ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તરયુગ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ) | }} {{center|૧.}} {{Poem2Open}} સ્વાતંત્ર્યોત્તર સમયમાં પાશ્ચાત્ય આધુનિકતાવાદી વિચારવલણો આપણે ત્યાં એક જોમવંતા આંદોલનના રૂપમાં...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| V ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}
{{Heading|V. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સ્વાતંત્ર્યોત્તર યુગ)  |  }}
{{center|૧.}}
{{center|૧.}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 101: Line 101:
(૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.
(૧૫) સર્જનના ક્ષેત્રે જે નવા અભિગમો, નવી શૈલીઓ, નવી રચનારીતિઓ આપણે ત્યાં સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જન્મ્યાં તેની પાછળના સિદ્ધાંતો વાદો વિચારધારાઓ કે તેની તાત્ત્વિક ભૂમિકાઓ પણ આપણા વિવેચને અવલોકવાની હજી બાકી છે. કથાવિવેચનમાં અત્યારે ય ‘સામાજિક’ અભિગમ જ પ્રાધાન્ય ભોગવે છે. એનાં આકાર કે સંરચનાની દૃષ્ટિએ વિવેચનો કરવાનું ખાસ હાથ ધરાયું નથી. નવલકથાનું આગવું aesthetics તપાસવાનું બાકી રહે છે.
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.
‘માકર્‌સવાદી અભિગમ’ શીર્ષકના તેમના તાજેતરના લેખમાં માકર્‌સ અને એન્જલ્સના સાહિત્યવિચારની તાત્ત્વિક છણાવટ કરવામાં આવી છે. આપણે ત્યાં ત્રીસીના ગાળામાં પ્રગતિવાદનું એક સાધારણ આંદોલન થયું ત્યારે કેટલાક લેખકો ચિંતકોએ આ વિષયની કેટલીક આછીપાતળી ચર્ચાઓ કરેલી, એ વિચારધારાથી પ્રભાવિત કેટલુંક સાહિત્ય યે રચેલું; પણ ચોક્કસ કારણોસર એ આંદોલન નક્કર પરિણામો આણ્યા વિના જ લય પામ્યું હતું. ૫૫-૬૦ પછી આકારવાદ અને આકારવાદી સાહિત્યના બળવાન આંદોલનના ગાળામાં, સ્વાભાવિક રીતે જ, માર્ક્‌સવાદની ચર્ચા કરવાને અનુકૂળ આબોહવા નહોતી પણ હમણાં હમણાં આંતરવિદ્યાકીય અધ્યયનના આગ્રહમાંથી કે સંરચનાવાદ-સંકેતશાસ્ત્રના પ્રસારમાંથી કે બીજા કોઈ કારણે માકર્‌સવાદી અભિગમ સમજવાની આતુરતા જન્મી પડી છે. સુરેશ જોષીએ અહીં એ વિષયની વિશદ છણાવટ કરી છે. ખાસ તો માકર્‌સ અને એન્જલ્સની આગવી ભૂમિકા અહીં ધ્યાનપાત્ર રીતે રજૂ થઈ છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.
આપણા અત્યારના વિવેચનમાં ડૉ. હરિવલ્લભ ભાયાણીનું વિવેચનકાર્ય આગવું મૂલ્ય ધરાવે છે. ભાષાશાસ્ત્રના અધ્યયનક્ષેત્રમાંથી વિવેચનમાં તેમની ગતિ અને પ્રવૃત્તિ ખરેખર રસપ્રદ ઘટના બની રહે છે. સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશ જેવી પ્રાચીન પ્રશિષ્ટ ભાષાઓ અને તેના સાહિત્યનો વિશાળ શાસ્ત્રીય સંશોધન–અધ્યયનનો વિશાળ અનુભવ, અને ભાષાશાસ્ત્ર વ્યાકરણ તર્કશાસ્ત્ર આદિની કઠોર શિસ્ત – એ બે વસ્તુ તેમની વિવેચનરીતિને આગવો મરોડ અર્પે છે. ચર્ચ્ય વિષયનું સ્વરૂપ, તેનું કાર્યક્ષેત્ર અને પ્રયોજન સ્પષ્ટ કરી આપવું, મુદ્દાની બની તેટલી સ્વચ્છ સુરેખ માંડણી કરવી, વ્યાખ્યા કરવી, કે તાર્કિક રજૂઆત કરવી, પોતાના વક્તવ્યના સમર્થનમાં જરૂરી દૃષ્ટાંતો આપવાં અને અંતમાં, બને તો, નિષ્કર્ષ તારવી આપવો – આવી જાતનો અભિગમ લઈને તેઓ વિવેચન ચિંતન કરવા પ્રવૃત્ત થયા જણાશે. સુરેશ જોષીની જેમ જ આધુનિક પાશ્ચાત્ય વિવેચનના અમુક ઇષ્ટ અંશો રજૂ કરવાનો તેમનો પણ સંનિષ્ઠ ખંતભર્યો પ્રયત્ન રહ્યો છે. પણ આ જાતની પ્રવૃત્તિમાં ઘણી વાર તેઓ સીમિત પ્રયોજન સ્વીકારીને ચાલ્યા છે. પશ્ચિમના વિવેચન કે સૌંદર્યમીમાંસાના આ કે તે પ્રશ્નને તેના ઐતિહાસિક સંદર્ભમાં મૂકીને તેની તાત્ત્વિક છણાવટ કરવી અને સાધકબાધક ચર્ચાઓ કરવી – એ દિશામાં તેમનું વલણ ઓછું છે. તેમનો ઉપક્રમ ઘણુંખરું તો એકાદ વિચાર કે વિભાવનાને એના મૂળ રૂપમાં, સ્વચ્છ સુરેખ રીતે, મૂકી આપવો એટલો જ છે. તેમની સમગ્ર વિવેચનપ્રવૃત્તિમાં નીચે પ્રમાણેની ગતિ જોઈ શકાશે.
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.
(અ) પાશ્ચાત્ય તેમજ સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પાયાની સંજ્ઞાઓ/વિભાવનાઓનું સ્પષ્ટીકરણ કરવું. યથાવકાશ તેની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરવી.
Line 178: Line 180:
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.
‘સ્વભાવોક્તિ’ (તેનું સ્વરૂપ અને વર્તમાન વિવેચનમાં પ્રસ્તુતતા) લેખમાં પ્રાચીન મીમાંસાના સ્વભાવોક્તિના ખ્યાલની વ્યાખ્યાવિચારણા રજૂ કરી સંસ્કૃત પ્રાકૃત અને ગુજરાતી સાહિત્યમાંથી દૃષ્ટાંતો દ્વારા તેનું સમર્થન કર્યું છે. એ જ રીતે સંસ્કૃતના ‘ભાવિક’ અલંકારનાં સરસ દૃષ્ટાંતો લાભશંકરની રચનાઓમાંથી તેમણે શોધી આપ્યાં છે. ‘ત્રણ કૃતિવિવેચનો’નું તેમનું વિવેચનકર્મ ધ્યાનાર્હ છે. સંસ્કૃત વિવેચનના સિદ્ધાંતો/વિભાવનાઓ આપણી આધુનિક કૃતિઓના વિવેચન અર્થે પ્રસ્તુત છે એમ બતાવવાનો તેમનો આ ધ્યાનપાત્ર પ્રયોગ છે.
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.
‘પ્રાચીન ભક્તિકવિતાની આસ્વાદસમસ્યા’ – એ લેખમાં પ્રાચીન– મધ્યકાલીન સાહિત્યના ભાવનના પાયાના પ્રશ્નોની ઊંડી તપાસ અર્થે તેઓ અનુરોધ કરે છે. આજે આપણો ભાવક-વિવેચક આધુનિક સાહિત્યના અધ્યયન-પરિશીલનથી જે કળાદૃષ્ટિ અને રુચિ ખિલવી રહ્યો હોય તેના સંદર્ભે આ વિચારણીય પ્રશ્ન બને છે. ‘વસંતવિલાસ’ કે ભાલણના ‘કાદંબરી આખ્યાન’ જેવી રચનાઓ રસલક્ષી ધારામાં બેસે છે એટલે એની વાત જરા જુદી છે, પણ નરસિંહનાં પદો કે પ્રેમાનંદની ‘દશમ સ્કંધ’ જેવી કૃતિઓ જે મુખ્યત્વે ભક્તિભાવથી પ્રેરાયેલી છે તેમાં આધુનિક વિવેચનનો અભિગમ સ્વીકારી તેમાંના છંદ લય અલંકાર અને રચનાવિધાનની તપાસ કરી તેને આધારે તેની ગુણવત્તા નક્કી કરવી ઉચિત છે? આ સંતકવિઓએ મુખ્યત્વે ભક્તિભાવ જ ગાયો છે અને કાવ્યતત્ત્વ તેમને માટે માત્ર ‘સાધન’ અને તે ય ગૌણ રૂપે હોય, તો પછી કાવ્યવિવેચનનાં આધુનિક ઓજારોથી તપાસ કરતાં એ સંતોને આપણે અન્યાય નથી કરતા? એટલે વિવેચનમીમાંસાનો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન બને છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.
સાક્ષરશ્રી ગોવર્ધનરામ વિશેના સંગીન સર્વગ્રાહી સંશોધનઅધ્યયન દ્વારા તેમજ આપણા જૂનાનવા સાહિત્યકારો વિશેનાં વિપુલ અધ્યયનો અવલોકનો દ્વારા ડૉ. રમણલાલ જોષીએ આપણા વિવેચનસાહિત્યમાં આગવી રીતે અર્પણ કર્યું છે. પ્રસંગોપાત્ત વિવેચનમીમાંસાના પ્રશ્નો તેમણે ય છેડ્યા છે. ૧૯૭૮માં કલ્યાણ (મુંબઈ) મુકામે મળેલા ગુજરાતી સાહિત્યના ૨૯મા અધિવેશનમાં વિવેચનવિભાગના પ્રમુખ તરીકે તેમણે જે વ્યાખ્યાન આપ્યું તેનો વિષય જ ‘વિવેચનની પ્રક્રિયા’ હતો. વિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમણે એમાં કેટલાક પાયાના મુદ્દાઓ છેડ્યા હતા.
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’
વિવેચકનાં કાર્યોને સંક્ષેપમાં વર્ણવતાં તેઓ કહે છે : ‘સર્જકની જે મનોભૂમિમાંથી કળાકૃતિ પ્રસવે છે, એની સાથે વધુમાં વધુ તાદાત્મ્ય સાધી વિવેચક આપણને એનું રહસ્ય પૂરી તટસ્થતાથી ઉપલબ્ધ કરી આપે છે. આપણી રસાનંદ લેવાની શક્તિને વિકસાવે છે અને એમ કરતી વેળા એનું પોતાનું લખાણ સાહિત્યના સ્તર સુધી પહોંચતું હોઈ આપણને જ્ઞાન અને આનંદ અર્પ્યા કરે છે... સૌંદર્યને ઓળખી કાઢી ઉત્તમ રીતે પ્રશંસવાનું શીખવતો વિવેચક પ્રજાની સંવેદનશીલતા કેળવતો અને સમગ્રતયા સંસ્કારિતાનું સંવર્ધન કરતો હોય છે.’૧૪૯ અહીં જાણીતી વાત જ તેમણે દોહરાવી છે. પણ સરેરાશ ભાવકથી વિવેચક એ રીતે જુદો પડે છે કે ‘પોતાના રસકીય અનુભવનાં પ્રતીતિકારક કારણો’ તે આપે છે. વિવેચકની વિવેચનશક્તિને તેઓ ‘આદિમ’ (primitive) અને ‘મૂળભૂત’ (fundamental) લેખવે છે. સાહિત્યાદિ કળાઓ વિશે જે રીતે સભ્ય સમાજોમાં ચિંતનવિવેચન ચાલતું રહ્યું છે અને લાંબી પરંપરાઓ રચાઈ છે, તે જોતાં વિવેચનશક્તિને ‘આદિમ’ (primitive) કહી શકાય ખરી એવો પ્રશ્ન સહેજે કોઈને થાય’
Line 192: Line 196:
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.
૧૯૭૩ના માર્ચમાં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના આશ્રયે યોજાયેલા એક પરિસંવાદમાં તેમણે ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી સાહિત્ય : વિવેચન અવલોકનો’ વિષય પર વક્તવ્ય રજૂ કરેલું. હમણાં બેંગલોરમાં મળેલા એક સેમિનારમાં ‘આપણા સાહિત્યમાં વિવેચનની કોઈ આબોહવા છે ખરી?’ વિષય પર તેમણે બીજું વક્તવ્ય રજૂ કરેલું. એમાં તેમણે આપણા આધુનિક સાહિત્યના વિવેચન મૂલ્યાંકન અર્થે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની વિભાવનાઓને લગતો એક મહત્ત્વનો મુદ્દો છેડ્યો છે. તેમનું વક્તવ્ય કંઈક એવું છે કે સંસ્કૃતના પ્રમુખ સિદ્ધાંતોને આપણા પ્રાદેશિક ભાષાસાહિત્યને લાગુ પાડતાં પહેલાં ‘ઠીક ઠીક સંસ્કારવા પડશે.’ ડૉ. ભાયાણીએ એમની આ જાતની માન્યતા સામે વાંધો લીધો છે. ભારતીય સાહિત્યશાસ્ત્રના સિદ્ધાંતો વિશ્વસાહિત્યની કૃતિઓનેય લાગુ પાડી શકાય, એવું તેમને અભિમત છે.
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.
“વિવેચનની ઉપયોગિતા-લેખકને’, ‘સાહિત્યવિવેચન અને જીવન-મૂલ્યોનો સંબંધ’ વગેરે લેખોમાં તેમણે કેટલીક પ્રાસંગિક ચર્ચાઓ કરી છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :
નવી પેઢીના આપણા અગ્રણી વિવેચક જયંત કોઠારીએ આપણા વિવેચનના ક્ષેત્રમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. એમાં કૃતિલક્ષી તેમ સિદ્ધાંતવિચાર બંનેય પ્રકારનાં લખાણો પ્રાપ્ત થાય છે. ‘વિવેચનનું વિવેચન’ શીર્ષકના વિસ્તૃત તત્ત્વદર્શી અધ્યયનમાં આપણી બદલાતી કાવ્યભાવના અને તેના સ્વરૂપ વિચારના પ્રશ્નોનું સૂક્ષ્મ સમતોલ અને તટસ્થ દૃષ્ટિએ તેમણે અવલોકન-મૂલ્યાંકન રજૂ કર્યું છે. પણ અહીં આપણે એનો આટલો ઉલ્લેખ કરીને જ થંભીશું. વિવેચનમીમાંસાના પ્રશ્નો સાથે આપણી સીધી નિસ્બત રહી છે. એ દૃષ્ટિએ, ‘આધુનિક વિવેચનના અભિગમો’ શીર્ષકનો તેમનો લેખ અહીં ઘણો ઉલ્લેખનીય બની રહે છે. એમાં આપણી સમકાલીન કૃતિવિવેચનની પ્રવૃત્તિઓનું તેમણે ઘણું મર્મગ્રાહી અવલોકન રજૂ કર્યું છે. છેલ્લા બે અઢી દાયકામાં કૃતિલક્ષી વિવેચનની જે પરંપરા આપણે ત્યાં બંધાઈ તેની રીતિ અને તેમાં લાગુ પડાતાં ધોરણો/કસોટીઓ અને મૂલ્યબોધની આ સમતોલ અને તટસ્થ પરીક્ષા છે. કૃતિવિવેચનમાં નવાં ‘ઓજારો’ના વિનિયોગથી જે સૂક્ષ્મતર રમણીય તત્ત્વોની ઓળખ થઈ શકી, અને આસ્વાદ તીવ્ર બન્યો તેની પૂરી સહૃદયતાથી તેમણે નોંધ લીધી છે, પણ જે રીતે આ પ્રવૃત્તિ ચાલી રહી છે તેમાંનાં ભયસ્થાનો ય તેઓ સ્પષ્ટ જોઈ શક્યા છે. તેમણે અહીં ઊભા કરેલા મુદ્દાઓ આ પ્રમાણે છે :
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?
(૧) આજનો તરુણ વિવેચક ઘણીવાર કૃતિના ‘અર્થ’ની અવગણના કરી, તેની ‘આકૃતિ’ની તપાસમાં પ્રવૃત્ત થાય છે, અને એ નિમિત્તે તે કલ્પન લય ભાષાકર્મ પ્રતીક જેવાં તત્ત્વો ચીંધી બતાવે છે. પણ પ્રતીકાદિના સંદર્ભે ‘અર્થવિસ્તાર’ની વાત કરતાં તેના આધારરૂપ એવા કોઈ ‘અર્થ’નો સ્વીકાર તો ત્યાં થાય જ છે. તો કૃતિવિવેચનમાં આ રીતે ‘અર્થ’ના પ્રશ્નને ટાળવાનું વલણ યોગ્ય છે?
Line 200: Line 206:
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.
(૫) સાહિત્યની કૃતિ કંઈ સમાજ સંસ્કૃતિ કે સમયના સંદર્ભોથી સર્વથા નિરપેક્ષપણે સંભવતી નથી. તેના આસ્વાદ-વિવેચનમાં તેના એવા બાહ્ય સંદર્ભો ય વત્તેઓછે અંશે દ્યોતક નીવડી શકે. એટલે વિવેચકે, કૃતિ જે રીતે અવકાશ રચી આપે તે રીતે, ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં તેને જોવી તપાસવી જોઈએ.
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.
(૬) સાહિત્યની કેવળ સાહિત્ય તરીકેની ઉપાસના પર્યાપ્ત છે? યોગ્ય છે? – એવા પ્રશ્નોય ફરીથી વિચારી જોવાના રહે. સાહિત્યમાં અસ્તિત્વનો જે અંશ રજૂ થાય છે તેને હંમેશાં એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે જ જોવાનો છે કે વિશાળ અસ્તિત્વના એક ભાગ રૂપે? તાત્પર્ય કે, કૃતિના રહસ્યબોધમાં આપણે સહજ જ બાહ્ય જીવનની સાથે ક્યાંક ગહન સ્તરે જોડાતા હોઈએ છીએ. એટલે કૃતિવિવેચનમાં એવા બાહ્ય સંદર્ભોનો વિચાર પણ ઉપકારક નીવડી શકે છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે
ડૉ. હર્ષદ ત્રિવેદી આપણા આગલી હરોળના એક તેજસ્વી અભ્યાસી છે. વિવેચનમીમાંસાને લગતાં થોડાંક ધ્યાનપાત્ર લખાણો આપણને તેમની પાસેથી મળ્યાં છે. એ પૈકી ‘વિવેચકનું કર્તવ્ય’, ‘વિવેચનનો ઐતિહાસિક અભિગમ’ ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’ જેવાં લખાણો ધ્યાનાર્હ છે
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.
‘વિવેચકનું કર્તવ્ય’માં ભાવકની ‘ભાવયિત્રી પ્રતિભા’, સર્જનવ્યાપારથી વિવેચનની ભિન્નતા, વિવેચકની સજ્જતા, વિવેચનનાં ધોરણો, અને વિવેચકની ભૂમિકા – જેવા મુદ્દાઓની સર્વગ્રાહી છણાવટ કરવાનો ઉપક્રમ છે. ‘સાહિત્ય અને ભાષાવિજ્ઞાન’-લેખમાં વિવેચનના ભાષાલક્ષી અભિગમની સંક્ષિપ્ત પણ સરળ ચર્ચા છે.
Line 208: Line 216:
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.
૩. ભિન્ન ભિન્ન યુગના સાહિત્યકારોની રચનાઓમાં પ્રકારો આકારો શૈલીઓ અને રચનાપ્રણાલિઓનું જે વૈવિધ્ય જોવા મળે છે, તેનો ખુલાસો તેની સાહિત્યિક-સાંસ્કૃતિક પરંપરાઓમાંથી મળે છે.
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.
૪. આધુનિક સમયમાં કૃતિના વિવેચન અર્થે – મૂલ્યાંકન અર્થે – જે જે ધોરણો આપણને ઉપલબ્ધ થયાં છે તે લઈને અગાઉના યુગોની કૃતિઓ પાસે જતાં તેને અન્યાય થાય એવી પૂરી સંભાવના છે. દરેક જમાનાને એનું આગવું સાહિત્યશાસ્ત્ર – આગવું રસશાસ્ત્ર – સંભવે છે. આપણી આજની કળામીમાંસા અત્યાર સુધીના વિચારવિકાસમાંથી સંભવી છે. એટલે આપણા સમયનાં વિવેચનનાં ધોરણો તેને લાગુ પાડવાં એ અયુક્ત જ લેખાય.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.
નવી પેઢીના આપણા અગ્રણી અભ્યાસીઓમાં પ્રો. જશવંત શેખડીવાળાની વિવેચનપ્રવૃત્તિ વિવેચ્ય કૃતિ (કે કર્તા કે તાત્ત્વિક પ્રશ્ન) વિશેના તેમના સઘન વિગતસભર અભ્યાસ, વ્યવસ્થિત તર્કબદ્ધ નિરૂપણ અને સ્વતંત્ર નિર્ભીક મંતવ્યોને કારણે નિરાળી તરી આવે છે. ‘સાંપ્રતકાલીન ગુજરાતી વિવેચનમાંના નવપ્રવાહો’૧૫૨ શીર્ષકના લેખમાં આપણી સ્વાતંત્ર્યોત્તર વિવેચનપ્રવૃતિનું તેમણે સઘન અધ્યયન રજૂ કર્યું છે. આગલા યુગની આપણી વિવેચન પ્રવૃત્તિનાં વૃત્તિવલણો નોંધી વર્તમાન વિવેચનની બદલાતી ગતિવિધિઓનો તેમણે એમાં સુપેરે પરિચય આપ્યો છે. તેમણે સ્પર્શેલા બેત્રણ નવીન મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનાર્હ છે. એક, સ્વાતંત્ર્યોત્તર સમયમાં સર્જનના તેમ વિવેચનના ક્ષેત્રે નવાં વિચારવલણો સાથેસાથ જન્મેલાં છે. દેખીતી રીતે જ એની પ્રેરણા પાશ્ચાત્ય સાહિત્યમાં રહી છે. આ નવા સાહિત્યને વિવેચવા-મૂલવવા અગાઉના માપદંડો હવે પર્યાપ્ત નથી. ખાસ કરીને અતિવાસ્તવવાદી, પ્રતીકાત્મક અને અસંગતરંગી (absurd) કૃતિઓના વિવેચન અર્થે સંસ્કૃતના ‘વિભાવ–અનુભાવ-સંચારી ભાવ’ કે ‘બ્રહ્માનંદસહોદર’ જેવાં રસશાસ્ત્રનાં ધોરણો અને તેની પરિભાષા હવે કેવળ અપર્યાપ્ત જ નહિ, અસંગત પણ બની રહે છે. બે, નવા વિવેચનમાં યોજાતી પરિભાષા આમ તો સંસ્કૃત શબ્દ કે સંજ્ઞારૂપ છે, પણ તેના આધુનિક પ્રયોગમાં પાશ્ચાત્ય અર્થ-સંકેતો કે વિભાવો તેણે પ્રગટ કર્યા છે. એ રીતે એના પ્રયોગોને પૂરતા લક્ષમાં લેવાના રહે છે. ત્રણ, નવા વિવેચનમાં ‘સૌંદર્ય’નો ખ્યાલ ઘણો વ્યાપક બન્યો છે. પરંપરાગત વિવેચને જેને કુત્સિત અશ્લીલ કદરૂપું કે ડરામણું ગણ્યું હોય તેવું તત્ત્વ પણ કવિકર્મના બળે રસની કોટિએ પહોંચી શકે છે. ચાર, આપણા તરુણ વિવેચકો અત્યારનાં સર્જનવિવેચન પરત્વે અમુક સમાન અભિગમ ધરાવે છે, એ ખરું, પણ તે બધા કોઈ એક જ સૌંદર્યસિદ્ધાંતવાદ કે વિવેચનશાખાના ‘સંગઠિત અનુયાયી’ નથી, તાત્પર્ય એ દરેકની તાત્ત્વિક ભૂમિકાની તપાસ કરતાં તેમાં ક્યાંક ભિન્નતા રહી હોવાનું જણાશે. આજે વિવેચક પાસે ઘણી મોટી સજ્જતાની અપેક્ષા છે એમ તેઓ કહે છે. વિવેચનશાસ્ત્ર, સૌંદર્યશાસ્ત્ર અને અન્ય લલિત કળાઓનો મર્મજ્ઞ અભ્યાસ પણ તેને હોવો જોઈએ. શ્રી શેખડીવાળાએ આકારલક્ષી વિવેચનપદ્ધતિ ઉપરાંત માનસશાસ્ત્રલક્ષી અને ભાષાલક્ષી અભિગમની ય નોંધ લીધી છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.
નવી પેઢીના અભ્યાસીઓમાં રસિક શાહનું નિજી સ્થાન છે. સુરેશ જોષીની જેમ આધુનિકતાવાદી સાહિત્ય અને વિવેચનમાં તેમની વિશેષ રુચિ રહી છે અને તત્ત્વજ્ઞાન જેવા વિષયમાં તેમની ઊંડી ગતિ રહી છે. ચિંતન વિવેચનના ક્ષેત્રમાં તેમણે જો કે ઝાઝું લખ્યું નથી, પણ જે કોઈ મુદ્દા પર તેમણે લખ્યું તેમાં પાયાના તાત્ત્વિક પ્રશ્નો ઊભા કરવાનું અને એ રીતે બૌદ્ધિક ઊહાપોહ જારી રાખવાનું તેમનું સ્પષ્ટ વલણ દેખાઈ આવે છે. ‘વિવેચન આધુનિક અભિગમ અને આપણાં ગૃહીતો’માં૧૫૩ આપણા વર્તમાન વિવેચનની ગતિવિધિઓને અનુલક્ષીને તેમણે આ રીતે કેટલાક તાત્ત્વિક મુદ્દાઓ ઊભા કર્યા છે. વિવેચન વિષયક અભિગમ પરત્વે મૂળથી ફેરતપાસ કરવાને એમાં તેમણે અનુરોધ કર્યો છે. તેમની ચર્ચાવિચારણાના મહત્ત્વના મુદ્દાઓ આ પ્રમાણે છે.
(૧) આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.
(૧) આપણે ત્યાં હવે વિવેચનનું પણ વિવેચન થવાની જરૂર છે. કૃતિ પાસે જતાં વિવેચકો જે જે ‘વિભાવનાઓનાં ‘માળખાં’ – conceptual framework લઈને જાય છે અને જે જે પદ્ધતિઓનો સ્વીકાર કરે છે તેને વિશે બારીક દૃષ્ટિની ફેરતપાસ કરવાની જરૂર છે. કૃતિવિવેચનોમાં જે જાતના મતભેદો જન્મે છે તે સર્વના મૂળમાં જે તે વિવેચકની ફિલસૂફીને લગતાં ગૃહીતોમાં ફેર હોય છે. એટલે દરેક વિવેચક કયો વાદ વિચાર કે વિભાવના લઈને ચાલે છે તેની, અને તેની પાછળ રહેલાં સ્પષ્ટ અસ્પષ્ટ ગૃહીતોની ફરી ફરીને તપાસ થતી રહે એ જરૂરનું છે.
Line 218: Line 230:
(૫) સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.
(૫) સાહિત્ય વિશેની કેટલીય મૂળભૂત વિભાવનાઓનાં મૂળ ફિલસૂફીમાં રહ્યાં છે. એના ગૃહીતોની ખોજ ચાલુ રહેવી જોઈએ.
(૬) આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.
(૬) આપણા વિવેચન વિશે આપણા અભ્યાસીઓમાં જે કંઈ ‘ફરિયાદ’ છે તેને યથાર્થ રીતે સમજવાને સમીક્ષક પાસે ચોક્કસ frame of reference જોઈએ.
(અ) ‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪
(અ) ‘કલા અને મુખ્યત્વે સાહિત્ય અને વિવેચન વિશે ભાવક-વિવેચક પાસે એક દૃષ્ટિબિંદુ હોય છે – પછી ભલે તેણે એ અસંપ્રજ્ઞાતપણે અપનાવેલું હોય, અને/અથવા અસ્પષ્ટ રાખ્યું હોય. દૃષ્ટિબિંદુથી મુક્ત અથવા પર કોઈ સર્જનવિવેચન હોતું નથી. તાર્કિક રીતે એ દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરી શકાય. ફિલસૂફીના ઇતિહાસનો મોટો ભાગ અધ્યાહાર રહેલા દૃષ્ટિબિંદુને સ્પષ્ટ કરવાના પ્રયત્નરૂપે ઘટાવી શકાય.’૧૫૪
(બ) ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫
(બ) ‘આજના યુગમાં બને ત્યાં સુધી અધ્યાહાર દૃષ્ટિબિંદુથી ચલાવી ન લેવું જોઈએ અથવા સંતોષ ન માનવો જોઈએ. જાગૃત સર્જક, ભાવક અને વિવેચકે દૃષ્ટિબિંદુને બને એટલું સ્પષ્ટ કરવા પ્રવૃત્ત થવું જોઈએ.’૧૫૫
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.
રસિક શાહ નોંધે છે કે આપણા વર્તમાન વિવેચનના સંદર્ભમાં ‘સર્જન’ ‘પરિશીલન’ અને ‘વિવેચન’ની તાત્ત્વિક વિચારણાઓની તપાસમાં પોતે આ બે પાયાનાં ગૃહીતો સ્વીકારીને ચાલ્યા છે. શ્રી જશવંત શેખડીવાળા અને આ અવલોકનકારના વર્તમાન ગુજરાતી વિવેચન વિશેનાં લખાણોની તેમણે નોંધ લીધી છે. તેમજ, સુરેશ જોષી અને ઉમાશંકર જોશીની કાવ્યવિભાવના વિશેની આ અવલોકનકારની મુખ્ય ભૂમિકા પુરસ્કારતા છતાં સર્જકતા વિશેના એક મુદ્દામાં છતી થતી તાર્કિક મુશ્કેલી અંગે ધ્યાન દોર્યું છે. આ સંદર્ભમાં રસિક શાહે નોંધ્યું છે કે વિવેચનના તાત્ત્વિક પ્રશ્નોની વિચારણામાં છેવટે (૧) ગૃહીત કેવું હોવું જોઈએ, (૨) આંતરસંગતિવાળું ગૃહીત કેવું હોય, (૩) ગૃહીત યોગ્ય અને જરૂરી છે કે નહિ, અને (૪) ગૃહીતની ચકાસણી કેવી રીતે થાય – એવા તાર્કિક પ્રશ્નોની છણાવટ કરવાની રહે.
(૭) કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’
(૭) કળાકૃતિનું સ્વતંત્ર સ્વાયત્ત અસ્તિત્વ જેઓ મૂળ ગૃહીત તરીકે સ્વીકારે છે તેમને માટે પછી પ્રાણભૂત પ્રશ્ન એક જ રહે છે : ‘વ્યવહારના તથ્યનું કલાના સત્યરૂપે રૂપાન્તર સર્જક શી રીતે કરે છે? અને એની ઉપપત્તિ એ કે વિવેચનનું પાયાનું કર્તવ્ય તે કૃતિની ભાષા અને રચનારીતિની તપાસ માત્ર બની રહે છે.’ બીજી રીતે – ‘વિવેચનનું કાર્ય કાવ્યકૃતિનું જુદાં જુદાં દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરીને કયા સંઘટનસૂત્રથી અથવા ઋતથી વિશ્લેષ્ય ઘટકોનું અનુસંધાન થાય છે, અને એ રીતે કૃતિ સમગ્રતાનું સ્વરૂપ પામે છે, એ તરફ નિર્દેશ કરીને કૃતિનું structure પ્રગટ કરવાનું છે.’
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.
રસિક શાહની આ વિચારણા ઘણી ધ્યાનાર્હ છે. સાહિત્યના સિદ્ધાંતવિચાર કે કૃતિવિવેચનમાં પ્રવૃત્ત થતો વિવેચક સ્પષ્ટઅસ્પષ્ટ રૂપમાં અમુક ગૃહીતો સ્વીકારીને ચાલતો હોય છે. પોતે એ વિશે હંમેશાં સભાન હોય જ એવું નથી, પણ વિવેચનમાં ચોકસાઈ આવે, તર્કબદ્ધતા અને આંતરસંગતિ સાધી શકાય, તે માટે એવાં ગૃહીતોની ખોજ કરવી જોઈએ, એટલું જ નહિ, પોતે સ્વીકારેલાં આવાં વિભિન્ન ગૃહીતો વચ્ચે મેળ છે કે કેમ તે ય તપાસી જોવાનું રહે છે. તેમણે એક વાત એ કહી કે વિવેચક પાસે કૃતિને જોવાનું એક દૃષ્ટિબિંદુ હોવું જોઈએ. આવા કોઈ દૃષ્ટિબિંદુ વિના કૃતિની સંકુલ સૃષ્ટિને અવગત કરવાનું મુશ્કેલ છે. ત્રીજો મુદ્દો એ કહ્યો કે કૃતિ પાસે આપણે વિભાવનાઓનું અમુક માળખું લઈને જઈએ છીએ, અને એ વિભાવનાઓના પ્રકાશમાં જ આપણે કૃતિની સંકુલતાનું આકલન કરી શકીએ છીએ એ રીતે તો વિભાવનાઓના માળખામાં રહીને જ આપણે કૃતિનાં કલાતત્ત્વોને ઓળખી શકીએ અને વિભાવનાઓ બતાવે તેટલું જ આપણે જોઈ શકીએ અને ઘટાવી શકીએ. રસાસ્વાદમાં, અલબત્ત, જે perceptions પામ્યા હોઈએ તે અને કૃતિનાં એ perceptions પછીના conception વચ્ચે અંતર રહી જ જાય છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.
તત્ત્વજ્ઞાન ભાષાવિચાર અને સાહિત્યમીમાંસા સાથે કામ પાડવાનો એક સમર્થ ઉપક્રમ ડૉ. મધુસૂદન બક્ષીએ ‘ભાષાલક્ષી તત્ત્વજ્ઞાન અને સાહિત્યવિવેચન’૧૫૬ શીર્ષકના લેખમાં સ્વીકાર્યો છે. ભાષાના તત્ત્વજ્ઞાનને સાહિત્યના અર્થબોધ સાથે સાંકળવાનો આ જાતનો પ્રયત્ન અગાઉ ભાગ્યે જ થયો હશે. આધુનિક સમયમાં શબ્દાર્થવિજ્ઞાન (semantics) જે રીતે અર્થતત્ત્વ વિશે તાત્ત્વિક વિચારણા વિકસાવવા મથી રહ્યું છે તેની સાથે ડૉ. બક્ષીએ અહીં અનુસંધાન કેળવ્યું છે. વિવેચન અર્થે linguistic અને epistemological categories સ્પષ્ટ કરવાનો તેમનો આ પ્રયત્ન ઘણો ધ્યાનપાત્ર છે. ભાષાલક્ષી તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં અત્યારે ‘તાર્કિક અનુભવવાદ’ અને ‘સામાન્ય-ભાષાનું તત્ત્વજ્ઞાન’ એવા બે ‘સંપ્રદાયો’ ચાલે છે તેનો નિર્દેશ કરી બંને, ભાષા પ્રત્યે કેવો ભિન્ન અભિગમ લે છે તે તેમણે બતાવ્યું છે. બંનેની પ્રેરણા, અલબત્ત, વિટ્‌ગેન્સ્ટાઈનમાં બતાવી શકાય એમ તેઓ કહે છે. વિવેચનની ભૂમિકા રચવા વિટ્‌ગેન્સ્ટાઈનના આ વિશેના ખ્યાલો તેમણે સ્પષ્ટ કર્યા છે. વિવેચનની પરિભાષા માટે વિટ્‌ગેન્સ્ટાઈનને language gamesનો ખ્યાલ રસપ્રદ નીવડી શકે એવી તેમની માન્યતા છે. સાહિત્યકૃતિના અર્થબોધ વિશેની આ ચર્ચા આપણી વિવેચનમીમાંસાને એક નવું જ પરિમાણ અર્પે છે. વિવેચનનો એક સૌથી વધુ વિવાદાસ્પદ પ્રશ્ન તે તેના અર્થબોધનો છે, સર્જનસાહિત્યનાં તેમ વિવેચનનાં વિધાનોની પણ તાર્કિક તપાસનો છે. ડૉ. બક્ષીએ અહીં એ રીતે વિવેચનમીમાંસાના વિકાસની નવી દિશામાં સંકેત કર્યો છે.
{{Poem2Close}}
{{center|.}}
{{Poem2Open}}
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.
આપણા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. શિરીષ પંચાલનું વિવેચનકાર્ય હવે આપણા વિવેચનમાં મહત્ત્વપૂર્ણ પ્રદાન બની રહે છે. તેમની દૃષ્ટિરુચિ પણ વિશેષતઃ પાશ્ચાત્ય આધુનિક સાહિત્ય અને તજ્જન્ય વિવેચનવિચારના અધ્યયન-પરિશીલનથી સંસ્કારાયેલી છે. વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે તેમણે કેટલાંક અધ્યયનપૂત લખાણો પ્રગટ કર્યાં છે.
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.
તેમનો આરંભકાળનો એક લેખ ‘વિવેચન પદ્ધતિ વિશે’,૧૫૭ શીર્ષક સૂચવે છે તેમ, વિવેચનની પદ્ધતિઓને લગતા તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શવા ચાહે છે. એમાં રજૂ થયેલી ચર્ચામાં, કેટલુંક અસ્પષ્ટ કે ચિંત્ય કોટિનું રહી ગયેલું લાગશે. પણ આ દિશાની વિચારણામાં પ્રારંભના પ્રયત્ન લેખે એનું અમુક મહત્ત્વ રહે જ છે. સુરેશ જોષીની જેમ તેઓ પણ આપણા વર્તમાન વિવેચનમાં વ્યાપી રહેલી ‘અરાજકતા’ સામે ફરિયાદ કરે છે. તેમનું એમ કહેવું છે કે ‘સંજ્ઞા પરિભાષાથી માંડીને તે મૂલ્યાંકન સુધીની ભૂમિકાઓમાં આપણે ત્યાં શાસ્ત્રીયતાનો અભાવ છે. સાહિત્યનું મૂલ્યાંકન, વિવેચન કરે છે, પણ વિવેચનનું વિવેચન થઈ શકે એ પ્રકારની વિવેચન વિશેની સૈદ્ધાંતિક પીઠિકાનો અભાવ પણ પ્રવર્તે છે.’ તેમનાં આ નિરીક્ષણો એકંદરે સાચાં હોવાનું લાગશે. તેઓ આ સંદર્ભમાં સ્પષ્ટતા કરે છે કે વિવેચનની તાત્ત્વિક પીઠિકા રચવામાં તર્કશાસ્ત્ર, મનોવિજ્ઞાન, નૃવંશશાસ્ત્ર આદિ જ્ઞાનવિજ્ઞાનનો ફાળો રહેવાનો એટલે, જે તે ભાષામાં આ જાતના જ્ઞાનવિજ્ઞાન વિકસ્યાં હશે અને સાહિત્યવિચારમાં તેનો વિનિયોગ થયો હશે તો જ તેનું વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો સાથે અનુસંધાન થઈ શકશે.
Line 240: Line 255:
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.
‘છેલ્લા દાયકાનું વિવેચન’ તેમનો એક બીજો ઘણો મહત્ત્વપૂર્ણ લેખ છે. આધુનિકતાવાદના પ્રભાવ નીચે આપણે ત્યાં સર્જનવિવેચનના ક્ષેત્રે જે નવાં વલણો સક્રિય બન્યાં તેની અને વિવેચનના નવા અભિગમોની તેમણે એમાં સંગીન અધ્યયનલક્ષી ચર્ચા કરી છે. સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદ અને રૂપવાદી વિવેચનની તાત્ત્વિક ભૂમિકા સ્પષ્ટ કરી પરંપરાગત વિવેચનવિચારની સામે તેની પ્રતિષ્ઠા કરી છે, અને ગુજરાતીના અભ્યાસીઓએ ચર્ચેલા વિવેચનાત્મક મુદ્દાઓની સૂક્ષ્મ દૃષ્ટિએ ફેરતપાસ પણ હાથ ધરી છે. રૂપવાદી અભિગમ પછી બંધારણવાદી ચૈતન્યવાદી અને તુલનાત્મક અભિગમ જે રીતે આપણે ત્યાં ચર્ચાવા લાગ્યો છે. તેની ય તેમણે સમીક્ષાત્મક નોંધ લીધી છે.
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.
‘કવિતાનો આસ્વાદ અને ગુજરાતી વિવેચન’ લેખમાં સુરેશ જોષીથી આરંભાયેલી આપણી આસ્વાદ પ્રવૃત્તિનું – મુખ્યત્વે મનસુખલાલ ઝવેરી, યશવંત ત્રિવેદી, હરીન્દ્ર દવે, ઉશનસ્‌ અને જયંત પાઠકના ગ્રંથસ્થ આસ્વાદોનું – સમીક્ષાત્મક અવલોકન તેમણે રજૂ કર્યું છે, અને આસ્વાદને નામે આ પ્રવૃત્તિમાં જે જાતના દોષો પ્રવેશી ગયા છે તેના તરફ સ્પષ્ટ અંગુલનિર્દેશ કર્યો છે.
૧૦
{{Poem2Close}}
{{center|૧૦.}}
{{Poem2Open}}
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.
નવી પેઢીના આપણા તેજસ્વી અભ્યાસીઓમાં ડૉ. ચન્દ્રકાન્ત ટોપીવાળાએ પોતાની કારકિર્દીના આરંભથી જ આગવી કેડીએ ચાલવાનું પસંદ કર્યું છે. સાહિત્યકૃતિઓના અધ્યયનવિવેચનમાં ભાષાલક્ષી ઝોક તેમના છેક આરંભનાં વિવેચનોથી જોવા મળશે. તેમના પ્રથમ વિવેચનગ્રંથ ‘અપરિચિત અ અપરિચિત બ’માં રજૂ થતા કાવ્યવિચારમાં તેમ તેમાં સંગ્રહિત કૃતિવિવેચનોમાં તેમની નજર કાવ્યભાષા પર રહી છે. ‘મધ્યમાલા’ના લેખોમાં સંત કવિઓની રચનાઓ વિશે પરિચય આપતાં તેઓ તેમાં ભાષાદૃષ્ટિએ તપાસ કરવા પ્રેરાયા છે. તાજેતરમાં પ્રગટ થયેલા ગ્રંથ ‘પ્રતિ-ભાષાનું કવચ’માં સિદ્ધાંતવિચારનાં તેમ કૃતિવિષયક તેમણે જે જે અધ્યયનો/વિવેચનો રજૂ કર્યાં છે તેમાં તેમના ભાષાલક્ષી અભિગમની ભૂમિકા સમજવાને પૂરતી ચર્ચાઓ મળે છે. કાવ્યની સિદ્ધાંતચર્ચામાં જો કે અનેક સંદર્ભે વિચારણીય મુદ્દાઓ પણ પડ્યા છે. પણ અહીં તેના અવલોકન અર્થે અવકાશ નથી. એટલે, એટલું જ નોંધીશું કે ભાષાલક્ષી અધ્યયન/વિવેચનની ક્ષમતા અને સીમા સમજવાને આ ગ્રંથનાં લખાણો ઠીકઠીક દ્યોતક નીવડી શકે છે.
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.
આરંભથી જ ડૉ. ચન્દ્રકાન્તે કવિતાની આગવી વિભાવના રચવાનો પ્રયત્ન કર્યો છે. તેમનું મુખ્ય વક્તવ્ય એ રહ્યું છે કે કવિતા એ ‘ભાષાની કલા’ છે. સર્જક કવિ ભાષાની સાથે કામ પાડે છે અને ‘નવી ભાષા’ જન્માવે છે. સાહિત્યના આસ્વાદમાં આથી ‘ભાષાસંવેદન’ જ મુખ્ય વસ્તુ છે. આગલા યુગોમાં કવિતાએ લગભગ હંમેશાં જ્ઞાનવિજ્ઞાન કે વિચારોના વાહન તરીકેનું કામ આપ્યું છે. કહો કે ફિલસૂફી અધ્યાત્મવિચાર સમાજદર્શન કે બીજા કોઈ પણ તત્ત્વબોધને ઝીલવા કવિતાએ ‘માધ્યમ’ તરીકે (કે ‘સાધન’ તરીકે) જ કામ આપ્યું છે. સ્વાભાવિક રીતે જ એમાં કાવ્યભાષા પણ કવિને પૂર્વજ્ઞાત અને ઇષ્ટ એવા વિચાર કે દર્શનના વર્ણન અર્થે પ્રયોજાતી રહી છે. અને એ સમયના ભાવકો/વિવેચકો પણ એવી કૃતિઓમાંથી ઘણું ખરું તો કવિના વિચાર કે દર્શનને પકડવા આતુર રહેતા જણાશે. કવિના ભાષાકર્મનો અને તેમાં જ નિહિત રહેલા ‘ભાષાસંવેદન’નો તેમને ખાસ સંપર્ક નહોતો. એટલે, પરંપરાગત અધ્યયન/વિવેચનમાં કવિકર્મ જે રીતે ભાષા દ્વારા અને ભાષાની અંતર્ગત ચાલે છે તે પ્રક્રિયા વિશે તેમની સભાનતા કેળવાઈ નહોતી. સર્જક જો પોતાના વિચારોને ભાષામાં માત્ર ‘અનુવાદ’ કરીને ચાલતો, તો ભાવક એ ‘અનુ-વાદ‘માં મૂળના એ વિચારને પકડવા પૂરતો પ્રવૃત્ત થતો. ડૉ. ટોપીવાળાએ પાશ્ચાત્ય કાવ્યવિચાર વિશેના પોતાના અધ્યયન-પરિશીલનમાંથી અસંખ્ય અવતરણો આપીને પોતાનો આ જાતનો મુદ્દો પ્રસ્થાપિત કરવા પ્રયત્ન કર્યો છે.
Line 259: Line 276:
૯. લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.
૯. લેખકને પોતાની કૃતિ દ્વારા કશું ‘કહેવાનું’ હોતું નથી ભાષા સાથેનો ‘સાતત્યભર્યો સંઘર્ષ’ – ‘સર્જનશીલ સંઘર્ષ’ એ જ તેનું લેખકકર્મ.
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.
ડૉ. ચંદ્રકાન્તે બાર્થની આ જે વિચારણા રજૂ કરી છે તે સાહિત્યની પરંપરાગત વિભાવનાથી ઘણી ભિન્ન છે અને તે વિવાદમુક્ત નથી અહીં તેની સમીક્ષાને અવકાશ નથી માત્ર એટલું જ નોંધીશું કે આ જાતનું ભાષા-કેન્દ્રિત દૃષ્ટિબિંદુ સાહિત્યના સ્વરૂપને સમજવામાં ઝાઝું ઉપકારક નહિ થાય, સર્જનાત્મક કૃતિની કે સર્જકની વૈયક્તિક વિશિષ્ટતાઓના પ્રશ્નોની અહીં મૂળથી જ અવજ્ઞા થયેલી જણાય છે.
૧૧
{{Poem2Close}}
{{center|૧૧.}}
{{Poem2Open}}
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.
આપણા વિવેચનક્ષેત્રમાં અર્પણ કરનારા નવી પેઢીના અભ્યાસીઓમાં ડૉ. સુમન શાહ હવે સુપ્રતિષ્ઠિત બન્યા છે. પશ્ચિમના આધુનિક સાહિત્ય અને વિવેચનવિચારના સઘન પરિચયથી તેમની સાહિત્યદૃષ્ટિ અને રુચિ પરિમાર્જિત થતી રહી છે. આપણા વિવેચનસાહિત્યની ગતિવિધિઓ વિશે સુરેશ જોષીની જેમ તેમણે ય અસંતોષ વ્યક્ત કર્યો છે, તે સાથે આધુનિક અને અનુ-આધુનિક વિવેચનવિચાર આપણે ત્યાં પ્રતિષ્ઠિત કરવા તેમણે પણ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો છે. એ રીતે વિવેચનના અભિગમો અને તેની તાત્ત્વિક વિચારણાઓ સાથે તેમણે પણ સતત નિસ્બત કેળવી છે. પરિણામરૂપે આ વિશે કેટલાંક મહત્ત્વપૂર્ણ લખાણો આપણને તેમની કનેથી પ્રાપ્ત થઈ શક્યાં છે.
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.
આપણા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર ડૉ. સુરેશ જોષીના સર્જનવિવેચનની ઊંડી સમગ્રલક્ષી તપાસ તેમણે પીએચ.ડી.ની ઉપાધિ માટેના મહાનિબંધમાં હાથ ધરી હતી, જે હવે ‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ શીર્ષકથી તેમણે પ્રકાશિત કર્યો છે. સુવિદિત છે તેમ, સુરેશ જોષી દ્વારા આપણા સ્વાતંત્ર્યોત્તર સાહિત્યમાં—સર્જન વિવેચન બંને ય ક્ષેત્રમાં–મોટા વળાંકો આરંભાયા, અને આપણા સાહિત્યના ઇતિહાસની એ એક અફર ઘટના બની રહે છે. એટલે તેમના સર્જનવિવેચનના અધ્યયનસંશોધનનું સહજ જ વિશેષ મૂલ્ય ઊભું થાય છે. પણ અહીં પ્રસ્તુત મુદ્દો જરા જુદો છે : એ મહાનિબંધમાં ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ શીર્ષકના ખંડમાંનું અધ્યયન વિવરણ, સુરેશ જોષી દ્વારા પુરસ્કૃત રૂપવાદી કળામીમાંસા અને તેમાંથી ફલિત થતા રૂપવાદી વિવેચન (કે આકારવાદી વિવેચન)ને સમજવા ઘણી મહત્ત્વપૂર્ણ ભૂમિકા રચી આપે છે. નોંધવું જોઈએ કે સુરેશ જોષીએ સાહિત્યકળા અને વિવેચનના તાત્ત્વિક પ્રશ્નો વિશે સતત જે રીતે ચર્ચાવિચારણાઓ કરી તે લગભગ બધી જ છૂટક લેખોના રૂપમાં આવી છે તેમની મુખ્ય ભૂમિકા અલબત્ત રૂપવાદી કળા અને વિવેચનની છે. પણ તેઓ જેમ જેમ પશ્ચિમના વિવેચનના નવા નવા વાદો અને વિચારણાઓનો પરિચય કરતા અને કરાવતા ગયા, તેમ તેમ પોતાની મૂળ ભૂમિકાની નવેસરથી વ્યાખ્યા કરવા, નવી વિચારણાને પોતાની ભૂમિકા સાથે સાંકળી લેવા, તેમ તેની આલોચના કરવા તેઓ પ્રેરાયા છે. એમાં એ રીતે પુનરાવર્તન પણ ઠીક ઠીક થવા પામ્યું છે. આવી વેરવિખેર પડેલી ચર્ચાવિચારણાઓમાંથી સુરેશ જોષીને ઇષ્ટ એવી રૂપવાદી વિચારણાનું સમુચિત આકલન કરવાનું, તેમાંથી વ્યવસ્થિત સુગ્રથિત અને આંતરસંગતિવાળો સિદ્ધાંત રચવાનું તેમ જ તેના સૂચિતાર્થો સ્પષ્ટ કરવાનું કે ઘટાવવાનું મુશ્કેલ કાર્ય ડૉ. સુમન શાહને ફાળે આવ્યું હતું જે તેમણે સુપેરે પાર પાડ્યું છે, એમ કહી શકાય કે સુરેશ જોષીની હમણાં સુધીની (મતલબ, મહાનિબંધ લખાઈ ચૂક્યો ત્યાં સુધીની) વિચારણાઓ પાછળ જે રીતનું aesthetics રહ્યું હતું તેને સમગ્રમાં જોવાને આ ખંડનું અધ્યયન-સંશોધન ઘણું દ્યોતક બની રહે છે. રૂપલક્ષી કળા અને રૂપલક્ષી વિવેચન વિશેની આ તપાસમાં અનેક મુદ્દાઓ સ્પર્શાયા છે, તેની વિસ્તૃત નોંધ લેવાને અહીં અવકાશ નથી. અને આમેય સુરેશ જોષી વિશેના ખંડકમાં તેમની મુખ્ય ભૂમિકા આપણે સ્પર્શી ચૂક્યા છે, એ કારણે ય અહીં તેનું પુનરાવર્તન કરીશું નહિ. અહીં એટલું જ સૂચવીશું કે સુરેશ જોષીએ પુરસ્કારેલા રૂપવાદી અભિગમ વિશે તેમ જ તેમણે ચર્ચેલા અન્ય અભિગમો અને તેના પ્રશ્નો વિશે ડૉ. સુમન શાહે અહીં સરસ પરિપ્રેક્ષ્ય પૂરો પાડ્યો છે.
Line 270: Line 289:
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.
‘વિવેચનની દિશા અને દશા’ની લેખશ્રેણીમાં આપણી વિવેચનાની ગતિવિધિઓને અવલોકવાનો નિજી કહી શકાય તેવો તેમનો દૃષ્ટિકોણ કામ કરી રહ્યો છે. આપણા વિવેચનના સર્વતોમુખી વિકાસની ઉદાત્ત ભાવના જ તેમને આપણી વર્તમાન પરિસ્થિતિનું કડક નિરીક્ષણ કરવા પ્રેરે છે.
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.
“માકર્‌સવાદી સાહિત્યમીમાંસા : કેટલાક વાંધા’ શીર્ષકનું તેમનું લખાણ, ૧૬-૧૭ જુલાઈ ‘૮૩માં અમદાવાદમાં માર્ક્‌સવાદી સાહિત્યવિચારને લગતો જે પરિસંવાદ થયો તેમાંનાં વક્તવ્યોને લક્ષીને સમીક્ષા રૂપે જન્મ્યું છે. તેમણે દર્શાવેલા પાંચ વાંધાઓ આ પ્રમાણે છે. (૧) માકર્‌સવાદી અભિગમમાં વ્યક્તિની subjectivityનું અવમૂલન થવા પામ્યું છે. (૨) એમાં કલાની ક્રાન્તિશીલતાનું જ્ઞાન–ભાન નથી. (૩) ઍસ્થેટિક ફૉર્મનું એમાં સમુચિત આકલન નથી. (૪) સાહિત્ય, ભાષાને લઈને કદી હિસ્ટોરિકલ મટિરિયાલિઝમને બાધક કે ઘાતક નથી. (૫) માકર્‌સવાદી વિવેચના સાહિત્ય-કલા-વિવેચના રહીને જ તેમ બની શકે.
૧૨
{{Poem2Close}}
{{center|૧૨.}}
{{Poem2Open}}
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.
તરુણ કવિ અને અભ્યાસી મધુ કોઠારીએ સાહિત્યના અધ્યયન-વિવેચન અર્થે સ્વીકારાતા મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે કેટલોક વિચારવિમર્શ હાથ ધર્યો છે. પોતાના પ્રથમ પુસ્તક ‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’માં મુખ્યત્વે ફ્રૉય્‌ડ અને યુંગની વિચારસરણીઓને કેન્દ્રમાં રાખી તેમણે ચર્ચા કરી છે. તેમના બીજા પુસ્તક ‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ અને ‘આધુનિક કવિતામાં ‘Myth, Historic, Psycho-Symbol’ જેવા લેખો ય આ અભિગમને સ્પર્શે છે. નોંધવું જોઈએ કે પશ્ચિમમાં સર્જકનું માનસ, સર્જનપ્રક્રિયા, કૃતિનું બંધારણ અને ભાવકનો સાહિત્યિક પ્રતિભાવ—એમ બધી બાજુએથી વૈજ્ઞાનિક રીતે ઊંડું અધ્યયન થવા લાગ્યું છે. મનોવિજ્ઞાનની વિકસતી વિચારણાઓએ એ અભિગમની તપાસમાં નવાં પરિમાણો ઊભા કર્યાં છે. આપણે ત્યાં આ દિશામાં આછુંપાતળું કહી શકાય તેવું વિવેચન પણ ખાસ નહોતું. એ સંયોગોમાં મધુ કોઠારીની આ અધ્યયનપ્રવૃત્તિ કંઈક ધ્યાનાર્હ બની રહે છે.
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.
‘સાહિત્યવિવેચનામાં મનોવૈજ્ઞાનિક અભિગમ’ એ પુસ્તક આઠ પ્રકરણમાં વહેંચાયું છે. પહેલું પ્રસ્તાવના રૂપ પ્રકરણ આ અભિગમનું મહત્ત્વ સ્પષ્ટ કરવાને રજૂ થયું છે. સર્જનાત્મક સાહિત્યના ક્ષેત્રે આપણે ત્યાં મોટા વળાંકો આવતા રહ્યા છે, સર્જનનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. પણ એને મૂલવવાને આવશ્યક નવાં parameters આવ્યાં નથી એમ તેઓ કહે છે. તેમની એ વાતમાં ઘણું તથ્ય છે. વળી આપણે ત્યાં નવી કવિતા–સ્વાતંત્ર્યોત્તર સમયની કવિતા—જે રીતે કવિચિત્તના અજ્ઞાત સ્તરનાં સંવેદનોને પ્રકટ કરતી થઈ, અને તેના અધ્યયન-વિવેચન અર્થે આ જાતના interdisciplinary approachની મોટી અનિવાર્યતા ઊભી થઈ ત્યારે પણ, આપણું વિવેચન એવે વખતે જરૂરી માળખું પૂરું પાડી શક્યું નથી એમ તેઓ કહે છે. મનોવૈજ્ઞાનિક અભિગમ વિશે સ્પષ્ટતા કરતાં તેઓ કહે છે : ‘કવિતાનું સીધુ સાદું મનોવૈજ્ઞાનિક પરિભાષામાં કરેલું વિવરણ વધુ ફળદાયી નીવડી શકે એવું લાગે છે. મનોવિજ્ઞાનલક્ષી વિવેચનમાં આપણે શું હોવું જોઈએ – તેવાં મૂલ્યોની ચર્ચા કરી શકીએ નહીં. કારણ કે મનોવિજ્ઞાન કેટલેક અંશે descriptive છે, નહીં કે nomative, અમુક કવિતા સારી છે કે ખરાબ એવું વિધાન આવો વિવેચક કરી શકે નહીં.’ તો આપણે નોંધવાનું રહે છે કે આ રીતે આ અભિગમ સર્જક કે ભાવકચિત્તની ઘટનાઓ વિશે ખુલાસાઓ આપી શકે, પણ કૃતિની ઉચ્ચાવચતાનાં ધોરણો રચી આપી શકે નહિ. મનોવૈજ્ઞાનિક અભિગમથી કૃતિની તપાસ કરવામાં આવે ત્યારે પણ psychological explanation એ કૃતિના ‘અર્થ’નો આંશિક ખુલાસો જ બની શકે, સમગ્ર કૃતિનો રહસ્યબોધ એ નથી જ.
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.
બીજા પ્રકરણનો વિષય ધ્યાનપાત્ર છે : સર્જનપ્રક્રિયા પાછળનાં મનોવૈજ્ઞાનિક પરિબળો, એમાં સર્જનને પ્રેરતાં માનસિક બળોનો –આવેગમુકિત, મનોવૈજ્ઞાનિક જરૂરિયાત, લઘુતાગ્રંથિ સામે સંપૂર્તિ, પરપીડનવૃત્તિ, અનુકૂલન આદિનો – વિચારવિમર્શ કરવામાં આવ્યો છે. એ ચર્ચામાં ફ્રોય્‌ડને અભિમત unconsciousનો ખ્યાલ પાયામાં રહ્યો છે. તેઓ દર્શાવે છે કે ગાંધીયુગની કવિતા (અને તેનાં પ્રતીકોય) ચેતન સ્તરની નીપજ હતી, જ્યારે એ પછીની કવિતા અચેતનની અભિવ્યક્તિ છે. બીજી રીતે કહીએ તો, અગાઉની કવિતા ego કે super egoના સ્તરેથી આવતી હતી, જ્યારે સ્વાતંત્ર્યોત્તર કવિતા id માંથી જન્મી છે. સંસ્કૃતિ નીતિમત્તા સદાચાર આદિના નિષેધોથી તે મુક્ત છે. મધુ કોઠારીનું આ અવલોકન ઘણે અંશે સ્વીકારી શકાય તેવું છે. પણ પૂરતાં દૃષ્ટાંતો લઈને તેમણે આ ચર્ચાને વિકસાવી નથી. પ્રકરણ ત્રીજામાં કવિનું વ્યક્તિત્વ અને ચોથામાં વિવેચકનું મનોવૈજ્ઞાનિક વિશ્વ, તેમણે આ જ રીતે અધ્યયનનો વિષય બનાવ્યું છે. અહીં પણ તેમનું અધ્યયન-ચિંતન પૂરતાં દૃષ્ટાંતોના અભાવે કંઈક ઊણું રહી જાય છે. પાંચમા પ્રકરણમાં ‘સાપ’ અને ‘શબ’ એ બે પ્રતીકોનો મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ વિચારવિમર્શ કર્યો છે. અહીં તેમણે દૃષ્ટાંતો ઘણાં લીધાં છે, પણ એ પ્રતીકો કવિચિત્તમાં કેવી રીતે બંધાવા પામે, અથવા કવિચિત્તની અમુક વૃત્તિઓ લાગણીઓ એમાં શી રીતે સાકાર થાય, શી રીતે આવું strange પ્રતીકાત્મક રૂપ લે – તે વિશે પૂરતો ખુલાસો આપ્યો નથી. યુંગનો archetypes – આદિમરૂપનો વિચાર છઠ્ઠા પ્રકરણમાં અને ‘સૂરજ’નો એક archetype તરીકેનો વિચાર સાતમામાં થયો છે. છેલ્લા આઠમા પ્રકરણમાં જયંત પાઠકની રચના ‘મૃત્યુ’નું મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ ‘રસદર્શન’ કરાવવાનો ઉપક્રમ છે. એકંદરે, મનોવૈજ્ઞાનિક અભિગમનો પ્રાથમિક પરિચય મેળવવાને આ પુસ્તક કામ આવે એવું છે.
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.
‘શોરગુલ’માં ‘સાહિત્યમાં ફ્રોઇડવાદ’ શીર્ષકનો લેખ ફ્રોઇડની આ વિષયની વિચારણા અને સાહિત્યના અધ્યયન અર્થે તેની પ્રસ્તુતતાના મુદ્દાને ફરી વિગતે છણે છે. ‘આધુનિક કવિતામાં Myth, Historic, Psychosymbol’ શીર્ષકનો લેખ, આમ તો શીર્ષક જોતાં, ઘણો મહત્ત્વાકાંક્ષી લાગે છે; પણ સંગીન અધ્યયનની ભૂમિકા એમાં નથી. ‘સમાજશાસ્ત્રીય વિવેચનનું સ્વરૂપ’ એ લેખ પણ આપણે ત્યાં બહુ ઓછા ચર્ચાયેલા એવા એક મુદ્દાને લક્ષે છે, અને એ રીતે ચોક્કસ ધ્યાનપાત્ર છે. પણ ચર્ચા ઘણી સંક્ષિપ્ત છે. આવા વણખેડાયેલા વિષયમાં કોઈ સંગીન વિસ્તૃત અધ્યયન રજૂ થાય એવી અપેક્ષા રહે છે, પણ એ પૂરાતી નથી. છતાં તેમનો આ ઉપક્રમ જરૂર આવકાર્ય ઠરે છે.
૧૩
{{Poem2Close}}
{{center|૧૩.}}
{{Poem2Open}}
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.
તરુણ પેઢીના સર્જકોવિવેચકોમાં શ્રી રઘુવીર ચૌધરી (‘કવિતાનું કૃતિલક્ષી વિવેચન’ લેખ), ડૉ. ભોળાભાઈ પટેલ (‘ગુજરાતી સાહિત્યનો આઠમો દાયકો : વિવેચન’ લેખ), સ્વ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (‘૧૯૪૫ પહેલાંના ગુજરાતી સાહિત્યવિવેચનના કેટલાક પાયાના સંપ્રત્યયો’), ડૉ. દિગીશ મહેતા (‘ઈમેઝ : વિવેચનના એક ઓજાર તરીકે’ અને ‘સિદ્ધાંતવિવેચનમાં પ્રત્યક્ષની ઉપેક્ષા’), ડૉ. રમણ સોની (‘છેલ્લા બે દાયકાનું ગુજરાતી વિવેચન’), ડૉ દિલાવરસિંહ જાડેજા (‘વિવેચનનું વિવેચન’), શ્રી રાધેશ્યામ શર્મા (‘કાવ્ય-આસ્વાદનાં આધુનિક ઓજારો’), ડૉ. પ્રકાશ મહેતા (‘તુલનાત્મક અધ્યયન’), ડૉ. સિતાંશુ મહેતા (‘સીમાંકન અને સીમોલ્લંઘન : ઉમાશંકર જોશી અને એલન ગિન્સ બર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ’) આદિ અભ્યાસીઓ આપણા વિવેચનતત્ત્વવિચારના કોઈ ને કોઈ મુદ્દાને છણતા હોવાનું જોઈ શકાશે. ઉપરાંત, ડૉ. હસમુખ દોશી, ડૉ. મફત ઓઝા, ડૉ. સુભાષ દવે, ડૉ. ધીરુ પરીખ, ડૉ. સુરેશ દલાલ આદિ અભ્યાસીઓ પણ આ વિશેની ચર્ચામાં જોડાયા છે.
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.
આ લખનારે પણ આ વિશે કેટલાંક લખાણો પ્રગટ કર્યાં છે તેનો નમ્રભાવે નિર્દેશ કરવાનો રહે. (૧) ‘વિવેચન’ની સંજ્ઞા વિશે (૨) ‘કૃતિવિવેચનના ત્રણ પ્રશ્નો’ (૩) ‘આપણા સાહિત્યમાં પ્રકારલક્ષી વિવેચન’ (૪) ‘આકૃતિવાદ’ની ભૂમિકામાં (૫) ‘નવ્ય વિવેચનની ભૂમિકા’ (૬) ‘વિવેચનનું તત્ત્વજ્ઞાન’ (૭) ‘કૃતિવિવેચન, સાહિત્યશાસ્ત્ર અને વિવેચકની ભૂમિકા’ (૮) ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ (૮) ‘આપણું આજનું કાવ્યવિવેચન : તેના બદલાતા સંદર્ભો અને તેની બદલાતી અપેક્ષાઓ’ (૧૦) ‘સાહિત્યમાં પ્રતીકસંવિધાન અને તેના અર્થઘટનના પ્રશ્નો’ – આ સર્વ સ્વતંત્ર રૂપના અધ્યયનલેખો છે. ઉપરાંત, રોલાં બાર્થ, જ્યોર્જ પુલે, જ્હોન લેચર, રેને વેલેક આદિ પાશ્ચાત્ય અભ્યાસીઓના આ વિશેના કેટલા મહત્ત્વપૂર્ણ લેખોના (કે તેના અમુક અંશોના) અનુવાદો પણ પ્રગટ કર્યા છે.
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.
૧૯૮૩ના ઑક્ટોબરમાં ગુજરાતી અધ્યાપક સંઘ અને દાહોદની આટર્‌સ ઍન્ડ કૉમર્સ કૉલેજના સંયુક્ત ઉપક્રમે વિવેચનના અભિગમો વિશે પરિસંવાદ થયો. એમાં નીચે પ્રમાણે વક્તવ્યો રજૂ થયાં. (૧) ઐતિહાસિક અભિગમ – ડૉ. હર્ષદ ત્રિવેદી (૨) આકારવાદી અભિગમ – પ્રમોદકુમાર પટેલ (૩) મનોવૈજ્ઞાનિક અભિગમ – ડૉ. પ્રસાદ બ્રહ્મભટ્ટ (૪) સંરચનાવાદી અભિગમ – ડૉ. સુમન શાહ (૫) ભાષાલક્ષી અભિગમ – ડૉ. ચંદ્રકાન્ત ટોપીવાળા (૬) તુલનાત્મક અભિગમ – ડૉ. સિતાશુ યશશ્ચન્દ્ર. એ સર્વ વક્તવ્યો હવે ગ્રંથસ્થ થવાની રાહ જૂએ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
1,149

edits

Navigation menu