રતિલાલ છાયા
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> સ્રગ્ધરા
આવે જ્યારે વહેતા ધસમસ કરતા પૂર કેરા પ્રવાહો,
વીંઝી દેવા ગતિથી અગણિત નમતી પૂલની કૈં કમાનો,
ભીડે ના ભોગળોને, સકલ સલિલદ્વારો ઉઘાડાં મૂકીને,
જાવા દે ચંડ રેલો, જલનિધિ-તટને ખૂંદવા માર્ગ આપે.
કિન્તુ જ્યારે શમે એ પ્રબળ વહનની આંધળી વેગચક્કી,
ને સૌ ઠેલાય પાછી, ખળખળ કરતી રેતીથી ધૂંધવાતી
રેલો ઘેલી અધીરી, ત્વરિત કરી દઈ પૂલનાં બંધ બારો
બાંધી લે એક પાસે રસકસ ઝમતી વારિની કંદરાઓ. ૮
ડોળાએલાં સલિલો નીતરી રહી પછી સૌમ્યતા રમ્ય ધારે,
છોળે શાં ભાવલ્હેરે ગગનતલ તમી નીલિમાને ઝુલાવે;
ને વારિનાં ઠરેલાં સભર હૃદયથી પદ્મનાં વૃન્દ ખીલે;
ખેડૈયા ધાન્ય કેરા સરિતતટ પરે ન્હેરનાં વારિ ઝીલે.
સ્રષ્ટ, હૈયે વહેતાં પ્રબળ ગતિભર્યાં ઊર્મિનાં મત્ત પૂરો,
જાવા દે એક વેળા, પછી જ જિરવીને કેળવે સર્ગફૂલો. ૧૪
(‘સોહિણી’ (પૃષ્ઠ ક્રમાંક ૭૦)