મારી હકીકત/૧૫ પાર્વતીશંકરને

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૧૫ પાર્વતીશંકરને

આમલીરાન તા. ૧૨-૧૨-૬૮

ભાઈ પાર્વતીશંકર,

હું જાણું છઉં કે મરનાર શાસ્ત્રીને તહાં સંસ્કૃત પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ જે આપણા શહેરની ને આપણી જ્ઞાતિની શોભા તે આપણાથી દૂર ન થવી જોઈયે એવો મારો વિચાર છે ને તમારો હશે જ.

તમે ન્યૂસ્પેપરોથી જાણ્યું જ હશે કે આજકાલ સરકાર મારફતે સંસ્કૃત પુસ્તકોનો સંગ્રહ કરવા સારૂ અંગ્રેજ તથા હિંદુઓએ ઉદ્યોગ ચલાવ્યો. એ વિષયમાં રખેને વેળાએ શરમથી અથવા લોભથી અથવા સંભાળ નહીં રખાય એ ધાસ્તીથી અથવા બેદરકારીથી શાસ્ત્રીનાં પુસ્તકો શહેરની બ્હાર જાય અથવા અહીં તફરકે થઈ જાય, માટે આ કાગળથી સૂચના કરૂં છઊં કે તમારે તેમ ન થવા દેવું.

પુસ્તકના વ્યવસ્થા વ્યવહાર વિષે તો તમે તમારી અનુકૂળતાથી વિચાર કરશોજ અને કદી મારૂં મત પુછશો તો હું મોટી ખુશીથી આપીશ.

નર્મદાશંકરના યથાયોગ.