ધ્વનિ/વાણી અને સૂર


વાણી અને સૂર

‘તું છો મારે હૃદય વસતા ભાવની મુગ્ધ વાણી.’
‘તું વાણીને મધુર સ્વરની મીંડ દેનાર સૂર.'
એવા હૈયા-મેળથી આપણા રે
સૂની તે સૌ દિશાઓ સભર ભરી જતી રાગિણી કો પ્રફુલ્લ.
૧૯-૧૨-૪૫