મંગલમ્/ભારતના ભડવીરને

From Ekatra Wiki
Revision as of 02:07, 29 January 2025 by Meghdhanu (talk | contribs)
Jump to navigation Jump to search
ભારતના ભડવીરને

ભારતના એ ભડવીરને વંદન હો અમારાં,

અંતરનાં અભિનંદન હો આજ અમારાં.
કંઈ રાષ્ટ્ર તણી પ્રગતિમાં સત્ય એ જોતા,
કંઈ કામ કર્યાં (૨) આજ રૂડાં નામ ગવાયાં.
…ભારતના૦

લીધી અહિંસાની ઢાલ અને સત્યની તલવાર,
કરી મુક્ત ભારતમાતાને પૂર્ણ કરી આશ,
ઘર ઘરમાં (૨) ગુંજે છે પ્યારા બાપુજીનું નામ.
{{right|…ભારતના૦

કર્યો હરિજન ઉદ્ધાર શોષણવિહીન સમાજ,
આપી બુનિયાદી તાલીમ ને સ્વાવલંબનના પાઠ,
વિશ્વશાંતિ (૨)ની ઝંખનામાં ખોયા એણે પ્રાણ.
…ભારતના૦