ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 185: Line 185:
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’
વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.
વિવેચકની સજ્જતા લેખે તેમણે તેની ‘સંવેદનશીલતા’નો પ્રથમ સ્વીકાર કર્યો છે. કૃતિના અધ્યયનવિવેચનમાં તેના ઐતિહાસિક સંયોગોની તેમ બીજાં જ્ઞાનવિજ્ઞાનની જાણકારી, અલબત્ત, ઉપકારક બને, પણ તેને માટે પહેલી આવશ્યકતા તે સંવેદનવ્યાપારની છે એમ તેઓ કહે છે. વિવેચ્ય કૃતિ પ્રત્યે ‘વિસ્મય’ જન્મી શકે એટલી કોમળ સંવેદનપટુતા તેનામાં હોવી ઘટે એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. વિવેચનવ્યાપારની ક્ષણોમાં કૃતિના સર્જક વિશે તેમ ભાવકસમૂહ વિશે વિચાર કરી જોવા તે પ્રેરાય અથવા ન યે પ્રેરાય પણ પોતાની જાત સાથે તેણે ‘સંવાદ’ કરવો જ પડે છે. વિવેચનમાં વિવેચકની ‘ઉપસ્થિતિ’ સતત વરતાતી રહે એમ તેઓ ઇચ્છે છે. સિદ્ધાંતોનો વિનિયોગ પણ તે કરે ખરો પણ યાંત્રિક રીતે કોઈ સિદ્ધાંત લાગુ પાડવાનું તે પસંદ કરશે નહિ. ડૉ. રમણલાલના મતે વિવેચક માત્ર ‘અનુભવપ્રમાણવાદી’ છે.
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.
વિવેચનની પ્રક્રિયામાં તેમણે પાંચ ‘સોપાન શ્રેણી’ કલ્પેલી છે : (૧) વિવેચનાર્થ કૃતિની વરણી (૨) કૃષિનું વાચન-ભાવન (૩) કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન (૪) સ્વકીય અનુભૂતિનો રસકીય વૃત્તાંત (૫) ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અને વસ્તુલક્ષી દૃષ્ટિએ કૃતિનું મૂલ્યાંકન.
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.
વિવેચનના સ્વરૂપ અને કાર્યના સંદર્ભે અહીં પહેલી સ્પષ્ટતા એ કરવાની રહે છે કે સોપાનશ્રેણીનો પહેલો વ્યાપાર ‘કૃતિની વરણી’ એ વિવેચનના તાત્ત્વિક બંધારણનો અંતર્ગત ભાગ ન લેખી શકાય. વિવેચક વિવેચન અર્થે આ કે તે કૃતિની પસંદગી કરવા પ્રેરાય તેની પાછળ જે તે કૃતિ/કર્તા માટેની વિશેષ રુચિ કે પક્ષપાત હોય પણ કૃતિના આસ્વાદ અનુભાવન પૂર્વેની એ પસંદગી હશે તો તો એ પસંદગીનું કોઈ મહત્ત્વ ન કરી શકાય. વિવેચનની પ્રક્રિયા આસ્વાદને અંતે સભાનતાપૂર્વક આરંભાતી વસ્તુ છે એમ સ્વીકારવું વધુ તાર્કિક છે. વળી, કૃતિના ‘વાચન-ભાવન’ (બીજું સોપાન)થી વિવેચકના ચિત્તમાં ચાલતા આસ્વાદ વ્યાપારનો ખ્યાલ અભિમત હોય તો એ વ્યાપાર પણ વિવેચન નથી. અલબત્ત વિવેચનનો એ સ્રોત છે, આધાર છે. ‘કૃતિનું વિવેચકના ચિત્તમાં પુનઃ સર્જન’ એ ત્રીજો વ્યાપાર પણ બીજા ‘વાચન-ભાવન’નો જ વિસ્તાર છે એમ કહીએ તો ચાલે. ચોથા સોપાનમાં ડૉ. રમણભાઈએ ‘રસકીય વૃત્તાંત’ અને પાંચમામાં ‘મૂલ્યાંકન’ મૂક્યાં છે. હવે, ‘રસકીય વૃત્તાંત’ સંજ્ઞા કંઈક સંદિગ્ધ લાગે છે. એથી રસાનુભૂતિના વર્ણન કે અહેવાલનો ખ્યાલ જો તેમને અભિપ્રેત હોય તો તો aesthetic criticism કે આસ્વાદરૂપ લેખના સ્વરૂપનું એ લખાણ નહિ હોય? કૃતિના મૂલ્યાંકન પૂર્વે અનિવાર્યતા આવા કોઈ સોપાનમાંથી વિવેચકને પસાર થવાનું અનિવાર્ય ખરું, એવા પ્રશ્નને અવકાશ રહે જ છે. વિવેચનના અંતિમ તબક્કામાં કૃતિનો મૂલ્યાંકન વ્યાપાર તેમણે મૂક્યો છે. જે રીતે કૃતિના ‘ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય’નો ઉલ્લેખ તેમણે કર્યો છે તે જોતાં ઐતિહાસિક અભિગમ વિવેચનનો અંતર્ગત ભાગ હોય એમ તેમને અભિમત જણાશે. પણ નોંધવું જોઈએ કે આપણા યુગમાં જ વિવેચનના અનેક અભિગમો અસ્તિત્વમાં આવ્યા છે. વિવેચનનું સ્વરૂપ એવા દરેક અભિગમમાં જુદું જ પોત પ્રગટ કરે છે. આકારવાદી વિવેચનમાં કૃતિના આકારની તપાસ પર જ ઘણો મોટો ભાર મૂકાય છે. કૃતિના ઐતિહાસિક સંદર્ભો એમાં લક્ષમાં લેવાતા જ નથી અથવા સમગ્ર વિવેચનમાં તે અતિ ગૌણ સ્થાન લે છે. ચૈતન્યવાદી વિવેચકો પણ કૃતિની ઐતિહાસિકતાને અતિક્રમી જતા દેખાશે. તાત્પર્ય કે, ‘વિવેચન’ નામની વસ્તુ ઠીક ઠીક રૂપાંતરશીલ (protean) રહી છે. એટલે ઐતિહાસિક પરિપ્રેક્ષ્યની ખોજ અને તેની ઓળખને વિવેચનની અંતર્ગત અનિવાર્યપણે ચાલતા વ્યાપાર તરીકે સમાવવામાં મુશ્કેલી ઊભી થશે. અહીં એ પણ નોંધવું જોઈએ કે પશ્ચિમમાં કેટલાક (અને આપણે ત્યાંય થોડાક) અભ્યાસીઓ સૈદ્ધાંતિક ભૂમિકા પર કૃતિનું મૂલ્યાંકન કરવાનું જરૂરી ગણતા નથી; અથવા, આજના જગતમાં મૂલ્યાંકન શક્ય જ નથી એમ પણ કહેવા પ્રેરાયા છે. ડૉ. રમણલાલે, અલબત્ત, અહીં મૂલ્યાંકનનો સ્વીકાર કર્યો છે. જો કે, વિવેચન વ્યાપારની અંતર્ગત સમાવાતા કે તેની સાથે સંકળાયેલા ગણાતા ‘અર્થઘટન’ (interpretation)ના વ્યાપારનો નિર્દેશ પણ કર્યો નથી તે મોટું વિસ્મય જગાડે છે.
1,149

edits