બાળ કાવ્ય સંપદા/જ્યોત જગાવો

From Ekatra Wiki
Revision as of 01:52, 13 February 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જ્યોત જગાવો|લેખક : સુન્દરમ્<br>(1908-1991)}} {{Block center|<poem> {{Gap|4em}}જીવનજ્યોત જગાવો ! {{Gap|3em}}પ્રભુ હે, જીવનજ્યોત જગાવો ! ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો, આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો. {{gap|6em}}અમ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
જ્યોત જગાવો

લેખક : સુન્દરમ્
(1908-1991)

જીવનજ્યોત જગાવો !
પ્રભુ હે, જીવનજ્યોત જગાવો !

ટચૂકડી આ આંગળીઓમાં ઝાઝું જોર જમાવો,
આ નાનકડા પગને વેગે ભમતા જગત બનાવો.
અમને રડવડતાં શિખવાડો. પ્રભુ હે…

વણદીવે અંધારે જોવા આંખે તેજ ભરાવો,
વણજહાજે દરિયાને તરવા બળ બાહુમાં આપો.
અમને ઝળહળતાં શિખવાડો. પ્રભુ હે…

ઊગતાં અમ મનનાં કુસુમોને રસથી સભર બનાવો,
જીવનના રંગો પ્રગટાવા પીંછી તમારી ચલાવો.
અમને મઘમઘતાં શિખવાડો. પ્રભુ હે…

ઉરની સાંકલડી શેરીના પંથ વિશાળ રચાવો,
હૈયાના ઝરણા નાનાને સાગર જેવું બનાવો.
અમને ગરજતાં શિખવાડો. પ્રભુ હે…

અમ જીવનની વાદળી નાની આભ વિશે જ ઉડાવો,
સ્નેહ શક્તિ બલિદાન નીરની ભરચક ધાર ઝરાવો.
અમને સ્થળ સ્થળમાં વરસાવો. પ્રભુ હે….