બાળ કાવ્ય સંપદા/હંસગાન

Revision as of 03:21, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
હંસગાન

લેખક : કૃષ્ણલાલ શ્રીધરાણી
(1911-1960)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

દરિયાના બેટથી ઊડ્યાં અમે તો,
હિમાળા ડુંગર જાવાં જી !

સાત સાત સમદર ઊડી અમારે,
માનસ-સરમાં નાવાં જી !

લૂમે દાડમડી ને ઝૂમે જમરુખડી,
મોતી માનસનાં ખાવાં જી !

વનવન શેવતી વેરે પાંખડલી,
સરનાં પંકજડાં હસાવાં જી !

જગનાં પ્રવાસી અમે ઊડતાં પંખીડલાં,
માનસ મરવા જાવાં જી !

આભ ચીરી અવનિ ઊભરાવી,
છેલ્લાં કો હંસગીત ગાવાં જી !