સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય: Difference between revisions

+1
No edit summary
(+1)
Line 30: Line 30:
આ પ્રમાણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એ ભેદ આપણા સાહિત્યમાં પણ સરખો જ ઉપપન્ન છે, અને આપણે ત્યાં પણ બેમાંથી એકે પ્રકારના સાહિત્યકારોનો અભાવ નથી. છતાં એક વાત ખરી લાગે છે કે ગ્રીકનો પેરિકલીસયુગ, લેટિનનો સિસરો અને લ્યુક્રેશિયસથી વર્જિલ અને હોરેસ સુધીનો યુગ, ફ્રેન્ચનો ચૌદમા લુઇનો યુગ અને અંગ્રેજનો ડ્રાઇડન પોપનો યુગ એ બધાના જેવો સળંગ સૌષ્ઠવલક્ષી યુગ ગુજરાતી સાહિત્યમાં એકે જડતો નથી. પણ એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રધાન સર્જન હંમેશાં સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે. આખી પ્રજા જયારે પોતાની પરિસ્થિતિથી પૂરેપૂરી સન્તુષ્ટ હોય, રાજકીય, સામાજિક, કે ધાર્મિક કોઈ પણ પ્રશ્ન જ્યારે એના મગજને પજવતો ન હોય, પોતાનો કાળ સંસ્કૃતિની ટોચે પહોંચી ચૂક્યો છે એવો ખ્યાલ સમસ્ત જનતાને જ્યારે કૃતાર્થતાનો અનુભવ કરાવી રહ્યો હોય, અને સમાજનું એકેએક અંગ એટલું કેળવાએલું હોય કે સભ્યતાના પ્રચલિત નિયમોની પેઠે કલાનાં પ્રચલિત ધોરણોનો પણ જરા સરખો ભંગ સાંખવા એક પણ વ્યક્તિ તૈયાર ન હોય, તથા તેની સાથે જ ભાષા એવો ઉત્તમ વિકાસ પામી હોય કે આવા જાગ્રત પ્રજામાનસને તે પૂરેપૂરી રીતે વ્યક્ત કરી શકે, ત્યારે જ એકધારું સૌષ્ઠવપ્રિય સાહિત્ય દેશમાં ઉદ્ભવે છે. આપણા ગુજરાતે ભૂતકાળમાં આવા સુવર્ણયુગનાં દર્શન કદી કર્યાં નથી, અને વર્તમાનમાં તો એની આશા જ નહિ, એટલે સૌષ્ઠવપ્રિય વિધાયકોની અખંડ પરંપરા આપણે ત્યાં કદી જન્મી નથી એ સ્વાભાવિક જ છે. ભવિષ્યમાં પણ એ યુગ હજુ અતિ દૂર છે. તેની ઝાંખી પણ થાય તે પહેલાં આપણે અસંખ્યાત કોકડાં ઉકેલવાનાં છે, અનેક ક્ષેત્રોમાં નવનિર્માણ કરવાનું છે, પ્રજાકીય સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ભીષણ પરાક્રમ પણ હજુ આપણે માટે બાકી છે, અને આપણી ભાષાને પણ વિકાસની ઘણી પાયરીઓ ચડવાની છે,- એ જોતાં છૂટક છૂટક સૌષ્ઠવપ્રિય વ્યક્તિઓ અત્યારે થાય છે તેમ પછી પણ થવાની એ ભલે, પણ સમગ્ર સાહિત્યનો સામાન્ય ઝોક તો આવતી એકાદ બે પેઢી કૌતુકપ્રિય વૃત્તિ તરફ જ રહેવાનો એ નક્કી.  
આ પ્રમાણે સૌષ્ઠવપ્રિય અને કૌતુકપ્રિય એ ભેદ આપણા સાહિત્યમાં પણ સરખો જ ઉપપન્ન છે, અને આપણે ત્યાં પણ બેમાંથી એકે પ્રકારના સાહિત્યકારોનો અભાવ નથી. છતાં એક વાત ખરી લાગે છે કે ગ્રીકનો પેરિકલીસયુગ, લેટિનનો સિસરો અને લ્યુક્રેશિયસથી વર્જિલ અને હોરેસ સુધીનો યુગ, ફ્રેન્ચનો ચૌદમા લુઇનો યુગ અને અંગ્રેજનો ડ્રાઇડન પોપનો યુગ એ બધાના જેવો સળંગ સૌષ્ઠવલક્ષી યુગ ગુજરાતી સાહિત્યમાં એકે જડતો નથી. પણ એનું કારણ એ છે કે સૌષ્ઠવપ્રધાન સર્જન હંમેશાં સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે. આખી પ્રજા જયારે પોતાની પરિસ્થિતિથી પૂરેપૂરી સન્તુષ્ટ હોય, રાજકીય, સામાજિક, કે ધાર્મિક કોઈ પણ પ્રશ્ન જ્યારે એના મગજને પજવતો ન હોય, પોતાનો કાળ સંસ્કૃતિની ટોચે પહોંચી ચૂક્યો છે એવો ખ્યાલ સમસ્ત જનતાને જ્યારે કૃતાર્થતાનો અનુભવ કરાવી રહ્યો હોય, અને સમાજનું એકેએક અંગ એટલું કેળવાએલું હોય કે સભ્યતાના પ્રચલિત નિયમોની પેઠે કલાનાં પ્રચલિત ધોરણોનો પણ જરા સરખો ભંગ સાંખવા એક પણ વ્યક્તિ તૈયાર ન હોય, તથા તેની સાથે જ ભાષા એવો ઉત્તમ વિકાસ પામી હોય કે આવા જાગ્રત પ્રજામાનસને તે પૂરેપૂરી રીતે વ્યક્ત કરી શકે, ત્યારે જ એકધારું સૌષ્ઠવપ્રિય સાહિત્ય દેશમાં ઉદ્ભવે છે. આપણા ગુજરાતે ભૂતકાળમાં આવા સુવર્ણયુગનાં દર્શન કદી કર્યાં નથી, અને વર્તમાનમાં તો એની આશા જ નહિ, એટલે સૌષ્ઠવપ્રિય વિધાયકોની અખંડ પરંપરા આપણે ત્યાં કદી જન્મી નથી એ સ્વાભાવિક જ છે. ભવિષ્યમાં પણ એ યુગ હજુ અતિ દૂર છે. તેની ઝાંખી પણ થાય તે પહેલાં આપણે અસંખ્યાત કોકડાં ઉકેલવાનાં છે, અનેક ક્ષેત્રોમાં નવનિર્માણ કરવાનું છે, પ્રજાકીય સ્વાતંત્ર્યપ્રાપ્તિનું ભીષણ પરાક્રમ પણ હજુ આપણે માટે બાકી છે, અને આપણી ભાષાને પણ વિકાસની ઘણી પાયરીઓ ચડવાની છે,- એ જોતાં છૂટક છૂટક સૌષ્ઠવપ્રિય વ્યક્તિઓ અત્યારે થાય છે તેમ પછી પણ થવાની એ ભલે, પણ સમગ્ર સાહિત્યનો સામાન્ય ઝોક તો આવતી એકાદ બે પેઢી કૌતુકપ્રિય વૃત્તિ તરફ જ રહેવાનો એ નક્કી.  
{{Poem2Close}}
{{Poem2Close}}
'''સંદર્ભ'''
{{reflist}}
{{right|સં. ૧૯૮૩}}
{{right|સં. ૧૯૮૩}}
{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૫૨  થી ૫૯ }]
{{right|‘વિશ્વનાથ મ. ભટ્ટનો પ્રતિનિધિ વિવેચનસંગ્રહ’ પૃ. ૫૨  થી ૫૯ }]