બાળ કાવ્ય સંપદા/નળ

Revision as of 02:40, 14 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નળ|લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’<br>(1914-1972)}} {{Block center|<poem> મને ગમે બહુ નળ ! એની અદ્ભુત કળ, આમ ફેરવો ટીપું ન પાણી, તેમ ફેરવો ત્યાં જળ જળ ! મને ગમે છે નળ. હાથ રાખું ત્યાં ઊડે ફુવારા જાણે કૂદતા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
નળ

લેખક : મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
(1914-1972)

મને ગમે બહુ નળ !
એની અદ્ભુત કળ,
આમ ફેરવો ટીપું ન પાણી,
તેમ ફેરવો ત્યાં જળ જળ !
મને ગમે છે નળ.

હાથ રાખું ત્યાં ઊડે ફુવારા
જાણે કૂદતા ફૂટતા તારા
હાથ ખસેડી લઉં ત્યાં વહેતું,
પાણી ખળ ખળ ખળ
મને ગમે છે નળ.

આ નળમાંથી નીકળે ધારા
એ સહ રમવું બની દુલારા
કદી ન અટકું કદી ન થંભું
વહી રહું પળ પળ
મને ગમે છે નળ.