મારી હકીકત/૧૫ પાર્વતીશંકરને

Revision as of 17:06, 14 March 2025 by Atulraval (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૫ પાર્વતીશંકરને | }} {{Poem2Open}} આમલીરાન તા. ૧૨-૧૨-૬૮ ભાઈ પાર્વતીશંકર, હું જાણું છઉં કે મરનાર શાસ્ત્રીને તહાં સંસ્કૃત પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ જે આપણા શહેરની ને આપણી જ્ઞાતિની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૫ પાર્વતીશંકરને

આમલીરાન તા. ૧૨-૧૨-૬૮

ભાઈ પાર્વતીશંકર,

હું જાણું છઉં કે મરનાર શાસ્ત્રીને તહાં સંસ્કૃત પુસ્તકોનો સારો સંગ્રહ છે. એ જે આપણા શહેરની ને આપણી જ્ઞાતિની શોભા તે આપણાથી દૂર ન થવી જોઈયે એવો મારો વિચાર છે ને તમારો હશે જ.

તમે ન્યૂસ્પેપરોથી જાણ્યું જ હશે કે આજકાલ સરકાર મારફતે સંસ્કૃત પુસ્તકોનો સંગ્રહ કરવા સારૂ અંગ્રેજ તથા હિંદુઓએ ઉદ્યોગ ચલાવ્યો. એ વિષયમાં રખેને વેળાએ શરમથી અથવા લોભથી અથવા સંભાળ નહીં રખાય એ ધાસ્તીથી અથવા બેદરકારીથી શાસ્ત્રીનાં પુસ્તકો શહેરની બ્હાર જાય અથવા અહીં તફરકે થઈ જાય, માટે આ કાગળથી સૂચના કરૂં છઊં કે તમારે તેમ ન થવા દેવું.

પુસ્તકના વ્યવસ્થા વ્યવહાર વિષે તો તમે તમારી અનુકૂળતાથી વિચાર કરશોજ અને કદી મારૂં મત પુછશો તો હું મોટી ખુશીથી આપીશ.

નર્મદાશંકરના યથાયોગ.