પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/તત્ત્વગ્રાહી અભ્યાસનું સુફળ: Difference between revisions

Footer
No edit summary
(Footer)
 
(5 intermediate revisions by the same user not shown)
Line 39: Line 39:
ટ્રૅજડીમાં નિરૂપિત ભાવોની પ્રેક્ષક અથવા વાચકના ચિત્ત ઉપર થતી અસર માટે ઍરિસ્ટૉટલે પ્રયોજેલા ‘કથાર્સિસ’ શબ્દનો પ્રો. બુચરે અંગ્રેજી પર્યાય purgation સ્વીકાર્યો છે. પણ તેમની આ પસંદગી શંકાસ્પદ છે, ‘કથાર્સિસ’ શબ્દ દ્વારા ઍરિસ્ટૉટલને એ અભિપ્રેત હોવાનો સંભવ છે કે કોઈ ટ્રૅજિક કૃતિ પ્રેક્ષક કે વાચકના ચિત્તમાં અનુકરણની જે પ્રક્રિયા દ્વારા કરુણા અને ભયના ભાવો જાગ્રત કરે છે તે જ પ્રક્રિયા દ્વારા એ ભાવોનું ઉપશમન પણ કરે છે. અર્થાત્‌ સત્તરમી સદીના અંગ્રેજ મહાકવિ મિલ્ટનના શબ્દોમાં And calm of mind, all passion spent જેવી પ્રસન્ન મનઃસ્થિતિનો અનુભવ કરાવે છે. જો ઍરિસ્ટૉટલને કરુણા અને ભયના ભાવોના ઉપશમનની આવી મનઃસ્થિતિ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા એક રસકીય સંવેદન ગણાય, અને તેને પ્રો. બુચરે ‘કથાર્સિસ’ શબ્દના અંગ્રેજી પર્યાય રૂપે પ્રયોજેલા શબ્દ ‘purgation’માં સૂચિત થતો અર્થ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા વૈદ્યકીય (medical) સંવેદન ગણાય. વળી કોઈ કોઈ વિદ્વાનો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક (psychological) સંવેદન હોવાનું માને છે. ઍરિસ્ટૉટલને પોતાને ‘કથાર્સિસ’ની પ્રક્રિયા દ્વારા રસકીય, વૈદ્યકીય અથવા મનોવૈજ્ઞાનિક સંવેદન હોવાનું અભિપ્રેત હતું એ કાવ્યશાસ્ત્રનો એક કૂટ પ્રશ્ન છે જેનો સર્વમાન્ય થાય એવો ઉત્તર આજ સુધી કાવ્યશાસ્ત્રના કોઈ મીમાંસક આપી શક્યા નથી અને ભવિષ્યમાં આપી શકશે કે કેમ એય શંકાસ્પદ છે.
ટ્રૅજડીમાં નિરૂપિત ભાવોની પ્રેક્ષક અથવા વાચકના ચિત્ત ઉપર થતી અસર માટે ઍરિસ્ટૉટલે પ્રયોજેલા ‘કથાર્સિસ’ શબ્દનો પ્રો. બુચરે અંગ્રેજી પર્યાય purgation સ્વીકાર્યો છે. પણ તેમની આ પસંદગી શંકાસ્પદ છે, ‘કથાર્સિસ’ શબ્દ દ્વારા ઍરિસ્ટૉટલને એ અભિપ્રેત હોવાનો સંભવ છે કે કોઈ ટ્રૅજિક કૃતિ પ્રેક્ષક કે વાચકના ચિત્તમાં અનુકરણની જે પ્રક્રિયા દ્વારા કરુણા અને ભયના ભાવો જાગ્રત કરે છે તે જ પ્રક્રિયા દ્વારા એ ભાવોનું ઉપશમન પણ કરે છે. અર્થાત્‌ સત્તરમી સદીના અંગ્રેજ મહાકવિ મિલ્ટનના શબ્દોમાં And calm of mind, all passion spent જેવી પ્રસન્ન મનઃસ્થિતિનો અનુભવ કરાવે છે. જો ઍરિસ્ટૉટલને કરુણા અને ભયના ભાવોના ઉપશમનની આવી મનઃસ્થિતિ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા એક રસકીય સંવેદન ગણાય, અને તેને પ્રો. બુચરે ‘કથાર્સિસ’ શબ્દના અંગ્રેજી પર્યાય રૂપે પ્રયોજેલા શબ્દ ‘purgation’માં સૂચિત થતો અર્થ અભિપ્રેત હોય તો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા વૈદ્યકીય (medical) સંવેદન ગણાય. વળી કોઈ કોઈ વિદ્વાનો ‘કથાર્સિસ’ની પ્રક્રિયા મનોવૈજ્ઞાનિક (psychological) સંવેદન હોવાનું માને છે. ઍરિસ્ટૉટલને પોતાને ‘કથાર્સિસ’ની પ્રક્રિયા દ્વારા રસકીય, વૈદ્યકીય અથવા મનોવૈજ્ઞાનિક સંવેદન હોવાનું અભિપ્રેત હતું એ કાવ્યશાસ્ત્રનો એક કૂટ પ્રશ્ન છે જેનો સર્વમાન્ય થાય એવો ઉત્તર આજ સુધી કાવ્યશાસ્ત્રના કોઈ મીમાંસક આપી શક્યા નથી અને ભવિષ્યમાં આપી શકશે કે કેમ એય શંકાસ્પદ છે.
ભારતીય કાવ્યમીમાંસાના વ્યુત્પન્ન ભાષ્યકાર એવા જયંતભાઈ અમુક પ્રમાણમાં તેમને અપરિચિત એવા યુરપીય કાવ્યમીમાંસાના ક્ષેત્રમાં અનાયાસ અને સરળ ગતિ કરી શક્યા છે એ તેમની એક મોટી સિદ્ધિ ગણાય, અને કાવ્યવિચારણાના કૂટ પ્રશ્નોની ચર્ચા કરતા જયંતભાઈના ગુજરાતી ગદ્યમાં સુસંબદ્ધ તાર્કિક તાણાવાણા અને પ્રવાહિતા જેવા સામાન્યતઃ પરસ્પરવિરોધી ગણાતાં લક્ષણોનો સમન્વય જોવા મળે છે એ તો તેમની મારા જેવાને જેની ઈર્ષ્યા થાય એવી સિદ્ધિ છે.
ભારતીય કાવ્યમીમાંસાના વ્યુત્પન્ન ભાષ્યકાર એવા જયંતભાઈ અમુક પ્રમાણમાં તેમને અપરિચિત એવા યુરપીય કાવ્યમીમાંસાના ક્ષેત્રમાં અનાયાસ અને સરળ ગતિ કરી શક્યા છે એ તેમની એક મોટી સિદ્ધિ ગણાય, અને કાવ્યવિચારણાના કૂટ પ્રશ્નોની ચર્ચા કરતા જયંતભાઈના ગુજરાતી ગદ્યમાં સુસંબદ્ધ તાર્કિક તાણાવાણા અને પ્રવાહિતા જેવા સામાન્યતઃ પરસ્પરવિરોધી ગણાતાં લક્ષણોનો સમન્વય જોવા મળે છે એ તો તેમની મારા જેવાને જેની ઈર્ષ્યા થાય એવી સિદ્ધિ છે.
તા. ૧૦-૮-૧૯૯૮{{right|ચી. ના. પટેલ}}
૪, નીલકંઠ પાર્ક, નવરંગપુરા
અમદાવાદ ૩૮૦૦૦૯
{{Poem2Close}}
{{Poem2Close}}
{{rh|તા. ૧૦-૮-૧૯૯૮<br>૪, નીલકંઠ પાર્ક, નવરંગપુરા<br>અમદાવાદ ૩૮૦૦૦૯||ચી. ના. પટેલ}}
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = 'પ્લેટો-ઍરિસ્ટૉટલની કાવ્યવિચારણા’નું
|previous = નિવેદન
|next = ક્રમ
|next = સર્જક-પરિચય
}}
}}