મારી હકીકત/૨૧ હરિદત્ત કરુણાશંકરને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૨૧ હરિદત્ત કરુણાશંકરને

સુરત, આમલીરાન તા. ૨૫ આગષ્ટ ૧૮૭0

ભાઈ હરિદત્ત,

હું સુરતમાં નહીં તેથી તમારો તા. ૭ મીનો મેં પરમ દહાડે વાંચ્યો છે-એ કાગળથી મારે તમારી સાથે નવું ઓળખાણ થયું છે. એ પ્રશંસાને હું કોઈ પણ રીતે યોગ્ય નથી જ.

બાળલગ્નના સમયને માટે મારી પાસે શાસ્ત્રવચન નથી. મારૂં મત લગ્ન ક્યારે ને કેમ થવાં એ વિષે કંઈ જુદુંજ છે. જુદું છે ને હમણાંની જ રીતમાં જો ફેરફાર કરવો તો મારું મત આ છે કે લગ્નકાળ પુત્રીનો ૧૩ વર્ષે ને પુત્રનો ૧૬ પેહેલાં ન હોવો. પ્રસંગે પ્રસંગે પત્ર લખતા રહેશો.

લી. નર્મદાશંકર

શાસ્ત્રી હરિદત્ત કરૂણાશંકર જુનાગઢ-પંચહાટડી.