મર્મર/‘મર્મર’નું મર્મદર્શન: Difference between revisions

+1
(+1)
(+1)
Line 4: Line 4:


શાળાપુસ્તકોમાં આવતાં પાંચેક કાવ્યો બાદ કરતાં આજે કેટલાને, ને તેમાંય કોને, કલાપી વાંચવાની પરવા હશે એ ચિન્ત્ય વસ્તુ છે. છતાં નવપ્રશિષ્ટ શૈલીમાં કલાપી ફરી આવે તો આવકારપાત્ર નીવડે. આજનો શિક્ષિત વાચક બહલાવેલ ઊર્મિ કે ચિત્રને હસી કાઢશે. કોઈ કવિ આજે કલાપી પેઠે ચિત્તંત્રને છૂટે દોરે નહિ વહેવા દે, પણ તેનું સંયમન કરશે. નવાં પરણ્યાં દંપતીના પ્રથમ મિલનનું એક કાવ્ય<ref>‘આપણ વચે’—ગીતા કાપડિયા (પરીખ): કવિતા-અંક ૫.</ref>  છે : પત્ની મળતાં જ પતિ વિવાદનો આરંભ કરે છે કે મારા પહેલાં, અરે મારા દેખતાં લગ્નવિધિ પ્રસંગે તમારા સ્પર્શનો—વિશિષ્ટ અંગોના સ્પર્શનો કોઈ અધિકારી હતો. સુશ્લિષ્ટ પદાવલીઓમાં સંયમિત છન્દલયમાં પતિપત્નીનો ટૂંકાક્ષરી વિવાદ તથા પત્નીની ભયજનિત ચિન્તા વધતાં ચાલે છે અને અન્તે કહે છે કે એ અનધિકારી કે અધિકારી તો બે વચ્ચે અવરોધક અંગવસ્ત્રનો ઊડતો દબાતો પાલવ હતો. કાવ્યદેહે ઊતરેલો આ બુદ્ધિનો ચમત્કાર અને તેને સુયોગ્ય શબ્દ દ્વારા દર્શાવવાની સ્વચ્છ શૈલી પ્રશિષ્ટ કહેવાય. વૈજ્ઞાનિક નિયમોનું અજ્ઞાત બાળક દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે તેને થતી મૂંઝવણ પરિચિત છે. પણ એક નવકવિએ<ref>‘શયનગૃહમાં’—પ્રિયકાન્ત મણિયાર : કવિતા-અંક ૪.</ref>  તેવી મૂંઝવણ જુદા સંયોગોમાં કલ્પી છે. શયનગૃહમાં મળેલાં દંપતી પૈકી પતિની દૃષ્ટિ અનાયાસ દર્પણમાં પડે, ભાન ભૂલેલાને ક્ષણભર ભ્રમ થાય ને જાણે અન્ય યુગલ બેશરમ બન્યું છે એમ સમજી આશ્ચર્યચકિત થાય, પણ પછી સમજે કે હું જ મારી જાતને હસતો હતો, ને તાત્પર્ય દર્શાવે કે મનુષ્ય બીજામાં જુએ છે તે દોષસ્થિતિ પોતાનું જ પ્રતિબિમ્બ છે—આ પણ કૌતુકરાગી વસ્તુનો પ્રશિષ્ટ શૈલીએ કરેલો વિનિયોગ ગણાય. જીવનરંગ અને શીલ તથા શૈલીનું સૌષ્ઠવ બંનેનો સમન્વય કરવા આજની કવિતા મથે છે.  
શાળાપુસ્તકોમાં આવતાં પાંચેક કાવ્યો બાદ કરતાં આજે કેટલાને, ને તેમાંય કોને, કલાપી વાંચવાની પરવા હશે એ ચિન્ત્ય વસ્તુ છે. છતાં નવપ્રશિષ્ટ શૈલીમાં કલાપી ફરી આવે તો આવકારપાત્ર નીવડે. આજનો શિક્ષિત વાચક બહલાવેલ ઊર્મિ કે ચિત્રને હસી કાઢશે. કોઈ કવિ આજે કલાપી પેઠે ચિત્તંત્રને છૂટે દોરે નહિ વહેવા દે, પણ તેનું સંયમન કરશે. નવાં પરણ્યાં દંપતીના પ્રથમ મિલનનું એક કાવ્ય<ref>‘આપણ વચે’—ગીતા કાપડિયા (પરીખ): કવિતા-અંક ૫.</ref>  છે : પત્ની મળતાં જ પતિ વિવાદનો આરંભ કરે છે કે મારા પહેલાં, અરે મારા દેખતાં લગ્નવિધિ પ્રસંગે તમારા સ્પર્શનો—વિશિષ્ટ અંગોના સ્પર્શનો કોઈ અધિકારી હતો. સુશ્લિષ્ટ પદાવલીઓમાં સંયમિત છન્દલયમાં પતિપત્નીનો ટૂંકાક્ષરી વિવાદ તથા પત્નીની ભયજનિત ચિન્તા વધતાં ચાલે છે અને અન્તે કહે છે કે એ અનધિકારી કે અધિકારી તો બે વચ્ચે અવરોધક અંગવસ્ત્રનો ઊડતો દબાતો પાલવ હતો. કાવ્યદેહે ઊતરેલો આ બુદ્ધિનો ચમત્કાર અને તેને સુયોગ્ય શબ્દ દ્વારા દર્શાવવાની સ્વચ્છ શૈલી પ્રશિષ્ટ કહેવાય. વૈજ્ઞાનિક નિયમોનું અજ્ઞાત બાળક દર્પણમાં પોતાનું મુખ જુએ ત્યારે તેને થતી મૂંઝવણ પરિચિત છે. પણ એક નવકવિએ<ref>‘શયનગૃહમાં’—પ્રિયકાન્ત મણિયાર : કવિતા-અંક ૪.</ref>  તેવી મૂંઝવણ જુદા સંયોગોમાં કલ્પી છે. શયનગૃહમાં મળેલાં દંપતી પૈકી પતિની દૃષ્ટિ અનાયાસ દર્પણમાં પડે, ભાન ભૂલેલાને ક્ષણભર ભ્રમ થાય ને જાણે અન્ય યુગલ બેશરમ બન્યું છે એમ સમજી આશ્ચર્યચકિત થાય, પણ પછી સમજે કે હું જ મારી જાતને હસતો હતો, ને તાત્પર્ય દર્શાવે કે મનુષ્ય બીજામાં જુએ છે તે દોષસ્થિતિ પોતાનું જ પ્રતિબિમ્બ છે—આ પણ કૌતુકરાગી વસ્તુનો પ્રશિષ્ટ શૈલીએ કરેલો વિનિયોગ ગણાય. જીવનરંગ અને શીલ તથા શૈલીનું સૌષ્ઠવ બંનેનો સમન્વય કરવા આજની કવિતા મથે છે.  
પ્રણય કે પ્રણયકલહ નવી વસ્તુ નથી. લગ્નજીવનમાં વિસંવાદનાં કાવ્યો તો આપણે ભાતભાતનાં જાણીએ છીએ. સ્ત્રીકેળવણીની અગત્ય વિષે લખતાં સો વર્ષ પર નવલરામે લખેલું:  
પ્રણય કે પ્રણયકલહ નવી વસ્તુ નથી. લગ્નજીવનમાં વિસંવાદનાં કાવ્યો તો આપણે ભાતભાતનાં જાણીએ છીએ. સ્ત્રીકેળવણીની અગત્ય વિષે લખતાં સો વર્ષ પર નવલરામે લખેલું:  
{{Block center|'''<poem>ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ભમે છે,  
{{Block center|'''<poem>ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં ભમે છે,  
Line 231: Line 228:
{{rh|સૂરત, ૨૮-૧૨-૧૯૫૭||'''વ્રજરાય મુકુન્દરાય દેસાઈ''' }}
{{rh|સૂરત, ૨૮-૧૨-૧૯૫૭||'''વ્રજરાય મુકુન્દરાય દેસાઈ''' }}
<br>
<br>
{{reflist}}
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રવેશક
|previous = પ્રવેશક
|next = નિવેદન
|next = નિવેદન
}}
}}