કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/શું ભીતર કે બ્હાર

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૫૦. શું ભીતર કે બ્હાર

શું ભીતર કે બ્હાર
મનનો કોઈ ન પામે પાર

સવળે મારગ અવળું ચાલે
અવળે મારગ સવળું
અકળિત મારા મનને ક્‌હોને
કેમ કરીને કળવું
એક જ વીણા, વિધવિધ તાર
શું ભીતર કે બ્હાર,
મનનો કોઈ ન પામે પાર

રાઈ જેવું એ હોય છતાંયે
પહાડ જેવું એ લાગે
છલંગ મારે તોયે નભમાં
વાડ જેવું એ લાગે
ક્યારેક કાળમીંઢ પથ્થર : એ તો
ક્યારેક જળની ધાર.
શું ભીતર કે બ્હાર
મનનો કોઈ ન પામે પાર.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (એવું એક ઘર હોય, ૧૯૯૭, પૃ. ૧૦૩)