બાળ કાવ્ય સંપદા/માછલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
(No difference)

Revision as of 15:30, 12 February 2025

માછલી

લેખક : ‘સ્નેહરશ્મિ’ ઝીણાભાઈ રતનજી દેસાઈ
(1903-1991)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

હું તો જળની રમનાર રે,
જળની ભમનાર રે,
હું જળઘેલી માછલી !

મારે જળના આહાર રે,
જળના વિહા૨ રે,
હું જળઘેલી માછલી !

મને તેડે તરંગ રે,
ઝૂલવા ઉછંગ રે,
હું જળઘેલી માછલી !

જોઉં તરતાં હું વહાણ રે,
ઊડતાં વિમાન રે,
હું જળઘેલી માછલી !

તમે આવો મુજ ઘેર રે,
ત્યાં મોતીની મ્હેર રે,
હું જળઘેલી માછલી !

મને પૂરીને હોજ રે,
માણે જન મોજ રે,
હું જળઘેલી માછલી !

મને જળ શું બહુ નેહ રે,
ધારું ના દેહ રે,
હું જળઘેલી માછલી !

તમે રાખો એ રીત રે,
જળ-મીનની પ્રીત રે,
હું જળઘેલી માછલી !