23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 4: | Line 4: | ||
'''૧. <br>‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર''' | '''૧. <br>‘વિવેચન’ની સંજ્ઞા અને તેનો સંકેતવિસ્તાર''' | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. | પ્રસ્તુત અધ્યયનનો વિષય છે : ‘વિવેચનનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે ગુજરાતીમાં થયેલી વિચારણાઓનું એક સમીક્ષાત્મક અધ્યયન’. | ||
આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે. | આપણા સાહિત્યના અભ્યાસીઓને વિદિત છે તેમ, આપણે ત્યાં અર્વાચીન સમયમાં સર્જાતા સાહિત્યની સમાંતરે ‘વિવેચન’ની પ્રવૃત્તિ પણ જારી રહી છે. એના ઉદ્ભવ અને વિકાસ પાછળ સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અને પાશ્ચાત્ય વિવેચન એમ બે ભિન્ન પરંપરાની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. છતાં સમગ્રતયા જોતાં એમ સમજાશે કે પાશ્ચાત્ય વિવેચન જ એમાં વધુ પરિણામકારી નીવડ્યું છે. સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચનની પ્રવૃત્તિ આ ગાળામાં સાથોસાથ ચાલતી રહી છે. આપણે માટે અહીં પ્રસ્તુત મુદ્દો એ છે કે, નર્મદથી આજની પેઢી સુધીના ઘણાખરા અગ્રણી અભ્યાસીઓએ/વિવેચકોએ વિવેચનપ્રવૃત્તિનું સ્વરૂપ, તેનાં કાર્યો, અને તેની પદ્ધતિઓ વિશે કશુંક ને કશુંક વિચાર્યું જ છે. એવી વિવેચનતત્ત્વવિચારણાને લગતું અતિ સીમિત સ્વરૂપનું આ અધ્યયન છે. આપણો મુખ્ય આશય એ જાતની ચર્ચાવિચારણાઓની વિકાસરેખા આંકવાનો, અને ખાસ તો, તેમાં પ્રગટ કે પ્રચ્છન્ન રહેલા તાત્ત્વિક પ્રશ્નોની ઓળખ કરવાનો છે. સાહિત્યના ક્ષેત્રમાં ઘણાય પ્રતિભાશાળી વિદ્વાનો અને વિવેચકોએ જે પ્રવૃત્તિનો અંગીકાર કર્યો છે, તેના સ્વરૂપ અને કાર્યો વિશે બદલાતી દૃષ્ટિનો આછો આલેખ એમાં રચાઈ આવે એમ અભિપ્રેત છે. | ||
| Line 11: | Line 12: | ||
આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ. | આ અધ્યયનના શીર્ષકમાં ‘વિવેચન’ શબ્દ યોજાયેલો છે, તે કૃતિવિવેચનના અર્થમાં જ લેવાનો છે. આ સ્પષ્ટતા, જો કે, એટલા માટે જરૂરી બને છે કે આપણે ત્યાં ‘વિવેચન’ની સંજ્ઞા આપણે જુદા જુદા સંકેતો સાથે યોજતા હોઈએ છીએ. કેટલીક વાર એ સંજ્ઞાથી કેવળ સિદ્ધાંતચર્ચાનાં લખાણો આપણે સૂચવતા હોઈએ છીએ, અન્ય પ્રસંગે એ સંજ્ઞા કેવળ કૃતિવિવેચનના અર્થમાં યોજી હોય એમ જોવા મળશે, તો એથી જુદા પ્રસંગોમાં વ્યાપકપણે સિદ્ધાંતચર્ચા અને કૃતિવિવેચન, સાહિત્યનું પ્રવાહદર્શન, સ્વરૂપલક્ષી વિકાસદર્શન – એમ બધાંય લખાણો એ સંજ્ઞામાં આપણે સમાવી લેતા હોઈએ છીએ. | ||
વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે. | વિવેચનમીમાંસાના પ્રશ્નોને, એક બાજુ સૌંદર્યમીમાંસા અને સાહિત્યશાસ્ત્ર જોડે, બીજી બાજુ કૃતિનાં વિવેચનો-મૂલ્યાંકનો જોડે ચોક્કસ સંબંધ રહ્યો છે. વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિચાર કૃતિવિવેચનનાં જ મૂર્ત લખાણોની તપાસને અનુલક્ષીને ય થઈ શકે. આપણા સોએક વર્ષનાં ગ્રંથસમીક્ષાના લખાણોની તપાસ એ રીતે એક જુદો વિષય બની રહે છે. બીજી બાજુ સિદ્ધાંતચર્ચા અને મૂલ્યાંકનના પ્રશ્નોને ય વળી સાંકળી શકાય. કૃતિવિવેચન અર્થે વિવેચકો જે જે ધોરણો, કસોટીઓ કે માપદંડો સ્વીકારે છે, (કે લાગુ પાડે છે.) તેનો આધાર કોઈ ને કોઈ કળાવિચારમાં મળી શકે, અથવા મળવો જોઈએ. પણ, એ ય તપાસનો અલગ વિષય છે. આ અધ્યયનમાં તો આપણા અગ્રણી અભ્યાસીઓ/વિવેચકોએ વિવેચન વિષે કેવો ખ્યાલ બાંધ્યો છે, કયા વિચારો મૂક્યા છે, તેનું જ સીમિત સ્વરૂપનું સર્વેક્ષણ હાથ ધર્યું છે. | ||
{{Poem2Close}} | |||
{{center|'''૨. <br>ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો'''}} | {{center|'''૨. <br>ગુજરાતી વિવેચન : તેના પ્રેરણાસ્રોતો અને ઘડતરબળો'''}} | ||
{{Poem2Open}} | |||
આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે. | આપણા સાહિત્યના અભ્યાસીઓને સુવિદિત છે તેમ, આપણા અર્વાચીન સાહિત્યના ઉદ્ભવ-વિકાસ પાછળ, લગભગ સતતપણે, પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનની પ્રેરણા અને પ્રભાવ રહ્યાં છે. સ્વાતંત્ર્યપ્રાપ્તિના વર્ષ સુધી એમાં, અલબત્ત, સવિશેષપણે અંગ્રેજી સાહિત્યની, અને તે પછીના ગાળામાં વ્યાપકપણે યુરોપ અમેરિકાના સાહિત્યની અસરો પડી છે. જો કે, પાશ્ચાત્ય પ્રભાવ આપણા સર્જનવિવેચનના ક્ષેત્ર પૂરતો સીમિત નથી : આપણા વિચારજગત પર તેમ જ આપણા સંસ્કાર જીવન અને સંવેદન પર પણ તેનો પ્રભાવ રહ્યો છે. ત્યાંનાં વિભિન્ન જ્ઞાનવિજ્ઞાન, યંત્રો અને ટૅક્નોલોજી, ત્યાંની જીવનવ્યવસ્થા અને ત્યાંની સંસ્થાઓ વગેરે આપણા પ્રજાજીવનને ઘડનારાં નવાં પરિબળો બન્યાં છે. જીવન અને જગત વિશે, વ્યક્તિ સમાજ અને રાષ્ટ્ર વિશે, ઇતિહાસ સંસ્કૃતિ અને પરંપરા વિશે અનેક નવા વિચારો અને નવાં મૂલ્યો આપણને તેમના સાહિત્ય અને જીવનમાંથી મળ્યાં છે. અને, આપણા અર્વાચીન સાહિત્યમાં, એ રીતે, નવી ચેતના સક્રિય બનેલી જણાશે. વાસ્તવમાં, આપણી સદીઓ જૂની સંસ્કૃતિ પશ્ચિમની ઘણી રીતે ભિન્ન આધુનિક સંસ્કૃતિના સંપર્કમાં મૂકાઈ તે સાથે, આપણા પ્રજાજીવનમાં કદાચ અગાઉ ઇતિહાસના કોઈ યુગમાં નહોતો જોવા મળ્યો તેવો, વ્યાપક અને ગહન સંક્ષોભ જન્મી પડ્યો. નર્મદયુગની સંસારસુધારાની પ્રવૃત્તિઓ અને જૂનાનવા માનસ વચ્ચેની ટકરામણ, પ્રાચીન ભારતીય અને આધુનિક પાશ્ચાત્ય સંસ્કૃતિના ઇષ્ટ અંશોને અર્વાચીન ભારતીય સંસ્કૃતિની ભૂમિકામાં આમેજ કરીને નવા યુગને અનુરૂપ નવું જીવનદર્શન રજૂ કરવાના ગોવર્ધનરામ ત્રિપાઠી, મણિલાલ દ્વિવેદી, રમણભાઈ નીલકંઠ, નરસિંહરાવ દિવેટીયા, આ. આનંદશંકર ધ્રુવ આદિ સાક્ષરોના ચિંતનપુરુષાર્થો, પૂર્વપશ્ચિમનાં જીવનમૂલ્યોને આગવી રીતે સમન્વિત કરતી ગાંધીજીની જીવનદૃષ્ટિ આદિ સાંસ્કૃતિક ઘટનાઓ હવે આપણા ઇતિહાસની અફર હકીકતો બની ચૂકી છે. આખોય એ ભારતીય પુનરુત્થાનકાળ પશ્ચિમનાં નૂતન વિચારવલણોનું અનિવાર્ય પરિણામ છે. | ||
અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે. | અને, આ બદલાતા સાંસ્કૃતિક સંદર્ભો વચ્ચે આપણા સર્જનાત્મક સાહિત્યની ગતિવિધિઓ પણ બદલાતી રહી છે. જોકે, સર્જનાત્મક કૃતિઓના હાર્દમાં જ્ઞાતઅજ્ઞાત અનેક પરિબળોએ ભાગ ભજવ્યો હોય છે. પણ એમાં એક મોટું પરિબળ છે વિવેચન અને કળાવિચારની ભૂમિકા. નર્મદથી આરંભાયેલું આત્મલક્ષી ઊર્મિકાવ્ય, વડ્ર્ઝવર્થ શેલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની પ્રકૃતિકવિતાના નમૂનાઓની પ્રેરણા લઈ રચાયેલી નરસિંહરાવની લાક્ષણિક રીતિની પ્રકૃતિકવિતા, સમકાલીન યુગના પ્રાણપ્રશ્નોને પોતાના વ્યાપમાં લેવા મથતી ગોવર્ધનરામની મહાનવલ ‘સરસ્વતીચંદ્ર’, બળવંતરાયનો ‘વિચારપ્રધાન’ કવિતાનો આદર્શ, ગ્યૂથેના લિરિકલ ડ્રામાથી પ્રેરાયેલાં ન્હાનાલાલનાં ભાવનાપ્રધાન નાટકો, મુનશીની નીતિનિરપેક્ષ એવા સાહિત્યની આગવી વિભાવના, પશ્ચિમના તખ્તાને અનુરૂપ નવી શૈલીનાં નાટકો, વાસ્તવવાદી કે પ્રગતિવાદી વલણો છતાં કરતું ત્રીસીનું કેટલુંક કથાસાહિત્ય અને સ્વાતંત્ર્યોત્તર ગાળામાં આધુનિકતાવાદી વિચારવલણોથી પ્રેરાયેલું ને પ્રભાવિત થયેલું આપણું ‘આધુનિક’ સાહિત્ય—આ રીતે સાહિત્યિક ઘટનાઓ આપણે ત્યાં બદલાતી રહી છે. પાશ્ચાત્ય સાહિત્યના નમૂનાઓ અને/કે વિવેચન અને કળામીમાંસાના નવા નવા ખ્યાલો આપણા સર્જકોને સતત પડકારતા રહ્યા છે. આપણા સાહિત્યરસિક વર્ગની અભિરુચિ અને કળાદૃષ્ટિ સૂક્ષ્મ રીતે બદલાતી રહી છે : તેમની રસકીય ચેતના વિકસતી રહી છે. | ||