23,710
edits
(+૧) |
No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 18: | Line 18: | ||
ટ્રેજિક એટલે કરુણ એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ અને એ કંઈ સાવ ખોટો તો નથી. વ્યથાના દૃશ્યને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીના વસ્તુવિધાનનાં ત્રણ આવશ્યક અંગો માંહેનું એક ગણે છે. વ્યથાનું દૃશ્ય એટલે વિનાશક કે પીડાકારક કૃત્ય થતું બતાવવું તે – જેમ કે, કોઈનું મૃત્યુ થાય, કોઈ શારીરિક દર્દથી પીડાય, કોઈને ઘા પડે વગેરે. આવી સ્થૂળ વ્યથાનો આગ્રહ આજે આપણે ન રાખીએ, પણ ગ્રીક ટ્રૅજેડીમાં આવાં દૃશ્યો લગભગ આવતાં. આમ છતાં, ઍરિસ્ટૉટલ આવી વ્યથાની તલવાર લટકતી હોય, એ પડે નહીં અને ઊલટાનું, એ છેલ્લે છેલ્લે ઊંચકાઈ પણ જાય એ જાતની પરિસ્થિતિને પણ ટ્રેજિક ગણાવવા તૈયાર છે. ‘ઇફિજિનિઆ’માં બહેન અજાણપણે ભાઈની હત્યાની તૈયારીઓ કરે છે અને અંતે ભાઈની ઓળખાણ થતાં એને બચાવી લે છે. સામાન્ય રીતે ટ્રૅજેડીના કરુણ અંત માટે પક્ષપાત બતાવનાર ઍરિસ્ટૉટલ અહીં સુખી અંતને પણ પસંદ કરે છે એ બતાવે છે કે ટ્રૅજિક બનાવ કરતાં ટ્રૅજિક પરિસ્થિતિ વધારે મહત્ત્વની છે. એક વાત સ્પષ્ટ છે કે અસાધારણ ભારે વિપત્તિમાં આવી પડેલી, આ પાર કે પેલે પાર એવી કટોકટીભરી પરિસ્થિતિમાં મુકાયેલી માનવવ્યક્તિઓનું ટ્રૅજેડી આપણને દર્શન કરાવે છે અને એમાંથી જન્મતા કરુણનો અનુભવ લઈને આપણે ઊભા થઈએ છીએ. ટ્રૅજિક એટલે આવો ઘેરો કરુણરસ. | ટ્રેજિક એટલે કરુણ એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ અને એ કંઈ સાવ ખોટો તો નથી. વ્યથાના દૃશ્યને ઍરિસ્ટૉટલ ટ્રૅજેડીના વસ્તુવિધાનનાં ત્રણ આવશ્યક અંગો માંહેનું એક ગણે છે. વ્યથાનું દૃશ્ય એટલે વિનાશક કે પીડાકારક કૃત્ય થતું બતાવવું તે – જેમ કે, કોઈનું મૃત્યુ થાય, કોઈ શારીરિક દર્દથી પીડાય, કોઈને ઘા પડે વગેરે. આવી સ્થૂળ વ્યથાનો આગ્રહ આજે આપણે ન રાખીએ, પણ ગ્રીક ટ્રૅજેડીમાં આવાં દૃશ્યો લગભગ આવતાં. આમ છતાં, ઍરિસ્ટૉટલ આવી વ્યથાની તલવાર લટકતી હોય, એ પડે નહીં અને ઊલટાનું, એ છેલ્લે છેલ્લે ઊંચકાઈ પણ જાય એ જાતની પરિસ્થિતિને પણ ટ્રેજિક ગણાવવા તૈયાર છે. ‘ઇફિજિનિઆ’માં બહેન અજાણપણે ભાઈની હત્યાની તૈયારીઓ કરે છે અને અંતે ભાઈની ઓળખાણ થતાં એને બચાવી લે છે. સામાન્ય રીતે ટ્રૅજેડીના કરુણ અંત માટે પક્ષપાત બતાવનાર ઍરિસ્ટૉટલ અહીં સુખી અંતને પણ પસંદ કરે છે એ બતાવે છે કે ટ્રૅજિક બનાવ કરતાં ટ્રૅજિક પરિસ્થિતિ વધારે મહત્ત્વની છે. એક વાત સ્પષ્ટ છે કે અસાધારણ ભારે વિપત્તિમાં આવી પડેલી, આ પાર કે પેલે પાર એવી કટોકટીભરી પરિસ્થિતિમાં મુકાયેલી માનવવ્યક્તિઓનું ટ્રૅજેડી આપણને દર્શન કરાવે છે અને એમાંથી જન્મતા કરુણનો અનુભવ લઈને આપણે ઊભા થઈએ છીએ. ટ્રૅજિક એટલે આવો ઘેરો કરુણરસ. | ||
પણ છતાં ટ્રૅજિક એટલે કરુણ, માત્ર કરુણ, નર્યો કરુણ એવી સમજ ઍરિસ્ટૉટલની વિચારણાને ન્યાય કરતી નથી; કારણ કે આપણે તો કોઈ પણ દુઃખકારક કે પીડાકારક પરિસ્થિતિને કરુણ પરિસ્થિતિ તરીકે ઓળખાવીએ છીએ. ઍરિસ્ટૉટલ અમુક પ્રકારની કરુણ પરિસ્થિતિઓને જ લાક્ષણિક ટ્રૅજિક પરિસ્થિતિ તરીકે સ્વીકારે છે. ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના અત્યંત વિશિષ્ટ છે. | પણ છતાં ટ્રૅજિક એટલે કરુણ, માત્ર કરુણ, નર્યો કરુણ એવી સમજ ઍરિસ્ટૉટલની વિચારણાને ન્યાય કરતી નથી; કારણ કે આપણે તો કોઈ પણ દુઃખકારક કે પીડાકારક પરિસ્થિતિને કરુણ પરિસ્થિતિ તરીકે ઓળખાવીએ છીએ. ઍરિસ્ટૉટલ અમુક પ્રકારની કરુણ પરિસ્થિતિઓને જ લાક્ષણિક ટ્રૅજિક પરિસ્થિતિ તરીકે સ્વીકારે છે. ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના અત્યંત વિશિષ્ટ છે. | ||
આ વિશિષ્ટ વિભાવનાને સમજવી કેવી રીતે? એ સમજવા માટે ચાવીરૂપ શબ્દો છે – કરુણા અને ભય. ઍરિસ્ટૉટલ વારેવારે કહે છે કે ગમે તેવી ક્રિયાથી કે ગમે તેવા બનાવોથી ટ્રૅજેડી બનતી નથી, પણ કરુણા અથવા ભય જગાવતી ક્રિયા કે એવા બનાવોથી જ ટ્રૅજેડી બને છે. | આ વિશિષ્ટ વિભાવનાને સમજવી કેવી રીતે? એ સમજવા માટે ચાવીરૂપ શબ્દો છે – કરુણા અને ભય. ઍરિસ્ટૉટલ વારેવારે કહે છે કે ગમે તેવી ક્રિયાથી કે ગમે તેવા બનાવોથી ટ્રૅજેડી બનતી નથી, પણ કરુણા અથવા ભય જગાવતી ક્રિયા કે એવા બનાવોથી જ ટ્રૅજેડી બને છે.<ref>જુઓ : ‘Tragedy is an imitation not only of a complete action, but of events inspiring fear or pity.’<br> | ||
<ref>જુઓ : ‘Tragedy is an imitation not only of a complete action, but of events inspiring fear or pity.’<br> | |||
‘This recognition, combined with reversal, will produce either pity or fear; and action producing these effects are those which, by our definition, tragedy represents.’<br> | ‘This recognition, combined with reversal, will produce either pity or fear; and action producing these effects are those which, by our definition, tragedy represents.’<br> | ||
| Line 26: | Line 25: | ||
“And since the pleasure which the poet should afford is that which comes from pity and fear through imitation. it is evident that this quality must be impressed upon the incidents.” | “And since the pleasure which the poet should afford is that which comes from pity and fear through imitation. it is evident that this quality must be impressed upon the incidents.” | ||
</ref> | </ref>ટ્રૅજેડીની વ્યાખ્યામાં કૅથાર્સિસની વાત કરતી વેળા પણ એમણે કરુણા અને ભયની લાગણીઓનો જ ઉલ્લેખ કર્યો છે એ અહીં યાદ કરવાની જરૂર છે. આનો અર્થ એ છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કરુણા અને ભયની લાગણીઓ ટ્રૅજિક અનુભવનાં મુખ્ય ઘટક છે. | ||
ટ્રૅજેડીની વ્યાખ્યામાં કૅથાર્સિસની વાત કરતી વેળા પણ એમણે કરુણા અને ભયની લાગણીઓનો જ ઉલ્લેખ કર્યો છે એ અહીં યાદ કરવાની જરૂર છે. આનો અર્થ એ છે કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ કરુણા અને ભયની લાગણીઓ ટ્રૅજિક અનુભવનાં મુખ્ય ઘટક છે. | |||
આ કરુણા અને ભય શું છે? ખરેખરી ટ્રેજિક અસરને ઓળખવા માટે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભયને સમજી લેવાં જરૂરી છે. ઍરિસ્ટૉટલ કહે છે કે આ બન્ને પીડાના પ્રકારો છે. ધ્યાન રાખજો – બન્ને; માત્ર ભય નહીં, કરુણા પણ. કરુણા એટલે દુઃખી માણસ પ્રત્યેનો માત્ર દયાભાવ નહીં, એના દુઃખે આપણે પણ દુઃખી થવું. તો બીજાના દુઃખે આપણે ક્યારે દુઃખી થઈએ? એવું દુઃખ આપણા પર આવી પડે એમ આપણને લાગતું હોય ત્યારે. હવે ઍરિસ્ટૉટલ ‘રેટરિક’માં કરુણાની વ્યાખ્યા કઈ રીતે આપે છે તે જુઓ : કરુણા એક જાતની પીડા છે, જે કોઈ માણસ પર વિનાશક કે પીડાકારક અનિષ્ટ ઝઝૂમતું જોઈને આપણને થાય છે; એ માણસ એ અનિષ્ટને પાત્ર હોતો નથી, અને અનિષ્ટ એવું હોય કે જે આપણા પર કે આપણા કોઈ મિત્ર પર, અને તે પણ નજીકના જ સમયમાં, આવી પડે એમ આપણને લાગે.<ref>જુઓ હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૦૧.</ref> આના પરથી સમજાશે કે ઍરિસ્ટૉટલ કરુણા માટે જે પરિસ્થિતિ કલ્પે છે તે કંઈક સર્વસામાન્ય હોય છે અને એમાં ભલે વાસ્તવિક આપત્તિ બીજાની હોય, માણસ પોતે પણ માનસિક રીતે સંડોવાયેલો હોય છે અને તેથી જ કરુણા એ પીડાનો એક અનુભવ બની રહે છે. હવે ઍરિસ્ટૉટલે ‘રેટરિક’માં આપેલી ભયની વ્યાખ્યા જુઓ : ભય એક જાતની પીડા કે ક્ષોભ છે, જે કોઈ વિનાશક કે પીડાકારક અનિષ્ટ (આપણા પર) ઝઝૂમતું હોવાના ખ્યાલમાંથી જન્મે છે.<ref>ઉદ્ધૃત, બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી એન્ડ ફાઇન આર્ટ. પૃ. ૨૫૬.</ref>આ વ્યાખ્યાઓ પરથી એક વાત તરત દેખાઈ આવશે કે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભય કેટલાબધા નજીકના ભાવો છે! ઍરિસ્ટૉટલ પોતે જ બન્ને વચ્ચેનો સંબંધ બતાવે છે કે જે કંઈ બીજાઓ પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે આપણને કરુણાનો ભાવ થાય, તે જ્યારે આપણા પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે ભયનો ભાવ થાય.<ref>રેટરિક, જુઓ હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ.૧૦૧.</ref> | આ કરુણા અને ભય શું છે? ખરેખરી ટ્રેજિક અસરને ઓળખવા માટે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભયને સમજી લેવાં જરૂરી છે. ઍરિસ્ટૉટલ કહે છે કે આ બન્ને પીડાના પ્રકારો છે. ધ્યાન રાખજો – બન્ને; માત્ર ભય નહીં, કરુણા પણ. કરુણા એટલે દુઃખી માણસ પ્રત્યેનો માત્ર દયાભાવ નહીં, એના દુઃખે આપણે પણ દુઃખી થવું. તો બીજાના દુઃખે આપણે ક્યારે દુઃખી થઈએ? એવું દુઃખ આપણા પર આવી પડે એમ આપણને લાગતું હોય ત્યારે. હવે ઍરિસ્ટૉટલ ‘રેટરિક’માં કરુણાની વ્યાખ્યા કઈ રીતે આપે છે તે જુઓ : કરુણા એક જાતની પીડા છે, જે કોઈ માણસ પર વિનાશક કે પીડાકારક અનિષ્ટ ઝઝૂમતું જોઈને આપણને થાય છે; એ માણસ એ અનિષ્ટને પાત્ર હોતો નથી, અને અનિષ્ટ એવું હોય કે જે આપણા પર કે આપણા કોઈ મિત્ર પર, અને તે પણ નજીકના જ સમયમાં, આવી પડે એમ આપણને લાગે.<ref>જુઓ હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ. ૧૦૧.</ref> આના પરથી સમજાશે કે ઍરિસ્ટૉટલ કરુણા માટે જે પરિસ્થિતિ કલ્પે છે તે કંઈક સર્વસામાન્ય હોય છે અને એમાં ભલે વાસ્તવિક આપત્તિ બીજાની હોય, માણસ પોતે પણ માનસિક રીતે સંડોવાયેલો હોય છે અને તેથી જ કરુણા એ પીડાનો એક અનુભવ બની રહે છે. હવે ઍરિસ્ટૉટલે ‘રેટરિક’માં આપેલી ભયની વ્યાખ્યા જુઓ : ભય એક જાતની પીડા કે ક્ષોભ છે, જે કોઈ વિનાશક કે પીડાકારક અનિષ્ટ (આપણા પર) ઝઝૂમતું હોવાના ખ્યાલમાંથી જન્મે છે.<ref>ઉદ્ધૃત, બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી એન્ડ ફાઇન આર્ટ. પૃ. ૨૫૬.</ref>આ વ્યાખ્યાઓ પરથી એક વાત તરત દેખાઈ આવશે કે ઍરિસ્ટૉટલનાં કરુણા અને ભય કેટલાબધા નજીકના ભાવો છે! ઍરિસ્ટૉટલ પોતે જ બન્ને વચ્ચેનો સંબંધ બતાવે છે કે જે કંઈ બીજાઓ પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે આપણને કરુણાનો ભાવ થાય, તે જ્યારે આપણા પર આવી પડે કે આવી પડતું લાગે ત્યારે ભયનો ભાવ થાય.<ref>રેટરિક, જુઓ હમ્ફ્રી હાઉસ, ઍરિસ્ટૉટલ્ઝ પોએટિક્સ, પૃ.૧૦૧.</ref> | ||
ખરેખર તો કરુણા અને ભય વચ્ચે અહીં બતાવ્યો છે એથીયે ઓછો ભેદ છે, કેમ કે ઍરિસ્ટૉટલ કરુણાના ભાવમાં પણ એ અનિષ્ટ આપણા પર કે આપણા મિત્ર પર આવી પડે એવા સંભવની કલ્પના જરૂરી માને છે. એ રીતે કરુણાના ભાવમાં પણ ભયની છાયા હોય છે જ એમ કહી શકાય. ભય અને કરુણા વચ્ચેની ભેદરેખા, આમ, બહુ સાંકડી બની જાય છે. કરુણા ક્યારે ભયમાં પલટાઈ જાવ એ કંઈ કહેવાય નહીં. આપત્તિનો ભોગ બનેલ માણસ આપણો એટલો નિકટનો સંબંધી હોય કે એની આપત્તિ આપણને આપણી આપત્તિ લાગે તો, ઍરિસ્ટૉટલ જ કહે છે કે, કરુણા ભયમાં પલટાઈ જાય.<ref>જુઓ બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઓવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ર૫૬.</ref> કરુણા અને ભય એટલાબધા સંબદ્ધ ભાવો છે કે ઍરિસ્ટૉટલને મતે જ ભયનો ભાવ ન અનુભવી શકે તે કરુણાનો પણ ન અનુભવી શકે. <ref>જુઓ બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઓવ્ ફાઇન આર્ટ, પૃ. ૨૫૭.</ref> આ તો વ્યવહારમાં ભય અને કરુણાના અનુભવની વાત થઈ. નાટકનું શું? | ખરેખર તો કરુણા અને ભય વચ્ચે અહીં બતાવ્યો છે એથીયે ઓછો ભેદ છે, કેમ કે ઍરિસ્ટૉટલ કરુણાના ભાવમાં પણ એ અનિષ્ટ આપણા પર કે આપણા મિત્ર પર આવી પડે એવા સંભવની કલ્પના જરૂરી માને છે. એ રીતે કરુણાના ભાવમાં પણ ભયની છાયા હોય છે જ એમ કહી શકાય. ભય અને કરુણા વચ્ચેની ભેદરેખા, આમ, બહુ સાંકડી બની જાય છે. કરુણા ક્યારે ભયમાં પલટાઈ જાવ એ કંઈ કહેવાય નહીં. આપત્તિનો ભોગ બનેલ માણસ આપણો એટલો નિકટનો સંબંધી હોય કે એની આપત્તિ આપણને આપણી આપત્તિ લાગે તો, ઍરિસ્ટૉટલ જ કહે છે કે, કરુણા ભયમાં પલટાઈ જાય.<ref>જુઓ બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઓવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ર૫૬.</ref> કરુણા અને ભય એટલાબધા સંબદ્ધ ભાવો છે કે ઍરિસ્ટૉટલને મતે જ ભયનો ભાવ ન અનુભવી શકે તે કરુણાનો પણ ન અનુભવી શકે. <ref>જુઓ બુચર, ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઓવ્ ફાઇન આર્ટ, પૃ. ૨૫૭.</ref> આ તો વ્યવહારમાં ભય અને કરુણાના અનુભવની વાત થઈ. નાટકનું શું? | ||
ત્યાં તો પરિસ્થિતિ જુદી જ હોય છે. ત્યાં કોઈ આપત્તિ વાસ્તવિક રીતે આપણા પર આવી પડવાપણું હોતું નથી. તો પછી ભયનો ભાવ ત્યાં કેવી રીતે થાય? ઍરિસ્ટૉટલને પોતાનાં કરુણા અને ભયને નાટકના સંદર્ભમાં સહેજ જુદી રીતે ગોઠવવાં પડે છે. ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કરુણા અને ભયની વ્યાખ્યા આપે છે તે જુઓ : કરુણા જન્મે છે કોઈ માણસ ઉપર એ પાત્ર ન હોય એવી આપત્તિ આવી પડવાથી; ભય જન્મે છે આપણા જેવા માણસ પર આપત્તિ આવી પડવાથી. ધ્યાન રાખજો, ‘આપણા પર’ કે ‘આપણા મિત્ર પર’ નહીં. ‘આપણા જેવા માણસ પર’, આ ‘આપણા જેવા’ એટલે શું? લાગે છે કે, સર્વસામાન્ય માનવીયતાના સહભાગી, આપણી જેમ પડતા, આખડતા, ઊભા થતા, રાગદ્વેષ અનુભવતા. જે પરિસ્થિતિમાં એ જે રીતે વર્તે તે પરિસ્થિતિમાં તે રીતે લગભગ આપણે પણ વર્તીએ કે સૌ કોઈ વર્તે. એમની સાથે આપણે તદ્રૂપ થઈ શકીએ, એમના ભાવિમાં આપણું ભાવિ આપણે જોઈ શકીએ. તો જ આપણે ભયનો ભાવ અનુભવી શકીએને? નાટકના અનુભવમાં કરુણા અને ભયના ભાવ એકબીજાની વધુ નજીક આવી જાય છે. કદાચ આ કારણે જ, ઍરિસ્ટૉટલ ઘણી વાર ભય અથવા કરુણા, ભયજનક અથવા કરુણાસ્પદ એવા વૈકલ્પિક શબ્દપ્રયોગ કરે છે.<ref>જુઓ, પાદનોંધ ૩૧નાં પહેલાં બે અવતરણો તથા : <br>Let us then determine what are the circumstances which strike us as terrible or pitiful.</ref>મહત્ત્વની વાત આટલી જ છે કે ભય અને કરુણાના કોઈક વિલક્ષણ મિશ્રણ રૂપે ટ્રૅજિક અસર જન્મે છે. | ત્યાં તો પરિસ્થિતિ જુદી જ હોય છે. ત્યાં કોઈ આપત્તિ વાસ્તવિક રીતે આપણા પર આવી પડવાપણું હોતું નથી. તો પછી ભયનો ભાવ ત્યાં કેવી રીતે થાય? ઍરિસ્ટૉટલને પોતાનાં કરુણા અને ભયને નાટકના સંદર્ભમાં સહેજ જુદી રીતે ગોઠવવાં પડે છે. ‘પોએટિક્સ’માં ઍરિસ્ટૉટલ કરુણા અને ભયની વ્યાખ્યા આપે છે તે જુઓ : કરુણા જન્મે છે કોઈ માણસ ઉપર એ પાત્ર ન હોય એવી આપત્તિ આવી પડવાથી; ભય જન્મે છે આપણા જેવા માણસ પર આપત્તિ આવી પડવાથી. ધ્યાન રાખજો, ‘આપણા પર’ કે ‘આપણા મિત્ર પર’ નહીં. ‘આપણા જેવા માણસ પર’, આ ‘આપણા જેવા’ એટલે શું? લાગે છે કે, સર્વસામાન્ય માનવીયતાના સહભાગી, આપણી જેમ પડતા, આખડતા, ઊભા થતા, રાગદ્વેષ અનુભવતા. જે પરિસ્થિતિમાં એ જે રીતે વર્તે તે પરિસ્થિતિમાં તે રીતે લગભગ આપણે પણ વર્તીએ કે સૌ કોઈ વર્તે. એમની સાથે આપણે તદ્રૂપ થઈ શકીએ, એમના ભાવિમાં આપણું ભાવિ આપણે જોઈ શકીએ. તો જ આપણે ભયનો ભાવ અનુભવી શકીએને? નાટકના અનુભવમાં કરુણા અને ભયના ભાવ એકબીજાની વધુ નજીક આવી જાય છે. કદાચ આ કારણે જ, ઍરિસ્ટૉટલ ઘણી વાર ભય અથવા કરુણા, ભયજનક અથવા કરુણાસ્પદ એવા વૈકલ્પિક શબ્દપ્રયોગ કરે છે.<ref>જુઓ, પાદનોંધ ૩૧નાં પહેલાં બે અવતરણો તથા : <br>Let us then determine what are the circumstances which strike us as terrible or pitiful.</ref>મહત્ત્વની વાત આટલી જ છે કે ભય અને કરુણાના કોઈક વિલક્ષણ મિશ્રણ રૂપે ટ્રૅજિક અસર જન્મે છે. | ||
ભય અને કરુણાના આવા વિલક્ષણ ભાવો માત્ર વિપત્તિનાં દર્શનથી જાગતા નથી. એને માટે ખાસ પરિસ્થિતિ કે ઘટનાવિધાન જોઈએ. ઍરિસ્ટૉટલ જુદીજુદી પરિસ્થિતિઓનો વિચાર કરી એમાંથી ભય અને કરુણા જગાવવા માટે સૌથી વધુ યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરે છે ત્યાં ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના કંઈક સ્પષ્ટ, નક્કર આકાર ધરતી લાગે છે. આપણે જોયેલું કે ટ્રૅજેડી એ ભાગ્યવિપર્યયનું નાટક છે. આ ભાગ્યવિપર્યવ ચારેક રીતે સંભવી શકે : | ભય અને કરુણાના આવા વિલક્ષણ ભાવો માત્ર વિપત્તિનાં દર્શનથી જાગતા નથી. એને માટે ખાસ પરિસ્થિતિ કે ઘટનાવિધાન જોઈએ. ઍરિસ્ટૉટલ જુદીજુદી પરિસ્થિતિઓનો વિચાર કરી એમાંથી ભય અને કરુણા જગાવવા માટે સૌથી વધુ યોગ્ય પરિસ્થિતિની પસંદગી કરે છે ત્યાં ટ્રૅજિક તત્ત્વની ઍરિસ્ટૉટલની વિભાવના કંઈક સ્પષ્ટ, નક્કર આકાર ધરતી લાગે છે. આપણે જોયેલું કે ટ્રૅજેડી એ ભાગ્યવિપર્યયનું નાટક છે. આ ભાગ્યવિપર્યવ ચારેક રીતે સંભવી શકે : | ||
(૧) સારો માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | {{Poem2Close}} | ||
(૨) ખરાબ માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | <poem>::(૧) સારો માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | ||
(૩) સારો માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. | ::(૨) ખરાબ માણસ વિપન્નાવસ્થામાંથી સંપન્નાવસ્થામાં આવે. | ||
(૪) ખરાબ માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. | ::(૩) સારો માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે. | ||
::(૪) ખરાબ માણસ સંપન્નાવસ્થામાંથી વિપન્નાવસ્થામાં આવે.</poem> | |||
{{Poem2Open}} | |||
આમાંથી પહેલા પ્રકારનો ઍરિસ્ટૉટલ વિચાર સુધ્ધાં કરતા નથી અને એ સમજાય એવું છે, કેમ કે માણસ સારો હોય અને એ મુશ્કેલીઓ વટાવીને સુખી બને તો એમાં આપણે દુઃખ પામવા જેવું કશું નથી. ઊલટાનું, એ એક આદર્શ સંતોષજનક ઇષ્ટ પરિણામ કહેવાય. એમાં સારા માણસને આપત્તિનો સામનો કરવાનો આવતો હોય તોયે નાટકનું લક્ષ્ય અને ગતિ એને સંપન્નાવસ્થાએ પહોંચાડવા તરફ હોય તો એથી, નાટકમાં કરુણતાના અવસરો આવતા હોય તોપણ, તે ‘ટ્રૅજિક’ બનતું નથી; આપણામાં ભય અને કરુણા જગાડવા માટે પૂરતી સામગ્રી એમાં નથી. (ઍરિસ્ટૉટલનો કરુણ અંત માટેનો પક્ષપાત ધ્યાનમાં રાખીએ તો તો એ વિકલ્પ આપોઆપ ઊડી જાય છે.) બીજા પ્રકારમાં કંઈક અજુગતું તો બને છે, પણ ઍરિસ્ટૉટલ સાચું કહે છે કે, એમાં કશુંયે ટ્રૅજિક નથી; એ જાતની પરિસ્થિતિ આપણી નૈતિક ભાવનાને સંતોષતી નથી તેમ ભય કે કરુણાની લાગણી જગાડતી નથી. ઊલટાનું, એ બુચર સૂચવે છે તેમ, આપણામાં પુણ્યપ્રકોપનો ભાવ જગાડે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૩૦૩-૦૪) આમેય સુખાન્ત ભાગ્યવિપર્યય એ ટ્રૅજેડી માટે બહુ યોગ્ય પ્રકારનો ભાગ્યવિપર્યય નથી. | આમાંથી પહેલા પ્રકારનો ઍરિસ્ટૉટલ વિચાર સુધ્ધાં કરતા નથી અને એ સમજાય એવું છે, કેમ કે માણસ સારો હોય અને એ મુશ્કેલીઓ વટાવીને સુખી બને તો એમાં આપણે દુઃખ પામવા જેવું કશું નથી. ઊલટાનું, એ એક આદર્શ સંતોષજનક ઇષ્ટ પરિણામ કહેવાય. એમાં સારા માણસને આપત્તિનો સામનો કરવાનો આવતો હોય તોયે નાટકનું લક્ષ્ય અને ગતિ એને સંપન્નાવસ્થાએ પહોંચાડવા તરફ હોય તો એથી, નાટકમાં કરુણતાના અવસરો આવતા હોય તોપણ, તે ‘ટ્રૅજિક’ બનતું નથી; આપણામાં ભય અને કરુણા જગાડવા માટે પૂરતી સામગ્રી એમાં નથી. (ઍરિસ્ટૉટલનો કરુણ અંત માટેનો પક્ષપાત ધ્યાનમાં રાખીએ તો તો એ વિકલ્પ આપોઆપ ઊડી જાય છે.) બીજા પ્રકારમાં કંઈક અજુગતું તો બને છે, પણ ઍરિસ્ટૉટલ સાચું કહે છે કે, એમાં કશુંયે ટ્રૅજિક નથી; એ જાતની પરિસ્થિતિ આપણી નૈતિક ભાવનાને સંતોષતી નથી તેમ ભય કે કરુણાની લાગણી જગાડતી નથી. ઊલટાનું, એ બુચર સૂચવે છે તેમ, આપણામાં પુણ્યપ્રકોપનો ભાવ જગાડે. (ઍરિસ્ટૉટલ્ઝ થિઅરી ઑવ્ પોએટ્રી ઍન્ડ ફાઇન આર્ટ, પૃ. ૩૦૩-૦૪) આમેય સુખાન્ત ભાગ્યવિપર્યય એ ટ્રૅજેડી માટે બહુ યોગ્ય પ્રકારનો ભાગ્યવિપર્યય નથી. | ||
પણ ઍરિસ્ટૉટલ ત્રીજા અને ચોથા પ્રકાર જેમાં અંત કરુણ છે તેમને પણ ટ્રૅજેડી માટેની સમુચિત પરિસ્થિતિ તરીકે સ્વીકારતા નથી એમ આપણે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. પણ અહીં જ ઍરિસ્ટૉટલની ટ્રૅજિક તત્ત્વની વિશિષ્ટ વિભાવના રહેલી છે. ખરાબ માણસના પતન વિશે ઍરિસ્ટૉટલ કહે છે કે એથી આપણી ન્યાયભાવના સંતોષાય છે, પણ ભય કે કરુણાનો ભાવ જન્મતો નથી. અહીં આપણને શેક્સ્પિઅરનાં મેકબેથ જેવાં પાત્રો યાદ આવે, જેમને સજ્જન તરીકે બહુ ઓળખાવી શકાય તેમ નથી, છતાં જેમનાં પતન અને વિનાશ ટ્રૅજિક લાગણી જન્માવી શકે છે. પણ આપણે ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આવા માણસો ખરેખર ‘ખરાબ’ ન કહેવાય. પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવનાર માણસ પણ ‘સારો’ માણસ. આપણને પ્રભાવિત કરે એવું કંઈ પણ એનામાં હોય તો એટલે અંશે એ ‘સારો’ માણસ બની જાય. એટલે જ તો ઍરિસ્ટૉટલ અહીં માત્ર ‘ખરાબ માણસ’ એમ કહેવાને બદલે ‘સંપૂર્ણપણે ખરાબ માણસ’ એમ કહે છે. સંપૂર્ણ ખરાબ એટલે તુચ્છ, સામાન્ય, નગણ્ય. આવા માણસના ભાગ્ય જોડે આપણે આપણું ભાગ્ય જોડી શકીએ નહીં. એટલે ભયનો ભાવ ન થાય; અને એ માણસ જે અવદશાને પામે છે એને એ પાત્ર હોય છે તેથી આપણને કરુણા પણ ન થાય. આમ, સંપૂર્ણપણે ખરાબ માણસનું પતન પણ ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ ટ્રૅજિક નથીઃ એથી આપણું હૃદય થોડું આર્દ્ર બને કે આપણને ખિન્નતા થાય એ જુદી વસ્તુ છે. | પણ ઍરિસ્ટૉટલ ત્રીજા અને ચોથા પ્રકાર જેમાં અંત કરુણ છે તેમને પણ ટ્રૅજેડી માટેની સમુચિત પરિસ્થિતિ તરીકે સ્વીકારતા નથી એમ આપણે જાણીએ ત્યારે આપણને આશ્ચર્ય થાય. પણ અહીં જ ઍરિસ્ટૉટલની ટ્રૅજિક તત્ત્વની વિશિષ્ટ વિભાવના રહેલી છે. ખરાબ માણસના પતન વિશે ઍરિસ્ટૉટલ કહે છે કે એથી આપણી ન્યાયભાવના સંતોષાય છે, પણ ભય કે કરુણાનો ભાવ જન્મતો નથી. અહીં આપણને શેક્સ્પિઅરનાં મેકબેથ જેવાં પાત્રો યાદ આવે, જેમને સજ્જન તરીકે બહુ ઓળખાવી શકાય તેમ નથી, છતાં જેમનાં પતન અને વિનાશ ટ્રૅજિક લાગણી જન્માવી શકે છે. પણ આપણે ભૂલવું ન જોઈએ કે ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ આવા માણસો ખરેખર ‘ખરાબ’ ન કહેવાય. પ્રબળ ઇચ્છાશક્તિ ધરાવનાર માણસ પણ ‘સારો’ માણસ. આપણને પ્રભાવિત કરે એવું કંઈ પણ એનામાં હોય તો એટલે અંશે એ ‘સારો’ માણસ બની જાય. એટલે જ તો ઍરિસ્ટૉટલ અહીં માત્ર ‘ખરાબ માણસ’ એમ કહેવાને બદલે ‘સંપૂર્ણપણે ખરાબ માણસ’ એમ કહે છે. સંપૂર્ણ ખરાબ એટલે તુચ્છ, સામાન્ય, નગણ્ય. આવા માણસના ભાગ્ય જોડે આપણે આપણું ભાગ્ય જોડી શકીએ નહીં. એટલે ભયનો ભાવ ન થાય; અને એ માણસ જે અવદશાને પામે છે એને એ પાત્ર હોય છે તેથી આપણને કરુણા પણ ન થાય. આમ, સંપૂર્ણપણે ખરાબ માણસનું પતન પણ ઍરિસ્ટૉટલની દૃષ્ટિએ ટ્રૅજિક નથીઃ એથી આપણું હૃદય થોડું આર્દ્ર બને કે આપણને ખિન્નતા થાય એ જુદી વસ્તુ છે. | ||