23,710
edits
No edit summary |
(+૧) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| IV | {{Heading| IV<br>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા|(ગાંધી–મુનશી યુગ)}} | ||
{{center|૧ | {{center|'''૧'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે. | આ સદીના આરંભે આપણું સાહિત્ય ઠીક ઠીક નોંધપાત્ર વળાંક લેતું દેખાય છે. સાક્ષરયુગની સાક્ષરી પ્રવૃત્તિઓ વચ્ચેથી રસલક્ષી સાહિત્યનાં બળવાન વલણો ત્યારે ગતિશીલ બને છે, અને કનૈયાલાલ મુનશી એ વળાંકની રેખા પર ઊભા છે. તેમની બહુમુખી પ્રતિભા, આમ તો, સાહિત્ય વકીલાત રાજકારણ વહીવટ કેળવણી આદિ વિભિન્ન ક્ષેત્રોમાં એકીસાથે સક્રિય બની છે. પણ અહીં આપણને તેમની સાહિત્યક્ષેત્રની અને વિશેષતઃ તેમની વિવેચનતત્ત્વવિચારની પ્રવૃત્તિ સાથે નિસ્બત છે. તેમણે વિવેચનના ક્ષેત્રમાં તે સમયે જે કેટલુંક કામ કરેલું, તે આજે કદાચ એટલું ગંભીરતાથી લેવાતું નથી; પણ સાહિત્ય કળા વિશે તેમજ વિવેચન વિશે જે જાતના ખ્યાલો તેમણે પ્રગટ કરેલા, તેનું આપણા સાહિત્યના ઇતિહાસના સંદર્ભે ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. તેમની ચર્ચાવિચારણામાં તાત્ત્વિક મુશ્કેલીઓ આજે વરતાય, તેમની કળાદૃષ્ટિ અને રુચિની અમુક મર્યાદાઓ પણ એકદમ સ્પષ્ટપણે બતાવી શકાય, પણ આપણે સ્મરણમાં રાખવાનું છે કે આ સદીના આરંભે લલિત સાહિત્યની પ્રાણપ્રતિષ્ઠા કરનારા સર્જકો અને વિવેચકોમાં તેઓ સાચે જ એક અગ્રણી છે. આપણે અહીં એમ નોંધવું જોઈએ કે આ સદીના બીજા ત્રીજા દાયકા સુધી ‘સાહિત્ય’ સંજ્ઞાનો અતિ વિશાળ અર્થ લેવામાં આવતો હતો. રસલક્ષી સાહિત્ય ઉપરાંત જ્ઞાનમૂલક કે બોધદાયી સર્વ સાહિત્ય એમાં સમાઈ જતું હતું. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી રમણભાઈ નીલકંઠે જે વ્યાખ્યાન રજૂ કરેલું, તેમાંયે ‘સાહિત્ય’ને આવા વિશાળ અર્થમાં લેવામાં આવ્યું છે. લોર્ડ મોર્લિ, હડસન, અને ઍન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા’ (૧૧મી આવૃત્તિ, ‘સાહિત્ય’ અધિકરણના લેખક જેમ્સ કેલી) આદિની સાહિત્ય વિશેની વ્યાખ્યા નોંધી તેમણે સાહિત્યનું સ્વરૂપ સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. ‘અનેક વ્યક્તિના વિચારનું સંમેલન ભાષા દ્વારા જ્યાં પ્રગટ થયું હોય તે સાહિત્ય’ – એવું વિધાન કરી તેમાં થોડી સ્પષ્ટતા આણવાનો પ્રયત્ન ય કર્યો છે. “વિચાર દર્શાવવાની પદ્ધતિમાં જ્યાં ઉદાત્તતા અને ઉત્તમતા રહેલી હોય ત્યાં ‘સાહિત્ય’ શબ્દ ઉત્પન્ન થાય.”૫૦ આમ, એ ચર્ચા વાણીની શિષ્ટ રજૂઆત પર આવીને અટકે છે. પણ બોધમૂલક સાહિત્યથી રસલક્ષી સાહિત્યની ભિન્નતા ત્યાં આંકી આપવામાં આવી નથી, તે સૂચક છે. વિજયરાય વૈદ્યના ‘સાહિત્ય’ શીર્ષકના લેખ(પ્રગટ થયો ૧૯૨૯)માં એવા ભેદ સ્પષ્ટ પાડવામાં આવ્યા છે. તાત્પર્ય કે, બીજા ત્રીજા દાયકાના સાહિત્યવિચારમાં શુદ્ધ રસલક્ષી સાહિત્ય વિશેની અભિજ્ઞતા તીવ્ર બની આવી છે. અને એમાં કનૈયાલાલ મુનશીની ચર્ચાવિચારણાઓનું ય આગવું સ્થાન છે. તેમના મતે સાહિત્યમાં ‘સરસતા’ અને ‘સચોટતા’ એ બે પ્રાણભૂત તત્ત્વો છે; અને સાહિત્યનું મુખ્ય પ્રયોજન ભાવકોને આનંદ આપવાનું છે, રસબોધ કરાવવાનું છે. જો કે પોતાના સાહિત્યમાં રસતત્ત્વની સૂક્ષ્મતા અને સંકુલતા સિદ્ધ કરવાનું તેમનાથી ઓછું જ બન્યું છે, કળાકાર તરીકે કેટલીક પ્રકૃતિગત મર્યાદાઓ તેમનામાં ઊંડે રોપાયેલી છે, અને તેને અતિક્રમી જવાનું તેમનાથી ખાસ બન્યું નથી. પણ રસલક્ષી સાહિત્ય માટેની તેમની હિમાયત સાચી હતી. મુશ્કેલી એમાં એટલી જ કે સાહિત્ય રસ કળા વિવેચન આદિ પાયાના મુદ્દાઓની તેમણે જે કંઈ ચર્ચા કરી, તેમાં તટસ્થ પર્યેષકબુદ્ધિ અને સૂક્ષ્મ દૃષ્ટિનું ચિંતન નથી, પોતાને પ્રિય એવા કેટલાક ખ્યાલોનું કેવળ વાગ્મિતાભર્યું ઉચ્ચારણ છે. | ||
| Line 25: | Line 25: | ||
મુનશીના વિવેચનવિચારમાં આમ વિભિન્ન અભિગમોનો કેટલોક ખ્યાલ આપવાનો પ્રયત્ન છે, પણ આ વિશેની ચર્ચામાં ઠીક ઠીક ગૂંચો રહી ગઈ છે. કમનસીબે, અભિગમો વિશેની સમજ વિશદ કરવાને બદલે ગૂંચવાડામાં જ આપણને મૂકી જાય છે. | મુનશીના વિવેચનવિચારમાં આમ વિભિન્ન અભિગમોનો કેટલોક ખ્યાલ આપવાનો પ્રયત્ન છે, પણ આ વિશેની ચર્ચામાં ઠીક ઠીક ગૂંચો રહી ગઈ છે. કમનસીબે, અભિગમો વિશેની સમજ વિશદ કરવાને બદલે ગૂંચવાડામાં જ આપણને મૂકી જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૨ | {{center|'''૨'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ટૂંકી વાર્તાના ક્ષેત્રે જેમણે મોટું નવપ્રસ્થાન આરંભ્યું, એ ધૂમકેતુએ સાહિત્યસર્જન અને વિવેચનના પ્રશ્નો વિશેય કેટલુંક ચિંતન કરેલું છે. વિવેચનનું સ્વરૂપ અને કાર્ય, સર્જન અને વિવેચનનો સંબંધ, વિવેચકની ભૂમિકા વગેરે મુદ્દાઓ તેમણે સ્પર્શેલા છે. વિવેચનના સ્વરૂપ વિશે તેમણે એક માર્મિક વાત કહી છે. “......શબ્દોમાં વ્યક્ત કરવા ધારેલા છતાં પણ સુપ્ત રહેલા અનેક અર્થો શોધી કાઢવાનું કામ વિવેચન કરે છે. સર્જન અને વિવેચન એ એક જ માનસિક સ્થિતિનાં બે પાસાં છે. અથવા તમે એમ કહો, કે સર્જનમાં રહેલી વધારે ચેતનાનો અભ્યાસ એટલે અવલોકન : વિવેચન.”૬૨ તેમણે વિવેચન દ્વારા સર્જકની ચેતનાના વિશેષને પામવાનો ખ્યાલ અહીં આગવી રીતે મુક્યો છે. વિવેચકે, અલબત્ત, કૃતિની સાથોસાથ કર્તા વિશેય જાણવું જોઈએ એમ તેઓ કહે છે, ત્યારે કેવળ કૃતિ દ્વારા નહિ, અન્યથા જાણકારી મેળવવાનું તેઓ કહે છે. તે આપણે લક્ષમાં લેવાનું રહે. સર્જકનું સત્ય પણ એક ‘માનવનું’ સત્ય હોઈ ‘મર્યાદિત’ અને ‘સાપેક્ષ’ રૂપનું સંભવે છે, તેમ વિવેચકનું ‘વક્તવ્ય’ પણ છેવટે એક ‘મત’થી વિશેષ કશું નથી એમ તેઓ કહે છે. વળી વિવેચકની સચ્ચાઈ પર તેઓ ઘણો ભાર મૂકે છે. સર્જન કરતાં પણ વિવેચનનો મનોવ્યાપાર ‘ઘણો વધારે જટિલ અને વધારે જાતજાગૃતિ’ માગનારો છે, એમ તેઓ માને છે. ‘દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવું અને તોળ્યા પછી કસવું અને કસ્યા પછી એનો આંક કાઢવો એ કામ દેખાય છે એટલું સહેલું નથી,’ એમ તેઓ કહે છે. | ટૂંકી વાર્તાના ક્ષેત્રે જેમણે મોટું નવપ્રસ્થાન આરંભ્યું, એ ધૂમકેતુએ સાહિત્યસર્જન અને વિવેચનના પ્રશ્નો વિશેય કેટલુંક ચિંતન કરેલું છે. વિવેચનનું સ્વરૂપ અને કાર્ય, સર્જન અને વિવેચનનો સંબંધ, વિવેચકની ભૂમિકા વગેરે મુદ્દાઓ તેમણે સ્પર્શેલા છે. વિવેચનના સ્વરૂપ વિશે તેમણે એક માર્મિક વાત કહી છે. “......શબ્દોમાં વ્યક્ત કરવા ધારેલા છતાં પણ સુપ્ત રહેલા અનેક અર્થો શોધી કાઢવાનું કામ વિવેચન કરે છે. સર્જન અને વિવેચન એ એક જ માનસિક સ્થિતિનાં બે પાસાં છે. અથવા તમે એમ કહો, કે સર્જનમાં રહેલી વધારે ચેતનાનો અભ્યાસ એટલે અવલોકન : વિવેચન.”૬૨ તેમણે વિવેચન દ્વારા સર્જકની ચેતનાના વિશેષને પામવાનો ખ્યાલ અહીં આગવી રીતે મુક્યો છે. વિવેચકે, અલબત્ત, કૃતિની સાથોસાથ કર્તા વિશેય જાણવું જોઈએ એમ તેઓ કહે છે, ત્યારે કેવળ કૃતિ દ્વારા નહિ, અન્યથા જાણકારી મેળવવાનું તેઓ કહે છે. તે આપણે લક્ષમાં લેવાનું રહે. સર્જકનું સત્ય પણ એક ‘માનવનું’ સત્ય હોઈ ‘મર્યાદિત’ અને ‘સાપેક્ષ’ રૂપનું સંભવે છે, તેમ વિવેચકનું ‘વક્તવ્ય’ પણ છેવટે એક ‘મત’થી વિશેષ કશું નથી એમ તેઓ કહે છે. વળી વિવેચકની સચ્ચાઈ પર તેઓ ઘણો ભાર મૂકે છે. સર્જન કરતાં પણ વિવેચનનો મનોવ્યાપાર ‘ઘણો વધારે જટિલ અને વધારે જાતજાગૃતિ’ માગનારો છે, એમ તેઓ માને છે. ‘દરેક ક્ષણે જે લખ્યું તેને તોળવું અને તોળ્યા પછી કસવું અને કસ્યા પછી એનો આંક કાઢવો એ કામ દેખાય છે એટલું સહેલું નથી,’ એમ તેઓ કહે છે. | ||
| Line 31: | Line 31: | ||
જૂની સાક્ષરપેઢીના એક અભ્યાસી મોહનલાલ પાર્વતીશંકર દવેએ, કંઈક સુખદ આશ્ચર્ય થાય તેવી વાત છે, ‘વિવેચન’ શીર્ષકથી ૧૯૪૧માં પુસ્તક પ્રગટ કર્યું હતું, અને એમાં ગ્રંથસમીક્ષા અને ગ્રંથસમીક્ષક વિશે ઠીક ઠીક વિસ્તારથી ચર્ચા કરી હતી. નિકૃષ્ટ કે વંધ્ય સમીક્ષાઓ સામે તેમણે ત્યાં ઊહાપોહ કર્યો છે. જો કે સમજપૂર્વકની ઊંચી કોટિની સમીક્ષાઓનું મૂલ્ય પણ તેમણે સ્વીકાર્યું છે. તેમની ચર્ચામાં બેત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે. એક, વિચચકે ‘આખી રચનાને એકી નજરે નિહાળવી’ એ તેમને ઘણું જરૂરી લાગ્યું છે. કૃતિના અલગ અલગ અંગોને અવલોકવાનું પૂરતું નથી : સમગ્ર રચનાને, તેની પાછળની આયોજક-દૃષ્ટિ સમેત ઓળખવાની છે. બે, વિવેચકે ગ્રંથકાર, વાચક, અને સાહિત્યનો વિકાસક્રમ—ત્રણેને લક્ષમાં રાખી ‘પોતાના પ્રગટ કરેલા વિચારોથી શું પરિણામ આવશે’ તેનો ‘યોગ્ય વિચાર’ કરી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. ત્રણ, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોનાં લક્ષણો કે તેના નિયમો શાસ્ત્રકારની ‘કલ્પનાના તરંગો’ નથી પણ ‘પ્રમાણભૂત ગ્રંથોને આધારે તારવી કઢાયેલાં શુદ્ધ સત્યો’ છે. જો કે વિવેચકે એને વિશે જડતાથી પાલન કરવાનું નથી. ચાર, વિવેચકમાં ‘સર્વગ્રાહી રસિકતા’ કે ‘સ્વભાવસિદ્ધ સહૃદયતા’ એ વિવેચન અર્થે સૌ પ્રથમ આવશ્યકતા છે. | જૂની સાક્ષરપેઢીના એક અભ્યાસી મોહનલાલ પાર્વતીશંકર દવેએ, કંઈક સુખદ આશ્ચર્ય થાય તેવી વાત છે, ‘વિવેચન’ શીર્ષકથી ૧૯૪૧માં પુસ્તક પ્રગટ કર્યું હતું, અને એમાં ગ્રંથસમીક્ષા અને ગ્રંથસમીક્ષક વિશે ઠીક ઠીક વિસ્તારથી ચર્ચા કરી હતી. નિકૃષ્ટ કે વંધ્ય સમીક્ષાઓ સામે તેમણે ત્યાં ઊહાપોહ કર્યો છે. જો કે સમજપૂર્વકની ઊંચી કોટિની સમીક્ષાઓનું મૂલ્ય પણ તેમણે સ્વીકાર્યું છે. તેમની ચર્ચામાં બેત્રણ ધ્યાનપાત્ર મુદ્દાઓ પડેલા છે. એક, વિચચકે ‘આખી રચનાને એકી નજરે નિહાળવી’ એ તેમને ઘણું જરૂરી લાગ્યું છે. કૃતિના અલગ અલગ અંગોને અવલોકવાનું પૂરતું નથી : સમગ્ર રચનાને, તેની પાછળની આયોજક-દૃષ્ટિ સમેત ઓળખવાની છે. બે, વિવેચકે ગ્રંથકાર, વાચક, અને સાહિત્યનો વિકાસક્રમ—ત્રણેને લક્ષમાં રાખી ‘પોતાના પ્રગટ કરેલા વિચારોથી શું પરિણામ આવશે’ તેનો ‘યોગ્ય વિચાર’ કરી પોતાનો અભિપ્રાય આપવો જોઈએ. ત્રણ, સાહિત્યનાં જુદાં જુદાં સ્વરૂપોનાં લક્ષણો કે તેના નિયમો શાસ્ત્રકારની ‘કલ્પનાના તરંગો’ નથી પણ ‘પ્રમાણભૂત ગ્રંથોને આધારે તારવી કઢાયેલાં શુદ્ધ સત્યો’ છે. જો કે વિવેચકે એને વિશે જડતાથી પાલન કરવાનું નથી. ચાર, વિવેચકમાં ‘સર્વગ્રાહી રસિકતા’ કે ‘સ્વભાવસિદ્ધ સહૃદયતા’ એ વિવેચન અર્થે સૌ પ્રથમ આવશ્યકતા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૩ | {{center|'''૩'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ સદીના બીજા-ત્રીજા દાયકામાં આપણા સાહિત્યજગતમાં નવાં પરિબળો ગતિશીલ બનતાં જોઈ શકાશે. સર્જનના ક્ષેત્રે જેમ રસલક્ષી સાહિત્યનાં નવાં વહેણાં વહેતાં થયાં, તેમ વિવેચનના ક્ષેત્રમાં પણ નવાં વિચારવલણો કામ કરતાં થયાં. એમાં ખરેખર તો પરસ્પરભિન્ન વિચારણાઓનો પ્રભાવ જોઈ શકાશે. એક બાજુ ગાંધીજીની જીવન વિચારણાની ધારા, બીજી બાજુ રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યવાદ, ત્રીજી બાજુ રશિયન ક્રાંતિ અને સામ્યવાદ – એમ અનેક દિશાઓમાંથી અસરો આવવા લાગી હતી. સાહિત્ય જગતનું ચિત્ર વધુ ને વધુ સંકુલ બની રહ્યું હતું. આવી સંકુલ ગતિવિધિઓ વચ્ચે આપણા વિવેચનક્ષેત્રમાં – વિજયરાય વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ – એ ત્રણ અભ્યાસીઓ દ્વારા આરંભાતી વિવેચન પ્રવૃત્તિ મહત્ત્વની બની રહે છે. | આ સદીના બીજા-ત્રીજા દાયકામાં આપણા સાહિત્યજગતમાં નવાં પરિબળો ગતિશીલ બનતાં જોઈ શકાશે. સર્જનના ક્ષેત્રે જેમ રસલક્ષી સાહિત્યનાં નવાં વહેણાં વહેતાં થયાં, તેમ વિવેચનના ક્ષેત્રમાં પણ નવાં વિચારવલણો કામ કરતાં થયાં. એમાં ખરેખર તો પરસ્પરભિન્ન વિચારણાઓનો પ્રભાવ જોઈ શકાશે. એક બાજુ ગાંધીજીની જીવન વિચારણાની ધારા, બીજી બાજુ રવીન્દ્રનાથ ટાગોરનો સૌંદર્યવાદ, ત્રીજી બાજુ રશિયન ક્રાંતિ અને સામ્યવાદ – એમ અનેક દિશાઓમાંથી અસરો આવવા લાગી હતી. સાહિત્ય જગતનું ચિત્ર વધુ ને વધુ સંકુલ બની રહ્યું હતું. આવી સંકુલ ગતિવિધિઓ વચ્ચે આપણા વિવેચનક્ષેત્રમાં – વિજયરાય વિશ્વનાથ અને વિષ્ણુપ્રસાદ – એ ત્રણ અભ્યાસીઓ દ્વારા આરંભાતી વિવેચન પ્રવૃત્તિ મહત્ત્વની બની રહે છે. | ||
| Line 38: | Line 38: | ||
વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી. | વિવેચકની સજ્જતાનો ખ્યાલ કરતાં તેમણે તેમાં છ જેટલા ગુણોની અપેલા રજૂ કરી છે. એક, ઊર્મિ તથા બુદ્ધિની સંપત્તિ; બે, સાહિત્ય માટે ઘનિષ્ઠ અનુરાગ; ત્રણ, શક્ય તેટલી ભાષાઓના ઉત્તમ સાહિત્યનું વાચન; ચાર, ઉચ્ચ ને પરિશુદ્ધ બનેલી નિત્ય જાગૃત રસવૃત્તિ; પાંચ ઉચ્ચ કોટિનું ચારિત્ર્ય અને ન્યાય બુદ્ધિ છે, સરલ રસવાહી તેજસ્વી કે પછી સંકુલ ને ગૌરવાન્વિત શૈલી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪ | {{center|'''૪'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે. | અવિરત ખંતભર્યો સ્વાધ્યાય, ભરપૂર સાહિત્યપ્રીતિ અને સાહિત્યનિષ્ઠા, નિર્ભીક સત્યકથન અને અડગ આત્મશ્રદ્ધા—એ બધા ગુણોથી વિશ્વનાથની વિવેચના અંકિત થયેલી છે. જીવનભર તેઓ વિવેચનના ઉપાસક રહ્યા. સાહિત્યકળાને લગતી કેટલીક સિદ્ધાંતચર્ચાઓ તેમણે આપી છે, પણ તેમનું કંઈક વધુ નોંધપાત્ર અર્પણ ગ્રંથવિવેચનના ક્ષેત્રમાં છે. નરસિંહરાવ અને બળવંતરાયની જેમ તેમણે અનેક વિસ્તૃત અધ્યયનલક્ષી વિવેચનો પ્રગટ કર્યાં છે. પણ આપણે માટે અહીં અવલોકનનો વિષય તે તેમનાં વિવેચનતત્ત્વવિચારનાં લખાણો છે. ‘વિવેચનનો આદર્શ’, ‘વિવેચનની અગત્ય’, ‘પ્રાંશુલભ્ય ફળ’, ‘વિવેચનની સર્જકતા’ અને ‘વિવેચનની પવિત્રતા’ – જેવા વિસ્તૃત લેખોમાં તેમની મુખ્ય ભૂમિકા સ્પષ્ટ થઈ જાય છે. ખરી વાત એ છે કે આરંભના બે લેખોમાં રજૂ થયેલા વિચારોનું જ પછીથી લગભગ પીંજણ ચાલતું રહેલું છે. એમાં અગાઉના કેટલાક મુદ્દાઓ વિશે થોડું સ્પષ્ટીકરણ પણ મળે, તો બીજુ ઘણું પુનરાવર્તન પણ જોવા મળે. એમાં ખરી મુશ્કેલી એ વાતની છે કે પ્રસ્તુત મુદ્દાની સ્વતંત્રપણે તાત્ત્વિક ચર્ચાવિચારણા સાથે સમકાલીન ગુજરાતીની વિવેચનપરિસ્થિતિ વિશેની ટીકા ટિપ્પણીઓ ય એમાં કેટલાક સંદર્ભે ભળી ગઈ છે. | ||
| Line 108: | Line 108: | ||
‘વિવેચનની પવિત્રતા’ લેખમાં ય તેમને ખાસ નવું કહેવાનું નથી. વિવેચક તો સર્જક કરતાંયે ચઢિયાતો છે એવો એક ખોટો ખ્યાલ તેમના મન પર સવાર થઈ ગયો છે. ‘સર્જન-વિવેચન ઉભયમાં કવિત્વ છે. પણ વિવેચનમાં કવિત્વ ઉપરાંત શિવત્વ પણ છે....’ – આવી તેમની સમજ ભાગ્યે જ સ્વીકારી શકાશે. લાંબા સમયની વિચારણાઓનો નિષ્કર્ષ આપતા હોય તેમ વિવેચકમાં સત્યનિષ્ઠા, રસિકતા, વિદ્વત્તા, તોલનશક્તિ અને વિશદ મનોમુકુર જોઈએ એ વિશેય તેમણે અહીં પુનરુચ્ચારણ કર્યું છે. કપરામાં કપરા, વિષમમાં વિષમ સંજોગોમાં યે વિવેચકે પોતાના વિવેચનાત્મક નિર્ણયોને પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી વ્યક્ત કરવા જોઈએ, અને એ રીતે પોતાના ‘શીલ’નું જતન કરવું જોઈએ, એવી હિમાયત તેમણે ભારપૂર્વક રજૂ કરી છે. પણ એના વ્યાજબીપણા વિશે ભાગ્યે જ કોઈ વાંધો લેશે. | ‘વિવેચનની પવિત્રતા’ લેખમાં ય તેમને ખાસ નવું કહેવાનું નથી. વિવેચક તો સર્જક કરતાંયે ચઢિયાતો છે એવો એક ખોટો ખ્યાલ તેમના મન પર સવાર થઈ ગયો છે. ‘સર્જન-વિવેચન ઉભયમાં કવિત્વ છે. પણ વિવેચનમાં કવિત્વ ઉપરાંત શિવત્વ પણ છે....’ – આવી તેમની સમજ ભાગ્યે જ સ્વીકારી શકાશે. લાંબા સમયની વિચારણાઓનો નિષ્કર્ષ આપતા હોય તેમ વિવેચકમાં સત્યનિષ્ઠા, રસિકતા, વિદ્વત્તા, તોલનશક્તિ અને વિશદ મનોમુકુર જોઈએ એ વિશેય તેમણે અહીં પુનરુચ્ચારણ કર્યું છે. કપરામાં કપરા, વિષમમાં વિષમ સંજોગોમાં યે વિવેચકે પોતાના વિવેચનાત્મક નિર્ણયોને પૂરી સચ્ચાઈ અને પ્રામાણિકતાથી વ્યક્ત કરવા જોઈએ, અને એ રીતે પોતાના ‘શીલ’નું જતન કરવું જોઈએ, એવી હિમાયત તેમણે ભારપૂર્વક રજૂ કરી છે. પણ એના વ્યાજબીપણા વિશે ભાગ્યે જ કોઈ વાંધો લેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૫ | {{center|'''૫'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ગાંધીયુગની આબોહવામાં ગતિ કરતા અગ્રણી સાહિત્યકારોમાં રામનારાયણ પાઠકનું વિશિષ્ટ સ્થાન છે. કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ હાસ્યલેખ પિંગળવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા આગવી રીતનું અર્પણ કરી ચૂકી છે. પણ તેમના સમગ્ર જીવનકાર્યમાંથી વધુ સ્પષ્ટ અને કદાચ વધુ પ્રભાવશાળી મૂર્તિ ઊપસે છે તે તો પ્રખર મેધાવી ચિંતકની, મર્મજ્ઞ વિવેચકની, અને વ્યુત્પન્ન પંડિતની. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમની પ્રતિભાની ઓળખ આપતાં કહ્યું છે : “ઉદ્યમ, સાવધાની, આકારનિર્માણની સૂઝ, અનેક વિદ્યાક્ષેત્રમાં મનોગતિ, પ્રસન્ન દ્યુતિમય પ્રજ્ઞાની મર્મજ્ઞતા અને ભાવશક્તિ રામનારાયણને અગ્રણી સાક્ષર તરીકે સ્થાપે છે.”૭૨ ગાંધીજીની જીવનભાવનાના કેટલાક સૌમ્ય દીપ્તિમંત અંશો તેમની પ્રતિભાએ સૂક્ષ્મ સ્તરે ઝીલ્યા છે, અને છતાં નિજી પ્રતિભાનો આગવી રીતે તેમણે વિકાસ સાધ્યો છે. એ સમયના બીજા ચિંતકોની જેમ ટૉલ્સ્ટૉયને અભિમત કળાવિચાર પણ તેમણે ઝીલ્યો છે. કળામાં, એ રીતે નૈતિકતાનો તેમ તેની સંક્રમણક્ષમતાનો તેમણે આગ્રહ કેળવ્યો છે. વિવેચકચિંતક તરીકે તેમની પ્રેરણા અને ગતિ વિશેષતઃ ભારતીય અલંકારશાસ્ત્રમાં રહી છે; પણ બારીક નજરે અવલોકન કરનારને તરત સમજાશે કે પાશ્ચાત્ય કળાવિચારનાં અનેક ઇષ્ટ તત્ત્વો તેમણે પોતાના વિવેચનમાં આત્મસાત કરી લીધાં છે. | ગાંધીયુગની આબોહવામાં ગતિ કરતા અગ્રણી સાહિત્યકારોમાં રામનારાયણ પાઠકનું વિશિષ્ટ સ્થાન છે. કવિતા ટૂંકી વાર્તા વિવેચન નિબંધ હાસ્યલેખ પિંગળવિચાર આદિ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા આગવી રીતનું અર્પણ કરી ચૂકી છે. પણ તેમના સમગ્ર જીવનકાર્યમાંથી વધુ સ્પષ્ટ અને કદાચ વધુ પ્રભાવશાળી મૂર્તિ ઊપસે છે તે તો પ્રખર મેધાવી ચિંતકની, મર્મજ્ઞ વિવેચકની, અને વ્યુત્પન્ન પંડિતની. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમની પ્રતિભાની ઓળખ આપતાં કહ્યું છે : “ઉદ્યમ, સાવધાની, આકારનિર્માણની સૂઝ, અનેક વિદ્યાક્ષેત્રમાં મનોગતિ, પ્રસન્ન દ્યુતિમય પ્રજ્ઞાની મર્મજ્ઞતા અને ભાવશક્તિ રામનારાયણને અગ્રણી સાક્ષર તરીકે સ્થાપે છે.”૭૨ ગાંધીજીની જીવનભાવનાના કેટલાક સૌમ્ય દીપ્તિમંત અંશો તેમની પ્રતિભાએ સૂક્ષ્મ સ્તરે ઝીલ્યા છે, અને છતાં નિજી પ્રતિભાનો આગવી રીતે તેમણે વિકાસ સાધ્યો છે. એ સમયના બીજા ચિંતકોની જેમ ટૉલ્સ્ટૉયને અભિમત કળાવિચાર પણ તેમણે ઝીલ્યો છે. કળામાં, એ રીતે નૈતિકતાનો તેમ તેની સંક્રમણક્ષમતાનો તેમણે આગ્રહ કેળવ્યો છે. વિવેચકચિંતક તરીકે તેમની પ્રેરણા અને ગતિ વિશેષતઃ ભારતીય અલંકારશાસ્ત્રમાં રહી છે; પણ બારીક નજરે અવલોકન કરનારને તરત સમજાશે કે પાશ્ચાત્ય કળાવિચારનાં અનેક ઇષ્ટ તત્ત્વો તેમણે પોતાના વિવેચનમાં આત્મસાત કરી લીધાં છે. | ||
| Line 138: | Line 138: | ||
રામનારાયણના વિવેચનતત્ત્વવિચારમાં આમ કેટલાક કૂટ પ્રશ્નો ઊભા થાય છે. અને એ કૂટ પ્રશ્નો છે માટે જ ગંભીર ધ્યાન માગે છે. કૃતિમાં ભાવની અભિવ્યક્તિની રીતિની તપાસ એ એવડો મોટો પ્રશ્ન નથી. પણ કવિનો ‘વસ્તુ’ વિશેનો ‘ભાવ’ કૃતિમાં પૂરો ઊતર્યો છે કે નહિ, તેનો નિર્ણય કરવાને તો રચના-પાઠ પૂર્વેના તેના મનોગતને લક્ષમાં લેવું પડે. પણ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ એ શક્ય નથી. કળાકૃતિના અનુલક્ષ્યમાં સંક્રમણ (communication)નો સિદ્ધાંત જેઓ સ્વીકારવા જાય છે તેમની સામે આ જ પ્રશ્ન જરા જુદી રીતે આવી ઊભે છે. પણ એથી ય મોટી મુશ્કેલી તે કૃતિમાં રજૂ થતી ‘ભાવની’ worth નક્કી કરવાની છે. બૌદ્ધિક કે તાર્કિક ભૂમિકાએથી આ પ્રશ્નો કદાચ ઉકલી શકે તેવા આ પ્રશ્નો જ નથી. છતાં મહાન પ્રતિભાશાળી વિવેચકો કૃતિવિવેચનમાં રજૂ થયેલા જીવનના અનુભવોનેય કોઈક રીતે સમીક્ષામાં લેતા હોય છે. રામનારાયણ પાઠકની મૂળ ભૂમિકા આ રીતે અત્યંત ધ્યાનાર્હ બની રહે છે. | રામનારાયણના વિવેચનતત્ત્વવિચારમાં આમ કેટલાક કૂટ પ્રશ્નો ઊભા થાય છે. અને એ કૂટ પ્રશ્નો છે માટે જ ગંભીર ધ્યાન માગે છે. કૃતિમાં ભાવની અભિવ્યક્તિની રીતિની તપાસ એ એવડો મોટો પ્રશ્ન નથી. પણ કવિનો ‘વસ્તુ’ વિશેનો ‘ભાવ’ કૃતિમાં પૂરો ઊતર્યો છે કે નહિ, તેનો નિર્ણય કરવાને તો રચના-પાઠ પૂર્વેના તેના મનોગતને લક્ષમાં લેવું પડે. પણ માનસશાસ્ત્રીય દૃષ્ટિએ એ શક્ય નથી. કળાકૃતિના અનુલક્ષ્યમાં સંક્રમણ (communication)નો સિદ્ધાંત જેઓ સ્વીકારવા જાય છે તેમની સામે આ જ પ્રશ્ન જરા જુદી રીતે આવી ઊભે છે. પણ એથી ય મોટી મુશ્કેલી તે કૃતિમાં રજૂ થતી ‘ભાવની’ worth નક્કી કરવાની છે. બૌદ્ધિક કે તાર્કિક ભૂમિકાએથી આ પ્રશ્નો કદાચ ઉકલી શકે તેવા આ પ્રશ્નો જ નથી. છતાં મહાન પ્રતિભાશાળી વિવેચકો કૃતિવિવેચનમાં રજૂ થયેલા જીવનના અનુભવોનેય કોઈક રીતે સમીક્ષામાં લેતા હોય છે. રામનારાયણ પાઠકની મૂળ ભૂમિકા આ રીતે અત્યંત ધ્યાનાર્હ બની રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૬}} | {{center|'''૬'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં પૃ. ૬ પર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાનું હૃદ્ગત ખુલ્લું કરતાં કહે છે : ‘હું અધ્યાત્મવાદી છું, જીવનનાં સકલ ક્ષેત્રોની વિચારણામાં ભાવનાવાદી છું. પણ મારી વિદ્યા સંપત્તિ, મતિ અને અનુભૂતિ સીમિત છે. અંતિમ દૃષ્ટિએ સકલ જીવન અને વિશ્વ એક પરમ ગૂઢ રહસ્ય છે. અને એનો ભેદ પામી શકાતો નથી, તેથી આ ગોષ્ઠિ છેવટે તો શ્રદ્ધાની બની રહે છે.’૮૧ અને પછી પૃષ્ઠ ૭ પર નમ્રતાથી નિવેદન કરતાં કહે છે... ‘આવી આસ્થાથી હું મને પોતાને વિવેચક કરતાં માત્ર મુક્ત સહૃદય ગણું.’૮૨ સાક્ષરી કારકિર્દીનાં દીર્ઘ ચિંતનમનન પછી ઉચ્ચારાતા આ શબ્દો પાછળ તેમની પરિણત પ્રજ્ઞાનો સ્વર સંભળાય છે. સુવિદિત છે તેમ, તેમની સાક્ષરી પ્રતિભા વિવેચનના ક્ષેત્રમાં જ બહુધા વિહરતી રહી છે. આપણા કવિઓ લેખકો અને ચિંતકો વિશે તેમણે સમીક્ષાઓ કરી છે, કૃતિઓ અને સાહિત્યપ્રવાહનાં અવલોકનો ય કર્યાં છે, પણ આપણા સાહિત્ય ક્ષેત્રમાં તેમની સિદ્ધાંતચર્ચા કદાચ સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામ, નરસિંહરાવ, અને આ. આનંદશંકર ધ્રુવ—એ ત્રણ સાક્ષરો તેમની ભક્તિભાવનાનું ભાજન રહ્યા છે, કહો કે, એ સાક્ષરોનો સાક્ષરધર્મ તેમણે અંગીકાર કરી લીધો છે, અને એમનું જીવનકાર્ય તેમણે જાણે કે સ્વતંત્ર રીતે આગળ ચલાવ્યું છે. | ‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં પૃ. ૬ પર શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી પોતાનું હૃદ્ગત ખુલ્લું કરતાં કહે છે : ‘હું અધ્યાત્મવાદી છું, જીવનનાં સકલ ક્ષેત્રોની વિચારણામાં ભાવનાવાદી છું. પણ મારી વિદ્યા સંપત્તિ, મતિ અને અનુભૂતિ સીમિત છે. અંતિમ દૃષ્ટિએ સકલ જીવન અને વિશ્વ એક પરમ ગૂઢ રહસ્ય છે. અને એનો ભેદ પામી શકાતો નથી, તેથી આ ગોષ્ઠિ છેવટે તો શ્રદ્ધાની બની રહે છે.’૮૧ અને પછી પૃષ્ઠ ૭ પર નમ્રતાથી નિવેદન કરતાં કહે છે... ‘આવી આસ્થાથી હું મને પોતાને વિવેચક કરતાં માત્ર મુક્ત સહૃદય ગણું.’૮૨ સાક્ષરી કારકિર્દીનાં દીર્ઘ ચિંતનમનન પછી ઉચ્ચારાતા આ શબ્દો પાછળ તેમની પરિણત પ્રજ્ઞાનો સ્વર સંભળાય છે. સુવિદિત છે તેમ, તેમની સાક્ષરી પ્રતિભા વિવેચનના ક્ષેત્રમાં જ બહુધા વિહરતી રહી છે. આપણા કવિઓ લેખકો અને ચિંતકો વિશે તેમણે સમીક્ષાઓ કરી છે, કૃતિઓ અને સાહિત્યપ્રવાહનાં અવલોકનો ય કર્યાં છે, પણ આપણા સાહિત્ય ક્ષેત્રમાં તેમની સિદ્ધાંતચર્ચા કદાચ સૌથી વધુ મહત્ત્વની બની રહે છે. સાક્ષરશ્રી ગોવર્ધનરામ, નરસિંહરાવ, અને આ. આનંદશંકર ધ્રુવ—એ ત્રણ સાક્ષરો તેમની ભક્તિભાવનાનું ભાજન રહ્યા છે, કહો કે, એ સાક્ષરોનો સાક્ષરધર્મ તેમણે અંગીકાર કરી લીધો છે, અને એમનું જીવનકાર્ય તેમણે જાણે કે સ્વતંત્ર રીતે આગળ ચલાવ્યું છે. | ||
| Line 170: | Line 170: | ||
ભાવકની રસવૃત્તિ(taste)ની સાપેક્ષતાના મુદ્દાને ય વિષ્ણુપ્રસાદે સ્પર્શ્યો છે. એ અંગે, મુનશીએ રજૂ કરેલો વિચાર અને આ. આનંદશંકરનો એ વિશેનો પ્રતિવાદ – એમ એક ઊહાપોહ તેમની પૂર્વે આરંભાઈ ચૂક્યો હતો. કૃતિના આસ્વાદમાં ભાવક સર્વથા સ્વતંત્ર છે, કોઈ નિયમો તેને બાંધતા નથી, એ મતલબનું મુનશીએ ઉચ્ચારણ કર્યું હતું. આ. આનંદશંકરની જેમ વિષ્ણુપ્રસાદ પણ એ સિદ્ધાંતની સામે વાંધો લે છે. કેવળ વૈયક્તિક રુચિને આધારે કૃતિનું વિવેચન ન થાય. એ રીતે વિવેચનપ્રવૃત્તિમાં કશી વ્યવસ્થા જેવું જ ન રહે, માત્ર અરાજકતા જ ફેલાય, એવી સાવધાની તેમણે ઉચ્ચારી છે. અલબત્ત, આસ્વાદમૂલ્યાંકનમાં વિવેચકના વ્યક્તિત્વનો-પ્રતિભાનો આગવો સંસ્પર્શ હોઈ શકે, આગવો મૂલ્યબોધ પણ સંભવે, પણ એની પાછળ પણ આગવું rationale પડ્યું હોય, પડ્યું હોવું જોઈએ, એવી તેમની અપેક્ષા રહી છે. | ભાવકની રસવૃત્તિ(taste)ની સાપેક્ષતાના મુદ્દાને ય વિષ્ણુપ્રસાદે સ્પર્શ્યો છે. એ અંગે, મુનશીએ રજૂ કરેલો વિચાર અને આ. આનંદશંકરનો એ વિશેનો પ્રતિવાદ – એમ એક ઊહાપોહ તેમની પૂર્વે આરંભાઈ ચૂક્યો હતો. કૃતિના આસ્વાદમાં ભાવક સર્વથા સ્વતંત્ર છે, કોઈ નિયમો તેને બાંધતા નથી, એ મતલબનું મુનશીએ ઉચ્ચારણ કર્યું હતું. આ. આનંદશંકરની જેમ વિષ્ણુપ્રસાદ પણ એ સિદ્ધાંતની સામે વાંધો લે છે. કેવળ વૈયક્તિક રુચિને આધારે કૃતિનું વિવેચન ન થાય. એ રીતે વિવેચનપ્રવૃત્તિમાં કશી વ્યવસ્થા જેવું જ ન રહે, માત્ર અરાજકતા જ ફેલાય, એવી સાવધાની તેમણે ઉચ્ચારી છે. અલબત્ત, આસ્વાદમૂલ્યાંકનમાં વિવેચકના વ્યક્તિત્વનો-પ્રતિભાનો આગવો સંસ્પર્શ હોઈ શકે, આગવો મૂલ્યબોધ પણ સંભવે, પણ એની પાછળ પણ આગવું rationale પડ્યું હોય, પડ્યું હોવું જોઈએ, એવી તેમની અપેક્ષા રહી છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૭}} | {{center|'''૭'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી સુંદરમ્ની સાહિત્યપ્રવૃત્તિ એમના સમવયસ્ક કવિમિત્ર ઉમાશંકર જોશીની જેમ છેલ્લાં પંચાવન સાઠ વર્ષના ગાળા પર વિસ્તરી રહેલી છે. કવિતા ટૂંકી વાર્તા નાટક વિવેચન નિબંધ પ્રવાસકથા આદિ વિભિન્ન ક્ષેત્રોમાં તેમની કલમ ગતિ કરતી રહી છે. જો કે આપણા સાહિત્ય જગતમાં વધુ તો કવિ તરીકે જ તેઓ જાણીતા રહ્યા છે. એથી વિવેચક કે ટૂંકી વાર્તાના સર્જક કે પ્રવાસકથા લેખક તરીકે તેમની જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ છે, તેના તરફ પણ કંઈક દુર્લક્ષ થયું હોવાનું ય લાગ્યા કરે છે. પણ ત્રીસીના ગાળાના આ સાહિત્યકારે લગભગ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં પોતાની શક્તિનો પૂરો હિસાબ આપ્યો છે, તેમની આગવી પ્રતિભાની મુદ્રા તેમના સમગ્ર સર્જન ચિંતનમાં અંકિત થયેલી છે. અલબત્ત, આટલા લાંબા સમયપટ પર જેમની કારકિર્દી વિસ્તરી હોય તેવા સાહિત્યકારની જીવનદૃષ્ટિમાં કે કળાદૃષ્ટિમાં કશુંક પણ પરિવર્તન ન આવ્યું હોય તો જ આશ્ચર્ય. અને, સુંદરમ્ની કારકિર્દીમાં તો ચોખ્ખો વળાંક આવ્યો છે. સુવિદિત છે તેમ, પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસ્યા અને યોગના માર્ગે વળી ગયા. એ સાથે તેમની જીવનગતિ બદલાઈ; અને તેમના સાહિત્યસર્જનમાં તેમ ચિંતનવિવેચનમાં શ્રી અરવિંદના જીવનદર્શનની ચોક્કસ નિર્ણયાત્મક અસરો પડી છે. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ ૧૯૪૬માં પ્રગટ થયો તેની પ્રસ્તાવનામાં કાવ્યકળા વિશે તેમણ જે વિચારો રજૂ કર્યા, તેમાં શ્રી અરવિંદની વિચારણાનો કદાચ પહેલી વાર ઘેરો પ્રભાવ પડ્યો છે. એ પછી તેમણે જીવન વિશે તેમ કવિતા વિશે જે કંઈ વિચારણાઓ કરી તેમાં સ્વાભાવિક રીતે જ એ વિચારણાનું ગાઢ અનુસંધાન રહ્યું છે. સાહિત્યના અભ્યાસીઓએ એક વાત જરૂર નોંધી હશે કે, પિસ્તાળીસ સુધીના ગાળામાં તેમણે જે કેટલોક સાહિત્ય વિચાર કર્યો હતો તેમાં તેમની સામાજિક અભિજ્ઞતા અમુક રીતે કામ કરી રહી હતી. ‘સાહિત્યચિંતન’માં આ ગાળાનાં જે કેટલાંક લખાણો ગ્રંથસ્થ થયાં છે, તેમાં પ્રગતિવાદી વિચારોનો અમુક પ્રભાવ જોઈ શકાશે. જો કે કવિતામાં સાહિત્ય માત્રમાં-રસતત્ત્વની પ્રતિષ્ઠા કરવાનું વલણ પણ આરંભથી એટલું જ બળવાન રહ્યું છે; બલકે, ‘અર્વાચીન કવિતા’માં આપણા નાનામોટા બધા જ કવિઓ વિશે તેમણે જે રીતે મૂલ્યાંકન કર્યું છે તેમાં રસકીય મૂલ્યનો વ્યાપક સ્વીકાર છે, વિવેચનનું તેમને મન એ પાયાનું મૂલ્ય રહ્યું છે. પાછળથી તેમણે જે કાવ્યચિંતન કર્યું તેમાં વિશેષે તો શ્રી અરવિંદને અભિમત કાવ્યભાવનાનું જ વિવરણ જોઈ શકાશે. કાવ્યમાં વ્યક્ત થતા ‘રસ’ને આધ્યાત્મિક દર્શનના પ્રકાશમાં ઘટાવવાનો તેમનો એમાં મુખ્ય ઉપક્રમ રહ્યો છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે જે કેટલુંક ચિંતન કર્યું – એમાંનું ઘણુંખરું તો ઉત્તરકાળનું છે – તેમાં શ્રી અરવિંદ દર્શનની ચોક્કસ પ્રેરણા રહી હોવાનું સમજાશે. | શ્રી સુંદરમ્ની સાહિત્યપ્રવૃત્તિ એમના સમવયસ્ક કવિમિત્ર ઉમાશંકર જોશીની જેમ છેલ્લાં પંચાવન સાઠ વર્ષના ગાળા પર વિસ્તરી રહેલી છે. કવિતા ટૂંકી વાર્તા નાટક વિવેચન નિબંધ પ્રવાસકથા આદિ વિભિન્ન ક્ષેત્રોમાં તેમની કલમ ગતિ કરતી રહી છે. જો કે આપણા સાહિત્ય જગતમાં વધુ તો કવિ તરીકે જ તેઓ જાણીતા રહ્યા છે. એથી વિવેચક કે ટૂંકી વાર્તાના સર્જક કે પ્રવાસકથા લેખક તરીકે તેમની જે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ છે, તેના તરફ પણ કંઈક દુર્લક્ષ થયું હોવાનું ય લાગ્યા કરે છે. પણ ત્રીસીના ગાળાના આ સાહિત્યકારે લગભગ બધાં જ સાહિત્ય સ્વરૂપોમાં પોતાની શક્તિનો પૂરો હિસાબ આપ્યો છે, તેમની આગવી પ્રતિભાની મુદ્રા તેમના સમગ્ર સર્જન ચિંતનમાં અંકિત થયેલી છે. અલબત્ત, આટલા લાંબા સમયપટ પર જેમની કારકિર્દી વિસ્તરી હોય તેવા સાહિત્યકારની જીવનદૃષ્ટિમાં કે કળાદૃષ્ટિમાં કશુંક પણ પરિવર્તન ન આવ્યું હોય તો જ આશ્ચર્ય. અને, સુંદરમ્ની કારકિર્દીમાં તો ચોખ્ખો વળાંક આવ્યો છે. સુવિદિત છે તેમ, પાંચમા દાયકાના ઉત્તરાર્ધમાં તેઓ પોંડિચેરી શ્રી અરવિંદના આશ્રમમાં જઈ વસ્યા અને યોગના માર્ગે વળી ગયા. એ સાથે તેમની જીવનગતિ બદલાઈ; અને તેમના સાહિત્યસર્જનમાં તેમ ચિંતનવિવેચનમાં શ્રી અરવિંદના જીવનદર્શનની ચોક્કસ નિર્ણયાત્મક અસરો પડી છે. તેમનો પ્રસિદ્ધ ગ્રંથ ‘અર્વાચીન કવિતા’ ૧૯૪૬માં પ્રગટ થયો તેની પ્રસ્તાવનામાં કાવ્યકળા વિશે તેમણ જે વિચારો રજૂ કર્યા, તેમાં શ્રી અરવિંદની વિચારણાનો કદાચ પહેલી વાર ઘેરો પ્રભાવ પડ્યો છે. એ પછી તેમણે જીવન વિશે તેમ કવિતા વિશે જે કંઈ વિચારણાઓ કરી તેમાં સ્વાભાવિક રીતે જ એ વિચારણાનું ગાઢ અનુસંધાન રહ્યું છે. સાહિત્યના અભ્યાસીઓએ એક વાત જરૂર નોંધી હશે કે, પિસ્તાળીસ સુધીના ગાળામાં તેમણે જે કેટલોક સાહિત્ય વિચાર કર્યો હતો તેમાં તેમની સામાજિક અભિજ્ઞતા અમુક રીતે કામ કરી રહી હતી. ‘સાહિત્યચિંતન’માં આ ગાળાનાં જે કેટલાંક લખાણો ગ્રંથસ્થ થયાં છે, તેમાં પ્રગતિવાદી વિચારોનો અમુક પ્રભાવ જોઈ શકાશે. જો કે કવિતામાં સાહિત્ય માત્રમાં-રસતત્ત્વની પ્રતિષ્ઠા કરવાનું વલણ પણ આરંભથી એટલું જ બળવાન રહ્યું છે; બલકે, ‘અર્વાચીન કવિતા’માં આપણા નાનામોટા બધા જ કવિઓ વિશે તેમણે જે રીતે મૂલ્યાંકન કર્યું છે તેમાં રસકીય મૂલ્યનો વ્યાપક સ્વીકાર છે, વિવેચનનું તેમને મન એ પાયાનું મૂલ્ય રહ્યું છે. પાછળથી તેમણે જે કાવ્યચિંતન કર્યું તેમાં વિશેષે તો શ્રી અરવિંદને અભિમત કાવ્યભાવનાનું જ વિવરણ જોઈ શકાશે. કાવ્યમાં વ્યક્ત થતા ‘રસ’ને આધ્યાત્મિક દર્શનના પ્રકાશમાં ઘટાવવાનો તેમનો એમાં મુખ્ય ઉપક્રમ રહ્યો છે. પ્રસ્તુત મુદ્દો એ છે કે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે જે કેટલુંક ચિંતન કર્યું – એમાંનું ઘણુંખરું તો ઉત્તરકાળનું છે – તેમાં શ્રી અરવિંદ દર્શનની ચોક્કસ પ્રેરણા રહી હોવાનું સમજાશે. | ||
| Line 199: | Line 199: | ||
પણ સાહિત્ય અને વિવેચનના પ્રશ્નોને જેઓ બૌદ્ધિકતાના સ્તરેથી સમજવા માગે છે તેમને માટે ‘સત્ય’ ‘સૌંદર્ય’ અને ‘રસ’-‘મહારસ’ જેવી પાયાની સંજ્ઞાઓ નવેસરથી વ્યાખ્યા માગે છે. કૃતિમાં વ્યક્ત થતું સૌંદર્ય તે શું, સત્ય તે શું, ભાષાભિવ્યક્તિના સ્તરે તેની તપાસ શી રીતે થાય, અને વિશ્વજીવનનાં એવાં જે કોઈ તત્ત્વો હોય તેની સાથેનો તેનો સંબંધ કેવો? – વગેરે પ્રશ્નોને તેણે બૌદ્ધિક સ્તરેથી માંડી આપવાના રહે. | પણ સાહિત્ય અને વિવેચનના પ્રશ્નોને જેઓ બૌદ્ધિકતાના સ્તરેથી સમજવા માગે છે તેમને માટે ‘સત્ય’ ‘સૌંદર્ય’ અને ‘રસ’-‘મહારસ’ જેવી પાયાની સંજ્ઞાઓ નવેસરથી વ્યાખ્યા માગે છે. કૃતિમાં વ્યક્ત થતું સૌંદર્ય તે શું, સત્ય તે શું, ભાષાભિવ્યક્તિના સ્તરે તેની તપાસ શી રીતે થાય, અને વિશ્વજીવનનાં એવાં જે કોઈ તત્ત્વો હોય તેની સાથેનો તેનો સંબંધ કેવો? – વગેરે પ્રશ્નોને તેણે બૌદ્ધિક સ્તરેથી માંડી આપવાના રહે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૮ | {{center|'''૮'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક કારકિર્દી છેલ્લા પાંચ સાડાપાંચ દાયકાઓને આવરી લે છે. કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન સંપાદન, સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો – એમ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા લગભગ એકસરખી ઊંચાઈએ ગતિ કરતી રહી છે. તેમની લેખનપ્રવૃત્તિ ત્રીસીની આબોહવામાં આરંભાઈ હતી અને એ સમયનાં ભાવ અને ભાવના તેમના સર્જન વિવેચનના પોતમાં જાણે કે ઊતરી ગયાં છે. તેમની વિકાસોન્મુખ પ્રતિભા પૂર્વપશ્ચિમ પ્રાચીન અર્વાચીન હર કોઈ પરંપરાના સર્જન અને ચિંતનને ઝીલવા ઉત્સુક રહી છે. જીવનના રમણીય અને ભદ્ર, વિશાળ અને ઉન્નત અંશો કોઈ પણ દિશામાંથી આવે, તેમનું મન ઉદારતાથી તેને સ્વીકારવા ચાહે છે. એ રીતે ઉદાર અભિજાત કળારુચિ, ઉન્નત પ્રશિષ્ટ સાહિત્ય માટેનો પક્ષવાદ, તેજસ્વી બુદ્ધિ, બૃહદ્ જીવનસંદર્ભમાં વિચારવાની વૃત્તિ–એ તેમની સાહિત્યપ્રવૃત્તિનાં મુખ્ય લક્ષણો બની રહે છે. સાહિત્યવિવેચનમાં કૃતિવિવેચન તેમ સિદ્ધાંતચર્ચા બંને ક્ષેત્રે તેમણે વિપુલ લેખનકામ કર્યું છે. પણ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઝાઝું લખવાને તેમને તક મળી જણાતી નથી. | શ્રી ઉમાશંકર જોશીની સાહિત્યિક કારકિર્દી છેલ્લા પાંચ સાડાપાંચ દાયકાઓને આવરી લે છે. કવિતા, ટૂંકી વાર્તા, એકાંકી, નિબંધ, વિવેચન, સંશોધન સંપાદન, સંસ્કૃતની પ્રશિષ્ટ કૃતિઓના અનુવાદો – એમ અનેક ક્ષેત્રોમાં તેમની પ્રતિભા લગભગ એકસરખી ઊંચાઈએ ગતિ કરતી રહી છે. તેમની લેખનપ્રવૃત્તિ ત્રીસીની આબોહવામાં આરંભાઈ હતી અને એ સમયનાં ભાવ અને ભાવના તેમના સર્જન વિવેચનના પોતમાં જાણે કે ઊતરી ગયાં છે. તેમની વિકાસોન્મુખ પ્રતિભા પૂર્વપશ્ચિમ પ્રાચીન અર્વાચીન હર કોઈ પરંપરાના સર્જન અને ચિંતનને ઝીલવા ઉત્સુક રહી છે. જીવનના રમણીય અને ભદ્ર, વિશાળ અને ઉન્નત અંશો કોઈ પણ દિશામાંથી આવે, તેમનું મન ઉદારતાથી તેને સ્વીકારવા ચાહે છે. એ રીતે ઉદાર અભિજાત કળારુચિ, ઉન્નત પ્રશિષ્ટ સાહિત્ય માટેનો પક્ષવાદ, તેજસ્વી બુદ્ધિ, બૃહદ્ જીવનસંદર્ભમાં વિચારવાની વૃત્તિ–એ તેમની સાહિત્યપ્રવૃત્તિનાં મુખ્ય લક્ષણો બની રહે છે. સાહિત્યવિવેચનમાં કૃતિવિવેચન તેમ સિદ્ધાંતચર્ચા બંને ક્ષેત્રે તેમણે વિપુલ લેખનકામ કર્યું છે. પણ વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે ઝાઝું લખવાને તેમને તક મળી જણાતી નથી. | ||
| Line 213: | Line 213: | ||
આપણા વિવેચક સામે પૂર્વપશ્ચિમની બે ભિન્ન પરંપરાની સાહિત્ય વિચારણાઓ પડી છે, અને યથાવકાશ તે બંનેની સહાય લઈ શકે એવી તેમની સમજ રહી છે. પણ આ આખો પ્રશ્ન કદાચ એટલો સીધો સાદો નથી. વિવેચન અર્થે મૂલ્યાંકનના કયા માપદંડો કયાં ધોરણો કઈ કસોટીઓ તમે આજના સાહિત્ય સંદર્ભે લાગુ પાડવા સ્વીકારો છો અથવા પ્રસ્તુત ગણો છો, તેને લગતો એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે. ભારતમાં તેમ પશ્ચિમમાં સાહિત્યની કળા વિશે (તેમ સૌંદર્ય અને સર્જકતા વિશે) અનેક ભિન્ન ભિન્ન સિદ્ધાંતો/વાદો વિકસ્યા છે. કૃતિવિવેચનનાં ધોરણો/કસોટીઓ એવા સિદ્ધાંત વિચારમાં અનુસ્યૂત રહ્યાં હોય છે. એટલે વિવેચકે આ અંગે પૂરું અધ્યયન ચિંતન કરીને મૂલ્યાંકનનાં ધોરણો વિશે ઊંડી વિશદ સમજ કેળવી લેવાની રહે. તાત્પર્ય કે, પશ્ચિમની કે ભારતની સાહિત્ય મીમાંસાનો યાદૃચ્છિકપણે સ્વીકારવાનો આ પ્રશ્ન નથી. વિવેચકે આ વિશે પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ થવાનો, અને એ પ્રક્રિયામાં પોતાના વ્યક્તિત્વની અખિલાઈ સિદ્ધ કરવાનો પ્રશ્ન પણ પડેલો છે. | આપણા વિવેચક સામે પૂર્વપશ્ચિમની બે ભિન્ન પરંપરાની સાહિત્ય વિચારણાઓ પડી છે, અને યથાવકાશ તે બંનેની સહાય લઈ શકે એવી તેમની સમજ રહી છે. પણ આ આખો પ્રશ્ન કદાચ એટલો સીધો સાદો નથી. વિવેચન અર્થે મૂલ્યાંકનના કયા માપદંડો કયાં ધોરણો કઈ કસોટીઓ તમે આજના સાહિત્ય સંદર્ભે લાગુ પાડવા સ્વીકારો છો અથવા પ્રસ્તુત ગણો છો, તેને લગતો એક મોટો પ્રશ્ન અહીં ઊભો થાય છે. ભારતમાં તેમ પશ્ચિમમાં સાહિત્યની કળા વિશે (તેમ સૌંદર્ય અને સર્જકતા વિશે) અનેક ભિન્ન ભિન્ન સિદ્ધાંતો/વાદો વિકસ્યા છે. કૃતિવિવેચનનાં ધોરણો/કસોટીઓ એવા સિદ્ધાંત વિચારમાં અનુસ્યૂત રહ્યાં હોય છે. એટલે વિવેચકે આ અંગે પૂરું અધ્યયન ચિંતન કરીને મૂલ્યાંકનનાં ધોરણો વિશે ઊંડી વિશદ સમજ કેળવી લેવાની રહે. તાત્પર્ય કે, પશ્ચિમની કે ભારતની સાહિત્ય મીમાંસાનો યાદૃચ્છિકપણે સ્વીકારવાનો આ પ્રશ્ન નથી. વિવેચકે આ વિશે પોતાની ભૂમિકા વિશે સ્પષ્ટ થવાનો, અને એ પ્રક્રિયામાં પોતાના વ્યક્તિત્વની અખિલાઈ સિદ્ધ કરવાનો પ્રશ્ન પણ પડેલો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૯ | {{center|'''૯'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ત્રીસીચાળીસીના ગાળામાં આપણા સાહિત્યક્ષેત્રમાં પ્રગતિવાદનું કંઈક શક્તિશાળી મોજું ફરી વળ્યું, અને સાહિત્યના સર્જનવિવેચનમાં માકર્સવાદી દૃષ્ટિનો વિનિયોગ કરવાનું વલણ પણ કેટલોક સમય સક્રિય રહ્યું હતું, એની પણ અહીં આપણે નોંધ લેવાની રહે છે. રવિશંકર મહેતા, બકુલેશ, જિતુભાઈ, નીરુભાઈ, નવલરામ ત્રિવેદી, રમણલાલ દેસાઈ, ભોગીલાલ ગાંધી, ઉમાશંકર, સુંદરમ્, જયંતિ દલાલ અને બીજા પણ કેટલાક સાહિત્યકારો એ આંદોલનમાં ભળ્યા હતા કે એના સમર્થક બન્યા હતા. જો કે આપણા બીજા લેખકો તટસ્થ રહ્યા હતા અને કેટલાકે પ્રગતિવાદી સાહિત્યની સામે અમુક વાંધાઓ ય ઊભા કર્યા હતા. ગમે તેમ, પ્રગતિવાદ આપણા સાહિત્યમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહોતો, તેમ જે કંઈ આંદોલન એ સમયે ચાલ્યું તેમાંથી ઉત્કૃષ્ટ કોટિનું ઝાઝું સાહિત્ય પણ પ્રાપ્ત થયું નહોતું –એ એક ઐતિહાસિક હકીકત રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે સર્જન વિવેચનને જોવાને માર્ક્સવાદી દૃષ્ટિનું અનુસંધાન ત્યારે થયું હતું. ઉમાશંકર નીરુ દેસાઈ અને ભોગીલાલ ગાંધી જેવા અભ્યાસીઓએ ત્યારે માર્ક્સવાદી અભિગમની છણાવટ કરતાં કેટલાંક લખાણો ય પ્રગટ કરેલાં, પણ એની જોઈએ એવી ઊંડી અને વ્યાપક અસરો જોવા મળતી નથી. | ત્રીસીચાળીસીના ગાળામાં આપણા સાહિત્યક્ષેત્રમાં પ્રગતિવાદનું કંઈક શક્તિશાળી મોજું ફરી વળ્યું, અને સાહિત્યના સર્જનવિવેચનમાં માકર્સવાદી દૃષ્ટિનો વિનિયોગ કરવાનું વલણ પણ કેટલોક સમય સક્રિય રહ્યું હતું, એની પણ અહીં આપણે નોંધ લેવાની રહે છે. રવિશંકર મહેતા, બકુલેશ, જિતુભાઈ, નીરુભાઈ, નવલરામ ત્રિવેદી, રમણલાલ દેસાઈ, ભોગીલાલ ગાંધી, ઉમાશંકર, સુંદરમ્, જયંતિ દલાલ અને બીજા પણ કેટલાક સાહિત્યકારો એ આંદોલનમાં ભળ્યા હતા કે એના સમર્થક બન્યા હતા. જો કે આપણા બીજા લેખકો તટસ્થ રહ્યા હતા અને કેટલાકે પ્રગતિવાદી સાહિત્યની સામે અમુક વાંધાઓ ય ઊભા કર્યા હતા. ગમે તેમ, પ્રગતિવાદ આપણા સાહિત્યમાં ઊંડાં મૂળ નાખી શક્યો નહોતો, તેમ જે કંઈ આંદોલન એ સમયે ચાલ્યું તેમાંથી ઉત્કૃષ્ટ કોટિનું ઝાઝું સાહિત્ય પણ પ્રાપ્ત થયું નહોતું –એ એક ઐતિહાસિક હકીકત રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે સર્જન વિવેચનને જોવાને માર્ક્સવાદી દૃષ્ટિનું અનુસંધાન ત્યારે થયું હતું. ઉમાશંકર નીરુ દેસાઈ અને ભોગીલાલ ગાંધી જેવા અભ્યાસીઓએ ત્યારે માર્ક્સવાદી અભિગમની છણાવટ કરતાં કેટલાંક લખાણો ય પ્રગટ કરેલાં, પણ એની જોઈએ એવી ઊંડી અને વ્યાપક અસરો જોવા મળતી નથી. | ||
| Line 220: | Line 220: | ||
ભોગીલાલ ગાંધીના ત્રણ લેખો – ‘સાહિત્ય અને પ્રગતિ’ ‘માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ અને ‘ગુજરાતી વિવેચનસાહિત્ય ઉપર માકર્સવાદની અસર’ – સાહિત્યના અધ્યયન-વિવેચનમાં માર્ક્સવાદી અભિગમને લગતા મુદ્દાઓ અને ગુજરાતીમાં ચાલેલા પ્રગતિવાદની તપાસને અનુલક્ષે છે. પ્રથમ લેખમાં – ‘પ્રગતિવાદી સાહિત્ય’ સામે જે જાતના વાંધાઓ લેવામાં આવે છે તેને નજરમાં રાખી એ અભિગમની સિદ્ધિમર્યાદાઓનો વિચાર કરવાનો તેમનો ઉપક્રમ છે. રામનારાયણ પાઠક જેવા વિદ્વાન વિવેચકે પ્રગતિવાદ સામે જે મુદ્દાઓ ઊભા કર્યા હતા તેને પ્રત્યુત્તર આપવાનો એમાં સમર્થ પ્રયત્ન છે. કૉડવેલ અને સી. ડી. લૂઈ જેવા પાશ્ચાત્ય ચિંતકો-વિવેચકોની વિચારણાના પ્રકાશમાં તેમણે પ્રગતિવાદ સામેનાં ભયસ્થાનો ય બતાવ્યાં છે. ‘માકર્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ લેખમાં માકર્સ અને લેનિનની કળાદૃષ્ટિ અને રુચિનો તેમ તેમને અભિમત મૂલ્યોનો વિગતે પરિચય આપ્યો છે. ત્રીજા લેખમાં સમકાલીન ગુજરાતમાં પ્રવર્તેલા પ્રગતિવાદી આંદોલનની ટૂંકી સુરેખ ભૂમિકા રજૂ કરી છે, અને એ અભિગમ જે સાહિત્યકળાને પુરસ્કારે છે અને જે મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા ધારે છે તેનો સારી રીતે પરિચય આપ્યો છે. ભોગીલાલની ચર્ચાવિચારણામાં બેત્રણ મુદ્દાઓ તરત ધ્યાન ખેંચે છે. એક, સાહિત્યને જીવન સાથે-વ્યક્તિ અને સમાજ સાથે ગાઢ સંબંધ છે. વાસ્તવનિરૂપણને નામે લેખકે બાહ્ય અને ઉપરછલી વાસ્તવિકતા આલેખીને સંતોષ માનવાનો નથી. વ્યક્તિ અને સમાજ જીવનને પ્રેરતાં ઘાટ આપતાં દિશા આપતાં ગહન સંકુલ આંતરિક બળોને તેણે આલેખવાનાં છે. બીજું, સાહિત્ય માત્ર પ્રચારાત્મક છે. ત્રીજું, શિવતત્ત્વ તરફ તેની દૃષ્ટિ મંડાયેલી હોવી જોઈએ. ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ વચ્ચે કદાચ સુમેળ સરળતાથી સાધી શકાતો હશે, પણ સર્જકોએ ‘શિવતત્ત્વ’ને ય આરાધવાનું છે. શિવતત્ત્વ અને સૌંદર્ય કે સત્ય વચ્ચેનો વિસંવાદ/સંઘર્ષ પણ તેમની સાહિત્યસામગ્રી બની શકે, વગેરે. | ભોગીલાલ ગાંધીના ત્રણ લેખો – ‘સાહિત્ય અને પ્રગતિ’ ‘માર્ક્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ અને ‘ગુજરાતી વિવેચનસાહિત્ય ઉપર માકર્સવાદની અસર’ – સાહિત્યના અધ્યયન-વિવેચનમાં માર્ક્સવાદી અભિગમને લગતા મુદ્દાઓ અને ગુજરાતીમાં ચાલેલા પ્રગતિવાદની તપાસને અનુલક્ષે છે. પ્રથમ લેખમાં – ‘પ્રગતિવાદી સાહિત્ય’ સામે જે જાતના વાંધાઓ લેવામાં આવે છે તેને નજરમાં રાખી એ અભિગમની સિદ્ધિમર્યાદાઓનો વિચાર કરવાનો તેમનો ઉપક્રમ છે. રામનારાયણ પાઠક જેવા વિદ્વાન વિવેચકે પ્રગતિવાદ સામે જે મુદ્દાઓ ઊભા કર્યા હતા તેને પ્રત્યુત્તર આપવાનો એમાં સમર્થ પ્રયત્ન છે. કૉડવેલ અને સી. ડી. લૂઈ જેવા પાશ્ચાત્ય ચિંતકો-વિવેચકોની વિચારણાના પ્રકાશમાં તેમણે પ્રગતિવાદ સામેનાં ભયસ્થાનો ય બતાવ્યાં છે. ‘માકર્સવાદી દૃષ્ટિએ સાહિત્યનું મૂલ્યાંકન’ લેખમાં માકર્સ અને લેનિનની કળાદૃષ્ટિ અને રુચિનો તેમ તેમને અભિમત મૂલ્યોનો વિગતે પરિચય આપ્યો છે. ત્રીજા લેખમાં સમકાલીન ગુજરાતમાં પ્રવર્તેલા પ્રગતિવાદી આંદોલનની ટૂંકી સુરેખ ભૂમિકા રજૂ કરી છે, અને એ અભિગમ જે સાહિત્યકળાને પુરસ્કારે છે અને જે મૂલ્યોને પ્રતિષ્ઠિત કરવા ધારે છે તેનો સારી રીતે પરિચય આપ્યો છે. ભોગીલાલની ચર્ચાવિચારણામાં બેત્રણ મુદ્દાઓ તરત ધ્યાન ખેંચે છે. એક, સાહિત્યને જીવન સાથે-વ્યક્તિ અને સમાજ સાથે ગાઢ સંબંધ છે. વાસ્તવનિરૂપણને નામે લેખકે બાહ્ય અને ઉપરછલી વાસ્તવિકતા આલેખીને સંતોષ માનવાનો નથી. વ્યક્તિ અને સમાજ જીવનને પ્રેરતાં ઘાટ આપતાં દિશા આપતાં ગહન સંકુલ આંતરિક બળોને તેણે આલેખવાનાં છે. બીજું, સાહિત્ય માત્ર પ્રચારાત્મક છે. ત્રીજું, શિવતત્ત્વ તરફ તેની દૃષ્ટિ મંડાયેલી હોવી જોઈએ. ‘સૌંદર્ય’ અને ‘સત્ય’ વચ્ચે કદાચ સુમેળ સરળતાથી સાધી શકાતો હશે, પણ સર્જકોએ ‘શિવતત્ત્વ’ને ય આરાધવાનું છે. શિવતત્ત્વ અને સૌંદર્ય કે સત્ય વચ્ચેનો વિસંવાદ/સંઘર્ષ પણ તેમની સાહિત્યસામગ્રી બની શકે, વગેરે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૧૦ | {{center|'''૧૦'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કથાસાહિત્યના ક્ષેત્રે આગવી પ્રતિભાની મુદ્રા અંકિત કરી જનારા સદ્ગત ચુનીલાલ મડિયાએ વિવેચનના ક્ષેત્રેય કેટલુંક નોંધપાત્ર અર્પણ કર્યું છે. વિવેચન-પ્રવૃત્તિ અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે કેટલાંક પ્રાસંગિક લખાણો પ્રગટ કર્યાં છે. ‘વિવેચકની કામગીરી’ ‘વિવેચન, વિશેષણ, વિવેક’ ‘વિવેચકોના વિવેચકોના વિવેચકો’ જેવા લેખોમાં ખાસ કોઈ તાત્ત્વિક મુદ્દાઓ નથી, માત્ર તેમનાં કેટલાંક વલણો એમાં છતાં થાય છે. તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : | કથાસાહિત્યના ક્ષેત્રે આગવી પ્રતિભાની મુદ્રા અંકિત કરી જનારા સદ્ગત ચુનીલાલ મડિયાએ વિવેચનના ક્ષેત્રેય કેટલુંક નોંધપાત્ર અર્પણ કર્યું છે. વિવેચન-પ્રવૃત્તિ અને વિવેચકની ભૂમિકા વિશે તેમણે કેટલાંક પ્રાસંગિક લખાણો પ્રગટ કર્યાં છે. ‘વિવેચકની કામગીરી’ ‘વિવેચન, વિશેષણ, વિવેક’ ‘વિવેચકોના વિવેચકોના વિવેચકો’ જેવા લેખોમાં ખાસ કોઈ તાત્ત્વિક મુદ્દાઓ નથી, માત્ર તેમનાં કેટલાંક વલણો એમાં છતાં થાય છે. તેમના વક્તવ્યના મુખ્ય મુદ્દાઓ આ પ્રમાણે છે : | ||
| Line 229: | Line 229: | ||
ઉમાશંકરની પેઢીના સાહિત્યકારો અને અભ્યાસીઓમાં પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, ડૉ. ઇન્દ્રવદન દવે, ડૉ. બિપિન ઝવેરી, ડૉ. હસિત બૂચ, ડૉ. ઈશ્વરલાલ દવે, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. ધીરુભાઈ ઠાકર, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી ઉશનસ્, ડૉ. જયંત પાઠક આદિએ વિવેચનના પ્રશ્નો કે સમકાલીન વિવેચનની પ્રવૃત્તિ નિમિત્તે પ્રસંગોપાત્ત પોતાના વિચારો રજૂ કરેલા છે. વિવેચનમીમાંસાના કોઈ ખાસ નવા પ્રશ્નો ઊભા કરવાનો ઉપક્રમ એમાં નથી. પણ દરેક અભ્યાસીએ આ જાતનાં લખાણોમાં આગવી રીતે વિવરણ કર્યું છે કે કંઈક જુદા જ ભાર સાથે પ્રચલિત ખ્યાલો રજૂ કર્યા છે. | ઉમાશંકરની પેઢીના સાહિત્યકારો અને અભ્યાસીઓમાં પ્રો. મનસુખલાલ ઝવેરી, પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા, ડૉ. ઇન્દ્રવદન દવે, ડૉ. બિપિન ઝવેરી, ડૉ. હસિત બૂચ, ડૉ. ઈશ્વરલાલ દવે, પ્રો. અનંતરાય રાવળ, ડૉ. ધીરુભાઈ ઠાકર, શ્રી ગુલાબદાસ બ્રોકર, શ્રી ઉશનસ્, ડૉ. જયંત પાઠક આદિએ વિવેચનના પ્રશ્નો કે સમકાલીન વિવેચનની પ્રવૃત્તિ નિમિત્તે પ્રસંગોપાત્ત પોતાના વિચારો રજૂ કરેલા છે. વિવેચનમીમાંસાના કોઈ ખાસ નવા પ્રશ્નો ઊભા કરવાનો ઉપક્રમ એમાં નથી. પણ દરેક અભ્યાસીએ આ જાતનાં લખાણોમાં આગવી રીતે વિવરણ કર્યું છે કે કંઈક જુદા જ ભાર સાથે પ્રચલિત ખ્યાલો રજૂ કર્યા છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ) | |||
|next = V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ) | |||
}} | |||