23,710
edits
(+1) |
(+1) |
||
| Line 13: | Line 13: | ||
પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય. | પ્રેમ નહિ, ત્રિકોણ નહિ, આડા વહેવારની વાત નહિ, પણ નકરાં દુઃખોનું જ બયાન આપતી આવી વાર્તામાં સસ્તા પ્રચાર કે વેવલા ઉપદેશોમાં સરકી પડવાનું બહુ સરળ ગણાય અને લેખક સિલોની તો પાછા રાજકારણના અત્યંત સંપ્રજ્ઞ માણસ. પણ આ કથાને એમણે આ કે તે વાદની પત્રિકાને બદલે એક નિર્ભેળ કલાકૃતિ જ બનાવી છે. એનું આલેખન પણ કથામાં ઊભરાતાં દીનહીન માનવીઓ જેવું જ છે : સાવ સાદું, કશા ઓપ કે રંગરોગાન વિનાનું, નહિ કશો ઠઠારો, નહિ ક્યાંય ઝડઝમક. અંતકડીની રમતની શૈલીએ એક પછી એક કથક વારાફરતી વાત કહે, અને એ રીતે કથાતંતુ આગળ વધતો રહે. એમાં ઘરગથ્થુ રમૂજ આવે, રોનક આવે, હસીહસીને થાકી જઈએ એવી પરિસ્થિતિ સાથે સાંભળીને સ્તબ્ધ થઈ જઈએ એવા ફાસિસ્ટ સિતમગરોના બળાત્કાર પણ આવે. આ બધાં વચ્ચે માનવીની સનાતન જિજીવિષા ડોકિયાં કરતી જ રહે. એ જિજીવિષા, એ સારપ, એ શ્રદ્ધા કોઈ સસ્તી કે બનાવટી ‘માંગલ્ય’ની નીપજ લેખે નહિ પણ મનુષ્યના સાચા ખમીરની કોઈક ગુપ્ત ગજવેલની પ્રતીતિ કરાવી જાય. | ||
હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે. | હું શા માટે લખું છું, એવી પૃચ્છાના ઉત્તરમાં સિલોની કહે છે : ‘લેખન એ જ નિરાશા સામે ટકી રહેવાનું મારું એકમાત્ર સાધન છે.’ વાચક લેખે આપણે પણ આ ઉત્તરની નીચે શેરો મારી શકીએ. કે માનવીનાં સુખદુઃખની આવી સાચકલી વાત કરતી કલાકૃતિનું વાચન પણ આપણે માટે નિરાશા સામે ટકી રહેવાનું એક સબળ સાધન બની રહે છે. | ||
{{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}} | {{right|(ફોન્તામારા : મૂળ ઈટાલિયનના અંગ્રેજી પરથી ગુજરાતી અનુવાદક જયંતિ દલાલ)}}<br> | ||
{{right|એપ્રિલ, ૧૯૬૪}} | {{right|એપ્રિલ, ૧૯૬૪}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||