગ' પંક્તિમાં પ્રથમ કાવ્ય ‘નિરુદ્દેશે'નો એક વિચાર વળી પાછો અહીં વ્યક્ત થયો છે આ પંક્તિ કવિ માત્રનો મિજાજ રજૂ કરે છે. અને એથી કાવ્યસંગ્રહના પ્રથમ પાને ટાંકી શકાય એવી છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ત્યાં પંકમાંહિ મહિષી-ધણ સુસ્ત બેઠું  
{{Block center|'''<poem>‘ત્યાં પંકમાંહિ મહિષી-ધણ સુસ્ત બેઠું  
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે’.</poem>'''}}  
દાદૂર જેની પીઠપે રમતાં નિરાંતે’.</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંગ્રહમાં પાને પાને પ્રગટ થતાં ચિત્રોમાં આ ચિત્રનું સૌંદર્ય અપ્રતિમ અને અતિ વિરલ છે. કવિએ પ્રથમ પંક્તિમાં જ મધ્યાહ્નની વેળને અલસ અને પ્રશાંત કહી છે. ગામનું વર્ણન જેમ ‘પ્રશાંત' શબ્દને સાર્થ કરે છે તેમ આ મહિષી-ધણ અને દાદૂરનું ચિત્ર ‘અલસ' શબ્દને સાર્થ કરે છે. પંકમાં મહિષી-ધણ સુસ્ત બેઠું છે એમ કવિ તો કહે છે પણ એનો પુરાવો? એના જીવતા પુરાવા જેવા જોઈ લ્યો આ દાદૂર! મહિષી-ઘણ એવું તો સુસ્ત છે કે આ પીઠપે નિરાંતે રમતાં દાદૂરને દૂર કરવા પૂછડું તે વળી કોણ હલાવે? હવે તો માનવું જ રહ્યું કે ‘મહિષી-ધણ સુસ્ત બેઠું' છે અને મધ્યાહ્નની વેળ અલસ છે. આ પંક્તિઓ આ કવિની એક અસાધારણ સિદ્ધિ છે.
આ સંગ્રહમાં પાને પાને પ્રગટ થતાં ચિત્રોમાં આ ચિત્રનું સૌંદર્ય અપ્રતિમ અને અતિ વિરલ છે. કવિએ પ્રથમ પંક્તિમાં જ મધ્યાહ્નની વેળને અલસ અને પ્રશાંત કહી છે. ગામનું વર્ણન જેમ ‘પ્રશાંત' શબ્દને સાર્થ કરે છે તેમ આ મહિષી-ધણ અને દાદૂરનું ચિત્ર ‘અલસ' શબ્દને સાર્થ કરે છે. પંકમાં મહિષી-ધણ સુસ્ત બેઠું છે એમ કવિ તો કહે છે પણ એનો પુરાવો? એના જીવતા પુરાવા જેવા જોઈ લ્યો આ દાદૂર! મહિષી-ઘણ એવું તો સુસ્ત છે કે આ પીઠપે નિરાંતે રમતાં દાદૂરને દૂર કરવા પૂછડું તે વળી કોણ હલાવે? હવે તો માનવું જ રહ્યું કે ‘મહિષી-ધણ સુસ્ત બેઠું' છે અને મધ્યાહ્નની વેળ અલસ છે. આ પંક્તિઓ આ કવિની એક અસાધારણ સિદ્ધિ છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ઘંટારવે યદપિ ના રણકાર કીધો’</poem>}}
{{Block center|'''<poem>‘ઘંટારવે યદપિ ના રણકાર કીધો’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે.
અલસતા અને પ્રશાંતિ વાતાવરણમાં એવાં તો વ્યાપી વળ્યાં છે કે શંભુના સદનમાં ઘંટારવ કરવો એ પણ જાણે કે આ પવિત્ર શાંતિનો ભંગ કરવા જેવું, આ શાંત વાતાવરણને કલુષિત કરવા જેવું કવિને લાગે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>'ટેકો દઈ ઋષભ........ તો ય સર્વ’</poem>'''}}  
{{Block center|'''<poem>'ટેકો દઈ ઋષભ........ તો ય સર્વ’</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિની પાસ ટેકો દઈને બેસી જાય છે, પક્ષ્મરોમે હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા પ્રશાંતિ અને અંતના બે શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિના આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.'
આગળ કવિના મનની સ્થિતિના વર્ણનથી જેમ કવિના આંતરજગતમાં કેવી પ્રશાંતિ વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે તેમ ફરીથી કવિના મનની સ્થિતિના આ વર્ણનથી કવિના આંતરજગતમાં કેવી અલસતા વ્યાપી વળી છે એની પ્રતીતિ થાય છે. કવિ ઋષભ-નંદિની પાસ ટેકો દઈને બેસી જાય છે, પક્ષ્મરોમે હવાને હલમલતી અનુભવે છે અને અંતે દિવાસ્વપ્નમાં સરી જાય છે. આમ બીજા અને ત્રીજા શ્લોક દ્વારા પ્રશાંતિ અને અંતના બે શ્લોક દ્વારા અલસતા બહિર્જગત અને કવિના આંતરજગત બન્નેમાં વ્યાપી વળ્યાં છે એની કવિએ એવી તો દૃઢ પ્રતીતિ કરાવી છે કે હવે કબૂલ કર્યા વિના છૂટકો જ નથી કે ‘મધ્યાહ્નની અલસ વેળ હતી પ્રશાંત.'
Line 239: Line 239:
આ કાવ્યમાં કવિએ અંધકારમાં પૃ. ૪ અને પૃ. ૭ પર કહ્યું છે તે રહસ્ય કે તેજનો ઉઘાડ નહીં પણ અંધકાર જ જોયો છે. એટલે આ dark night of the soul ‘આત્માની અંધકારરાત્રિ'નો ફિલસૂફી અંધકાર નથી પણ નર્યો વાસ્તવિક અંધકાર છે. પ્રથમ છ પંક્તિમાં અરવ પગલે ઉતરતા અંધકારમાં યામિનીને કિનાર રમતાં સજીવ છાયાચિત્રોનું વર્ણન ગ્રેની જગપ્રસિદ્ધ એલેજીનું સ્મરણ કરાવે છે. અંધકારની જેમ સંધ્યાના ગહનગભીર સ્તબ્ધઘેરા વાતાવરણને અનુકૂળ થવા વિશ્વની મંદ ગતિ સાથે તાલ મિલાવવા છંદ પણ અરવ પગલે ધીરે ધીરે વહે છે. બીજી, સાતમી અને આઠમી પંક્તિમાં ‘ધીરે' (બન્ને ગુરુ અક્ષરોના) શબ્દનું ત્રણ ત્રણ વારનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન વાતાવરણને વધુ ઉપસાવે છે.
આ કાવ્યમાં કવિએ અંધકારમાં પૃ. ૪ અને પૃ. ૭ પર કહ્યું છે તે રહસ્ય કે તેજનો ઉઘાડ નહીં પણ અંધકાર જ જોયો છે. એટલે આ dark night of the soul ‘આત્માની અંધકારરાત્રિ'નો ફિલસૂફી અંધકાર નથી પણ નર્યો વાસ્તવિક અંધકાર છે. પ્રથમ છ પંક્તિમાં અરવ પગલે ઉતરતા અંધકારમાં યામિનીને કિનાર રમતાં સજીવ છાયાચિત્રોનું વર્ણન ગ્રેની જગપ્રસિદ્ધ એલેજીનું સ્મરણ કરાવે છે. અંધકારની જેમ સંધ્યાના ગહનગભીર સ્તબ્ધઘેરા વાતાવરણને અનુકૂળ થવા વિશ્વની મંદ ગતિ સાથે તાલ મિલાવવા છંદ પણ અરવ પગલે ધીરે ધીરે વહે છે. બીજી, સાતમી અને આઠમી પંક્તિમાં ‘ધીરે' (બન્ને ગુરુ અક્ષરોના) શબ્દનું ત્રણ ત્રણ વારનું પ્રત્યેક પંક્તિમાં પુનરાવર્તન વાતાવરણને વધુ ઉપસાવે છે.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘ને ગાણાના ધ્વનિત પડઘા...ફૂટતા તારલાઓ'</poem>'''}}  
{{Block center|'''<poem>‘ને ગાણાના ધ્વનિત પડઘા...ફૂટતા તારલાઓ'</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
આ તરંગ (fancy) ફરીથી પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે જે સંવાદ છે તેનું પ્રતિપાદન કરે છે. હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન અને તારલાઓ વચ્ચેનો સંબંધ, તારલાઓને ગાણાના ‘ધ્વનિત પડઘા' કહીને કવિએ સાધ્યો છે. ‘તરલ ધવલા ફૂટતા તારલાઓ'માં કવિએ ત્રણ ‘ત'ના ઉપયોગ દ્વારા એક પછી એક ઝડપભેર ફૂટતા અને અંધકારમાં વધુ ધવલ લાગતા તારલાઓનો ગાણાના ધ્વનિત પડઘારૂપ હોવાથી આખા આકાશમાં ગાજતો અવાજ સાંભળતા આ૫ણને કરી મૂક્યા છે. વળી ‘વ્યોમે’ ‘વ્યોમે’ એમ બે વાર વ્યોમ શબ્દના ઉપયોગથી એમ સૂચવ્યું છે કે વ્યોમ એક જ નથી, અનેક છે; જેટલા તારલાઓ છે એટલાં વ્યોમ છે. સંધ્યા સમયે ફૂટતા તારલાઓ નીરખતાં જે અનુભવ થાય છે એ કવિએ આ ‘વ્યોમે વ્યોમે'માં બે વાર વ્યોમ શબ્દના ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ કર્યો છે. આ તારો ફૂટ્યો, ઓ ફૂટ્યો. અહીં ફૂટ્યો, ત્યાં ફૂટ્યો; એમ આપણે ચકિત ચકિત નેત્રે નિહાળીએ છીએ અને તારાનું વ્યક્તિત્વ પણ ત્યારે એવું હોય છે કે પ્રત્યેક તારો પોતાનું એક સ્વતંત્ર વ્યોમ રચે છે. આમ આ પંક્તિમાં આપણે સંધ્યા સમયના તારાઓનું દર્શન પ્રત્યક્ષ અનુભવીએ છીએ.
આ તરંગ (fancy) ફરીથી પ્રકૃતિ અને મનુષ્ય વચ્ચે, બહિર્જગત અને કવિના આંતરજગત વચ્ચે જે સંવાદ છે તેનું પ્રતિપાદન કરે છે. હૈયે જાગે સ્વપનમય કો રાગિણીનાં તુફાન અને તારલાઓ વચ્ચેનો સંબંધ, તારલાઓને ગાણાના ‘ધ્વનિત પડઘા' કહીને કવિએ સાધ્યો છે. ‘તરલ ધવલા ફૂટતા તારલાઓ'માં કવિએ ત્રણ ‘ત'ના ઉપયોગ દ્વારા એક પછી એક ઝડપભેર ફૂટતા અને અંધકારમાં વધુ ધવલ લાગતા તારલાઓનો ગાણાના ધ્વનિત પડઘારૂપ હોવાથી આખા આકાશમાં ગાજતો અવાજ સાંભળતા આ૫ણને કરી મૂક્યા છે. વળી ‘વ્યોમે’ ‘વ્યોમે’ એમ બે વાર વ્યોમ શબ્દના ઉપયોગથી એમ સૂચવ્યું છે કે વ્યોમ એક જ નથી, અનેક છે; જેટલા તારલાઓ છે એટલાં વ્યોમ છે. સંધ્યા સમયે ફૂટતા તારલાઓ નીરખતાં જે અનુભવ થાય છે એ કવિએ આ ‘વ્યોમે વ્યોમે'માં બે વાર વ્યોમ શબ્દના ઉપયોગ દ્વારા પ્રત્યક્ષ કર્યો છે. આ તારો ફૂટ્યો, ઓ ફૂટ્યો. અહીં ફૂટ્યો, ત્યાં ફૂટ્યો; એમ આપણે ચકિત ચકિત નેત્રે નિહાળીએ છીએ અને તારાનું વ્યક્તિત્વ પણ ત્યારે એવું હોય છે કે પ્રત્યેક તારો પોતાનું એક સ્વતંત્ર વ્યોમ રચે છે. આમ આ પંક્તિમાં આપણે સંધ્યા સમયના તારાઓનું દર્શન પ્રત્યક્ષ અનુભવીએ છીએ.