તપસ્વી અને તરંગિણી/એક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(6 intermediate revisions by the same user not shown)
Line 47: Line 47:
:::: વરસાદ આપો!
:::: વરસાદ આપો!
</poem>
</poem>


<poem>
<poem>
Line 113: Line 114:
'''બીજો દૂત''' : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
'''બીજો દૂત''' : લાગે છે કે તેઓ આ બાજુએ જ આવી રહ્યા છે.
'''પહેલો દૂત''' : {{Space}} રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી  જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!–  આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.</poem>
'''પહેલો દૂત''' : {{Space}} રાજમંત્રી છે, સાથે છે રાજપુરોહિત, કંઈક સંતલસ કરે છે. માથું નીચું છે–પણ ના, આ પેલા રાજમંત્રીએ આકાશ ભણી  જોયું – તેમનું મુખમંડલ પ્રસન્ન છે–હોઠ ઉપર આશા ઝળકે છે–તો મારું અનુમાન ખોટું નથી!–  આવ આપણે અહીં ઊભા રહીએ, તેઓ આવી રહ્યા છે.</poem>
<poem>
<poem>
'''(રાજપુરોહિત અને રાજમંત્રીનો પ્રવેશ. બન્ને દૂતો પ્રણામ કરે છે.)'''
'''(રાજપુરોહિત અને રાજમંત્રીનો પ્રવેશ. બન્ને દૂતો પ્રણામ કરે છે.)'''
Line 210: Line 212:
'''શાન્તા''' :  પ્રણામ
'''શાન્તા''' :  પ્રણામ
</poem>
</poem>
<poem>
{{Space}}{{Space}}'''(શાન્તાનું પ્રસ્થાન)'''
'''રાજમંત્રી''' :{{Space}} અહંકાર–સ્વાર્થપરકતા–આત્મતૃપ્તિ–તેને જ આપણે કહીએ છીએ પ્રેમ–સરલતા અને હૃદયગુણ! તરુણી શાન્તા જગતના વ્યવહારોથી અપરિચિત  છે, વસંતની વિહંગી જેવી નાદાન છે તે  ઉપરાંત તે અંશુમાનના પ્રેમમાં  પડેલી છે–હું તેને કેવી રીતે સમજાવું કે આજ અંગદેશના ભાગ્યવિધાતા  ઋષ્યશૃંગ વિના બીજું કોઈ નથી અને તેમનું વરદાન પામવા માટે જે  કન્યા નક્કી થઈ છે, તે પણ રાજકુમારી શાન્તા છે, બીજું કોઈ નથી. આ દેવવાણી અફળ છે. રાજપુરોહિતનો આદેશ પાળવો જ રહ્યો. લાગે છે કે અત્યારે પૂરેપૂરી સાવધાની રાખવી પડશે. શાન્તા અને અંશુમાનને જુદાં પાડવાં પડશે. તેમની દૃષ્ટિ અત્યારે એકદમ પ્રાકૃત છે; વ્યક્તિગત તૃપ્તિ માટે તેઓ શિશુની જેમ લાલાયિત છે; દેશને બચાવવાનો જે પ્રયત્ન અમે કરીએ છીએ તેમાં તેઓ જ વિઘ્નરૂપ ન થઈ પડે તેની કોને ખબર? મારા ઇરાદાની ખબર પડતાં જો અંશુમાન શાન્તાનું  હરણ કરીને દેશાવર ઊપડી જાય તો? એમને માટે આ સ્થિતિમાં આવો માર્ગ લેવો સ્વાભાવિકછે અને ક્ષાત્ર ધર્મમાં તેને અનુમોદન પણ છે. હું આજે રાત્રે જ અંશુમાનને બંદી બનાવી દઈશ. થોડાક દિવસ કેદમાં રહેવાથી તેના શરીરને હાનિ પહોંચવાની નથી, દાસીઓ શાન્તા પર ચાંપતી નજર રાખશે. ઋષ્યશૃંગના આગમન ટાણે તેને પ્રસન્ન અને પ્રસ્તુત રહેવું પડશે.
અમારો બધો આધાર અત્યારે વારાંગનાઓ ઉપર છે. તરંગિણીની ખ્યાતિ જો સાચી હોય, લોલાપાંગીનો ધનલોભ જો પ્રબળ હોય તો અંગદેશ ફરી સમૃદ્ધ થશે, કોઈ ભૂખ્યું અને દુઃખી નહીં રહે. જનગણનો હર્ષધ્વનિ સાંભળીને લોમપાદ અને રાજપુરુષો ધન્ય થશે. ઋષ્યશૃંગને રતિરહસ્યમાં દીક્ષિત કરશે તરંગિણી અને તેનો ફલભોગ કરશે શાન્તા. એક વાર ભડભડી ઊઠ્યા પછી કામ સહેલાઈથી શાન્ત થતો નથી. વારાંગનાઓ ઉપર જ બધો આધાર છે.</poem>
<center>'''(લોલાપાંગી અને તરંગિણીને લઈને બે દૂતોનો પ્રવેશ)'''</center>
<Poem>
'''રાજમંત્રી''' : પધારો. કુશળ તો ખરાંને?
'''લોલાપાંગી''' : {{Space}} જીવું છું પ્રભુ, કાયકલેષ લઈને જીવું છું. આવા દુષ્કાળમાં પણ કંકાલ થઈ  ગઈ નથી. દાસીને કેમ યાદ કરી?
</Poem>
<Center>'''(રાજમંત્રીના ઇશારે બે દૂતોનું પ્રસ્થાન)'''</Center>
<poem>
'''રાજમંત્રી''' :{{Space}} આ તારી દીકરી–તરંગિણી છે?
'''લોલાપાંગી''' : {{Space}} આપની દાસી.
'''રાજમંત્રી''' : {{Space}} સાંભળ્યું છે કે તેં એને બધી વિદ્યાઓમાં પારંગત કરી છે?
'''લોલાપાંગી''' :{{Space}} પ્રભુ, અમારું કેટલું ગજું? છતાં પ્રયત્નમાં મણા રાખી નથી; મા થઈને સંતાનની ઉપેેક્ષા થોડી જ થાય છે! મેં તેને કઈ કઈ વિદ્યાઓ શીખવી છે તે કહું? રૂપની ચર્ચા, સ્વાસ્થ્યનો યત્ન, સ્નાન, વ્યાયામ, પથ્યના નિયમ; સાજ, શણગાર, આભૂષણનું તત્ત્વ. તેને રત્ન પારખતાં આવડે છે; ફૂલ, માલા અને ગંધદ્રવ્યનો મર્મ તે જાણે છે; કયા ઉપાયથી ત્વચા ચમકતી રહે, આંખો ઉજ્જવલ રહે, અને ઉચ્છ્‌વાસ સુગંધિત રહે તે, તે જાણે છે. કયા ખાદ્યથી મેદ વધતો નથી અને કઈ સુરા કલ્યાણકારક છે તે, તે જાણે છે. સુંદર રીતે બેસવાનું, ઊભા રહેવાનું, ચાલવાનું, સૂવાનું, ઊંઘવાનું તે જાણે છે. ઊંઘની અંદર પણ અશોભન અંગભંગિ કરતી નથી, કંઠમાં અને ઉચ્ચારણમાં કેવા સૂરનો ઉપયોગ કરવાથી વચન મનોચોર બની જાય છે, તે તે જાણે છે.
'''રાજમંત્રી''' : {{Space}}તારી પુત્રીને કોઈ શાસ્રપાઠ આવડે છે? ધર્મતત્ત્વનું થોડુંય જ્ઞાન ખરું?
'''લોલાપાંગી''' :{{Space}}પ્રભુ, હજી મેં પૂરું કર્યું નથી; આ રૂપની ચર્ચા તો શિક્ષણની શરૂઆતમાત્ર જ છે તે પછી થોડું વ્યાકરણ અને કાવ્ય, થોડું અર્થશાસ્ર અને તર્કશાસ્ર, પૂજા, વ્રત, પાર્વણની વિધિ; પાસા રમવાનું જ્ઞાન; નાચ, ગાન, અભિનય; હાવભાવ અને પરિહાસથી કેવી રીતે રસવતી થવાય; ધૂર્ત, વિટ, જ્યોતિષી અને ભિક્ષુણીઓને મોંએ મોંએ અમુકના કરતાં કોઈ ગુણવતી નથી એવો  ફેલાવો કરવાની આવડત. છેલ્લે આવે રતિશાસ્ર અને કામકલા, માન, અભિમાન, કટાક્ષ, નિશ્વાસ, રુદન; હાસ્ય અને ભૃકુટિની ચતુરાઈ; કયા મંત્રથી ઉદાસીન આવીને પગે પડે, કંજુસનું સોનું અંગ ઉપર ચઢે; કેવી યુુક્તિથી નાગરોમાં ઇર્ષ્યા જગાવીને પોતાનું મૂલ્ય વધારવું અને સપ્તરથીને એક સાથે પાલવડે બાંધીને રમાડવું...
'''રાજમંત્રી''' :   તારી પુત્રી તો તો છલના કરવામાં પણ દક્ષ હશે?
'''લોલાપાંગી''' : {{Space}}છલના, પ્રભુ? અમે તેને છલના નથી કહેતાં, જીવિકા કહીએ છીએ. પૈસા આપવાનું વચન આપીને જે લોકો તે પાળે નહીં તેમને મર્મઘાતી કડવાં વેણ ના કહીએ તો અમે જીવીએ કેવી રીતે? કોઈ સુંદર ધાર્મિક યુવક નિર્ધન હોય તો કેવી રીતે તેની સેવા કરવા છતાં ધનલાભ થાય તે પણ શીખ્યા વિના અમારે ના ચાલે. સમય પારખીને અમે મધુકુંડ થઈએ છીએ અને સમય પારખીને વિષભાંડ થઈએ છીએ; આ બધું જ મેં તરંગિણીને શીખવ્યું છે. જે પુરુષ તેને ભાગ્યવતી કરે છે તેની પુત્રી સાથે તેનો વ્યવહાર ખીલે છે માતૃભાવે, તેની સ્ત્રીને મીઠાં વચનો કહે છે, તેની દાસીને ભેટ આપે છે; પણ પુરુષની મૂઠી જો જલદી ખુલતી ના હોય તો તેની કઠોર ભર્ત્સનાથી તે પુરુષની સ્ત્રી, પુત્રી કે પરિજન કોઈ બચી શકતું નથી, અભિમાન નથી કરતી પણ ભગવાને તેને જે સેવાધર્મ માટે સંસારમાં મોકલી છે, તેને માટે તરંગિણીને કોઈપણ ઉપાયે સજ્જ કરી છે, તેને માટે કેટલો શ્રમ, કેટલું કષ્ટ અને કેટલો ખર્ચ થયો છે તે તો એક હું જ જાણું છું અને એક ભગવાન જાણે છે. પણ આજે આપનાં દર્શન થતાં લાગે છે કે કદાચ મારાં આજ દિવસ સુધીનાં બધાં કષ્ટ સાર્થક થયાં.
'''રાજમંત્રી''' :{{Space}} તરંગિણી, તને હું એક પ્રશ્ન કરું છું.
'''તરંગિણી''' :{{Space}} આપની કૃપાથી હું કૃતાર્થ થઈ.
'''રાજમંત્રી''' :{{Space}} તને કોઈ પુરુષ માટે પ્રેમ છે?
'''તરંગિણી''' :{{Space}} મારો ધર્મ છે અનેકોની પરિચર્યા.
'''રાજમંત્રી''' : {{Space}}એવો કોઈ પુરુષ નથી જેને તું સર્વસ્વ આપી દેવા ઇચ્છે.
'''તરંગિણી''' : {{Space}}પ્રભુ, મારું સર્વસ્વ કહેવામાં બીજું છે શું–માત્ર આ શરીર! તેના પર કોનો અધિકાર નથી–રોગી, પાગલ, ભિખારી અને નપુંસક સિવાય, કહો જો? જે કોઈ મને કિંમત ચૂકવે છે તેને જ માટે હું અર્ઘ્ય સજાવી રાખું છું—શુદ્ર, બ્રાહ્મણ, યુવાન, રૂપવાન, કુત્સિત મારી પાસે તો સૌ સમાન છે.
'''રાજમંત્રી''' :{{Space}} ક્યારે કોઈના પ્રત્યે વિશેષ પક્ષપાત થયો નથી?
'''તરંગિણી''' :{{Space}} એવો પાપી વિચાર જો ક્યારેક મનમાં જાગે તો હું પ્રાણપણે તેને દૂર રાખું છુંં.
'''રાજમંત્રી''' : તને એક કામની જવાબદારી સોંપવા માગું છું.
'''તરંગિણી''' :{{Space}} દાસીને આજ્ઞા કરો.
'''રાજમંત્રી''' : {{Space}}ગંગાને પેલે તીર, અંગરાજ્યની સરહદે એક નવયુવક તપસ્યારત છે. જન્મથી જ તે વનવાસી છે, જન્મથી જ તે કોઈના સંપર્કમાં આવ્યો નથી. ક્યારેક કોઈ સ્ત્રી તેની નજરે પડી નથી, અને બીજા જે એકમાત્ર પુરુષનો તેને પરિચય છે, તે છે તેના જ કઠોર નૈષ્ટિક ઋષિતુલ્ય પિતા. પર્યટકોને મોઢે સાંભળ્યું છે કે આ કિશોર તપસ્વી એટલો બધો નિષ્પાપ છે કે આશ્રમમાં પશુપક્ષીઓ હોવા છતાં પ્રાણીઓનો જન્મ કેવી રીતે થાય છે તે પણ તે જાણતો નથી. એક ખાસ કારણથી તેના શરીરમાં મદનજવાલા જગાડવાની છે અને કામાતુર અવસ્થામાં તેને લઈ આવવાનો છે રાજધાનીમાં–આ ચંપાનગરમાં, જે ચંપાનગરની તું અને તારી સખીઓ સ્વર્ણમેખલા છો  —કરી શકીશ?
'''તરંગિણી''' :{{Space}} પ્રભુ, મને કુતુહલ થાય છે. શું આ તરુણ બ્રહ્મચારીએ તેની માતાને કે અન્ય કોઈ મુનિપત્નીને પણ જોઈ નથી?
'''રાજમંત્રી''' :{{Space}} સાંભળ્યું છે કે તેના જન્મકાળે જ તેની માતાનું મૃત્યુ થયું હતું અને તેના પિતાનો આશ્રમ એકદમ નિર્જન છે; ત્યાં બીજો કોઈ રહેવાસી નથી.
'''તરંગિણી''' :{{Space}} શું નામ છે તેમનું?
'''રાજમંત્રી''' :{{Space}} તે છે વિભાણ્ડકના પુત્ર ઋષ્યશૃંગ.
'''તરંગિણી''' :{{Space}} ઋષ્યશૃંગ!
'''રાજમંત્રી''' :{{Space}} તરંગિણી તું પણ ડરી ગઈ?
'''લોલાપાંગી''' : {{Space}}પ્રભુ, એને ક્ષમા કરો. ઋષ્યશૃંગનું નામ સાંભળતાં જ સૌ પ્રથમ તો કોને બીક ના લાગે? અમે ગણિકાઓ છીએ, પરન્તુ માત્ર મર્ત્ય સ્ત્રીઓ છીએ.ઉર્વશી મેનકાની જેમ દેવતાનું વરદાન અમને મળ્યું નથી. અમને જોતાં જ સમજી શકો છો કે અમે અનંતયૌવનાઓ નથી. અને ઋષિપુત્ર જો શાપ આપે તો? જો કહે—‘તું મગરી થઈ જા!’—અને તરંગિણી–મારી આંખનું રતન તરંગિણી, વણિક, ધનિક, રાજપુરુષોની લાડકી તરંગિણી, તે જો ભયંકર મગરીનું રૂપ લઈને ધીરે ધીરે ગંગાના પાણીમાં જતી રહે તો? પુરાણોની વાતો સાચી હોય તો શું ના બની શકે?
'''રાજમંત્રી''' :{{Space}} નકામો શબ્દવ્યય ના કર-એક હજાર સોનામહોરોનું પારિતોષિક આપવામાં આવશે.
'''લોલાપાંગી''' :{{Space}} પ્રભુ, ગુણનિધિ, દયાસિંધુ! અમારી દશાનો તો ખ્યાલ કરો. ઉર્વશીની રક્ષા કરે છે દેવરાજ ઇન્દ્ર. કુલસ્ત્રીઓને આશ્રય મળે છે અંતઃપુરમાં. પણ અમે તો સાર્વજનિક નારીઓ છીએ, તેથી અમારી દેખભાળ કરનાર કોઈ નથી. અમારા કેટલા શત્રુઓ છે તે તો વિચારી જુઓ. ચોર, શઠ, કુચકી, દૃસ્યુ, દુરાચારી, રોગ, જરા, દીર્ઘાયુ, અપમૃત્યુ. કોઈ પુરુષને નારાજ કરતાં તેનો ક્રોધ સાપની જેમ ભભૂકી ઊઠે. કોઈ સખીના સહચરને સોબત આપી તો તેની ઈર્ષ્યા દાવાનળની જેમ જ્વલી ઊઠે. દરેક ક્ષણે વિપત્તિથી બચીને, દરેક ક્ષણે સાવધ રહીને અમારે જીવવું પડે છે; તલવારની ધાર પર ચાલીએ છીએ, ક્યારેક નસીબ વાંકું થતાં કોણ જાણે કયા પાતાળને તળિયે પહોંચી જઈએ તે કોણ જાણે છે?
'''રાજમંત્રી''' :{{Space}} એક હજાર સોનામહોરો અને રથ, શય્યા, અનેક વસ્ત્રો, અનેક સુવર્ણાલંકારો મળશે.
'''લોલાપંગી''' :{{Space}}પ્રભુ, કરુણાધામ, ધર્માધિપતિ! અમે બહુવલ્લભા છીએ એટલે જ એકદમ અનાથ છીએ. અમારે ભૂતકાળ નથી, અમારે ભવિષ્ય નથી; એક જ આશા છે કે પરલોકમાં પશુપતિનો ચરણસ્પર્શ કરી શકીએ. એવી કોઈ ગણિકા નથી જે મનોમન વિચારતી ન હોય કે જો ‘હું બળિયાના રોગમાં કુરૂપ થઈ જઈશ તો મારું શું થશે? જો ને પક્ષઘાત થઈ જશે તો? પલકવારમાં યૌવન જતું રહેશે, તે પછી? જો લબડતી ચામડીવાળી વૃદ્ધા થઈને જીવવું પડશે તો મારો આહાર ક્યાંથી જોગવીશ?’ એટલે બુદ્ધિમતીઓ સારા વખતે ભેગું કરી લે છે, સારા સમયે અર્થ ખેંચી લે છે. અધમ એવી મારી પાસે પણ થોડો સંચય હતો પણ મેં પોતે ખાલી થઈ જઈને તરંગિણીનું લાલનપાલન કર્યું છે, તેને શિક્ષણ આપ્યું છે. અત્યારે આ કન્યા જ મારી મૂડી છે. પ્રભુ, આપની આજ્ઞા થતાં પ્રાણ પણ આપી શકીએ, પણ નસીબજોગે આવરદા જો લંબાય તો ખાવાનુંય જોઈએને?</Poem>
<poem>
'''રાજમંત્રી''' :{{Space}} પાંચ હજાર સોનામહોરો!
'''લોલાપાંગી''' :{{Space}} ઋષ્યશૃંગનું ધ્યાનભંગ એટલે પર્વતનું પતન! હિમની સાથે અગ્નિસંયોગ! તરંગિણી, તું કરી શકીશ ને?
'''રાજમંત્રી''' :{{Space}} દશ હજાર સોનામહોરો અને રથ, શય્યા, આસન, વસ્ત્રો, સુવર્ણલંકાર! અને સિંહલનાં મોતી તથા વિન્ધ્યાચલના મરકત મણિ!
'''લોલાપાંગી''' : {{Space}}અમે ધન્ય થયાં. આપ ભવસાગરમાં અમારી નૌકા છો.
'''રાજમંત્રી''' :{{Space}} મેં ચરને મોઢે સમાચાર મેળવ્યા છે, કાલે પ્રભાતે વિભાણ્ડક આશ્રમમાં હશે નહીં. કાલે પ્રભાતે જ આ કામ પતવું જોઈએ.
'''તરંગિણી''' :{{Space}} પ્રભુ, આ બહુ આયોજન માગી લે તેવું કામ છે. તૈયારીને માટે સમય નહીં મળે?
'''રાજમંત્રી''' :{{Space}} કાલે પ્રભાતે. વિલંબ નહીં ચાલે.
'''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ.
{{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્‌વળ બની જાય છે, શ્વાસોચ્છ્‌વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)'''
'''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્‌ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!</poem>
<br>
<center>'''(પડદો)'''</center>
<center>...............................................................................</center>
{{HeaderNav2
|previous = અનુવાદકનું નિવેદન
|next = બે
}}
<br>
26,604

edits

Navigation menu