કાવ્ય-આચમન શ્રેણી – સુરેશ દલાલ/શું ભીતર કે બ્હાર

Revision as of 02:02, 14 November 2024 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૫૦. શું ભીતર કે બ્હાર

શું ભીતર કે બ્હાર
મનનો કોઈ ન પામે પાર

સવળે મારગ અવળું ચાલે
અવળે મારગ સવળું
અકળિત મારા મનને ક્‌હોને
કેમ કરીને કળવું
એક જ વીણા, વિધવિધ તાર
શું ભીતર કે બ્હાર,
મનનો કોઈ ન પામે પાર

રાઈ જેવું એ હોય છતાંયે
પહાડ જેવું એ લાગે
છલંગ મારે તોયે નભમાં
વાડ જેવું એ લાગે
ક્યારેક કાળમીંઢ પથ્થર : એ તો
ક્યારેક જળની ધાર.
શું ભીતર કે બ્હાર
મનનો કોઈ ન પામે પાર.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> (એવું એક ઘર હોય, ૧૯૯૭, પૃ. ૧૦૩)