મારી હકીકત/૨૧ હરિદત્ત કરુણાશંકરને

Revision as of 17:13, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૨૧ હરિદત્ત કરુણાશંકરને | }} {{Poem2Open}} સુરત, આમલીરાન તા. ૨૫ આગષ્ટ ૧૮૭0 '''ભાઈ હરિદત્ત,''' હું સુરતમાં નહીં તેથી તમારો તા. ૭ મીનો મેં પરમ દહાડે વાંચ્યો છે-એ કાગળથી મારે તમારી સાથે નવું ઓ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૧ હરિદત્ત કરુણાશંકરને

સુરત, આમલીરાન તા. ૨૫ આગષ્ટ ૧૮૭0

ભાઈ હરિદત્ત,

હું સુરતમાં નહીં તેથી તમારો તા. ૭ મીનો મેં પરમ દહાડે વાંચ્યો છે-એ કાગળથી મારે તમારી સાથે નવું ઓળખાણ થયું છે. એ પ્રશંસાને હું કોઈ પણ રીતે યોગ્ય નથી જ.

બાળલગ્નના સમયને માટે મારી પાસે શાસ્ત્રવચન નથી. મારૂં મત લગ્ન ક્યારે ને કેમ થવાં એ વિષે કંઈ જુદુંજ છે. જુદું છે ને હમણાંની જ રીતમાં જો ફેરફાર કરવો તો મારું મત આ છે કે લગ્નકાળ પુત્રીનો ૧૩ વર્ષે ને પુત્રનો ૧૬ પેહેલાં ન હોવો. પ્રસંગે પ્રસંગે પત્ર લખતા રહેશો.

લી. નર્મદાશંકર

શાસ્ત્રી હરિદત્ત કરૂણાશંકર જુનાગઢ-પંચહાટડી.