સોનાનાં વૃક્ષો/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

સોનાનાં વૃક્ષો
મણિલાલ હ. પટેલ

અનુ-આધુનિક ગુજરાતી સર્જકોમાં નિબંધકાર તરીકે પણ મણિલાલ હ. પટેલનું નામ અને કામ નોંધપાત્ર રહ્યું છે. પ્રકૃતિ અને વૃક્ષવનરાજીની સહજ લીલાઓનું આલેખન આ નિબંધકારના નિબંધોમાં અગ્રતા ભોગવે છે. એમના વિવિધ નિબંધસંચયોમાંથી, વૃક્ષો, ઋતુઓ તથા પરિવેશના સૌંદર્યલોકને વર્ણવતા, કેટલાક ઉત્તમ નિબંધોનું ચયન કરીને, ‘સોનાનાં વૃક્ષો’ નિબંધસંચય, ‘મિડિયા’ પ્રકાશન - જૂનાગઢ દ્વારા પ્રકાશિત કરાવ્યો હતો. હાલ આ સંચય ઉપલબ્ધ નથી. અહીં આ સંચયને, એમાંના ચિત્રો સાથે, રજૂ કરવાનો ઉપક્રમ છે. ‘સોનાનાં વૃક્ષો’ નિબંધ ‘મહુડા’નાં વૃક્ષોનું આલેખન કરે છે. આ નિબંધ ધોરણ ૧૦માં એક દાયકો (૨૦૦૭થી ૨૦૧૭) ગુજરાતી પાઠ્યપુસ્તકમાં પસંદગી પામીને, અનેકોનો પ્રિય નિબંધ બન્યો હતો. આ સંચયના નિબંધો વૃક્ષોની માહિતી નહિ પણ તરુવરોનો સૌંદર્યલોક, સભ્યતા અને સંસ્કૃતિ વિશે સાંકેતિક અભિવ્યકિત માટે સુખ્યાત છે. – ડૉ. યોગેશ પટેલ
(અધ્યાપક : સતલાસણ આર્ટ્સ કૉલેજ)