ભારતીય કાવ્યસિદ્ધાંત/રસાભાસ અને ભાવાભાસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:
{{Heading|રસાભાસ અને ભાવાભાસ|}}
{{Heading|રસાભાસ અને ભાવાભાસ|}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ભાવની ત્રણ અવસ્થઆ હોઈ શકે : ઉદય, સ્થિતિ અને લય કે શાંતિ. ‘ભાવધ્વનિ’માં ભાવની સ્થિતિનું નિરૂપણ હોય છે. ભાવના ઉદયને નિરૂપતા કાવ્યને ‘ભાવોદયધ્વનિકાવ્ય’ કહે છે; અને ભાવની શાંતિને નિરૂપતા કાવ્યને ‘ભાવશાંતિધ્વનિકાવ્ય’ કહે છે. તદુપરાંત ભિન્ન ભિન્ન ભાવોની એકસાથે ઉપસ્થિતિ પણ થાય. બે ભાવોની ઉપસ્થિતિ હોય તો ‘ભાવસંધિ’ કહે છે અને એથી વધારે ભાવોનું સંયોજન હોય તો ‘ભાવશબલતા’ કહેવામાં આવે છે.
‘ભાવશબલતા’નું એક ઉદાહરણ લઈએ :
{{Poem2Close}}
{{Block center|<poem>क्वाकार्य शशलक्ष्मणः क्व च कुलं भूयोऽपि द्रश्येतं सा
दोषाणां प्रशमाय नः श्रुतमहा कोपेऽपि कान्तं मुखम् ।
किं वक्ष्यन्त्यपकल्मषा कृतधियः स्वप्नेऽपि सा दुर्लभा
चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योऽघरं धास्यति ।। 
{{gap|10em}}(विक्रमोर्वशीयम्)</poem>}}
{{Poem2Open}}
ઉર્વશી પ્રત્યે આકર્ષાયેલા પુરુરવાની આ ઉક્તિ છે : ‘ક્યાં મારું ચંદ્રવંશી કુળ અને ક્યાં (આ મુનિપુત્રી પ્રત્યે પ્રેમ અનુભવવાનું) અકાર્ય? (અહીં વિતર્ક નામનો વ્યભિવાચરી ભાવ છે.)’ એનું ફરીવાર દર્શન થાય તો ! (અહીં ઔત્સુકય.) મારું શાસ્ત્રજ્ઞાન મારા આ દોષના નિવારણ અર્થે હો. (અહીં મતિ-બુદ્ધિ.) અહો, ગુસ્સો કરતી વખતે પણ એનું મુખ કેવું સુંદર હતું ! (અહીં સ્મરણ) પવિત્ર ડાહ્યા માણસો મારે માટે શું કહેશે? (અહીં શંકા.) એ તો હવે સ્વપ્નમાં પણ દુર્લભ છે. (અહીં દૈત્ય-વિવશતા) ચિત્ત, સ્વાસ્થ્ય ધર. (અહીં ધૃતિ-ધૈર્ય.) કયો ધન્ય યુવાન એનો અધર પામશે? (અહીં ચિંતા-ચિંતવન.) આમ, આ શ્લોકમાં અનેક ભાવોની શબલતાનો આસ્વાદ છે. જોકે અભિલાષનિમિત્તક શૃંગારનું વ્યંજન પણ અહીં જોઈ શકાય.
રસાસ્વાદમાં એક મહત્ત્વનો પ્રશ્ન તે ચર્વણાના આભાસનો છે. રસાભાસ અને ભાવાભાસ એના બે પ્રકારો છે. મમ્મટ અનૌચિત્યથી પ્રવર્તતા રસ અને ભાવને રસાભાસ અને ભાવાભાસ ગણે છે.૧<ref>1. तदामासा अनौचित्यप्रवर्तिताः । (काव्यप्रकाश)</ref> અનેક-કામુકવિષયક રતિ જ્યાં વ્યંજિત થાય છે તેને એ રસભાસનું ઉદાહરણ ગણે છે; અને સીતાની પ્રીતિ પ્રાપ્ત કરવાની રાવણની ચિંતા જ્યાં વ્યંજિત થાય છે તેને એ ભાવાભાસનું ઉદાહરણ ગણે છે. અહીં મમ્મટની દૃષ્ટિએ અનૌચિત્ય એટલે નીતિનું અનૌચિત્ય હોય એમ જણાય છે.
રસાસ્વાદમાં એક મહત્ત્વનો પ્રશ્ન તે ચર્વણાના આભાસનો છે. રસાભાસ અને ભાવાભાસ એના બે પ્રકારો છે. મમ્મટ અનૌચિત્યથી પ્રવર્તતા રસ અને ભાવને રસાભાસ અને ભાવાભાસ ગણે છે.૧<ref>1. तदामासा अनौचित्यप्रवर्तिताः । (काव्यप्रकाश)</ref> અનેક-કામુકવિષયક રતિ જ્યાં વ્યંજિત થાય છે તેને એ રસભાસનું ઉદાહરણ ગણે છે; અને સીતાની પ્રીતિ પ્રાપ્ત કરવાની રાવણની ચિંતા જ્યાં વ્યંજિત થાય છે તેને એ ભાવાભાસનું ઉદાહરણ ગણે છે. અહીં મમ્મટની દૃષ્ટિએ અનૌચિત્ય એટલે નીતિનું અનૌચિત્ય હોય એમ જણાય છે.
આચાર્ય અભિનવગુપ્ત વિભાવ અને અનુભાવના આભાસના કારણે રસાભાસ ઉદભવે છે એમ માને છે. સીતા પ્રત્યેના રાવણના રતિભાવને એ રત્યાભાસ ગણે છે, કારણ કે ‘સીતા મારા પ્રત્યે ઉપેક્ષા રાખે છે, મારો દ્વેષ કરે છે’ એ ખ્યાલ રાવણને નથી; એવો ખ્યાલ એને આવે તો એનો  અભિલાષ વિલીન થઈ જાય. અને ‘મારા પ્રત્યે સીતા અનુરક્ત છે’ એવું નિશ્ચયપૂર્વક જાણવાની તસ્દી પણ એણે કામમોહના કારણે લીધી નથી. આમ, અહીં એકપક્ષી અભિલાષ હોવાથી આભાસ છે એમ તેઓ જણાવે છે.૨<ref>2. यदा तु विभाववानुभावाभासात् रत्याभासोदयः तदा विभावानुभावामासात् चर्वणाभास इति रसाभासस्य विषयः। यथा रावणकाव्याकर्णाने शृङ्गाराभासः। ...ननु नात्र रतिः स्थायिभावोऽस्ति । परस्परावस्थाबन्धाभावात् केनैतदुक्तं रतिरिति । रत्याभासो हि सः । अतश्च आभासो येन अस्य सीता मय्युपेक्षिका द्विष्टा वेति प्रतिपतिर्हृदयं न स्पृशत्येव । तत्स्पर्शे हि तस्यापि अभिलाषो विलीयेत । न च मयीयमनुरक्तेत्यपि निश्चयेन कृतं कामकृतान्मोहात्। अत एव तदाभासत्वम् ।... अत एवाभिलाषे एकतरनिष्ठेऽपि शृङ्गारशब्देन तत्र तत्र व्यवहारस्तदाभासतया मन्तव्यः । (ध्वन्यालोकलोचन)</ref>
આચાર્ય અભિનવગુપ્ત વિભાવ અને અનુભાવના આભાસના કારણે રસાભાસ ઉદભવે છે એમ માને છે. સીતા પ્રત્યેના રાવણના રતિભાવને એ રત્યાભાસ ગણે છે, કારણ કે ‘સીતા મારા પ્રત્યે ઉપેક્ષા રાખે છે, મારો દ્વેષ કરે છે’ એ ખ્યાલ રાવણને નથી; એવો ખ્યાલ એને આવે તો એનો  અભિલાષ વિલીન થઈ જાય. અને ‘મારા પ્રત્યે સીતા અનુરક્ત છે’ એવું નિશ્ચયપૂર્વક જાણવાની તસ્દી પણ એણે કામમોહના કારણે લીધી નથી. આમ, અહીં એકપક્ષી અભિલાષ હોવાથી આભાસ છે એમ તેઓ જણાવે છે.૨<ref>2. यदा तु विभाववानुभावाभासात् रत्याभासोदयः तदा विभावानुभावामासात् चर्वणाभास इति रसाभासस्य विषयः। यथा रावणकाव्याकर्णाने शृङ्गाराभासः। ...ननु नात्र रतिः स्थायिभावोऽस्ति । परस्परावस्थाबन्धाभावात् केनैतदुक्तं रतिरिति । रत्याभासो हि सः । अतश्च आभासो येन अस्य सीता मय्युपेक्षिका द्विष्टा वेति प्रतिपतिर्हृदयं न स्पृशत्येव । तत्स्पर्शे हि तस्यापि अभिलाषो विलीयेत । न च मयीयमनुरक्तेत्यपि निश्चयेन कृतं कामकृतान्मोहात्। अत एव तदाभासत्वम् ।... अत एवाभिलाषे एकतरनिष्ठेऽपि शृङ्गारशब्देन तत्र तत्र व्यवहारस्तदाभासतया मन्तव्यः । (ध्वन्यालोकलोचन)</ref>

Navigation menu