કવિલોકમાં/પરંપરા અને પોતીકો અવાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| પરંપરા અને પોતીકો અવાજ | }} {{Poem2Open}} પવન રૂપેરી, ચંદ્રકાંત શેઠ, પ્રકા. આર. આર. શેઠની કંપની, અમદાવાદ, ૧૯૭૨ ચંદ્રકાંતનું એક કાવ્ય છે – ચણી બોર ચાખીને ચાખ્યો સમય હવે તો શબ્દે શબ્દે એન...")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading|  પરંપરા અને પોતીકો અવાજ |  }}
{{Heading|  પરંપરા અને પોતીકો અવાજ |  }}
{{Block center|<poem>પવન રૂપેરી, ચંદ્રકાંત શેઠ, પ્રકા. આર. આર.
શેઠની કંપની, અમદાવાદ, ૧૯૭૨</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
પવન રૂપેરી, ચંદ્રકાંત શેઠ, પ્રકા. આર. આર.
શેઠની કંપની, અમદાવાદ, ૧૯૭૨
ચંદ્રકાંતનું એક કાવ્ય છે –
ચંદ્રકાંતનું એક કાવ્ય છે –
ચણી બોર ચાખીને ચાખ્યો સમય
ચણી બોર ચાખીને ચાખ્યો સમય
Line 12: Line 12:
કવિએ સમયનો આસ્વાદ તો કર્યો છે પણ ચણીબોર જેટલો અને જેવો, જેમાં છે ‘ઝાઝા ઠળિયા, ઝાઝી છાલ’ અને 'કાંટાળી કૂડી જાળ.’ વિશેષ તો એમણે અનુભવી છે સમયની ભીંસ — ‘ઉજ્જડ ઉજજડ વગડો' અને 'લુખ્ખું લુખ્ખું આભ.' આંખોમાં રજકણ ખૂંચે છે અને ખારાં પાણી ઊભરાય છે એટલે જ બેચાર ગરેલાં ચણીબોર મળ્યાની ખુશી કવિમનમાંથી ટહૌકી ઊઠે છે. એમ છતાં શબ્દેશબ્દે ‘મીઠી વાત' કહેવાનું તો કવિથી બનતું નથી.
કવિએ સમયનો આસ્વાદ તો કર્યો છે પણ ચણીબોર જેટલો અને જેવો, જેમાં છે ‘ઝાઝા ઠળિયા, ઝાઝી છાલ’ અને 'કાંટાળી કૂડી જાળ.’ વિશેષ તો એમણે અનુભવી છે સમયની ભીંસ — ‘ઉજ્જડ ઉજજડ વગડો' અને 'લુખ્ખું લુખ્ખું આભ.' આંખોમાં રજકણ ખૂંચે છે અને ખારાં પાણી ઊભરાય છે એટલે જ બેચાર ગરેલાં ચણીબોર મળ્યાની ખુશી કવિમનમાંથી ટહૌકી ઊઠે છે. એમ છતાં શબ્દેશબ્દે ‘મીઠી વાત' કહેવાનું તો કવિથી બનતું નથી.
'પવન રૂપેરી'ના કવિને 'આધુનિક' કહેવામાં આવ્યા છે. એ છાપને સાર્થક ઠરાવે એવું સંવેદનજગત અહીં ઠેરઠેર વિસ્તરેલું છે : વ્હૈ ગયેલું નીર અને સુક્કા પટે પહાડની સળગતી તરસ, ખવાતું મન અને આંખોમાં ઘસાતો સૂર્ય, પડઘા સમા શબ્દો, નજરમાં આંધળી વાગોળોની ભટકણ, પ્રાણને ગૂંગળાવતી વાસી હવા, ઠરી ગયેલો અને પાંપણ પર અશ્રુકણની જેમ વળગેલો સૂર્ય, છાતીમાં ઘૂઘવતાં મૃગજલ, સૂર્યને પાંખોમાં ઢાંકીને બેઠેલું ઘુવડ. આ બધાં ચિત્રકલ્પનો ખાલી ખખડતા, ચૈતન્યહ્રાસ અનુભવતા, વંધ્ય મથામણો કરતા, વાસનાના પ્રેત સમા માનવ-અસ્તિત્વની છબી આપણી સમક્ષ આંકે છે. આ એક નવો ચીલો છે અને એક નવા કવિ તરીકે ચન્દ્રકાન્ત એ ચીલે સહજ રીતે અને સફળતાપૂર્વક ચાલ્યા છે. આખો કાવ્યસંગ્રહ વાંચતાં સંવેદનકલ્પનની એક લઢણ આપણને પડઘાયા કરતી લાગે તો એમાં આશ્ચર્ય નથી. પરંતુ કેટલાંક બળવાન કલ્પનો, કેટલીક મનમાં વસી જાય એવી વાગ્ભંગીઓ, કેટલીક નક્કર ઘાટ પામેલી રચનાઓ પણ આપણને અવશ્ય મળે છે. એક સંકુલ ગૂંથણીવાળું બળવાન કલ્પન જુઓ :
'પવન રૂપેરી'ના કવિને 'આધુનિક' કહેવામાં આવ્યા છે. એ છાપને સાર્થક ઠરાવે એવું સંવેદનજગત અહીં ઠેરઠેર વિસ્તરેલું છે : વ્હૈ ગયેલું નીર અને સુક્કા પટે પહાડની સળગતી તરસ, ખવાતું મન અને આંખોમાં ઘસાતો સૂર્ય, પડઘા સમા શબ્દો, નજરમાં આંધળી વાગોળોની ભટકણ, પ્રાણને ગૂંગળાવતી વાસી હવા, ઠરી ગયેલો અને પાંપણ પર અશ્રુકણની જેમ વળગેલો સૂર્ય, છાતીમાં ઘૂઘવતાં મૃગજલ, સૂર્યને પાંખોમાં ઢાંકીને બેઠેલું ઘુવડ. આ બધાં ચિત્રકલ્પનો ખાલી ખખડતા, ચૈતન્યહ્રાસ અનુભવતા, વંધ્ય મથામણો કરતા, વાસનાના પ્રેત સમા માનવ-અસ્તિત્વની છબી આપણી સમક્ષ આંકે છે. આ એક નવો ચીલો છે અને એક નવા કવિ તરીકે ચન્દ્રકાન્ત એ ચીલે સહજ રીતે અને સફળતાપૂર્વક ચાલ્યા છે. આખો કાવ્યસંગ્રહ વાંચતાં સંવેદનકલ્પનની એક લઢણ આપણને પડઘાયા કરતી લાગે તો એમાં આશ્ચર્ય નથી. પરંતુ કેટલાંક બળવાન કલ્પનો, કેટલીક મનમાં વસી જાય એવી વાગ્ભંગીઓ, કેટલીક નક્કર ઘાટ પામેલી રચનાઓ પણ આપણને અવશ્ય મળે છે. એક સંકુલ ગૂંથણીવાળું બળવાન કલ્પન જુઓ :
{{Poem2Close}}
{{Block center|<poem>
ચામાચીડિયાં
ચામાચીડિયાં
ઊડતાં ઊડતાં
ઊડતાં ઊડતાં
દીવાલ વચ્ચે વણતાં જાડી અંધાપાની જાળ,  
દીવાલ વચ્ચે વણતાં જાડી અંધાપાની જાળ,  
દીપશિખાઓ સ્વર્ણિમ મત્સ્યે એ જાળે તરફડતી.
દીપશિખાઓ સ્વર્ણિમ મત્સ્યે એ જાળે તરફડતી.</poem>}}
{{Poem2Open}}
દીવાલો વચ્ચે ઊડતાં ચામાચીડિયાં, એથી વણાતી અંધાપાની જાડી જાળ, એમાં સુવર્ણમત્સ્યો પેઠે તરફડતી દીપશિખાઓ - એકેએક વીગત અને એકેએક શબ્દપ્રયોગ કેવી મૂર્તતા નિપજાવે છે અને એમાં રહેલી વક્રોક્તિ ગૂંગળામણના ભાવને કેવી તીક્ષ્ણ ધાર અર્પે છે!
દીવાલો વચ્ચે ઊડતાં ચામાચીડિયાં, એથી વણાતી અંધાપાની જાડી જાળ, એમાં સુવર્ણમત્સ્યો પેઠે તરફડતી દીપશિખાઓ - એકેએક વીગત અને એકેએક શબ્દપ્રયોગ કેવી મૂર્તતા નિપજાવે છે અને એમાં રહેલી વક્રોક્તિ ગૂંગળામણના ભાવને કેવી તીક્ષ્ણ ધાર અર્પે છે!
માનવઅસ્તિત્વની પંગુતા દર્શાવતી આ પંક્તિઓ જુઓ :
માનવઅસ્તિત્વની પંગુતા દર્શાવતી આ પંક્તિઓ જુઓ :  
હાથ પહોળા થૈ થઈ શકે પણ  
{{Poem2Close}}
કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.
{{Block center|<poem>હાથ પહોળા થૈ થઈ શકે પણ  
કોઈ પંખીનું ગગન ખૂલતું નથી.</poem>}}
{{Poem2Open}}
અને એની ગૂંગળામણ અને ભીંસે શાની અને કેવા પ્રકારની છે તે નીચેના ઉદ્ગારો સૂચક રીતે દર્શાવી આપે છે :
અને એની ગૂંગળામણ અને ભીંસે શાની અને કેવા પ્રકારની છે તે નીચેના ઉદ્ગારો સૂચક રીતે દર્શાવી આપે છે :
કોઈ મને છોડાવો
{{Poem2Close}}
{{Block center|<poem>કોઈ મને છોડાવો
રે કોઈ
રે કોઈ
રસ્તાઓના ભરડાઓમાંથી
રસ્તાઓના ભરડાઓમાંથી
મારો ચરણ મુકાવો.
મારો ચરણ મુકાવો.</poem>}}
{{Poem2Open}}
માનવના અપરિહાર્ય જીવનવૈષમ્યને કવિ કયા કલ્પનથી મૂર્ત કરે છે તે જુઓ. અગતિ અસ્તિત્વને જડ બનાવે છે તો ગતિ એને છિન્નભિન્ન કરે છે:
માનવના અપરિહાર્ય જીવનવૈષમ્યને કવિ કયા કલ્પનથી મૂર્ત કરે છે તે જુઓ. અગતિ અસ્તિત્વને જડ બનાવે છે તો ગતિ એને છિન્નભિન્ન કરે છે:
ઊભા રહો તો જાવ ચણાતા  
{{Poem2Close}}
ચાલો તો વીખરાતા.
{{Block center|<poem>ઊભા રહો તો જાવ ચણાતા  
ચાલો તો વીખરાતા.</poem>}}
{{Poem2Open}}
અને એક અશ્રુબિન્દુને ઝંખનારનાં કારુણ્ય અને દૈન્ય કેવાં અપાર છે! –
અને એક અશ્રુબિન્દુને ઝંખનારનાં કારુણ્ય અને દૈન્ય કેવાં અપાર છે! –
કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે?
{{Poem2Close}}
જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચળકે?
{{Block center|<poem>કોઈ એક ઝાકળનું બિન્દુ ક્યાં છે?
જે આ લુખ્ખી આંખે મોતી થૈને નિર્મલ ચળકે?</poem>}}
{{Poem2Open}}
શૂન્યતા, નિરાધારતા અને છિન્નભિન્નતામાંથી ઊગરવા કવિ સ્પર્શક્ષમ આલંબન ઝંખે છે. તેની તીવ્રતા જુઓ :
શૂન્યતા, નિરાધારતા અને છિન્નભિન્નતામાંથી ઊગરવા કવિ સ્પર્શક્ષમ આલંબન ઝંખે છે. તેની તીવ્રતા જુઓ :
મને હવે તો સ્પર્શ જોઈએ,  
{{Poem2Close}}
{{Block center|<poem>મને હવે તો સ્પર્શ જોઈએ,  
વિષકન્યાનો આપો.  
વિષકન્યાનો આપો.  
ભલે ઝેરનું હોય,  
ભલે ઝેરનું હોય,  
તોયે લીલુંછમ ચુંબન આપો.
તોયે લીલુંછમ ચુંબન આપો.</poem>}}
{{Poem2Open}}
‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી' જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરક્તું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળૂંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ - આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ :
‘હથેલીમાં ખીણ એમાં ફસાયેલો અશ્વ’ અને ‘ખંડિયેરનો ભય’ જેવાં કાવ્યોમાં તથા ‘પંખી' જેવા મુક્તકમાં આ જાતની અનુભૂતિ લાઘવથી અને કંઈક નવીન સઘન સંકેતયોજનાથી રજૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે. હથેળીની ખીણમાં ફસાયેલો અશ્વ અવરુદ્ધ ભાગ્યદશાનું એક સબળ પ્રતીક બની રહે છે. અંધકારનો ફફડાટ, ગોખમાં નીડ બાંધતાં પડઘાઓનાં ટોળાં, હવામાં ફરક્તું છિન્ન સ્વપ્નનું પિચ્છ, દ્વાર પર ઝળૂંબતો મધદરિયેથી હોડી પાછી વળેલી જોઈ થાકેલી આંખોનો ઉદાસ અવકાશ - આ બધું ખંડિયેરના વાતાવરણની ગમગીની અને ભીષણતાને મૂર્ત કરે છે અને ઘોડા સાથે પથ્થરમાં પલટાતો, પાળિયો બની જતો અસવાર એ ભીષણતાને વેધક બનાવે છે. ‘પંખી’ મુક્તક તો અહીં ઉતારીએ :
પંખી કો' આંધળું  
{{Poem2Close}}
{{Block center|<poem>પંખી કો' આંધળું  
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ભીતરે વર્ષ કૈં કેટલાં-થી વસ્યું,
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
ખાલી ઈંડું જ સેવ્યા કરે છે;
પાંગળી પાંખથી રહેજ ઊડી-પડી
પાંગળી પાંખથી રહેજ ઊડી-પડી
તણખલે ગગન બાંધ્યા કરે છે.
તણખલે ગગન બાંધ્યા કરે છે.</poem>}}
{{Poem2Open}}
ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી - દૃષ્ટાંત રૂપે ‘તે મારો કયો હશે અપરાધ', 'નવી ફૂટેલી હવા જોઈએ' જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ - છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટય પણ નજરે પડે છે. ‘ખખડે - સૂણું'માં 'ખખડે'થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને 'હું ને મારી આંખ વચાળે'માં દૂરત્વનો - વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા 'વચાળે'નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે.
ઘણી રચનાઓમાં થોડી વાગ્મિતા આવ્યા વિના રહી નથી - દૃષ્ટાંત રૂપે ‘તે મારો કયો હશે અપરાધ', 'નવી ફૂટેલી હવા જોઈએ' જેવાં કાવ્યોનો ઉલ્લેખ કરી શકીએ - છતાં ઘણે ઠેકાણે કશુંક અભિવ્યક્તિ-વૈશિષ્ટય પણ નજરે પડે છે. ‘ખખડે - સૂણું'માં 'ખખડે'થી વ્યક્ત થતો શૂન્યતાનો બોદો કર્કશ રણકાર અને 'હું ને મારી આંખ વચાળે'માં દૂરત્વનો - વિચ્છેદનો ભાવ વ્યક્ત કરવા 'વચાળે'નો ઉપયોગ એના તરત નજરે ચડતા નમૂના છે.
માનવઅસ્તિત્વની આ પોકળતા, અગતિકતા, સીમાબદ્ધતા શું સમય અને સંદર્ભને જ આભારી છે? તો માણસના માણસપણાનું શું? 'પવન રૂપેરી'ના કવિમાં માનવ્યમાં શ્રદ્ધા અને આશાનો પાતળો તંતુ ટકેલો દેખાય છે. દીન-હીન આંખોના ખારા દરિયાના તલ ઊંડાણમાં કોક મહા વડવાનલની ચિનગારી એમને મોતી જેમ ચમકતી, મરજીવાની વાટ જોતી, નવા સૂર્યનું બીજ વાવતી દેખાય છે. તેઓ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે –
માનવઅસ્તિત્વની આ પોકળતા, અગતિકતા, સીમાબદ્ધતા શું સમય અને સંદર્ભને જ આભારી છે? તો માણસના માણસપણાનું શું? 'પવન રૂપેરી'ના કવિમાં માનવ્યમાં શ્રદ્ધા અને આશાનો પાતળો તંતુ ટકેલો દેખાય છે. દીન-હીન આંખોના ખારા દરિયાના તલ ઊંડાણમાં કોક મહા વડવાનલની ચિનગારી એમને મોતી જેમ ચમકતી, મરજીવાની વાટ જોતી, નવા સૂર્યનું બીજ વાવતી દેખાય છે. તેઓ એવી શ્રદ્ધા પણ વ્યક્ત કરે છે કે –
મારામાં વિશ્વાસ જરા જો જાગે,  
{{Poem2Close}}
{{Block center|<poem>મારામાં વિશ્વાસ જરા જો જાગે,  
આજે, આ જ ક્ષણે તો  
આજે, આ જ ક્ષણે તો  
હથેલીઓમાં ઊગે-ખીલે
હથેલીઓમાં ઊગે-ખીલે
મારું પેલું સવાર  
મારું પેલું સવાર  
આજે હમણાં.
આજે હમણાં.</poem>}}
{{Poem2Open}}
નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે. ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? –
નીર વહી ગયું છે, સુક્કા પટે પહાડની તરસ સળગી રહી છે. ડાળથી પાંદડું તરફડીને નીચે પડે છે, ફાટી પડેલી શ્વેત આંખે ઊડતી રેતી, મરેલી માછલીઓ અને ખડકોનો ખાર દેખાય છે ત્યારે કવિને કયો વિચાર આવે છે? –
હું હવે તો આંખમાં - ઊંડાણમાં ઊંડો સરું...  
{{Poem2Close}}
{{Block center|<poem>હું હવે તો આંખમાં - ઊંડાણમાં ઊંડો સરું...  
હું મને ખોદી શકું જો...  
હું મને ખોદી શકું જો...  
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે...  
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે...  
પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને...
પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને...
જો કલકલે...
જો કલકલે...</poem>}}
{{Poem2Open}}
ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો 'હું' જ છે એ અહીં સૂચિત થાય છે.
ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો 'હું' જ છે એ અહીં સૂચિત થાય છે.
'પવન રૂપેરી'ના કવિને આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિશે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી. ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. 'એક ઉંદરડી', 'બેસ, બેસ, દેડકી', 'ક્યાં છો ચંદ્રકાંત’, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ' વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. 'ક્યાં છો ચંદ્રકાંત'માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને પોતાના આંતરવ્યક્તિત્વને - પોતામાં રહેલા પરમ તત્ત્વને પામવાની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ :
'પવન રૂપેરી'ના કવિને આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિશે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી. ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. 'એક ઉંદરડી', 'બેસ, બેસ, દેડકી', 'ક્યાં છો ચંદ્રકાંત’, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ' વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. 'ક્યાં છો ચંદ્રકાંત'માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને પોતાના આંતરવ્યક્તિત્વને - પોતામાં રહેલા પરમ તત્ત્વને પામવાની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ :
* તમોને ભુલાવી દેતા તમારા અરીસા  
{{Poem2Close}}
{{Block center|<poem>* તમોને ભુલાવી દેતા તમારા અરીસા  
-એને તોડીફોડી કેમ નથી દેતા?
-એને તોડીફોડી કેમ નથી દેતા?
* તેજના તમિસ્ત્રમાંથી નીકળો રે બહાર.
* તેજના તમિસ્ત્રમાંથી નીકળો રે બહાર.
Line 67: Line 87:
પરઘેર પાણી ભર્યાં.  
પરઘેર પાણી ભર્યાં.  
રંગલાના વેશ કર્યા.  
રંગલાના વેશ કર્યા.  
સાત સાત પૂંછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!
સાત સાત પૂંછડાં ઉગાડ્યાં ને કપાવ્યાં કર્યાં!</poem>}}
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –
{{Poem2Open}}
* શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –  
{{Poem2Close}}
{{Block center|<poem>* શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
કદી અંતરાલે માંડી ખરી મીટ?  
કદી અંતરાલે માંડી ખરી મીટ?  
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ  
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ  
Line 84: Line 106:
ચંદ્રકાન્ત ક્યાં છે?
ચંદ્રકાન્ત ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?
ક્યાં છે?</poem>}}
 
 
 
 
પડઘાતી પદાવલિનો લય વ્યંગની ધારને અને આરઝૂની ઉત્કટતાને ઉઠાવ આપવામાં કેવો અસરકારક બન્યો છે તે જોવા જેવું છે.
પડઘાતી પદાવલિનો લય વ્યંગની ધારને અને આરઝૂની ઉત્કટતાને ઉઠાવ આપવામાં કેવો અસરકારક બન્યો છે તે જોવા જેવું છે.
‘બેસ, બેસ, દેડકી'માં વાર્તાલાપી રચનાબંધ આંતરસંવાદ કે વિસંવાદને મૂર્ત કરવામાં ઘણો કામિયાબ નીવડ્યો છે. આ કાવ્યોની સાહજિકતા એટલી છે કે એમાં કવિનો અવાજ જૂની કે નવી પરંપરાના પડઘારૂપ નહીં પણ પોતીકો લાગે છે. ભાષાની કેટલીક વિશિષ્ટ લઢણોનો, પરિચિત કલ્પનોનો નવા સંદર્ભમાં કાર્યસાધક વિનિયોગ એ ચંદ્રકાન્તનું આગવું બળ છે એ આ કાવ્યો બતાવી આપે છે.
‘બેસ, બેસ, દેડકી'માં વાર્તાલાપી રચનાબંધ આંતરસંવાદ કે વિસંવાદને મૂર્ત કરવામાં ઘણો કામિયાબ નીવડ્યો છે. આ કાવ્યોની સાહજિકતા એટલી છે કે એમાં કવિનો અવાજ જૂની કે નવી પરંપરાના પડઘારૂપ નહીં પણ પોતીકો લાગે છે. ભાષાની કેટલીક વિશિષ્ટ લઢણોનો, પરિચિત કલ્પનોનો નવા સંદર્ભમાં કાર્યસાધક વિનિયોગ એ ચંદ્રકાન્તનું આગવું બળ છે એ આ કાવ્યો બતાવી આપે છે.
19,010

edits

Navigation menu