ધ્વનિ/વાણી અને સૂર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વાણી અને સૂર

‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'
એવા હૈયા-મેળથી આપણા રે
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.
૧૯-૧૨-૪૫