ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ): Difference between revisions

Jump to navigation Jump to search
+૧
No edit summary
(+૧)
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{Heading| II<br>ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{center|<poem>1.</poem>}}
{{center|'''૧'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
Line 10: Line 10:
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?
કંઈક વિસ્મય લાગે એવી વાત એ છે કે વિવેચનના ક્ષેત્રની વિભિન્ન દિશાની ગતિવિધિઓ સાથે વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશેની રૂઢ વિચારણા સામે નવા પડકારો ઊભા થયા છે. વિવેચનનું સ્વરૂપ જ જાણે કે વિઘટન પામી રહ્યું છે. તો એની સામે સાહિત્યની રૂઢ વિભાવના પણ હચમચી ઊઠી છે. ખાસ કરીને માર્ક્સવાદ, ફ્રોયડવાદ, અને સંરચનાવાદ સાહિત્યના રૂઢ ખ્યાલો પર મોટો ઘા કર્યો છે. આજે તે સાહિત્યની ‘સાહિત્યિકતા’ (Literariness) શેમાં રહી છે, એવો મૂળભૂત પ્રશ્ન વિવેચનવિચારમાં ઊભો થઈ રહ્યો છે. અત્યારે વિવેચનના ક્ષેત્રની સર્વ ગતિવિધિઓને લક્ષમાં લેતાં એમ કહેવાનું પ્રાપ્ત થાય છે કે, વિવેચનની વિભાવના સ્પષ્ટ કરતાં પહેલાં સાહિત્યની અમુક વિભાવના દૃઢ કરવી પડશે. કૃતિવિવેચન, અંતે તો, સાહિત્યસર્જનની અનુગામી પ્રવૃત્તિ છે. સાહિત્યના સ્વરૂપ વિશે જ જો કોઈ સમજ સ્થિર ન થાય તો, વિવેચનનું સ્વરૂપ અને કાર્ય કેવી રીતે સ્પષ્ટ કરી શકાય?
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>.</poem>}}
{{center|''''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.
કંઈક સુખદ આશ્ચર્ય થાય એવી વાત એ છે કે વિવેચનપ્રવૃત્તિ વિશે પણ નર્મદે ટૂંકી નોંધ લખેલી છે. ‘અર્વાચીનોમાં આદ્ય’ તરીકે ઓળખાયેલા નર્મદને, જાણીતું છે કે, સંસારસુધારાની ઊંડી ધગશ હતી. અને એ માટે આપણા દેશમાં સાહિત્ય કેળવણી અને પશ્ચિમમાં ખેડાતી વિવિધ વિદ્યાઓની જરૂરિયાત તે વરતી ગયો હતો. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ-“નર્મદની માનસિક ઊંડળમાં દેશના સાર્વત્રિક હિતના સર્વ ચિન્તન-વિષય સમાતા. સ્વતંત્રતા ને ઉદ્યોગ, કવિતા અને કોશ, પત્રકારત્વ ને ઇતિહાસપરામર્શ, કેળવણી ને વિદ્યાવૃદ્ધિ, સંસારસુધારો ને ધાર્મિક સુધારો એ બધા વિશે તેને કાંઈ ને કાંઈ કહેવાનું અને કરી નાખવાનું હતું.”૩ એટલે, સહજ જ, વિદ્યા અને કેળવણીનાં વિભિન્ન ક્ષેત્રોમાં પોતાને હાથે જ નવું મંડાણ થાય એવી અભિલાષા તે કેળવી રહ્યો હતો.
Line 20: Line 20:
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.
નર્મદની ‘ટીકા’ વિષયક આટલી ચર્ચા આપણી વિવેચનમીમાંસામાં એક આધારશિલા જેવી લેખી શકાય. પછીની ઘણીએક ચર્ચાઓ જાણે કે એના વિવરણ જેવી બની છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>.</poem>}}
{{center|''''''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯
ગ્રંથસમીક્ષાનું મહત્ત્વ નર્મદે કર્યું એ ખરું, પણ એ ક્ષેત્રમાં તે પોતે કશું અર્પણ કરી શક્યો નહિ. એ કાર્ય તેના વિદ્વાન મિત્ર નવલરામે આરંભ્યું, અને તેને તેમણે સંગીન પાયા પર મૂકી દીધું. સાક્ષર શ્રી ગોવર્ધનરામ ‘નવલરામની જીવનકથા’ની પ્રસ્તાવનામાં નોંધે છે : “નવલરામની કીર્તિ ગ્રંથકાર કરતાં ગ્રંથ-પરીક્ષક રૂપે વધારે છે અને તેમની વિદ્વત્તા બુદ્ધિ અને સુજનતા તેમણે કરેલી ગ્રંથપરીક્ષાઓમાં સ્પષ્ટ ખીલવા પામી છે”૮ અને શ્રી વિષ્ણુપ્રસાદ તેમની પ્રતિભાની ઓળખ આપતાં કહે છે : “શૈલીમાં સમત્વ, વિચારમાં વધારે સમન્વય, પદ્ધતિમાં વધારે તટસ્થતા અને સિદ્ધિમાં વધારે સ્થિરદ્યુતિત્વ એ લક્ષણો નવલરામને નર્મદથી ગદ્યકાર અને વિવેચક તરીકે જુદા પાડે છે.”૯
Line 30: Line 30:
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.
ગ્રંથસમીક્ષક તરીકે નવલરામે જે તે કૃતિના મૂલ્યાંકન અર્થે કયા કયા માપદંડો કે ધોરણો સ્વીકાર્યાં, તેની ખોજ, અલબત્ત, એક અલગ અધ્યયનનો વિષય બને એમ છે. આ અભ્યાસમાં એને વિશે ચર્ચા કરવાને ઝાઝો અવકાશ નથી. પણ કૃતિની રસકીય મૂલ્યવત્તાને તેમણે પ્રથમ કસોટી ગણી છે એમ અહીં નોંધવાનું રહે છે. પણ તે સાથે કૃતિની સંવિધાનકળા શૈલી, પાત્રાલેખન અને લેખકનું જીવનદર્શન જેવા મુદ્દાઓને ય તેઓ તેમાં સાંકળી લે છે. કૃતિ સમગ્ર વિશે કે તેનાં અંગોપાંગો વિશે ચર્ચાવિચારણા કરતાં ઘણા સંદર્ભે પોતાનું ‘ધોરણ’ પણ તેમણે સ્પષ્ટ કરેલું છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે કર્તાના મૂળ આશય (Intention)ને લક્ષમાં રાખીને તેઓ કૃતિનો ‘અર્થ’ કે ‘તાત્પર્ય’ સમજવા મથે છે. કૃતિવિવેચનનો પ્રથમ આકાર લેતી તેમની સમગ્ર પ્રવૃત્તિ આ રીતે બારીક અવલોકન માગે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = I વિવેચનતત્ત્વવિચાર : પૂર્વભૂમિકા
|next = III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ)
}}

Navigation menu