અનુબોધ/‘પૂર્વાલાપ’ની કવિતા : મારો આસ્વાદ: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 8: Line 8:
કાન્તની કવિતા, આગળ નોંધ્યું છે તેમ, સંખ્યાદૃષ્ટિએ ઝાઝી નથી પણ તેમની કવિતા તેમની ઉત્તમ સર્જકતાની ઝાંખી કરાવે છે જ. કવિ કાન્ત પોતાની કવિતાપ્રવૃત્તિના કડક અવલોકનકાર રહ્યા છે. તેમની નજર સમક્ષ ઉત્તમોત્તમ પાશ્ચાત્ય કવિતા રહી છે. ‘કાન્તમાલા’માં સંગ્રહાયેલા તેમના તા. ૨૯-૧-૧૮૯૧ના પત્રામાંના શબ્દો ખૂબ જ સૂચક છે : ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું – મ્હારૂં યત્કિંચિત લખાણ કશી આશા આપે એવું નથી. પણ ઇંગ્રેજી કવિતાનો અભ્યાસ, જે આટઅટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતા પરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મ્હને સારી લાગે છે. ખરેખર સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો ગણાતો થયો છું. અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબીત થઈ શકે.’ આવા ઉચ્ચ લક્ષ્યને તાકીને ચાલનાર આ કવિએ પોતાની નબળી રચનાઓનો નાશ કર્યો હોવાનું પણ જણાય છે. કાન્તના કેટલાક પત્રોમાં પોતાની રચાતી જતી કે પ્રગટ થતી કવિતાના ઉલ્લેખો છે અને કેટલીકવાર તો સૂક્ષ્મ માર્મિક ચર્ચાઓ પણ છે. કવિ નર્મદે પોતાની કવિતાના ઉદ્‌ભવ વિશે પાદટીપો મૂકી છે પણ તેમાં કાન્તની સર્જકતા વિશેની જાગરૂકતા ભાગ્યે જ જણાશે. કાન્તે પોતાની કવિતા વિશે સતત અંતર્મુખી દૃષ્ટિ કેળવી ચિકિત્સા કરી છે. તા. ૧૬-૧૦-૧૮૯૦ના પત્રમાં ‘દેવયાની’માંની બે પંક્તિઓનું રહસ્ય સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે :
કાન્તની કવિતા, આગળ નોંધ્યું છે તેમ, સંખ્યાદૃષ્ટિએ ઝાઝી નથી પણ તેમની કવિતા તેમની ઉત્તમ સર્જકતાની ઝાંખી કરાવે છે જ. કવિ કાન્ત પોતાની કવિતાપ્રવૃત્તિના કડક અવલોકનકાર રહ્યા છે. તેમની નજર સમક્ષ ઉત્તમોત્તમ પાશ્ચાત્ય કવિતા રહી છે. ‘કાન્તમાલા’માં સંગ્રહાયેલા તેમના તા. ૨૯-૧-૧૮૯૧ના પત્રામાંના શબ્દો ખૂબ જ સૂચક છે : ‘આ આપણી હજી બાલ્યાવસ્થા ચાલે છે. તેમાં કવિતા લખવી કેટલી તો મુશ્કેલ છે તે હું જાણું છું. હું પોતે છેક આશાહીન છું – મ્હારૂં યત્કિંચિત લખાણ કશી આશા આપે એવું નથી. પણ ઇંગ્રેજી કવિતાનો અભ્યાસ, જે આટઅટલો અવિશ્વાસ ઉપજાવે છે, તે કવિતા પરીક્ષણના કેટલાક અતિ કડક નિયમો પણ શીખવે છે અને એ કસોટીએ તપાસી જોતાં ગુજરાતી કવિતાઓમાંથી બહુ જ થોડી મ્હને સારી લાગે છે. ખરેખર સંસ્કૃત કવિતાના પણ મોટા ભાગને કચરો ગણાતો થયો છું. અને હું ધારું છું કે પ્રેમાનંદ કંઈ કવિ નહીં, માત્ર પદ્ય જોડનારો હતો એમ બહુ સહેલાઈથી સાબીત થઈ શકે.’ આવા ઉચ્ચ લક્ષ્યને તાકીને ચાલનાર આ કવિએ પોતાની નબળી રચનાઓનો નાશ કર્યો હોવાનું પણ જણાય છે. કાન્તના કેટલાક પત્રોમાં પોતાની રચાતી જતી કે પ્રગટ થતી કવિતાના ઉલ્લેખો છે અને કેટલીકવાર તો સૂક્ષ્મ માર્મિક ચર્ચાઓ પણ છે. કવિ નર્મદે પોતાની કવિતાના ઉદ્‌ભવ વિશે પાદટીપો મૂકી છે પણ તેમાં કાન્તની સર્જકતા વિશેની જાગરૂકતા ભાગ્યે જ જણાશે. કાન્તે પોતાની કવિતા વિશે સતત અંતર્મુખી દૃષ્ટિ કેળવી ચિકિત્સા કરી છે. તા. ૧૬-૧૦-૧૮૯૦ના પત્રમાં ‘દેવયાની’માંની બે પંક્તિઓનું રહસ્ય સ્પષ્ટ કરતાં તેમણે લખ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘....ભ્રમણે જ્યાં અટકતો,
{{Block center|'''<poem>‘....ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.’</poem>}}
શશાંક પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
And in the course of ભ્રમણ (of દેવયાની) the સેંથે ઝબકતો સુભગ મણિ Stopped for a moment when it saw the moon, so infinitely charming in her fresh beauty. The word અટકતો is not merely hyperbolical. You can imagine the મણિ to be really at rest for a few moments though દેવયાની may be moving all the time. When the verse occures again it is not a mere repetition, as you can see, now that I give you the punctuation
And in the course of ભ્રમણ (of દેવયાની) the સેંથે ઝબકતો સુભગ મણિ Stopped for a moment when it saw the moon, so infinitely charming in her fresh beauty. The word અટકતો is not merely hyperbolical. You can imagine the મણિ to be really at rest for a few moments though દેવયાની may be moving all the time. When the verse occures again it is not a mere repetition, as you can see, now that I give you the punctuation
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘......ભ્રમણે જ્યાં અટકતો,
{{Block center|'''<poem>‘......ભ્રમણે જ્યાં અટકતો,
શશાંક, પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.</poem>}}
શશાંક, પ્રેક્ષીને સુભગ મણિ સેંથે ઝબકતો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Even the beautiful Moon stopped in in her ભ્રમણ when she saw the blazing lustre of the gem.
Even the beautiful Moon stopped in in her ભ્રમણ when she saw the blazing lustre of the gem.
Line 22: Line 22:
‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’માં કાન્તે ઉપાડમાં ચન્દ્રિકાનું રમણીય ચિત્ર સર્જવાનો યત્ન કર્યો છે :
‘સૃષ્ટિસૌંદર્યથી મન ઊપર થતી અસર’માં કાન્તે ઉપાડમાં ચન્દ્રિકાનું રમણીય ચિત્ર સર્જવાનો યત્ન કર્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મધુર મધુર થંડો વાય છે વાયુ આજે
{{Block center|'''<poem>મધુર મધુર થંડો વાય છે વાયુ આજે
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે.
પરમ વિમલ શોભા ચન્દ્રિકાની વિરાજે.
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો.
અનુકૂળ સઘળી છે હર્ષની આજ ચીજો.
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.</poem>}}
અવસર નહિ આવે આ સમો કોઈ બીજો.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત શ્લોકમાં પ્રાસનાં બંધનો છે – અને એ રીતે કાન્તનો પદ્યબંધ એ યુગની કવિતાના બંધારણને અનુકૂળ રહીને નવરચના આદરે છે એ લક્ષમાં રાખવું જોઈએ. આમ છતાં, એમાં અતિ લાઘવથી અંકિત ઉઠાવદાર ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે. અને કાન્તની અભિવ્યક્તિની લાક્ષણિકતા એમાં પ્રગટ થાય છે. ‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં આ રચનાપદ્ધતિ વિકસી જણાય છે. કાન્તની પ્રાસાદિક વાણીમાં સંસ્કૃતના અર્થગૌરવવંતા શબ્દો સમુચિત રીતે વિનિયોગ પામ્યા છે અને ઉત્તરોત્તર તેમની કાવ્યબાની અભિવ્યક્તિધર્મ બજાવતી છતાં સંસ્કૃત કવિતાનં ઓજ અને દીપ્તિ પ્રગટ કરી શકી છે તે પણ આ કારણે.
પ્રસ્તુત શ્લોકમાં પ્રાસનાં બંધનો છે – અને એ રીતે કાન્તનો પદ્યબંધ એ યુગની કવિતાના બંધારણને અનુકૂળ રહીને નવરચના આદરે છે એ લક્ષમાં રાખવું જોઈએ. આમ છતાં, એમાં અતિ લાઘવથી અંકિત ઉઠાવદાર ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ છે. અને કાન્તની અભિવ્યક્તિની લાક્ષણિકતા એમાં પ્રગટ થાય છે. ‘વસંત વિજય’, ‘ચક્રવાકમિથુન’ અને ‘દેવયાની’માં આ રચનાપદ્ધતિ વિકસી જણાય છે. કાન્તની પ્રાસાદિક વાણીમાં સંસ્કૃતના અર્થગૌરવવંતા શબ્દો સમુચિત રીતે વિનિયોગ પામ્યા છે અને ઉત્તરોત્તર તેમની કાવ્યબાની અભિવ્યક્તિધર્મ બજાવતી છતાં સંસ્કૃત કવિતાનં ઓજ અને દીપ્તિ પ્રગટ કરી શકી છે તે પણ આ કારણે.
‘સ્વર્ગગંગાને તીર’માં ઉપાડનો અનુષ્ટુભલય કેવો અર્થવાહી છે તે જોઈએ :
‘સ્વર્ગગંગાને તીર’માં ઉપાડનો અનુષ્ટુભલય કેવો અર્થવાહી છે તે જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી,
{{Block center|'''<poem>‘સખે સ્વપ્ન થયું પૂરું ચાલી ગઈ વિભાવરી,
શું હવે સંભળાવું હુુંં, નહિ જોઉં ફરી ફરી.’</poem>}}
શું હવે સંભળાવું હુુંં, નહિ જોઉં ફરી ફરી.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અનુષ્ટુભના પ્રથમ અને ત્રીજા અષ્ટકમાં પાંચમાં છઠ્ઠા સાતમા અક્ષરે લગાલનું રૂપ હોય, બીજા અને ચોથામાં એ સ્થાને લગાગાનું રૂપ હોય. પંક્તિના ઉપાડમાં, પ્રથમ અષ્ટકમાં લગાગા દ્વારા ઘૂંટાતો ભાવ અને બીજા જ અષ્ટકમાં લગાલ દ્વારા દ્રુત લયમાં વ્યક્ત થતી લાગણી – એમ આ અનુષ્ટુભ સબળ રીતે બાવાભિવ્યક્તિ સાધી શક્યો છે. કાન્તે પ્રયોજેલા અનુષ્ટુભો આ દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનપાત્ર છે. ‘વસંત વિજય’ના આરંભમાંનો અનુષ્ટુભ જોઈએ :
અનુષ્ટુભના પ્રથમ અને ત્રીજા અષ્ટકમાં પાંચમાં છઠ્ઠા સાતમા અક્ષરે લગાલનું રૂપ હોય, બીજા અને ચોથામાં એ સ્થાને લગાગાનું રૂપ હોય. પંક્તિના ઉપાડમાં, પ્રથમ અષ્ટકમાં લગાગા દ્વારા ઘૂંટાતો ભાવ અને બીજા જ અષ્ટકમાં લગાલ દ્વારા દ્રુત લયમાં વ્યક્ત થતી લાગણી – એમ આ અનુષ્ટુભ સબળ રીતે બાવાભિવ્યક્તિ સાધી શક્યો છે. કાન્તે પ્રયોજેલા અનુષ્ટુભો આ દૃષ્ટિએ ખૂબ જ ધ્યાનપાત્ર છે. ‘વસંત વિજય’ના આરંભમાંનો અનુષ્ટુભ જોઈએ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.</poem>}}
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત અનુષ્ટુભ નવી રીતે જ પ્રયોજાતો હોય તેટલો તેનો અસાધારણ પ્રયોગ છે. પ્રથમ પંક્તિના ઉપાડમાં પ્રથમ અષ્ટકમાં ‘નહીં નાથ! નહીં નાથ!’માં માદ્રીના ત્વરિત બેવડાયેલા શબ્દોનો સુંદર નાટ્યાત્મક વિન્યાસ છે. બીજી પંક્તિના આરંભના અષ્ટકમાં — ‘આ બધું ઘેર અંધારું’ એ ખંડમાં ઘૂંટાતા અંધકારનો અનુભવ થાય છે.
પ્રસ્તુત અનુષ્ટુભ નવી રીતે જ પ્રયોજાતો હોય તેટલો તેનો અસાધારણ પ્રયોગ છે. પ્રથમ પંક્તિના ઉપાડમાં પ્રથમ અષ્ટકમાં ‘નહીં નાથ! નહીં નાથ!’માં માદ્રીના ત્વરિત બેવડાયેલા શબ્દોનો સુંદર નાટ્યાત્મક વિન્યાસ છે. બીજી પંક્તિના આરંભના અષ્ટકમાં — ‘આ બધું ઘેર અંધારું’ એ ખંડમાં ઘૂંટાતા અંધકારનો અનુભવ થાય છે.
Line 44: Line 44:
‘વસંતવિજય’માં, તેના કાવ્યના પોતમાં, અનેક સત્ત્વો સ્થાન પામ્યાં છે. ખંડકાવ્યની માંડણીમાં અંધકાર અને પ્રકાશનો લાક્ષણિક સંદર્ભ જોઈશું. પ્રથમ શ્લોકમાં તિમિરાવૃત્ત સૃષ્ટિ પર પથરાયેલા અંધારાના પટને થથરાવતી માદ્રીની આર્ત્ત વાણી પ્રગટે છે :
‘વસંતવિજય’માં, તેના કાવ્યના પોતમાં, અનેક સત્ત્વો સ્થાન પામ્યાં છે. ખંડકાવ્યની માંડણીમાં અંધકાર અને પ્રકાશનો લાક્ષણિક સંદર્ભ જોઈશું. પ્રથમ શ્લોકમાં તિમિરાવૃત્ત સૃષ્ટિ પર પથરાયેલા અંધારાના પટને થથરાવતી માદ્રીની આર્ત્ત વાણી પ્રગટે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
{{Block center|'''<poem>નહીં નાથ! નહીં નાથ! ન જાણો કે સ્હવાર છે!
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.’</poem>}}
આ બધું ઘેર અંધારું હજી તો બહુ વાર છે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ :
દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ :
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
{{Block center|'''<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ,
હમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.</poem>}}
હમેશાંને સ્થાને પછી કરીશ હું આહ્નિક સહુ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પાંડુ કશીક પ્રવંચનમાં જીવવાનો યત્ન કરે છે! અંધકારમાં ડગ ભરતો તે સુંદર ‘જ્યાં જવું હતું તે માદ્રીવિલાસ’ આગળ આવી ઊભો. પણ અહીં તો –
પાંડુ કશીક પ્રવંચનમાં જીવવાનો યત્ન કરે છે! અંધકારમાં ડગ ભરતો તે સુંદર ‘જ્યાં જવું હતું તે માદ્રીવિલાસ’ આગળ આવી ઊભો. પણ અહીં તો –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય
{{Block center|'''<poem>‘ઝાંખી ભરેલ જલની સ્થિરતા જણાય
જોતા જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.’</poem>}}
જોતા જ તર્ક નૃપના ક્યહિંએ તણાય.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને સદાયે ચંચલ લાગતાં જલ આજે સ્થિરતા ધારણ કરી રહ્યાં એમ જણાય છે! પરંતુ સ્થિર બન્યાં કે ન બન્યાં, રાજા પાંડુ તો તણાતો જ રહ્યો! તે અનેક પૂર્વસંસ્મરણોમાં ડૂબતો ગયો. સૂર્યોદયની ક્ષણ આવી, (જ્ઞાનનો જ્યોતિ પ્રગટ્યો એમ જ ને?) પણ એ પ્રકાશની સાથે વિષમ સ્વરો ઉદ્‌ભવ્યા :
અને સદાયે ચંચલ લાગતાં જલ આજે સ્થિરતા ધારણ કરી રહ્યાં એમ જણાય છે! પરંતુ સ્થિર બન્યાં કે ન બન્યાં, રાજા પાંડુ તો તણાતો જ રહ્યો! તે અનેક પૂર્વસંસ્મરણોમાં ડૂબતો ગયો. સૂર્યોદયની ક્ષણ આવી, (જ્ઞાનનો જ્યોતિ પ્રગટ્યો એમ જ ને?) પણ એ પ્રકાશની સાથે વિષમ સ્વરો ઉદ્‌ભવ્યા :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
{{Block center|'''<poem>થવા માંડ્યાં ત્યાં તો રવિઉદયનાં ચિહ્ન સઘળે,
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે,’</poem>}}
ઊઠેલી સૃષ્ટિના વિષમ સ્વર સાથે સહુ ભળે,’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એટલું જ નહિ,
એટલું જ નહિ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કોલાહલ થવા  લાગ્યો અરુણોદયથી બધે,
{{Block center|'''<poem>કોલાહલ થવા  લાગ્યો અરુણોદયથી બધે,
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.</poem>}}
પૂર્વની રક્તિમા સાથે સહુ આક્ષોભ એ વધે.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં પૂર્વના પ્રકાશની સાથે કશું સંવાદી સૂરીલું સંગીત જન્મતું નથી. પ્રકાશની સાથે સૃષ્ટિ તેનાં રૂંપરંગો સહિત પ્રત્યક્ષ થઈ પણ તેમાં કોલાહલ જ નિર્માયા હશે? પાંડુએ દૃઢ નિર્ણય કરી લીધો કે તે પોતાના આશ્રમધર્મને નહિ જ ત્યજે. થોડા સમય પછી તે કુટિરે આવ્યો. વસંતના પ્રબળ સામ્રાજ્યની અસર તે અનુભવી રહ્યો હતો. પણ તેની અવગણના કરી તે માદ્રીની કુટિરે પહોંચ્યો ત્યારે વસંતિલ વાયુની લહેરો તેના લોહીમાં ભળી ગઈ હતી, તે હવે ભર્તા બન્યો! માલતીમંડપમાં તે માદ્રી જોડે સહચાર કરવા નીકળ્યો. કોકિલના પંચમ સૂરે તેની સ્થૂળ વૃત્તિને પ્રદીપ્ત કરી. અને પ્રિયતમા માદ્રીના ગીતમાધુર્યથી તે જડવત્‌ બન્યો! આમ, આ કાવ્યની ગૂઢ કરુણતાના મૂળમાં આ વિશ્વજીવનની વિષમ વ્યંગભરી પરિસ્થિતિ રહેલી હોય એવો ધ્વનિ પ્રગટે છે. વાસ્તવમાં, આ કૃતિમાં સ્થૂળ કથા નહિ પણ તેને અવલંબીને ક કાન્તે સિદ્ધ કરેલી શબ્દસૃષ્ટિનું જ મૂલ્ય છે.
અહીં પૂર્વના પ્રકાશની સાથે કશું સંવાદી સૂરીલું સંગીત જન્મતું નથી. પ્રકાશની સાથે સૃષ્ટિ તેનાં રૂંપરંગો સહિત પ્રત્યક્ષ થઈ પણ તેમાં કોલાહલ જ નિર્માયા હશે? પાંડુએ દૃઢ નિર્ણય કરી લીધો કે તે પોતાના આશ્રમધર્મને નહિ જ ત્યજે. થોડા સમય પછી તે કુટિરે આવ્યો. વસંતના પ્રબળ સામ્રાજ્યની અસર તે અનુભવી રહ્યો હતો. પણ તેની અવગણના કરી તે માદ્રીની કુટિરે પહોંચ્યો ત્યારે વસંતિલ વાયુની લહેરો તેના લોહીમાં ભળી ગઈ હતી, તે હવે ભર્તા બન્યો! માલતીમંડપમાં તે માદ્રી જોડે સહચાર કરવા નીકળ્યો. કોકિલના પંચમ સૂરે તેની સ્થૂળ વૃત્તિને પ્રદીપ્ત કરી. અને પ્રિયતમા માદ્રીના ગીતમાધુર્યથી તે જડવત્‌ બન્યો! આમ, આ કાવ્યની ગૂઢ કરુણતાના મૂળમાં આ વિશ્વજીવનની વિષમ વ્યંગભરી પરિસ્થિતિ રહેલી હોય એવો ધ્વનિ પ્રગટે છે. વાસ્તવમાં, આ કૃતિમાં સ્થૂળ કથા નહિ પણ તેને અવલંબીને ક કાન્તે સિદ્ધ કરેલી શબ્દસૃષ્ટિનું જ મૂલ્ય છે.
Line 72: Line 72:
કાન્તનાં ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ ખૂબ જ જાણીતું છે. એ ઉપરાંત ‘ઉપહાર’ ‘સ્નેહશંકા’ ‘ઉપાલંભ’ ‘ઉદ્‌ગાર’ ‘રતિને પ્રાર્થના’ ‘પ્રમાદિ નાવિક’ ‘વિધુર કુરંગ’ ‘વિપ્રયોગ’ ‘વત્સલનાં નયનો’ ‘અગતિગમન’ ‘વ્હાલાંઓને પ્રાર્થના’, ‘ઘવાયેલો બુલબુલ’ જેવી રચનાઓ ઓછેવત્તે અંશે રસસિદ્ધિ દાખવે છે. આમાંની ઘણીખરી રચનાઓમાં તો વેદનપટુ કાન્તની અતૃપ્ત પ્રણયકામનાનો જ આવિષ્કાર થયો છે. એ કોમળ અંતરની લાગણી ક્યારેક તો અતિ મધુર બાનીમાં પ્રગટી છે :
કાન્તનાં ઊર્મિકાવ્યોમાં ‘સાગર અને શશી’ ખૂબ જ જાણીતું છે. એ ઉપરાંત ‘ઉપહાર’ ‘સ્નેહશંકા’ ‘ઉપાલંભ’ ‘ઉદ્‌ગાર’ ‘રતિને પ્રાર્થના’ ‘પ્રમાદિ નાવિક’ ‘વિધુર કુરંગ’ ‘વિપ્રયોગ’ ‘વત્સલનાં નયનો’ ‘અગતિગમન’ ‘વ્હાલાંઓને પ્રાર્થના’, ‘ઘવાયેલો બુલબુલ’ જેવી રચનાઓ ઓછેવત્તે અંશે રસસિદ્ધિ દાખવે છે. આમાંની ઘણીખરી રચનાઓમાં તો વેદનપટુ કાન્તની અતૃપ્ત પ્રણયકામનાનો જ આવિષ્કાર થયો છે. એ કોમળ અંતરની લાગણી ક્યારેક તો અતિ મધુર બાનીમાં પ્રગટી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
{{Block center|'''<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો,
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>}}
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
{{Block center|'''<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
વિલોકીને વેર્યો વિમલ કુસુમોનો ગણ, અને
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે
સરી ચાલ્યો તે તો રસિક રમણીના ઉર પરે
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની! (ઉપહાર)</poem>}}
અને ત્યાં પાસેનાં તરુવર રહ્યાં ઉત્સુક બની! (ઉપહાર)</poem>'''}}
ક્યારેક કાન્તની કવિતા સૌંદર્યનો રોમેન્ટિક પરિવેશ સજીને પ્રગટી છે :
ક્યારેક કાન્તની કવિતા સૌંદર્યનો રોમેન્ટિક પરિવેશ સજીને પ્રગટી છે :
{{Poem2Open}}
{{Poem2Open}}
કયારેક અંતરની તીવ્ર અસહાય એકલતાની વેદના (અંજનીના લયમાં ચોક્કસ થઈને) પ્રગટ થઈ છે :
કયારેક અંતરની તીવ્ર અસહાય એકલતાની વેદના (અંજનીના લયમાં ચોક્કસ થઈને) પ્રગટ થઈ છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>અંધારામાં ઝૂરાએલો :
{{Block center|'''<poem>અંધારામાં ઝૂરાએલો :
ઘૂવડ ચાંચે ચૂરાએલો :
ઘૂવડ ચાંચે ચૂરાએલો :
કારાગારે પૂરાએલો :  
કારાગારે પૂરાએલો :  
ઘાટલ હા! બુલબુલ !</poem>}}
ઘાટલ હા! બુલબુલ !</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘સાગર અને શશી’માં વર્ણમાધુર્યનો કેફ અનેરો છે. અનેક મર્મજ્ઞ અભ્યાસીઓએ એ વિશે ચિંતનમનન કર્યું છે જ. આ છતાં એક અગત્યની હકીક એ છે કે કાન્તની સર્જકતા ઉત્તરોત્તર વિલય પામતી ગઈ છે. તેમાં કેટલીક ઊર્મિલ રચનાઓ તો સ્થૂળ ઊભરાથી વિશેષ નથી. નર્મદ, કાન્ત, કલાપી – એમાંનો કોઈ પણ કવિ કે પછી બીજો કોઈ પણ કવિ જ્યારે અંતરની લાગણીનું સૂક્ષ્મ તત્ત્વ પકડી શક્યો નથી ત્યારે તેના ઉદ્‌ગારો કાવ્યતત્ત્વ સિદ્ધ કરી શક્યા નથી. કદાચ સ્થૂળ લાગણીના આવેગ એ કાવ્યોચિત સામગ્રી પણ નથી. કાન્તના ઉત્તરવયમાં વ્યથા અને સંઘર્ષ તો આવ્યાં જ છે પણ પેલી આરંભ કાળની સર્જકતા – જે વિરાટ વિશ્વનાં વિભિન્ન સત્ત્વોને સાંકળતી રહે છે તે – તેમાં એટલી ગતિશીલ જણાતી નથી. એટલે કાન્તની ઉત્તરકાળની રચનાઓમાં વારંવાર કાવ્યત્વનો અભાવ સાલે છે.
‘સાગર અને શશી’માં વર્ણમાધુર્યનો કેફ અનેરો છે. અનેક મર્મજ્ઞ અભ્યાસીઓએ એ વિશે ચિંતનમનન કર્યું છે જ. આ છતાં એક અગત્યની હકીક એ છે કે કાન્તની સર્જકતા ઉત્તરોત્તર વિલય પામતી ગઈ છે. તેમાં કેટલીક ઊર્મિલ રચનાઓ તો સ્થૂળ ઊભરાથી વિશેષ નથી. નર્મદ, કાન્ત, કલાપી – એમાંનો કોઈ પણ કવિ કે પછી બીજો કોઈ પણ કવિ જ્યારે અંતરની લાગણીનું સૂક્ષ્મ તત્ત્વ પકડી શક્યો નથી ત્યારે તેના ઉદ્‌ગારો કાવ્યતત્ત્વ સિદ્ધ કરી શક્યા નથી. કદાચ સ્થૂળ લાગણીના આવેગ એ કાવ્યોચિત સામગ્રી પણ નથી. કાન્તના ઉત્તરવયમાં વ્યથા અને સંઘર્ષ તો આવ્યાં જ છે પણ પેલી આરંભ કાળની સર્જકતા – જે વિરાટ વિશ્વનાં વિભિન્ન સત્ત્વોને સાંકળતી રહે છે તે – તેમાં એટલી ગતિશીલ જણાતી નથી. એટલે કાન્તની ઉત્તરકાળની રચનાઓમાં વારંવાર કાવ્યત્વનો અભાવ સાલે છે.
અલબત્ત, ધર્મપરાયણ કાન્તે ઈશ્વરસ્તુતિ કે ઈશ્વરમહિમાનાં સ્તોત્ર જેવાં અનેક કાવ્યો રચ્યાં છે. ‘કાન્તમાલા’માં પ્રકટ થયેલાં કાવ્યોમાં (પૃ.ક ૨૮૨ પર) ઈ.સ. ૧૯૨૩માં શ્રીનગરમાં રચાયેલી કૃતિ સંગ્રહવામાં આવી છે તે ધ્યાનપાત્ર છે :
અલબત્ત, ધર્મપરાયણ કાન્તે ઈશ્વરસ્તુતિ કે ઈશ્વરમહિમાનાં સ્તોત્ર જેવાં અનેક કાવ્યો રચ્યાં છે. ‘કાન્તમાલા’માં પ્રકટ થયેલાં કાવ્યોમાં (પૃ.ક ૨૮૨ પર) ઈ.સ. ૧૯૨૩માં શ્રીનગરમાં રચાયેલી કૃતિ સંગ્રહવામાં આવી છે તે ધ્યાનપાત્ર છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઊચાં પાણી મ ને આ સતાવે પિતા!
{{Block center|'''<poem>ઊચાં પાણી મ ને આ સતાવે પિતા!
પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો!
પ્રભુ તારક સત્વર ઉદ્ધારી લ્યો!
કૈંક નારકી દૃશ્ય બતાવે પિતા!
કૈંક નારકી દૃશ્ય બતાવે પિતા!
મને પાતકીને દયાથી તારી લ્યો!</poem>}}
મને પાતકીને દયાથી તારી લ્યો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી.
પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી.