ભજનરસ/અલખ નિશાની

From Ekatra Wiki
Revision as of 09:58, 14 May 2025 by MeghaBhavsar (talk | contribs)
Jump to navigation Jump to search


અલખ નિશાની

એસી અલખ નિશાની હો જી,
ગુરુગમ વિરલે જાની મોરે અવધૂ, એસી અનભૈ નિશાની હો જી.

ઉનમુન રહેના, ભેદ ન દેના, પીઓ પીઓ નિરમળ પાણી હો જી,
ગુરમુખજ્ઞાન ગગન જઈ રહેના, શૂનમેં સુરતા ઠેરાણી મોરે અવધૂ,

શૂન શિખરસે ગંગા નીકસી, ચૌદિશ પાની પાની હો જી,
ઉસી પાની મેં દો પરવત પૂરે, સો સાયર લહેર સમાની મોરે અવધૂ,

મેરુ શિખર પર મછીઆ બેઠી, વાકા લોચન નાર્હી હો જી,
હાથ જ નાંહી વાકું પાંવ જ નાંહી,
સો ઝુલક રહી જલમાંહી મોરે અવધૂ

ગુરુ પ્રતાપે એક જડીઅર ઊઠ્યા, સો ઊલટી લહેર સમાણી હો જી,
તન કર કૂવા ગગન કર વાડી,
સો સહેજાં મેં ઘડીઆં ઢોરાણી મોરે અવધૂ,

દેહીમે એક દેવા બિરાજે, ગુપ્ત ગણેશા બેઠા હો જી,
ત્રિકૂટી મહેલ પર હુવા અજવાળા,
વો તો દ્વાદશ અંશુલ પેઠા મોરે અવધૂ,

સીંચત સીંચત ઉપજન લાગા, નીપજન લાગા હીરા હો જી,

મચ્છેન્દ્ર પ્રતાપે જતિ ગોરખ બોલ્યા, સમજ સમજ મન ધીરા
મોરે અવધૂ, એસી અલખ નિશાની.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> એસી અલખ નિશાની

આ વચનમાં ગોરખનાથ એક અશક્ય લાગતી વસ્તુને શક્ય થતી દર્શાવે છે. જે અલખ છે, જે લક્ષ્યાતીત છે, જે કોઈ ઓળખથી પર છે, જેને કશુંય પદ નથી, ચિહ્ન નથી એની પણ ઓળખાણ થઈ શકે છે. અલખ ને અલખની નિશાની, એ બંને જાણે કે એક, જે ન બની શકે તેવી ઘટનાને શક્ય દર્શાવે છે. તો અલખ નિશાની – અલક્ષ્ય છે તેને કઈ રીતે પામી શકાય, અને કઈ રીતે પોતાની કરી શકાય, તે સમજાવતાં ગોરખનાથ કહે છે : ‘ગુરુગમ વિરલે જાની'. ગુરુ પાસેથી, અનુભવી પાસેથી તે વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ વિરલ પુરુષ આ નિશાની પોતાની અંદર ઉતારી શકે છે. એ નિશાની કેવી છે?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> એસી અનભૈ નિશાની હો જી

તે નિર્ભય પદ છે. ભયનું જ્યાં નામનિશાન નથી એવી એ નિશાની છે. જગતમાં સર્વ વસ્તુમાં ક્યાંક ને ક્યાંક ભય છુપાયેલો છે. આ એક એવું પદ છે કે જે સદાકાળ માટે મનુષ્યને નિર્ભય બનાવે છે. આ નિશાની વિશે ગોરખનાથ તેને પ્રાપ્ત કરવાની પ્રક્રિયા સમજાવે છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ઉનમુન રહેના ભેદ ન દેના

આ નિશાની ઉનમુન, એટલે કે મનથી ૫ર અવસ્થામાં આવે છે. જ્યાં સુધી મનનો પ્રદેશ છે ત્યાં સુધી માયાનો પ્રદેશ છે, મનની જાગૃતિ તે જગતની ઉત્પત્તિ,’ એમ એક સંતે કહ્યું છે. એટલે મનથી પર ઊઠ્યા વિના આ સ્થિતિની પ્રાપ્તિ થતી નથી. પણ કહે છે ઉનમુન રહેના' અને ભેદ ન દેના'. એ અવસ્થા વિશે વાત ન કરવી અને પ્રગટ કરવાની ઉતાવળ ન કરવી, કારણ કે મન ઘણી રીતે છેતરી શકે છે. ઉનમુન અવસ્થામાં પોતે પહોંચી ગયા છે તેવી ભ્રમણા પણ થાય છે. પછી પ્રાપ્તિની વાત કરતાં કહે છે :

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> પીઓ પીઓનિર્મળ પાણી

નિર્મળ આનંદનો અનુભવ થશે. અનાયાસે સમજ પડી જશે કે જે અલક્ષ્ય છે તેમાં પ્રવેશ થયો છે. નિર્મળ પાણી' કહ્યું છે તે શુદ્ધ આનંદ, સ્વતંત્ર આનંદ છે. બહારના કશા ભેળથી કે મેળથી મળેલો આનંદ નથી.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ગુરુમુખ જ્ઞાન ગગન જઈ રહેના

આ જ્ઞાન સદ્ગુરુ પાસેથી, અનુભવી પુરુષ પાસેથી મળે છે. અને એની એક નિશાની એ છે કે મનુષ્યનો અંતરાત્મા ગગનમાં રહે છે, એક નિર્લેપ, નિર્મળ અવસ્થામાં જઈ રહે છે. દરેક પરિસ્થિતિમાં માણસ પોતાની પરીક્ષા કરે તો સમજાય કે આ ‘ગગનમેં રહેના' એટલે શું? મનુષ્ય સામાન્ય રીતે ભૂતાકાશમાં અને ચિત્તાકાશમાં રહેતો હોય છે. ભૂતાકાશ જાગૃતિનો પ્રદેશ છે, ચિત્તાકાશ સપનાંનો પ્રદેશ છે. ગોરખનાથ જે ગગન કહે છે તે ચિદાકાશનો પ્રદેશ છે. મનુષ્યમાં અંતરતમ રહેલો ‘ચિદાનંદ' છે, તેમાં તેનો નિવાસ થાય છે. અને પછી શું થાય છે?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> શૂનમેં સુરતા મેરાણી

મનુષ્યના અહંકારનો અહીં લોપ થાય છે. પણ એટલું પૂરતું નથી. સુરતા શૂન્યમાં ઠરે છે, અહમ્-શૂન્યમાં ઠરીને ઠામ થાય છે, પણ ત્યાર પછી શૂન્યમાંથી પણ એક જ્ઞાનની ગંગા પ્રવાહિત થાય છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ન શખરસે ગંગા નિકસી

આ શૂન્યમાંથી એક પરમ જ્ઞાન, આનંદ અને પ્રેમની ધારા વહેવા માંડે છે. ચૌદિશ પાની પાની — ચારે દિશામાં એનો પ્રેમ-આનંદ વહેવા માંડે છે. મનુષ્યને જે આનંદ મળે છે તે કોઈ સ્થિતિમાં, કોઈ વસ્તુમાં, કોઈ વ્યક્તિમાં બદ્ધ થયેલો આનંદ હોય છે; પણ આ નિબંધ આનંદ છે. ચારે દિશામાં જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં એને આ પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. શંકરાચાર્યના શબ્દોમાં : ‘યંત્ર યંત્ર મનો યાતિ તત્ર તત્ર સમાધયઃ' મનસાતીત અવસ્થામાં પહોંચ્યા પછી મનનું સ્વરૂપ જ પલટાઈ જાય છે. આ આનંદની એક બીજી ઓળખ એ પણ છે કે : ઉસી પાનીમેં દો પરવત પૂરે' — એના પ્રવાહમાં બે પર્વતો ડૂબી જાય છે, પુરાઈ જાય છે, નામશેષ થઈ જાય છે. આ બે પર્વત કયા? બે પર્વત, જે આ સહજ પ્રવાહની આડે આવે છે તે દ્વંદ્વના છે, ચૈતના છે. હું અને તુંના, મારા ને તારાના, મોહ ને માયાના આ બે પર્વત છે. જીવ ને શિવની ભિન્નતાના આ બે પર્વત છે. પણ ગંગા-પ્રવાહ સહજપણે વહેતો થાય છે, ત્યારે શું થાય છે?

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સાયર લહેર સમાની

સાગર ને લહેરો ભિન્ન નથી. લહેરો જેમ સાગરમાં સમાઈ જાય છે તેમ મનુષ્યનું જુદું અસ્તિત્વ, જીવનું અસ્તિત્વ એક મહાન સાગરમાં, ચૈતન્યમાં સમાઈ જાય છે. બંને એકાકાર બની જાય છે. બ્રહ્માકાર બની જાય છે, એમ ગોરખ આ અનુભૂતિની વાત કરે છે. અને ત્યારે શું બને છે? કઈ ઘટનાથી આ નિશાની પ્રત્યક્ષ થાય છે? તો કહે છે :

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> મેરુ શિખર પર મછીઆ બેઠી

મનરૂપી ચંચલ મત્સ્ય જાણે અચળ શિખરે બેઠું હોય એવું બની જાય છે. પણ આ અવસ્થા જે પ્રશાંત મન છે તેથી જુદી છે.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> વર્લ્ડ પાવ જ નાહીં

અંતઃકરણના ચાર ભાગ કહ્યા ઃ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી

એને આંતરિક કે બાહ્ય કોઈ ક૨ણ જ નથી. એ સહજપણે સ્વયંસ્ફૂર્તિથી સ્વ-સ્વરૂપમાંથી જ અનુભૂતિનો આનંદ લે છે અને વળી :

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> સો ઝુલક રહી જલમાંહી