સમીપે

Revision as of 14:27, 23 May 2025 by Atulraval (talk | contribs)
Samipe Title.jpg


નયા માર્ગ પાક્ષિકે સામાજિક ન્યાય અને વંચિતોના વિકાસ માટે સાતત્યપૂર્વક નીડરતાથી સમાજની ઝીંક ઝીલવાનું જે કામ કર્યું તેવું અન્ય સામયિક સાંપ્રત સમયમાં બીજું જોવા મળ્યું નથી. ઝીણાભાઈ દરજી અને ઇન્દુકુમાર જાનીની અભિન્ન ઓળખ તે પામ્યું. તંદુપરાંત, રેશનલ વિચાર અને ઊંઝા જોડણી જેવી બાબતોને તેણે કેન્દ્રમાં લાવી દીધી. અનામતનીતિને બચાવવા તો તેણે અસ્તિત્વની હોડ બકી. રાજકીય અને સામાજિક રીતે વિરોધમાં હોઈએ ત્યારે કેમ સ્થિર ઊભાં રહેવું તેની તેણે પ્રેરણા પૂરી પાડી. આવા નયા માર્ગ સામયિકના સમગ્ર અંકો હવે નવા સમાજની વિરાસત બને છે ત્યારે એકત્ર ફાઉન્ડેશનની સહાય માટે શબ્દો ઓછા પડે છે.

જે કોઈ નાગરિક સ્વસ્થ સમાજ અને ન્યાયપૂર્ણ સમાજ ઝંખે છે તેને આ અંકો અમૂલ્ય ભેટ લાગવા પૂરો સંભવ છે. — ડંકેશ ઓઝા




સમીપે