ગુજરાતી ટૂંકી વાર્તાનો ઇતિહાસ : વહેણો અને વળાંકો/પીતાંબર પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 112: Line 112:
'''વિપુલ કાળિયાનીયા'''
'''વિપુલ કાળિયાનીયા'''


'''પીતાંબર પટેલ આપણી ભાષાના જાણીતા ગદ્યસર્જક છે. મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી પસંદગીની ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’નો પરિચય મેળવવાનો અહીં ઉપક્રમ છે.  
{{Poem2Open}}
પીતાંબર પટેલ આપણી ભાષાના જાણીતા ગદ્યસર્જક છે. મિહિર પ્રકાશન, રાજકોટ દ્વારા પીતાંબર પટેલનાં તમામ પુસ્તકો એક સાથે સેટ પ્રકાશિત કરેલાં છે. જેમાં તેમના નવલિકા સંગ્રહોમાંથી પસંદગીની ઉત્તમ વાર્તાઓના ચાર સંગ્રહો ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ’ સ્વરૂપે પ્રગટ કરેલ છે. જે પૈકીના ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’નો પરિચય મેળવવાનો અહીં ઉપક્રમ છે.  
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ માં કુલ ૨૮ વાર્તાઓ સમાવિષ્ટ છે. જેમાંથી ચાર વાર્તાઓ ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’માં પણ સમાવિષ્ટ હતી જે પુનરાવર્તન પામે છે. એટલે અહીં આપણે એ ચાર સિવાયની ૨૪ વાર્તાઓ વિશે ચર્ચા કરીશું. વૈવિધ્યસભર વિષયો લઈને આવતી આ વાર્તાઓમાં સર્જક પર પુરોગામી અને સમકાલીન વાર્તાસર્જકોની અસર વર્તાઈ આવે છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા વિશે ચર્ચા કરીએ તો,  
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૨’ માં કુલ ૨૮ વાર્તાઓ સમાવિષ્ટ છે. જેમાંથી ચાર વાર્તાઓ ‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૧’માં પણ સમાવિષ્ટ હતી જે પુનરાવર્તન પામે છે. એટલે અહીં આપણે એ ચાર સિવાયની ૨૪ વાર્તાઓ વિશે ચર્ચા કરીશું. વૈવિધ્યસભર વિષયો લઈને આવતી આ વાર્તાઓમાં સર્જક પર પુરોગામી અને સમકાલીન વાર્તાસર્જકોની અસર વર્તાઈ આવે છે. સંગ્રહની પ્રત્યેક વાર્તા વિશે ચર્ચા કરીએ તો,  
આ સંપાદનની પ્રથમ વાર્તા ‘સતી’ છે. જેમાં મંગુનો પતિ ચિત્તભ્રમને કારણે ઘર છોડીને જતો રહ્યો છે અને એની ગેરહાજરીમાં મંગુ એક સતી જેવું જીવન જીવી રહી છે. નાતરી નાતની યૌવનના ઉંમરે ઊભેલી, રૂપાળી સ્ત્રી પતિની ગેરહાજરીમાં પણ સંયમ જાળવે છે અને મર્યાદાનું પાલન કરી પતિની રાહ જોતી બેઠી છે. પણ ક્ષય રોગથી પીડિત પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે અને ત્યારે જ એનો પતિ ઘરે પાછો ફરે છે. અહીં મંગુના શુદ્ધ  ચારિત્ર્યની સુગંધ પ્રસરે છે. સતી શીર્ષક પણ યથાર્થ છે. ‘નવી કે જૂની’  વાર્તામાં જેની સાથે વીરમનાં પ્રથમ લગ્ન થયેલાં એ જ રળિયાત જોડે આધેડ વયે ઘરભંગ થયા પછી વીરમ ફરી ઘરસંસાર માંડે છે એ વાત સુપેરે વ્યક્ત થઈ છે. વીરમ અને રળિયાત ફરી સંસાર માંડે, અધૂરી બાજી પૂરી કરે એ માટેનાં રજૂ થયેલાં કારણો પણ સર્જકે ભાવકપક્ષને પચે એવા દર્શાવ્યાં છે. હાસ્યરસના છાંટણ પણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘કસુંબલ રંગ’ વાર્તાની નાયિકા મંગુ પોતાના પતિ દ્વારા બીજી બૈરીને ઘરે બેસાડતા પોતાના નાનકડા છોકરાને લઈને હોટલમાં કામવાળી તરીકે કામ સ્વીકારી લે છે. પોતાના પતિને ચાહતી આ નાયિકાને ખબર પડે છે કે એનો પતિ બીમાર છે, એકલો છે ત્યારે બધો ગુસ્સો ભૂલી પતિ પાસે જતી રહે છે. એ વાત વ્યક્ત થઈ છે. ડંખ નહિ પણ ફૂંફાડો રાખી, એકલી સ્વમાનથી જીવતી મંગુ સમય આવ્યે પતિ દાનસંગ પાસે જતી રહે છે. કારણ કે હૈયે લાગેલો કસુંબલ રંગ – પ્રેમનો રંગ જરાય ઝાંખો પડ્યો નથી. ‘વગડાનાં ફૂલ’ વાર્તામાં જેલવાસ દરમિયાન વાર્તાકથક અને એની મિત્રમંડળી સમય પસાર માટે કરતા અવનવી વાતો ‘ગપ્પા’ની વાતમાં આવતી બે પ્રેમીની વાત છે.  મેળામાં મળેલાં બે યુવા હૈયાના અધૂરા પ્રણયની વાત છે. રાજુને ચાહતો પણ પ્રેમનો એકરાર નહિ કરી શકેલો, વરસંગના ગામમાં જ રાજુ બીજલને  પરણીને આવે છે. રાજુ અને વરસંગ મર્યાદા જાળવે છે, કદી વાત સુધ્ધાં કરતાં નથી છતાં રાજુનો પતિ રાજુ પર હંમેશાં વહેમાતો રહે છે. ગામમાં નવરાત્રી વખતે રાજુ અને વરસંગ ગરબા ગાય છે એની જાણ બીજલને થાય છે એ રાજુને મારી નાખવા તત્પર થયો છે. રાજુ ઘરે આવી, દાતરડું લઈને રાજુ પર હુમલો કરવા તૈયાર બીજલ અને રાજુ ઝપાઝપીમાં રાજુના હાથે અજાણતા બીજલનું મૃત્યુ થઈ જાય છે. આ વખતે વરસંગ ત્યાંથી પસાર થતાં ચીસાચીસ સાંભળી અંદર આવે છે. વસ્તુસ્થિતિ પારખી લઈ વરસંગ આ ગુનો પોતાના માથે લઈ લે છે અને આજીવન કારાવાસ સ્વીકારે છે. ‘ગપ્પા’માં થતી આવી હૃદયસ્પર્શી વાતે બધાને ભાવવિભોર બનાવી દીધા છે. આ વરસંગ બીજો કોઈ નહિ પણ અહીં રહેલો વોર્ડર વરસંગ. ‘વગડાનાં ફૂલો’ની ખાસિયત જણાવી ભાવકોને શીર્ષક સમજાવતા નજરે પડે છે. ભાવકો પર છોડવાને બદલે સર્જક સમજાવે છે જે રુચતું નથી. પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની અસર હેઠળ સર્જન કરતા પીતાંબર પટેલની આ વાર્તામાં આ બન્ને સર્જકોની અસર વર્તાઈ રહી છે. ‘મળેલા જીવ’ અને ‘જનમટીપ’ કૃતિમાં આવતાં કથાઘટક આ વાર્તામાં વપરાયેલા જોઈ શકાય છે. ‘ઘરભંગ’ વાર્તામાં વિધુર થયેલા પરમાનંદભાઈની એકલા થયા પછીની કરુણસ્થિતિ, પત્નીના મૃત્યુ બાદ એની વેલ્યૂ અને પુત્રવધૂ દ્વારા થઈ રહેલી ઉપેક્ષા વ્યક્ત થઈ છે. દીકરા અને વહુને ઘર બહાર કાઢી મૂકવાનો વિચાર કરતા પરમાનંદભાઈ એના મિત્રોમાં આદર્શ છે એવી ખબર પડતાં પોતાના જીવન સાથે, વર્તમાન સાથે સમાયોજન કરતા નજરે પડે છે. નાયકની મનઃસ્થિતિ વર્ણવવામાં સર્જક સફળ રહ્યા છે. નૂતન વિષયવસ્તુ સાથે આ વાર્તા ધ્યાનાર્હ બની રહે છે. ‘છૂટાછેડા’ વાર્તામાં નવનીત અને સુગંધાની કથા છે. બૅન્કના કર્મચારી નવનીત પત્ની સુગંધા સાથે સામાન્ય પણ ખુશીથી ઘરસંસાર વિતાવી રહ્યો હતો. એમાં રૂપવાન પત્ની સુગંધા ફિલ્મી દુનિયામાં ઝંપલાવે છે, પૈસો અને પ્રતિષ્ઠા મળતા સુગંધા પતિથી છૂટાછેડા ઇચ્છે છે પણ શરતે. પતિ કોર્ટમાં કબૂલ કરે કે પોતે નપુસંક છે તો સુગંધા મોં માગી રકમ પણ આપશે. નવનીત ખૂબ મૂંઝાયેલો, ગુસ્સે થયેલો છે અને માથેરાન આવ્યો છે. નવનીત વાર્તાના આરંભે માથેરાન હોટલમાં રોકાયો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે અને આખી વાત આજ એ અહીં નક્કી કરે છે કે સુગંધાનું ખૂન કરી નાખવું, પણ હોટલના નોકર છનાજી સાથે વાત કરતા છનાજીના લગ્નજીવનની ખબર પડે છે. છનાજી કહે છે કે, ‘સાહેબ! રદિયા વનાના ખોળિયાને કરવાનુંયે શું? પછી તો મડામાં અને એનામાં ફેર શું?’ છનાજીની વાતોની અસરથી પોતે સુગંધાનું ખૂન કરવાનું વિચારતો હતો તે ભૂત કાઢી નાખી એને રાજીથી છૂટાછેડા આપવાનું નક્કી કરે છે. ફિલ્મી દુનિયા આ વાર્તાની પશ્ચાત્‌ભૂ બને છે. ફિલ્મી દુનિયાની સામાન્ય જનમાનસમાં અંકાઈ રહેલી માનસિકતા સર્જક સુપેરે પ્રગટાવે છે. સમગ્ર રીતે જોઈએ તો ‘છૂટાછેડા’ ઉત્તમ વાર્તા બનવા પામી છે. ૧૯૫૫માં આ જ શીર્ષકથી સર્જક વાર્તાસંગ્રહ આપે છે એથી પણ આ વાર્તાની મહત્તા પામી શકીએ છીએ. ‘ચકલીનો માળો’ વાર્તામાં નાયક એક લેખક છે, સંવેદનશીલ છે. લેખકના ઘરે ચકલીએ માળો બાંધ્યો છે. લેખકનાં પત્ની એ માળો કાઢી નાખવા માગે  છે પણ લેખક ના પાડે છે. વાર્તામાંથી ફલિત થાય છે કે ઘર પરિવાર જાણે ચકલીનો માળો છે! એને બાંધવા ઘણી મહેનત કરવી પડે છે. વાર્તાના અંત સુધી લેખકનાં પત્ની પણ સંમત થઈ જાય છે. પ્રતીકના વિનિયોગ સાથે રજૂ થતી સામાન્ય કક્ષાની વાર્તા છે. ‘માનતાનો ગરબો’ વાર્તામાં અંબા અને મોતીરામને ત્યાં લગ્નના બાર વર્ષે દીકરો જન્મતા આ નોરતાએ ગરબો કાઢવાની માનતા પૂરી કરવાની વાત છે. અંબાને જન્મેલ દીકરાનો સાચો બાપ તો વીરચંદ છે એ અંબા જાણે છે એટલે દીકરાના બાપે આજ ઉપવાસ કરવાનો હોય એ વાતની ચિંતા અંબાને છે અને વીરચંદ ઉપવાસ કરે છે એટલે એ રાજી થઈ છે. ત્યાં સુધી એ દુઃખી હતી. અહીં વીરચંદના છૂપા પ્રણયની અને સાથે એકમેકનું સારું ઇચ્છતા આ ગામડા ગામના લોકોની વાત છે. ગરબા ગવરાવતી અંબાના મુખે મુકાયેલું પદ્ય વાર્તામાં પ્રાણ પૂરે છે. ‘આત્મવંચના’ નૂતન વિષયવસ્તુવાળી વાર્તા છે. સ્ત્રીઓના આપઘાત તપાસ સમિતિની મંત્રી રોહિણી ઠાકોર લેખક પ્રદીપ અને અન્ય સાહિત્યકારોના સાહિત્યમાં લખાતા સ્ત્રીઓના આપઘાતના કથાનકથી ગુસ્સામાં છે. પરંતુ જે વિષયવસ્તુને લઈને વાર્તા રચાઈ છે, વાર્તાની નાયિકા પતિના અફેરને કારણે જીવ ગુમાવે છે – સાસુ અને પતિ મારી નાખે છતાં જુબાની ખોટી પૂરે છે એવી જ ઘટના રોહિણીના જીવનમાં બને છે એ પણ કોઈના લગ્નજીવનને પીંખવા જઈ રહી છે. જે વાતનો પોતે વિરોધ કરે છે એ જ વસ્તુ એ બીજા કોઈ સાથે કરી રહી છે. એ ખબર પડતા લેખકના ઘરે ગુપ્ત કવરમાં લખીને મૂકી ગઈ કે રોહિણી મરી ગઈ છે. વાર્તાનો ઉપાડ સરસ રીતે થયો છે. પાત્રાલેખન પણ ઊડીને આંખે વળગે એ રીતે થયું છે. ‘ઝૂલતા મિનારા’ વાર્તા પણ આ સંચયની સારી કહી શકાય એવી વાર્તા પૈકીની છે. મહેશ અને સુદેવીનાં પ્રેમલગ્ન થયાં છે સુધીર પણ એ બન્નેનો ક્લાસમેટ છે. સુધીર અમેરિકા અભ્યાસ કરી આ મિત્રોના ઘરે આવ્યો છે. ત્રણેય ટૂરમાં ગયા છે સુદેવી સુધીર સાથે વધુ પડતી હળેમળે, ઉપેક્ષા કરે એ મહેશથી જીરવાતું નથી. ઝૂલતા મિનારા જોવા ગયા અને ‘એક મિનારાને હલાવો તો બીજો આપોઆપ હલે, અમર પ્રેમીઓ છે, એવો બન્ને વચ્ચે ગાઢ સ્નેહ છે.’ આવું જાણવા મળે છે ત્યારે સુધીર આખી વાત સમજી  જાય છે અને તાત્કાલિક પોતાના ઘરે પાછો ફરે છે. મહેશની મનઃસ્થિતિ, અમદાવાદનું વર્ણન, વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિ, હિન્દી ભાષાનો વિનિયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘અભિમન્યુનો ચકરાવો’ વાર્તામાં મધ્યમ વર્ગના લોકોની સ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. વાર્તાનાયક પંડ્યાના જીવનની મુશ્કેલીઓ, લાંચ લેતા પ્રધાનો વગેરે બાબત મુખર રીતે વ્યક્ત થઈ છે. શતરંજની રમત અને એમાં અભિમન્યુના ચકરાવા સાથેનું અનુસંધાન વાર્તાને ઘેરી બનાવે છે. ‘માણસની જિંદગી એ અભિમન્યુના ચકરાવા જેવી જ છે ને! જીવતેજીવ માણસને કેટલા કોઠા જીતવા પડે છે! વાર્તામાં આવતું આ વાક્ય વાર્તાના હાર્દને વ્યક્ત કરે છે. ‘ટેલિફોન ગર્લ’ વાર્તામાં એલ.આઈ.સી.માં કામ કરતી ટેલિફોન ગર્લ-સુનંદાની વાત છે. ફોન પર વાત કરતા કરતા સુનંદાને સુદર્શન રોજ ફોન કરે અને એમાં પ્રેમ કરવા લાગે છે. પોતાના જ વિષયવસ્તુને લઈને સુદર્શન વાર્તા લખે છે પણ અંત લખ્યો નથી, તેથી અંત લખવા માટે એક વખત મળવાનું નક્કી કરે છે. ત્યારે ખબર પડે છે કે સુનંદા તો એક દીકરીની મા છે. સુનંદા કહે છે કે ‘વાર્તાનો અંત મળી ગયો ને?’ અને કહે છે કે આ તો મારી વાર્તાનો અંત છે. તમારી કલ્પનાના અંતવાળી વાર્તા જ દીપોત્સવી અંકમાં મોકલજો.’ આમ, લેખક, કલ્પના અને વાસ્તવને સાથે જોડીને સારી વાર્તા આપે છે. ‘દલ્લો’ વાર્તામાં કંજૂસ દલાની કંજૂસાઈનું મોત નીપજતું બતાવાયું છે. કોઈ દાન-પુણ્ય, ધર્માદો કે દીકરા વહુને કશું ન આપતા દલાકાકા જિંદગી આખી ભેગી કરેલી મૂડીની દોણી દીકરા વેડફી ન નાખે એ બીકે ખેતરમાં જઈને દાટી આવવા વિચારે છે પણ ત્યાં જીનના ડરથી એમનું મોત થાય છે. વાર્તાનું અંતિમ વાક્ય હાર્દસમ આવે છે : ‘તેમની પાસે જ ફૂટેલી દોણીમાંથી ઘરેણાં ડોકિયાં કરી રહ્યાં હતાં. જૂના કાળા પડી ગયેલા રોકડા રૂપિયા દાંત કાઢી રહ્યા હતા.’ ‘માતાજીના પારે’ વાર્તામાં શિવો બહુચરાજી જઈ માતાના પારે બેસી ગયો અને એની મા સોના ડોશી જીવનના અંતિમ શ્વાસે એના દીકરા શિવાને યાદ કરી રહ્યાં છે પછી કોઈના કહેવાથી ડોશી માનતા માને છે કે સાજી થઈશ તો બહુચરાજી પગે લાગવા આવીશ. મથુરને લઈને માનતા પૂરી કરવા જાય છે અને શિવો જે લખમી બનીને માતાજીની ગાય બનેલો છે એનો મિલાપ થાય છે. હૃદયસ્પર્શી મિલન ભાવકોને ભીંજવી દે છે. નવીન–ઓછો છેડાયેલો વિષય ટૂંકીવાર્તાનો વિષય બને છે. થોડી વધુ માવજત મળી હોત તો વધુ આસ્વાદ્ય કૃતિ બની શકી હોત. ‘કાળીની શિંગોટી’માં જમનાની કાળી નામની ભેંસ વેચવાની વાત, વધુ કિંમત લેવાની લાલચમાં ખરા સમયે કાળી ખાવામાં કંઈક આવી જવાથી મોતને ભેટે છે અને જમનાની ઇચ્છાઓ અધૂરી રહે છે, એ વાત ગ્રામ્યપરિવેશ સાથે સુંદર રીતે વ્યક્ત થઈ છે. આ વાર્તામાંથી પસાર  થતા ‘કમાઉ દીકરો’ વાર્તાની સહજ યાદ આવી જાય.  ‘ઇન્ટરવ્યૂ’ આખા બોલી કમળા સાસરેથી પાછી આવી, મોટી ઉંમરે પરીક્ષા પાસ કરી શિક્ષકની ભરતીના ઇન્ટરવ્યૂમાં હાજર રહી છે ત્યાંથી વાર્તા આરંભાઈ છે. ભરતી પ્રક્રિયામાં એનો પતિ બેઠો છે અને આખી વાત પછી ભૂતકાળમાં સરી પડે છે. આખી વાર્તા કમળાના પૂર્વ પતિના મન- મસ્તિષ્કમાં ભજવાતી દર્શાવાય છે. છેવટે ઘણા મનોમંથન પછી ત્યક્તા કમળાને ભરતીમાં પસંદ થવાનો ઑર્ડર મળે છે, ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા વધુ કલાત્મક બની શકી હોત પણ એવું બનતું નથી. ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં ગામડાનું ‘રાજકારણ’ આલેખાયું છે. ગામડામાં સરપંચ થવાના વિવિધ કીમિયા અને નીચી જ્ઞાતિને સરપંચ બનવા અને છેવટે ટિકિટ પાછી ખેંચવા મજબૂર કરવા માટેના વિવિધ કારસ્તાન ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં નિરૂપાયાં છે. વાર્તાના અંતમાં આવતી સવજીની ચિત્તાવસ્થા સારી રીતે નિરૂપણ પામી છે. ફૂલ અને કાંટા વાર્તામાં પણ પંચાયતી રાજ અને એમાં થતી ખટપટ વર્ણવાય છે. સવિતાબેન અમે હરિહરભાઈની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને એને બદલે એમને મળતાં કાંટા પણ અંતમાં સૌ હકીકતથી વાકેફ થાય છે. સામાન્ય કક્ષાની આ વાર્તા છે. ‘છૂપા આશિષ’ વાર્તામાં તત્કાલીન સમયે ગામડામાં તબીબી સેવાઓની ઊણપ હતી અને એમાં બાજુના ગામમાં મોટાં લેડીઝ ડૉક્ટર આવે છે અને નિઃસંતાન શારદા એ ડૉક્ટરને બતાવી ગામ, સમાજ અને ઘરનાં મેણામાંથી છૂટવા માંગે છે. તબીબી સારવાર મળતાં ગામડાઓમાં આવતો બદલાવ દર્શાવાયો છે. નિસંતાન શારદાને સારવાર બાદ બાળકનો જન્મ થાય છે એવા સુખાંત સાથે વાર્તા પૂરી થાય છે. ‘શોક્ય’ વાર્તા એમાં પ્રયોજાયેલી તળપદી બોલીને કારણે ધ્યાનાર્હ બની છે. વાર્તાના પ્રારંભે પત્રની પ્રયુક્તિ દ્વારા સારિકા આવવાની છે એ ખબર મંગુને પડે છે. સારિકા બીજું કોઈ નહીં, પણ મંગુની શોક્ય છે તેથી મંગુ ગુસ્સામાં છે. મંગુનો પતિ મુંબઈ ગયો ને ત્યાં જ નોકરી સ્વીકારી, નાની બાળકી સાથે પત્ની મંગુને છોડી સારિકા સાથે પરણી ગયો. કૅન્સર થયું, મૃત્યુ પામ્યો બે બાળકો અને સારિકાને એકલા મૂકીને. મંગુને હજી પણ સારિકા પર ગુસ્સો છે. શારદાનાં લગ્નમાં સારિકા આવી, ખૂબ અહોભાવથી બધાને મળી પણ મંગુએ સારિકાને ન સ્વીકારી. અહીં ખરા અર્થમાં શોક્ય સારિકા નહિ પણ મંગુ લાગે છે. શીર્ષકની વ્યંજના સિદ્ધ થઈ છે. ગુજરાતનું ગામડું અને મુંબઈ શહેર આસપાસ ફરતી આ વાર્તા સારી બનવા પામી છે. પોતાની દીકરીના અકાળે અવસાન પછી ધનકુંવર શેઠાણીનું પ્રિયપાત્ર, દીકરીતુલ્ય ‘રૂપલી’ કૂતરી બને છે. અચાનક રૂપલી ખોવાઈ ગઈ છે અને શેઠાણીની કફોડી હાલત થઈ, એની વિહ્‌વળતા વાર્તામાં દર્શાવાઈ છે. પીતાંબર પટેલની વાર્તાની સૃષ્ટિમાં ફિલ્મી દુનિયા અવારનવાર ડોકિયા કરે છે. આ સંગ્રહની ‘છૂટાછેડા’ ‘કૅમેરાનાં આંસુ’, ‘નીલાંબરી’ અને ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ અને એ પ્રકાશ પાછળ રહેલા ઘેરા અંધકારને નિરૂપ્યા છે. ‘કૅમેરાનાં આંસુ’માં ફિલ્મી દુનિયામાં પોતાના રૂપ અને અભિનયનો ડંકો વગાડતી ચંદ્રલેખા નામની અભિનેત્રીની જીવનગાથા હૃદયગમ્ય રીતે કહેવામાં આવી છે. ગૌરી નાચવાવાળીની દીકરી મન્નુમાંથી કોઈની પત્ની બનવા ઇચ્છતી મન્નુ, લગ્નનું વચન આપી સગર્ભા બનાવી છોડીને જતો શેખર, કુંવારી માતા બની બાળકીને કમને ત્યજી અને મન્નુમાંથી  ચંદ્રલેખા જેવી ઉત્તમ અભિનેત્રી બનતી મન્નુની ગાથા સુપેરે આ વાર્તામાં વર્ણવાઈ છે. ચંદ્રલેખા એવો સહજ અભિનય કરે છે કે કૅમેરો પણ આંસુ સારવા લાગે છે. ‘નીલાંબરી’ વાર્તા પણ ફિલ્મી દુનિયાની પશ્ચાદ્‌ભૂમિ લઈને આવે છે. અનાથ નીલાંબરી અનાથ બાળકને પોતાની સાથે રાખે છે. એ બાળક બીમાર હોવાથી શૂટિંગમાં આવી શકતી નથી. મૅનેજર ગુસ્સે થયેલા પણ હકીકત જોતા એ પણ પીગળી જાય છે. આ અભિનેત્રીમાં રહેલાં વાત્સલ્ય ઝરણાંથી  ભીંજાય છે. ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં પણ વિફળ પ્રેમીઓની – અભિનેત્રી શાંતિ અને હંસરાજની – કહાની કહેતા પીતાંબર પટેલ નજરે પડે છે. સર્જકને પ્રિય એવી ફિલ્મી દુનિયા, કચકડે કંડારતી દુનિયાની પાછળ રહેલી વાસ્તવની દુનિયા તરફનો અંગુલિનિર્દેશ આપણે સૌ સારી રીતે સમજી શકીએ છીએ.'''  
આ સંપાદનની પ્રથમ વાર્તા ‘સતી’ છે. જેમાં મંગુનો પતિ ચિત્તભ્રમને કારણે ઘર છોડીને જતો રહ્યો છે અને એની ગેરહાજરીમાં મંગુ એક સતી જેવું જીવન જીવી રહી છે. નાતરી નાતની યૌવનના ઉંમરે ઊભેલી, રૂપાળી સ્ત્રી પતિની ગેરહાજરીમાં પણ સંયમ જાળવે છે અને મર્યાદાનું પાલન કરી પતિની રાહ જોતી બેઠી છે. પણ ક્ષય રોગથી પીડિત પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે અને ત્યારે જ એનો પતિ ઘરે પાછો ફરે છે. અહીં મંગુના શુદ્ધ  ચારિત્ર્યની સુગંધ પ્રસરે છે. સતી શીર્ષક પણ યથાર્થ છે. ‘નવી કે જૂની’  વાર્તામાં જેની સાથે વીરમનાં પ્રથમ લગ્ન થયેલાં એ જ રળિયાત જોડે આધેડ વયે ઘરભંગ થયા પછી વીરમ ફરી ઘરસંસાર માંડે છે એ વાત સુપેરે વ્યક્ત થઈ છે. વીરમ અને રળિયાત ફરી સંસાર માંડે, અધૂરી બાજી પૂરી કરે એ માટેનાં રજૂ થયેલાં કારણો પણ સર્જકે ભાવકપક્ષને પચે એવા દર્શાવ્યાં છે. હાસ્યરસના છાંટણ પણ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘કસુંબલ રંગ’ વાર્તાની નાયિકા મંગુ પોતાના પતિ દ્વારા બીજી બૈરીને ઘરે બેસાડતા પોતાના નાનકડા છોકરાને લઈને હોટલમાં કામવાળી તરીકે કામ સ્વીકારી લે છે. પોતાના પતિને ચાહતી આ નાયિકાને ખબર પડે છે કે એનો પતિ બીમાર છે, એકલો છે ત્યારે બધો ગુસ્સો ભૂલી પતિ પાસે જતી રહે છે. એ વાત વ્યક્ત થઈ છે. ડંખ નહિ પણ ફૂંફાડો રાખી, એકલી સ્વમાનથી જીવતી મંગુ સમય આવ્યે પતિ દાનસંગ પાસે જતી રહે છે. કારણ કે હૈયે લાગેલો કસુંબલ રંગ – પ્રેમનો રંગ જરાય ઝાંખો પડ્યો નથી. ‘વગડાનાં ફૂલ’ વાર્તામાં જેલવાસ દરમિયાન વાર્તાકથક અને એની મિત્રમંડળી સમય પસાર માટે કરતા અવનવી વાતો ‘ગપ્પા’ની વાતમાં આવતી બે પ્રેમીની વાત છે.  મેળામાં મળેલાં બે યુવા હૈયાના અધૂરા પ્રણયની વાત છે. રાજુને ચાહતો પણ પ્રેમનો એકરાર નહિ કરી શકેલો, વરસંગના ગામમાં જ રાજુ બીજલને  પરણીને આવે છે. રાજુ અને વરસંગ મર્યાદા જાળવે છે, કદી વાત સુધ્ધાં કરતાં નથી છતાં રાજુનો પતિ રાજુ પર હંમેશાં વહેમાતો રહે છે. ગામમાં નવરાત્રી વખતે રાજુ અને વરસંગ ગરબા ગાય છે એની જાણ બીજલને થાય છે એ રાજુને મારી નાખવા તત્પર થયો છે. રાજુ ઘરે આવી, દાતરડું લઈને રાજુ પર હુમલો કરવા તૈયાર બીજલ અને રાજુ ઝપાઝપીમાં રાજુના હાથે અજાણતા બીજલનું મૃત્યુ થઈ જાય છે. આ વખતે વરસંગ ત્યાંથી પસાર થતાં ચીસાચીસ સાંભળી અંદર આવે છે. વસ્તુસ્થિતિ પારખી લઈ વરસંગ આ ગુનો પોતાના માથે લઈ લે છે અને આજીવન કારાવાસ સ્વીકારે છે. ‘ગપ્પા’માં થતી આવી હૃદયસ્પર્શી વાતે બધાને ભાવવિભોર બનાવી દીધા છે. આ વરસંગ બીજો કોઈ નહિ પણ અહીં રહેલો વોર્ડર વરસંગ. ‘વગડાનાં ફૂલો’ની ખાસિયત જણાવી ભાવકોને શીર્ષક સમજાવતા નજરે પડે છે. ભાવકો પર છોડવાને બદલે સર્જક સમજાવે છે જે રુચતું નથી. પન્નાલાલ પટેલ અને ઈશ્વર પેટલીકરની અસર હેઠળ સર્જન કરતા પીતાંબર પટેલની આ વાર્તામાં આ બન્ને સર્જકોની અસર વર્તાઈ રહી છે. ‘મળેલા જીવ’ અને ‘જનમટીપ’ કૃતિમાં આવતાં કથાઘટક આ વાર્તામાં વપરાયેલા જોઈ શકાય છે. ‘ઘરભંગ’ વાર્તામાં વિધુર થયેલા પરમાનંદભાઈની એકલા થયા પછીની કરુણસ્થિતિ, પત્નીના મૃત્યુ બાદ એની વેલ્યૂ અને પુત્રવધૂ દ્વારા થઈ રહેલી ઉપેક્ષા વ્યક્ત થઈ છે. દીકરા અને વહુને ઘર બહાર કાઢી મૂકવાનો વિચાર કરતા પરમાનંદભાઈ એના મિત્રોમાં આદર્શ છે એવી ખબર પડતાં પોતાના જીવન સાથે, વર્તમાન સાથે સમાયોજન કરતા નજરે પડે છે. નાયકની મનઃસ્થિતિ વર્ણવવામાં સર્જક સફળ રહ્યા છે. નૂતન વિષયવસ્તુ સાથે આ વાર્તા ધ્યાનાર્હ બની રહે છે. ‘છૂટાછેડા’ વાર્તામાં નવનીત અને સુગંધાની કથા છે. બૅન્કના કર્મચારી નવનીત પત્ની સુગંધા સાથે સામાન્ય પણ ખુશીથી ઘરસંસાર વિતાવી રહ્યો હતો. એમાં રૂપવાન પત્ની સુગંધા ફિલ્મી દુનિયામાં ઝંપલાવે છે, પૈસો અને પ્રતિષ્ઠા મળતા સુગંધા પતિથી છૂટાછેડા ઇચ્છે છે પણ શરતે. પતિ કોર્ટમાં કબૂલ કરે કે પોતે નપુસંક છે તો સુગંધા મોં માગી રકમ પણ આપશે. નવનીત ખૂબ મૂંઝાયેલો, ગુસ્સે થયેલો છે અને માથેરાન આવ્યો છે. નવનીત વાર્તાના આરંભે માથેરાન હોટલમાં રોકાયો છે ત્યાંથી વાર્તા શરૂ થાય છે અને આખી વાત આજ એ અહીં નક્કી કરે છે કે સુગંધાનું ખૂન કરી નાખવું, પણ હોટલના નોકર છનાજી સાથે વાત કરતા છનાજીના લગ્નજીવનની ખબર પડે છે. છનાજી કહે છે કે, ‘સાહેબ! રદિયા વનાના ખોળિયાને કરવાનુંયે શું? પછી તો મડામાં અને એનામાં ફેર શું?’ છનાજીની વાતોની અસરથી પોતે સુગંધાનું ખૂન કરવાનું વિચારતો હતો તે ભૂત કાઢી નાખી એને રાજીથી છૂટાછેડા આપવાનું નક્કી કરે છે. ફિલ્મી દુનિયા આ વાર્તાની પશ્ચાત્‌ભૂ બને છે. ફિલ્મી દુનિયાની સામાન્ય જનમાનસમાં અંકાઈ રહેલી માનસિકતા સર્જક સુપેરે પ્રગટાવે છે. સમગ્ર રીતે જોઈએ તો ‘છૂટાછેડા’ ઉત્તમ વાર્તા બનવા પામી છે. ૧૯૫૫માં આ જ શીર્ષકથી સર્જક વાર્તાસંગ્રહ આપે છે એથી પણ આ વાર્તાની મહત્તા પામી શકીએ છીએ. ‘ચકલીનો માળો’ વાર્તામાં નાયક એક લેખક છે, સંવેદનશીલ છે. લેખકના ઘરે ચકલીએ માળો બાંધ્યો છે. લેખકનાં પત્ની એ માળો કાઢી નાખવા માગે  છે પણ લેખક ના પાડે છે. વાર્તામાંથી ફલિત થાય છે કે ઘર પરિવાર જાણે ચકલીનો માળો છે! એને બાંધવા ઘણી મહેનત કરવી પડે છે. વાર્તાના અંત સુધી લેખકનાં પત્ની પણ સંમત થઈ જાય છે. પ્રતીકના વિનિયોગ સાથે રજૂ થતી સામાન્ય કક્ષાની વાર્તા છે. ‘માનતાનો ગરબો’ વાર્તામાં અંબા અને મોતીરામને ત્યાં લગ્નના બાર વર્ષે દીકરો જન્મતા આ નોરતાએ ગરબો કાઢવાની માનતા પૂરી કરવાની વાત છે. અંબાને જન્મેલ દીકરાનો સાચો બાપ તો વીરચંદ છે એ અંબા જાણે છે એટલે દીકરાના બાપે આજ ઉપવાસ કરવાનો હોય એ વાતની ચિંતા અંબાને છે અને વીરચંદ ઉપવાસ કરે છે એટલે એ રાજી થઈ છે. ત્યાં સુધી એ દુઃખી હતી. અહીં વીરચંદના છૂપા પ્રણયની અને સાથે એકમેકનું સારું ઇચ્છતા આ ગામડા ગામના લોકોની વાત છે. ગરબા ગવરાવતી અંબાના મુખે મુકાયેલું પદ્ય વાર્તામાં પ્રાણ પૂરે છે. ‘આત્મવંચના’ નૂતન વિષયવસ્તુવાળી વાર્તા છે. સ્ત્રીઓના આપઘાત તપાસ સમિતિની મંત્રી રોહિણી ઠાકોર લેખક પ્રદીપ અને અન્ય સાહિત્યકારોના સાહિત્યમાં લખાતા સ્ત્રીઓના આપઘાતના કથાનકથી ગુસ્સામાં છે. પરંતુ જે વિષયવસ્તુને લઈને વાર્તા રચાઈ છે, વાર્તાની નાયિકા પતિના અફેરને કારણે જીવ ગુમાવે છે – સાસુ અને પતિ મારી નાખે છતાં જુબાની ખોટી પૂરે છે એવી જ ઘટના રોહિણીના જીવનમાં બને છે એ પણ કોઈના લગ્નજીવનને પીંખવા જઈ રહી છે. જે વાતનો પોતે વિરોધ કરે છે એ જ વસ્તુ એ બીજા કોઈ સાથે કરી રહી છે. એ ખબર પડતા લેખકના ઘરે ગુપ્ત કવરમાં લખીને મૂકી ગઈ કે રોહિણી મરી ગઈ છે. વાર્તાનો ઉપાડ સરસ રીતે થયો છે. પાત્રાલેખન પણ ઊડીને આંખે વળગે એ રીતે થયું છે. ‘ઝૂલતા મિનારા’ વાર્તા પણ આ સંચયની સારી કહી શકાય એવી વાર્તા પૈકીની છે. મહેશ અને સુદેવીનાં પ્રેમલગ્ન થયાં છે સુધીર પણ એ બન્નેનો ક્લાસમેટ છે. સુધીર અમેરિકા અભ્યાસ કરી આ મિત્રોના ઘરે આવ્યો છે. ત્રણેય ટૂરમાં ગયા છે સુદેવી સુધીર સાથે વધુ પડતી હળેમળે, ઉપેક્ષા કરે એ મહેશથી જીરવાતું નથી. ઝૂલતા મિનારા જોવા ગયા અને ‘એક મિનારાને હલાવો તો બીજો આપોઆપ હલે, અમર પ્રેમીઓ છે, એવો બન્ને વચ્ચે ગાઢ સ્નેહ છે.’ આવું જાણવા મળે છે ત્યારે સુધીર આખી વાત સમજી  જાય છે અને તાત્કાલિક પોતાના ઘરે પાછો ફરે છે. મહેશની મનઃસ્થિતિ, અમદાવાદનું વર્ણન, વાર્તાની અંદર વાર્તાની પ્રયુક્તિ, હિન્દી ભાષાનો વિનિયોગ વાર્તાને આસ્વાદ્ય બનાવે છે. ‘અભિમન્યુનો ચકરાવો’ વાર્તામાં મધ્યમ વર્ગના લોકોની સ્થિતિનું આલેખન કરવામાં આવ્યું છે. વાર્તાનાયક પંડ્યાના જીવનની મુશ્કેલીઓ, લાંચ લેતા પ્રધાનો વગેરે બાબત મુખર રીતે વ્યક્ત થઈ છે. શતરંજની રમત અને એમાં અભિમન્યુના ચકરાવા સાથેનું અનુસંધાન વાર્તાને ઘેરી બનાવે છે. ‘માણસની જિંદગી એ અભિમન્યુના ચકરાવા જેવી જ છે ને! જીવતેજીવ માણસને કેટલા કોઠા જીતવા પડે છે! વાર્તામાં આવતું આ વાક્ય વાર્તાના હાર્દને વ્યક્ત કરે છે. ‘ટેલિફોન ગર્લ’ વાર્તામાં એલ.આઈ.સી.માં કામ કરતી ટેલિફોન ગર્લ-સુનંદાની વાત છે. ફોન પર વાત કરતા કરતા સુનંદાને સુદર્શન રોજ ફોન કરે અને એમાં પ્રેમ કરવા લાગે છે. પોતાના જ વિષયવસ્તુને લઈને સુદર્શન વાર્તા લખે છે પણ અંત લખ્યો નથી, તેથી અંત લખવા માટે એક વખત મળવાનું નક્કી કરે છે. ત્યારે ખબર પડે છે કે સુનંદા તો એક દીકરીની મા છે. સુનંદા કહે છે કે ‘વાર્તાનો અંત મળી ગયો ને?’ અને કહે છે કે આ તો મારી વાર્તાનો અંત છે. તમારી કલ્પનાના અંતવાળી વાર્તા જ દીપોત્સવી અંકમાં મોકલજો.’ આમ, લેખક, કલ્પના અને વાસ્તવને સાથે જોડીને સારી વાર્તા આપે છે. ‘દલ્લો’ વાર્તામાં કંજૂસ દલાની કંજૂસાઈનું મોત નીપજતું બતાવાયું છે. કોઈ દાન-પુણ્ય, ધર્માદો કે દીકરા વહુને કશું ન આપતા દલાકાકા જિંદગી આખી ભેગી કરેલી મૂડીની દોણી દીકરા વેડફી ન નાખે એ બીકે ખેતરમાં જઈને દાટી આવવા વિચારે છે પણ ત્યાં જીનના ડરથી એમનું મોત થાય છે. વાર્તાનું અંતિમ વાક્ય હાર્દસમ આવે છે : ‘તેમની પાસે જ ફૂટેલી દોણીમાંથી ઘરેણાં ડોકિયાં કરી રહ્યાં હતાં. જૂના કાળા પડી ગયેલા રોકડા રૂપિયા દાંત કાઢી રહ્યા હતા.’ ‘માતાજીના પારે’ વાર્તામાં શિવો બહુચરાજી જઈ માતાના પારે બેસી ગયો અને એની મા સોના ડોશી જીવનના અંતિમ શ્વાસે એના દીકરા શિવાને યાદ કરી રહ્યાં છે પછી કોઈના કહેવાથી ડોશી માનતા માને છે કે સાજી થઈશ તો બહુચરાજી પગે લાગવા આવીશ. મથુરને લઈને માનતા પૂરી કરવા જાય છે અને શિવો જે લખમી બનીને માતાજીની ગાય બનેલો છે એનો મિલાપ થાય છે. હૃદયસ્પર્શી મિલન ભાવકોને ભીંજવી દે છે. નવીન–ઓછો છેડાયેલો વિષય ટૂંકીવાર્તાનો વિષય બને છે. થોડી વધુ માવજત મળી હોત તો વધુ આસ્વાદ્ય કૃતિ બની શકી હોત. ‘કાળીની શિંગોટી’માં જમનાની કાળી નામની ભેંસ વેચવાની વાત, વધુ કિંમત લેવાની લાલચમાં ખરા સમયે કાળી ખાવામાં કંઈક આવી જવાથી મોતને ભેટે છે અને જમનાની ઇચ્છાઓ અધૂરી રહે છે, એ વાત ગ્રામ્યપરિવેશ સાથે સુંદર રીતે વ્યક્ત થઈ છે. આ વાર્તામાંથી પસાર  થતા ‘કમાઉ દીકરો’ વાર્તાની સહજ યાદ આવી જાય.  ‘ઇન્ટરવ્યૂ’ આખા બોલી કમળા સાસરેથી પાછી આવી, મોટી ઉંમરે પરીક્ષા પાસ કરી શિક્ષકની ભરતીના ઇન્ટરવ્યૂમાં હાજર રહી છે ત્યાંથી વાર્તા આરંભાઈ છે. ભરતી પ્રક્રિયામાં એનો પતિ બેઠો છે અને આખી વાત પછી ભૂતકાળમાં સરી પડે છે. આખી વાર્તા કમળાના પૂર્વ પતિના મન- મસ્તિષ્કમાં ભજવાતી દર્શાવાય છે. છેવટે ઘણા મનોમંથન પછી ત્યક્તા કમળાને ભરતીમાં પસંદ થવાનો ઑર્ડર મળે છે, ત્યાં વાર્તા પૂરી થાય છે. વાર્તા વધુ કલાત્મક બની શકી હોત પણ એવું બનતું નથી. ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં ગામડાનું ‘રાજકારણ’ આલેખાયું છે. ગામડામાં સરપંચ થવાના વિવિધ કીમિયા અને નીચી જ્ઞાતિને સરપંચ બનવા અને છેવટે ટિકિટ પાછી ખેંચવા મજબૂર કરવા માટેના વિવિધ કારસ્તાન ‘ઝાંઝવાનાં જળ’ વાર્તામાં નિરૂપાયાં છે. વાર્તાના અંતમાં આવતી સવજીની ચિત્તાવસ્થા સારી રીતે નિરૂપણ પામી છે. ફૂલ અને કાંટા વાર્તામાં પણ પંચાયતી રાજ અને એમાં થતી ખટપટ વર્ણવાય છે. સવિતાબેન અમે હરિહરભાઈની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ અને એને બદલે એમને મળતાં કાંટા પણ અંતમાં સૌ હકીકતથી વાકેફ થાય છે. સામાન્ય કક્ષાની આ વાર્તા છે. ‘છૂપા આશિષ’ વાર્તામાં તત્કાલીન સમયે ગામડામાં તબીબી સેવાઓની ઊણપ હતી અને એમાં બાજુના ગામમાં મોટાં લેડીઝ ડૉક્ટર આવે છે અને નિઃસંતાન શારદા એ ડૉક્ટરને બતાવી ગામ, સમાજ અને ઘરનાં મેણામાંથી છૂટવા માંગે છે. તબીબી સારવાર મળતાં ગામડાઓમાં આવતો બદલાવ દર્શાવાયો છે. નિસંતાન શારદાને સારવાર બાદ બાળકનો જન્મ થાય છે એવા સુખાંત સાથે વાર્તા પૂરી થાય છે. ‘શોક્ય’ વાર્તા એમાં પ્રયોજાયેલી તળપદી બોલીને કારણે ધ્યાનાર્હ બની છે. વાર્તાના પ્રારંભે પત્રની પ્રયુક્તિ દ્વારા સારિકા આવવાની છે એ ખબર મંગુને પડે છે. સારિકા બીજું કોઈ નહીં, પણ મંગુની શોક્ય છે તેથી મંગુ ગુસ્સામાં છે. મંગુનો પતિ મુંબઈ ગયો ને ત્યાં જ નોકરી સ્વીકારી, નાની બાળકી સાથે પત્ની મંગુને છોડી સારિકા સાથે પરણી ગયો. કૅન્સર થયું, મૃત્યુ પામ્યો બે બાળકો અને સારિકાને એકલા મૂકીને. મંગુને હજી પણ સારિકા પર ગુસ્સો છે. શારદાનાં લગ્નમાં સારિકા આવી, ખૂબ અહોભાવથી બધાને મળી પણ મંગુએ સારિકાને ન સ્વીકારી. અહીં ખરા અર્થમાં શોક્ય સારિકા નહિ પણ મંગુ લાગે છે. શીર્ષકની વ્યંજના સિદ્ધ થઈ છે. ગુજરાતનું ગામડું અને મુંબઈ શહેર આસપાસ ફરતી આ વાર્તા સારી બનવા પામી છે. પોતાની દીકરીના અકાળે અવસાન પછી ધનકુંવર શેઠાણીનું પ્રિયપાત્ર, દીકરીતુલ્ય ‘રૂપલી’ કૂતરી બને છે. અચાનક રૂપલી ખોવાઈ ગઈ છે અને શેઠાણીની કફોડી હાલત થઈ, એની વિહ્‌વળતા વાર્તામાં દર્શાવાઈ છે. પીતાંબર પટેલની વાર્તાની સૃષ્ટિમાં ફિલ્મી દુનિયા અવારનવાર ડોકિયા કરે છે. આ સંગ્રહની ‘છૂટાછેડા’ ‘કૅમેરાનાં આંસુ’, ‘નીલાંબરી’ અને ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં ફિલ્મી દુનિયાની ઝાકમઝોળ અને એ પ્રકાશ પાછળ રહેલા ઘેરા અંધકારને નિરૂપ્યા છે. ‘કૅમેરાનાં આંસુ’માં ફિલ્મી દુનિયામાં પોતાના રૂપ અને અભિનયનો ડંકો વગાડતી ચંદ્રલેખા નામની અભિનેત્રીની જીવનગાથા હૃદયગમ્ય રીતે કહેવામાં આવી છે. ગૌરી નાચવાવાળીની દીકરી મન્નુમાંથી કોઈની પત્ની બનવા ઇચ્છતી મન્નુ, લગ્નનું વચન આપી સગર્ભા બનાવી છોડીને જતો શેખર, કુંવારી માતા બની બાળકીને કમને ત્યજી અને મન્નુમાંથી  ચંદ્રલેખા જેવી ઉત્તમ અભિનેત્રી બનતી મન્નુની ગાથા સુપેરે આ વાર્તામાં વર્ણવાઈ છે. ચંદ્રલેખા એવો સહજ અભિનય કરે છે કે કૅમેરો પણ આંસુ સારવા લાગે છે. ‘નીલાંબરી’ વાર્તા પણ ફિલ્મી દુનિયાની પશ્ચાદ્‌ભૂમિ લઈને આવે છે. અનાથ નીલાંબરી અનાથ બાળકને પોતાની સાથે રાખે છે. એ બાળક બીમાર હોવાથી શૂટિંગમાં આવી શકતી નથી. મૅનેજર ગુસ્સે થયેલા પણ હકીકત જોતા એ પણ પીગળી જાય છે. આ અભિનેત્રીમાં રહેલાં વાત્સલ્ય ઝરણાંથી  ભીંજાય છે. ‘મેરી શાંતિ મર ગઈ’ વાર્તામાં પણ વિફળ પ્રેમીઓની – અભિનેત્રી શાંતિ અને હંસરાજની – કહાની કહેતા પીતાંબર પટેલ નજરે પડે છે. સર્જકને પ્રિય એવી ફિલ્મી દુનિયા, કચકડે કંડારતી દુનિયાની પાછળ રહેલી વાસ્તવની દુનિયા તરફનો અંગુલિનિર્દેશ આપણે સૌ સારી રીતે સમજી શકીએ છીએ.'''
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''  
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''  
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 146: Line 148:
‘પેટનો દર્દી’ સામાન્ય વાર્તા બની છે. પેટના દર્દથી પીડાતો રઘુ અમદાવાદ દવાખાને દાખલ થયો છે પણ મોતના ડરથી ભાગી જાય છે. ‘કમલિની’ વાર્તામાં ફરી લેખક સાહિત્યકાર અને ફિલ્મી દુનિયાને વાર્તાનો વિષય બનાવે છે. સાહિત્યકાર મનોજબાબુ અને અભિનેત્રી કમલિનીનો પ્રણય, લગ્ન, વિરહ વર્ણવાયો છે. જિંદગીના અંતિમ પડાવે મનોજબાબુ પોતાની પત્નીને તેડવા જવાનો નિર્ણય કરે છે અને વાર્તા સમાપ્ત થાય છે અને ભાવકોના ચિત્તમાં વાર્તા આરંભાય છે. છૂટાછેડાની અરજી લઈને આવેલાં દંપતી નટવર અને કુમુદને સમજાવી ન્યાયાધીશ સમાધાન કરાવે છે અને આ સમાધાન કેવું ભયાનક પરિણામ લાવે છે એ વાત સમાધાન વાર્તામાં રજૂ થઈ છે. સાધારણ વાર્તા છે પણ કુમુદ અને ન્યાયાધીશની ચૈતસિક અવસ્થા સર્જક બરાબર પકડી શક્યા છે. નિઃસંતાન સ્ત્રીની માતૃત્વ ઝંખના ‘બા અને બાબો’ વાર્તામાં વ્યક્ત થઈ છે. ‘અદાકારનો વિષાદ’ વાર્તામાં સર્જક ફિલ્મી દુનિયાના પત્રોને ગૂંથે છે. શ્રીનગરના પરિવેશ સાથે આવતી આ વાર્તામાં શ્રીનગરનું સૌંદર્ય સર્જક મન મૂકીને વર્ણવે છે. સાથોસાથ વાર્તાનાયક અભિનેતા મદનની વ્યથા પણ વર્ણવાય છે. ‘થાપણ’ વાર્તા ભાવસભર રીતે રજૂ થઈ છે, પોતાના મેડિકલના અભ્યાસ માટે રૂપિયાની જરૂર હતી પણ કોઈ આપે એમ નહોતું, ત્યારે વિધવા માતા સાથે રહેતા મનોજની વહારે ભાગીરથી આવે છે. ભાગીરથી બીજું કોઈ નહીં પણ મનોજના બાપની રખાત હતી. અહીં ભાગીરથીના પાત્રની ઊજળી બાજુ પ્રગટાવવામાં સર્જક સફળ થયા છે. સમાજમાં ચાલતી લગ્નેતર સંબંધની બદીઓ અને એની પણ ઊજળી બાજુ દર્શાવવામાં સર્જક સફળ થયા છે. ડાયરીલેખનની પ્રયુક્તિ ‘સ્ત્રી’ વાર્તામાં વપરાય છે. સ્ત્રીના મનના અભેદ્ય પડળ આ વાર્તામાં વ્યક્ત થયા છે. જેને ચાહ્યો તે ન મળ્યો અને જે મળ્યાં એ ઉપભોગ કરનાર. અહીં નાયિકાની પીડા, વ્યથા વ્યક્ત થઈ છે ડાયરી રૂપે. વ્રતકથા જેવી લગતી, પુરાકથાના વિનિયોગ વાળી ‘અતિજ્ઞાન’ નામની વાર્તામાં અતિજ્ઞાન એ પાપનું મૂળ છે એ ન્યાયે અતિજ્ઞાન મેળવેલો બ્રાહ્મણ વિષ્ણુદેવ કેવો દુઃખી થાય છે એનો ચિતાર છે. સર્વ સુખ છે. ઉચ્ચ અભ્યાસ, દરેક જાતની વિદ્યા, બુદ્ધિમતા છતાં હિમાલયમાં તપ કરી ઋષિ પાસે  વરદાન  માગે છે. ‘પરમનપ્રવેશ’ની વિદ્યા શીખે છે પણ એ જ એના માટે દુઃખનું કારણ બને છે, સહદેવનું પાત્ર યાદ આવી જાય છે. સર્જક અહીં જરા જુદા વિષય સાથે સારી રીતે પ્રગટ્યા છે. ‘કર લે સિંગાર’ વાર્તા કોઠા પર નાચતી સ્ત્રીની વ્યથાકથા રજૂ કરે છે. ‘પૂજે જનો સૌ ઊગતા સૂર્યને’ એ ન્યાયે જ્યાં સુધી રૂપ છે, સૂર છે, અદા છે ત્યાં સુધી સૌ વાર્તાની નાયિકા અખ્તરજહાંનું સૌ કોઈ હતું પણ આજ મૃત્યુશૈયા પર પડી છે ત્યારે કોણ છે નજીક? કોઈ જ નહીં. ક્ષયરોગથી પીડાતી, પ્રિયતમને સંભારતી અખ્તરજહાં મોતને ભેટે છે. કરુણાંત વાર્તા છે. હિન્દી ભાષાનો વિનિયોગ ધ્યાન ખેચે છે. ‘કાળી ટીલી’ વાર્તામાં ગ્રામ્યપરિવેશ અને એમની માનસિકતા વ્યક્ત થઈ છે. તો પીતાંબર પટેલની વાર્તાઓમાં સૌથી વધુ ખ્યાત બનેલી વાર્તા ‘અંજળ પાણી’ આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. સૂરજડોશીનો પોતાની ભૂરી નામની ભેંસ સાથેનો નિર્ભેળ નાતો આ વાર્તાનો વિષય બને છે. કાળ પડ્યો છે એટલે ડોશી કમને ભેંસને વેચવા તૈયાર થયાં છે પણ અંતે ભૂરીને દોરી જવા આવ્યા ત્યારે ભૂરી એક ડગલું પણ ખસી નહીં અને સૂરજડોશીએ પણ તેને વેચવાનું માંડી વાળ્યું. ‘ભૂરી, અંજળપાણી મોટી વાત છે. અંજળ હશે ત્યાં લગન તો આપણને કોઈ જુદું કરવાનું.’ અહીં ડોશીનો અબોલ પશુ તરફનો સ્નેહ દેખાય આવે છે. ધરતી સાથે જોડાયેલા આ લોકને પશુ, પંખી, વૃક્ષ આ બધા જોડે ગાઢ નાતો છે જે મુશ્કેલ સમયે પણ સાથ છોડતા નથી એવો ઇંગિત કર્યો છે. માનવતા અને નિઃસ્વાર્થ પ્રેમ આ વાર્તામાં ભારોભાર દેખાય છે. ‘...અને એ પરણી ગયો’માં સુરેશને રંજન અને વિનોદ પત્ર લખે છે. વાત એક જ છે કે વિનોદ પરણી ગયો છે. લગ્ન કેમ તાત્કાલિક કર્યાં એ ચિતાર પત્રમાં છે. ‘કરફ્યુ ઑર્ડર’ને કારણે નાયક અને નાયિકા ગોદાવરીના લગ્નજીવનની એમાં કરફ્યુને કારણે આવેલા હકારાત્મક પરિવર્તનની વાત છે. સામાન્ય વાર્તા બની છે. ‘જીવન-નાટક’ વાર્તા શીર્ષકની જેમ જીવનના એક નવા નાટકને વાર્તાનો વિષય બનાવે છે. ગ્રામ્યપરિવેશ સાથે આવતી આ વાર્તા સાધારણ વાર્તા બને છે. ‘મનનો મેલ’ વાર્તામાં મુંબઈનો પરિવેશ અને શંકર નામના પાત્રની માનસિકતા દર્શાવાય છે. કાંતિની નજરમાં શંકરકાકાની જે પડતી થઈ એ વાર્તામાં પ્રગટી છે. ‘કસ્તુરી’ વાર્તામાં સાહિત્યકાર અને ભાવકના સંબંધને રજૂ કરાયો છે. આ વિષયને લઈને પીતાંબર પટેલ ઘણી વાર્તાઓ આપે છે. સાહિત્યકારની સમાજ પર જે છાપ છે એ પણ અંકિત થાય છે. કોકિલાબેન લેખકને પોતાના જીવનની પોતાના સસરાની સત્ય હકીકત અહોભાવથી સંભળાવે છે એ સુગંધ પ્રસરાવે છે એ વાત વાર્તાનો વિષય બને છે. કસ્તુરી જેવી કોકિલાબેનની જીવનસુવાસથી લેખક પણ પ્રસન્ન થયા છે. જીવનચરિત્ર જેવી આ વાર્તા હૃદયસ્પર્શી બની છે પણ વાર્તાકલાને પૂરો ન્યાય આપી શકતી નથી.
‘પેટનો દર્દી’ સામાન્ય વાર્તા બની છે. પેટના દર્દથી પીડાતો રઘુ અમદાવાદ દવાખાને દાખલ થયો છે પણ મોતના ડરથી ભાગી જાય છે. ‘કમલિની’ વાર્તામાં ફરી લેખક સાહિત્યકાર અને ફિલ્મી દુનિયાને વાર્તાનો વિષય બનાવે છે. સાહિત્યકાર મનોજબાબુ અને અભિનેત્રી કમલિનીનો પ્રણય, લગ્ન, વિરહ વર્ણવાયો છે. જિંદગીના અંતિમ પડાવે મનોજબાબુ પોતાની પત્નીને તેડવા જવાનો નિર્ણય કરે છે અને વાર્તા સમાપ્ત થાય છે અને ભાવકોના ચિત્તમાં વાર્તા આરંભાય છે. છૂટાછેડાની અરજી લઈને આવેલાં દંપતી નટવર અને કુમુદને સમજાવી ન્યાયાધીશ સમાધાન કરાવે છે અને આ સમાધાન કેવું ભયાનક પરિણામ લાવે છે એ વાત સમાધાન વાર્તામાં રજૂ થઈ છે. સાધારણ વાર્તા છે પણ કુમુદ અને ન્યાયાધીશની ચૈતસિક અવસ્થા સર્જક બરાબર પકડી શક્યા છે. નિઃસંતાન સ્ત્રીની માતૃત્વ ઝંખના ‘બા અને બાબો’ વાર્તામાં વ્યક્ત થઈ છે. ‘અદાકારનો વિષાદ’ વાર્તામાં સર્જક ફિલ્મી દુનિયાના પત્રોને ગૂંથે છે. શ્રીનગરના પરિવેશ સાથે આવતી આ વાર્તામાં શ્રીનગરનું સૌંદર્ય સર્જક મન મૂકીને વર્ણવે છે. સાથોસાથ વાર્તાનાયક અભિનેતા મદનની વ્યથા પણ વર્ણવાય છે. ‘થાપણ’ વાર્તા ભાવસભર રીતે રજૂ થઈ છે, પોતાના મેડિકલના અભ્યાસ માટે રૂપિયાની જરૂર હતી પણ કોઈ આપે એમ નહોતું, ત્યારે વિધવા માતા સાથે રહેતા મનોજની વહારે ભાગીરથી આવે છે. ભાગીરથી બીજું કોઈ નહીં પણ મનોજના બાપની રખાત હતી. અહીં ભાગીરથીના પાત્રની ઊજળી બાજુ પ્રગટાવવામાં સર્જક સફળ થયા છે. સમાજમાં ચાલતી લગ્નેતર સંબંધની બદીઓ અને એની પણ ઊજળી બાજુ દર્શાવવામાં સર્જક સફળ થયા છે. ડાયરીલેખનની પ્રયુક્તિ ‘સ્ત્રી’ વાર્તામાં વપરાય છે. સ્ત્રીના મનના અભેદ્ય પડળ આ વાર્તામાં વ્યક્ત થયા છે. જેને ચાહ્યો તે ન મળ્યો અને જે મળ્યાં એ ઉપભોગ કરનાર. અહીં નાયિકાની પીડા, વ્યથા વ્યક્ત થઈ છે ડાયરી રૂપે. વ્રતકથા જેવી લગતી, પુરાકથાના વિનિયોગ વાળી ‘અતિજ્ઞાન’ નામની વાર્તામાં અતિજ્ઞાન એ પાપનું મૂળ છે એ ન્યાયે અતિજ્ઞાન મેળવેલો બ્રાહ્મણ વિષ્ણુદેવ કેવો દુઃખી થાય છે એનો ચિતાર છે. સર્વ સુખ છે. ઉચ્ચ અભ્યાસ, દરેક જાતની વિદ્યા, બુદ્ધિમતા છતાં હિમાલયમાં તપ કરી ઋષિ પાસે  વરદાન  માગે છે. ‘પરમનપ્રવેશ’ની વિદ્યા શીખે છે પણ એ જ એના માટે દુઃખનું કારણ બને છે, સહદેવનું પાત્ર યાદ આવી જાય છે. સર્જક અહીં જરા જુદા વિષય સાથે સારી રીતે પ્રગટ્યા છે. ‘કર લે સિંગાર’ વાર્તા કોઠા પર નાચતી સ્ત્રીની વ્યથાકથા રજૂ કરે છે. ‘પૂજે જનો સૌ ઊગતા સૂર્યને’ એ ન્યાયે જ્યાં સુધી રૂપ છે, સૂર છે, અદા છે ત્યાં સુધી સૌ વાર્તાની નાયિકા અખ્તરજહાંનું સૌ કોઈ હતું પણ આજ મૃત્યુશૈયા પર પડી છે ત્યારે કોણ છે નજીક? કોઈ જ નહીં. ક્ષયરોગથી પીડાતી, પ્રિયતમને સંભારતી અખ્તરજહાં મોતને ભેટે છે. કરુણાંત વાર્તા છે. હિન્દી ભાષાનો વિનિયોગ ધ્યાન ખેચે છે. ‘કાળી ટીલી’ વાર્તામાં ગ્રામ્યપરિવેશ અને એમની માનસિકતા વ્યક્ત થઈ છે. તો પીતાંબર પટેલની વાર્તાઓમાં સૌથી વધુ ખ્યાત બનેલી વાર્તા ‘અંજળ પાણી’ આ સંગ્રહમાં સમાવિષ્ટ છે. સૂરજડોશીનો પોતાની ભૂરી નામની ભેંસ સાથેનો નિર્ભેળ નાતો આ વાર્તાનો વિષય બને છે. કાળ પડ્યો છે એટલે ડોશી કમને ભેંસને વેચવા તૈયાર થયાં છે પણ અંતે ભૂરીને દોરી જવા આવ્યા ત્યારે ભૂરી એક ડગલું પણ ખસી નહીં અને સૂરજડોશીએ પણ તેને વેચવાનું માંડી વાળ્યું. ‘ભૂરી, અંજળપાણી મોટી વાત છે. અંજળ હશે ત્યાં લગન તો આપણને કોઈ જુદું કરવાનું.’ અહીં ડોશીનો અબોલ પશુ તરફનો સ્નેહ દેખાય આવે છે. ધરતી સાથે જોડાયેલા આ લોકને પશુ, પંખી, વૃક્ષ આ બધા જોડે ગાઢ નાતો છે જે મુશ્કેલ સમયે પણ સાથ છોડતા નથી એવો ઇંગિત કર્યો છે. માનવતા અને નિઃસ્વાર્થ પ્રેમ આ વાર્તામાં ભારોભાર દેખાય છે. ‘...અને એ પરણી ગયો’માં સુરેશને રંજન અને વિનોદ પત્ર લખે છે. વાત એક જ છે કે વિનોદ પરણી ગયો છે. લગ્ન કેમ તાત્કાલિક કર્યાં એ ચિતાર પત્રમાં છે. ‘કરફ્યુ ઑર્ડર’ને કારણે નાયક અને નાયિકા ગોદાવરીના લગ્નજીવનની એમાં કરફ્યુને કારણે આવેલા હકારાત્મક પરિવર્તનની વાત છે. સામાન્ય વાર્તા બની છે. ‘જીવન-નાટક’ વાર્તા શીર્ષકની જેમ જીવનના એક નવા નાટકને વાર્તાનો વિષય બનાવે છે. ગ્રામ્યપરિવેશ સાથે આવતી આ વાર્તા સાધારણ વાર્તા બને છે. ‘મનનો મેલ’ વાર્તામાં મુંબઈનો પરિવેશ અને શંકર નામના પાત્રની માનસિકતા દર્શાવાય છે. કાંતિની નજરમાં શંકરકાકાની જે પડતી થઈ એ વાર્તામાં પ્રગટી છે. ‘કસ્તુરી’ વાર્તામાં સાહિત્યકાર અને ભાવકના સંબંધને રજૂ કરાયો છે. આ વિષયને લઈને પીતાંબર પટેલ ઘણી વાર્તાઓ આપે છે. સાહિત્યકારની સમાજ પર જે છાપ છે એ પણ અંકિત થાય છે. કોકિલાબેન લેખકને પોતાના જીવનની પોતાના સસરાની સત્ય હકીકત અહોભાવથી સંભળાવે છે એ સુગંધ પ્રસરાવે છે એ વાત વાર્તાનો વિષય બને છે. કસ્તુરી જેવી કોકિલાબેનની જીવનસુવાસથી લેખક પણ પ્રસન્ન થયા છે. જીવનચરિત્ર જેવી આ વાર્તા હૃદયસ્પર્શી બની છે પણ વાર્તાકલાને પૂરો ન્યાય આપી શકતી નથી.
{{Poem2Close}}
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''  
'''પીતાંબર પટેલની વાર્તાકલા :'''  
'''‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’ને આધારે પીતાંબર પટેલની વાર્તાકલા વિશે ચર્ચા કરીએ તો, અગાઉના સંચયની જેમ અહીં પણ વિષયવસ્તુનું વૈવિધ્ય ધ્યાને આવે છે. ગ્રામ્યપરિવેશ પ્રત્યે એમને વિશેષ ભક્તિભાવ હતો. તેથી તેમની વાર્તાઓમાં ગામડું સવિશેષ દેખાશે. નૂતન ભારતનું ઘડતર કરવું હશે તો ગામડાંઓને આબાદ અને સમૃદ્ધ બનાવવા પડશે તેવું આ સર્જક સ્પષ્ટ રીતે માનતા. પીતાંબર પટેલની વાર્તાઓમાં ગ્રામજીવન, એના રીતરિવાજ, અંધશ્રદ્ધા, કુરિવાજો, મેળાઓ, સામાજિક સંબંધો, કુટુંબક્લેશ વગેરે વિષયો સાથે અહીંના લોકના સારા-નરસા પાસા પ્રગટે છે. સાથે સાથે શહેરીજીવન, એમાં ખાસ કરીને ફિલ્મી દુનિયા, સાહિત્યકારની દુનિયા વગેરે વિષયો સાથે વાર્તાઓ આવી છે. ઘણી વાર્તાઓ વાર્તાની નાયિકા અંતિમ શ્વાસ લેતી હોય, પોતાના પ્રેમીની ઝંખના કરતી હોય એમ દર્શાવાયું છે. કથાઘટકની એકરૂપતા ભાવકોની રુચિ ભંગ કરે છે. વિષયોની નૂતનતા સર્જકનો બહોળો જીવનઅનુભવ દર્શાવે છે. અનુભવની પાઠશાળામાં ભણેલા આ સર્જક પાસે અનુભવોનું ભાથું છે જે વાર્તાઓના વિષય બનીને આવે છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.'''
{{Poem2Open}}
‘પીતાંબર પટેલનો વાર્તાવૈભવ-૩’ને આધારે પીતાંબર પટેલની વાર્તાકલા વિશે ચર્ચા કરીએ તો, અગાઉના સંચયની જેમ અહીં પણ વિષયવસ્તુનું વૈવિધ્ય ધ્યાને આવે છે. ગ્રામ્યપરિવેશ પ્રત્યે એમને વિશેષ ભક્તિભાવ હતો. તેથી તેમની વાર્તાઓમાં ગામડું સવિશેષ દેખાશે. નૂતન ભારતનું ઘડતર કરવું હશે તો ગામડાંઓને આબાદ અને સમૃદ્ધ બનાવવા પડશે તેવું આ સર્જક સ્પષ્ટ રીતે માનતા. પીતાંબર પટેલની વાર્તાઓમાં ગ્રામજીવન, એના રીતરિવાજ, અંધશ્રદ્ધા, કુરિવાજો, મેળાઓ, સામાજિક સંબંધો, કુટુંબક્લેશ વગેરે વિષયો સાથે અહીંના લોકના સારા-નરસા પાસા પ્રગટે છે. સાથે સાથે શહેરીજીવન, એમાં ખાસ કરીને ફિલ્મી દુનિયા, સાહિત્યકારની દુનિયા વગેરે વિષયો સાથે વાર્તાઓ આવી છે. ઘણી વાર્તાઓ વાર્તાની નાયિકા અંતિમ શ્વાસ લેતી હોય, પોતાના પ્રેમીની ઝંખના કરતી હોય એમ દર્શાવાયું છે. કથાઘટકની એકરૂપતા ભાવકોની રુચિ ભંગ કરે છે. વિષયોની નૂતનતા સર્જકનો બહોળો જીવનઅનુભવ દર્શાવે છે. અનુભવની પાઠશાળામાં ભણેલા આ સર્જક પાસે અનુભવોનું ભાથું છે જે વાર્તાઓના વિષય બનીને આવે છે એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી.
{{Poem2Close}}
'''પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકનું વિધાન :'''
'''પીતાંબર પટેલની વાર્તાઓ વિશે વિવેચકનું વિધાન :'''
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu