અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/રસજયોત
Jump to navigation
Jump to search
◼
◼
રસજયોત
ન્હાનાલાલ દ. કવિ
એક જ્વાલા જલે તુજ નેનનમાં,
રસજ્યોત નિહાળી નમું, હું નમું;
એક વીજ જલે નભમંડળમાં,
રસજ્યોત નિહાળી નમું. હું નમું.
મધરાતના પહોર અઘોર હતા,
અન્ધકારના દોર જ ઑર હતા,
તુજ નેનમાં મોર ચકોર હતા;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
અહા! વિશ્વનાં દ્વાર ખૂલ્યાં — ઊછળ્યાં,
અહા! અબધૂતને બ્રહ્મયોગ મળ્યા;
અહા! લોચન લોચન માંહી ઢળ્યાં;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
દૃગબાણથી પ્રારબ્ધલેખ લખ્યા,
કંઈ પ્રેમીએ પ્રેમપથી પરખ્યા;
અને આત્માએ આત્મન્ને ઓળખ્યો;
રસજ્યોત નિહાળી નમું, હું નમું.
(જયા-જયન્ત, નવમી આ. ૧૯૯૬, પૃ. ૧૧૧)
Error in widget Audio: unable to write file /var/www/clients/client1/web6/web/extensions/Widgets/compiled_templates/wrt697d32798d00a3_48601431
ન્હાનાલાલ દ. કવિ • રસજયોત • સ્વરનિયોજન: પારંપરિક • સ્વર: જનાર્દન રાવળ