ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવવિજય

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કેશવવિજય [ઈ.૧૬૨૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ (૨.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવાર)ના કર્તા. કીર્તિવર્ધનની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]