કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/નિકટ નહીં ઘનશ્યામ
૧૩. નિકટ નહીં ઘનશ્યામ
આ દિવસ ઢળ્યો ને સાંજ પડી ને રાત થઈ સૂમસામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
આ કદમ્બ ઊભા રહી શકે :
આ જમુનાજલ તો વહી શકે.
આ ખાલી ગાગર ઝૂરે : કાંઠા ઊભા રહ્યા નિષ્કામ :
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
અંધકારને અંગે ઓઢી.
ફૂલ-પાનની પાંપણ પોઢી.
પણ આ નયણાં નીંદવિહોણાં રટે પિયા તવ નામ;
પળપળની આ વાટ વિકટ કે નિકટ નહીં ઘનશ્યામ!
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> ૧૯૬૪(કાવ્યસૃષ્ટિ, પૃ. ૫૫)