19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| પ્લેટોના માનસનું દ્વન્દ્વ | }} {{Poem2Open}} બુદ્ધિ અને લાગણીનો સંઘર્ષ એ કદાચ માનવજાત પરનો વિધિનો સનાતન શાપ છે, જમાનેજમાને, એક યા બીજે રૂપે, આ દ્વન્દ્વની ભીંસ અનુભવનાર વિભૂતિઓ જગતન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 9: | Line 9: | ||
આમ તો, કહેવાય છે કે પ્લેટોએ પણ એક વખતે કાવ્યો અને નાટકો લખેલાં (ન લખ્યાં હોય તો જ નવાઈ!) પણ સૉક્રેટીસના પ્રભાવ નીચે આવતાં એમણે એનો નાશ કર્યો અને પોતાનું ચિત્ત તત્ત્વજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તરફ વાળ્યું, પ્લેટો આટલેથી જ ન અટક્યા; જ્યારે આદર્શ રાજ્ય, આદર્શ માનવસમાજની કલ્પના ઘડવા બેઠા ત્યારે એમાંથી કવિતાને દેશવટો આપ્યે જ એ જંપ્યા. | આમ તો, કહેવાય છે કે પ્લેટોએ પણ એક વખતે કાવ્યો અને નાટકો લખેલાં (ન લખ્યાં હોય તો જ નવાઈ!) પણ સૉક્રેટીસના પ્રભાવ નીચે આવતાં એમણે એનો નાશ કર્યો અને પોતાનું ચિત્ત તત્ત્વજ્ઞાન અને ગણિતશાસ્ત્ર તરફ વાળ્યું, પ્લેટો આટલેથી જ ન અટક્યા; જ્યારે આદર્શ રાજ્ય, આદર્શ માનવસમાજની કલ્પના ઘડવા બેઠા ત્યારે એમાંથી કવિતાને દેશવટો આપ્યે જ એ જંપ્યા. | ||
છતાં છેક સુધી કવિતાની મોહિનીમાંથી પ્લેટો મુક્ત થયા હોય એવું લાગતું નથી. કવિતા પર તહોમતનામું ઘડવા બેસતી વખતે પણ એમના હૃદયની સ્થિતિ કેવી છે? જે આદર અને પ્રેમ “સમસ્ત મોહક ટ્રૅજિક-કવિમંડલના આગેવાન અને આચાર્ય” હોમર પ્રત્યે એમનું હૃદય બાળપણથી જ અનુભવતું આવ્યું છે એનો એ સ્વીકાર કરે છે અને કહે છે કે એ આદર અને પ્રેમ આજેયે મારી વાણીને સ્ખલિત કરે છે. પણ વ્યક્તિ કરતાં સત્ય વધારે આદરણીય છે, અને એ સત્યને ખાતર જ, પ્લેટો કવિતા સામે બોલવા તૈયાર થાય છે, સમગ્ર ચર્ચાને અંતે, કવિતાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો ફરમાવતી વેળા પણ એને “આપણી મીઠી દોસ્ત” (અવર સ્વીટ ફ્રેન્ડ) કહીને સંબોધે છે અને કહે છે કે અમે કવિતાની મોહિનીથી અજાણ નથી, હોમરમાં એ દેખાય છે ત્યારે તો એનાથી મુગ્ધ થયા વિના રહેવાતું નથી, પણ બાળકની જેમ એના પ્રેમમાં અમે સપડાઈ જઈશું નહીં. હા, જો એ એની ઉપયોગિતા સાબિત કરે – એનો બચાવ અમે સદ્ભાવપૂર્વક સાંભળીશું – તો અમારે માટે એ લાભમાં લેખું છે અને અમે એને સત્કારવાને માટે તૈયાર રહીશું, પણ ત્યાં સુધી તો... નમસ્કાર – નવ ગજના. | છતાં છેક સુધી કવિતાની મોહિનીમાંથી પ્લેટો મુક્ત થયા હોય એવું લાગતું નથી. કવિતા પર તહોમતનામું ઘડવા બેસતી વખતે પણ એમના હૃદયની સ્થિતિ કેવી છે? જે આદર અને પ્રેમ “સમસ્ત મોહક ટ્રૅજિક-કવિમંડલના આગેવાન અને આચાર્ય” હોમર પ્રત્યે એમનું હૃદય બાળપણથી જ અનુભવતું આવ્યું છે એનો એ સ્વીકાર કરે છે અને કહે છે કે એ આદર અને પ્રેમ આજેયે મારી વાણીને સ્ખલિત કરે છે. પણ વ્યક્તિ કરતાં સત્ય વધારે આદરણીય છે, અને એ સત્યને ખાતર જ, પ્લેટો કવિતા સામે બોલવા તૈયાર થાય છે, સમગ્ર ચર્ચાને અંતે, કવિતાને પોતાની કલ્પનાના રાજ્યમાંથી દેશવટો ફરમાવતી વેળા પણ એને “આપણી મીઠી દોસ્ત” (અવર સ્વીટ ફ્રેન્ડ) કહીને સંબોધે છે અને કહે છે કે અમે કવિતાની મોહિનીથી અજાણ નથી, હોમરમાં એ દેખાય છે ત્યારે તો એનાથી મુગ્ધ થયા વિના રહેવાતું નથી, પણ બાળકની જેમ એના પ્રેમમાં અમે સપડાઈ જઈશું નહીં. હા, જો એ એની ઉપયોગિતા સાબિત કરે – એનો બચાવ અમે સદ્ભાવપૂર્વક સાંભળીશું – તો અમારે માટે એ લાભમાં લેખું છે અને અમે એને સત્કારવાને માટે તૈયાર રહીશું, પણ ત્યાં સુધી તો... નમસ્કાર – નવ ગજના. | ||
પ્લેટોની આ વાણી સાંભળી લૉર્ડ લિન્ડસેના શબ્દો સાચા નથી લાગતા કે ‘રિપબ્લિક’નું દશમું પ્રકરણ આરંભાય છે કવિતા પરના આક્રમણથી, એનો અંત આવે છે કાવ્યમાં!૧ | પ્લેટોની આ વાણી સાંભળી લૉર્ડ લિન્ડસેના શબ્દો સાચા નથી લાગતા કે ‘રિપબ્લિક’નું દશમું પ્રકરણ આરંભાય છે કવિતા પરના આક્રમણથી, એનો અંત આવે છે કાવ્યમાં!<ref>૧</ref> | ||
પણ કવિતાના આકર્ષણની અને એમાંયે પોતે અનુભવેલા આકર્ષણની વાત આમ વળીવળીને કરવાની પ્લેટોને શી જરૂર હતી? એમના જેવા વસ્તુલક્ષી વિચારક આમ આત્મકથનોક્તિમાં કેમ સરી પડે છે? આપણને એ આકર્ષણથી ચેતવવા માત્ર કે પછી સાથેસાથે એમના હૃદયની કોઈ ઊંડી વાત પણ એ રીતે પ્રગટ થઈ રહી છે? | પણ કવિતાના આકર્ષણની અને એમાંયે પોતે અનુભવેલા આકર્ષણની વાત આમ વળીવળીને કરવાની પ્લેટોને શી જરૂર હતી? એમના જેવા વસ્તુલક્ષી વિચારક આમ આત્મકથનોક્તિમાં કેમ સરી પડે છે? આપણને એ આકર્ષણથી ચેતવવા માત્ર કે પછી સાથેસાથે એમના હૃદયની કોઈ ઊંડી વાત પણ એ રીતે પ્રગટ થઈ રહી છે? | ||
કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.૨ કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.૩ | કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.<ref>૨</ref> કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.<ref>૩</ref> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits