પરમ સમીપે/૩૨

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૨

સાચા શબ્દો અને માયાળુ વચન
નિઃસ્વાર્થ મનમાંથી નીકળતા વિચાર
ત્વરાથી કરેલી સેવા અને અટકાવી રાખેલી ઈજા
ગુપ્ત રાખેલો શોક અને વહેંચી લીધેલો આનંદ
આજ સંધ્યાસમયે તારા કરમાં પ્રસન્ન વદને મૂકવા માટે
આવાં ફૂલો હું સંઘરી શકું એવી મારી ભાવના છે.
અફળ ઠરેલી આશાની કબરમાંથી નવી ઉત્પન્ન થતી આશા
સમગ્ર જગતના કલ્યાણ માટે મથતી સંકલ્પશક્તિ
એક પરમેશ્વરને પ્રગટ કરવા પ્રયત્ન કરતા
અનેક મનુષ્યો પર સ્નેહ ઢોળતો પ્રેમ
સર્વ દુઃખોથી મુક્ત એવાં ભવિષ્યનાં સ્વપ્ન
આજ સંધ્યાસમયે તારા કરમાં પ્રસન્ન વદને મૂકવા માટે
આવાં ફૂલો હું સંઘરી શકું એવી મારી ભાવના છે.

સી. જિનરાજદાસ