સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/નરસિંહરાવ દિવેટીઆ/શાંત ખૂણામાં મધુર વીણા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

          બોટાદકર કવિતદેવીના મંદિરમાં અગ્રસ્થાનના અધિકારી છે. ગૃહજીવનના કોમળ, ગૂઢ, ચારુતાયુક્ત પ્રસંગો અને ભાવોના સૂર આ કવિની વીણામાં અજબ સંગીત ઉત્પન્ન કરે છે; આ ક્ષેત્રમાં બોટાદકરની કલા અને પ્રતિભા અદ્વિતીય છે. એમનાં કાવ્યો અનેક દુખી હૃદયને આશ્વાસન આપશે, ઉલ્લાસ પૂરશે, દિવ્યતાનાં દર્શન કરાવશે. આ વિનીત કવિએ પોતાના જીવનમાં ક્યાંય પણ ઘોંઘાટથી જનસંઘને આકર્ષવાનો દંભ કર્યો નથી, કદી પણ ઉચ્ચ પદવીએ ચઢવાનો લોભ કર્યો નથી; માત્ર પોતાની મધુર વીણા શાંત ખૂણામાં બેઠા બેઠા વગાડીને આનંદ લીધો છે ને અધિકારીમાત્રાને આનંદ આપ્યો છે. [બોટાદકર-કૃત કાવ્યસંગ્રહ ‘શૈવલિની’ : ૧૯૨૫]