અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૧૭, ‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો|ડૉ. હસુ યાજ્ઞિક}}
{{Heading|૧૭. ‘આખ્યાન'ના અધ્યાપનના કેટલાક પ્રશ્નો|ડૉ. હસુ યાજ્ઞિક}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણમાં સામાન્ય રીતે સમાવેશ થતો હોય છે તેવી સર્જનકૃતિઓ મુખ્યત્વે સ્વરૂપ દૃષ્ટિએ બે પ્રકારની હોય છે. ગદ્ય અને પદ્યની કૃતિઓમાં, તે તે કૃતિ નિમિત્તે કેટલેક અંશે કર્તાનો અને વિશેષરૂપે સ્વરૂપનો અભ્યાસ અપેક્ષિત હોય છે. આ સ્વરૂપોમાં નવલકથા, ટૂંકી વાર્તા નાટક કે એકાંકી તથા પદ-ભજન-છપ્પા-રાસ-પદ્યકથા-આખ્યાન, ખંડકાવ્ય, સૉનેટ ઇત્યાદિનું શિક્ષણ ભાષાનો અધ્યાપક કૃતિઅધ્યયન નિમિત્તે આપતો હોય છે. આ વિવિધ સ્વરૂપોમાં મુખ્ય બે પ્રકાર છે: પહેલો પ્રકાર પરંપરાગત રીતે જ આપણી ભાષામાં જ જન્મેલાં અને વિકાસ પામેલા સ્વરૂપોનો છે અને બીજો પ્રકાર પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કપરિચય પછી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ પામી ખેડાયો છે. આથી પદ-ભજન, છપ્પા, ચોપાઈ, બારમાસી, રાસ, આખ્યાન, પટકથા, ચરિત, સંવાદકાવ્ય વગેરે આપણાં નિજી સાહિત્યસ્વરૂપો છે. પરંપરાગત છે. ટૂંકી વાર્તા, નવલકથા, કેટલેક અંશે એકાંકી, સૉનેટ, કરુણપ્રશસ્તિ વગેરે આગંતુક સ્વરૂપો છે.
ગુજરાતી ભાષાસાહિત્યના શિક્ષણમાં સામાન્ય રીતે સમાવેશ થતો હોય છે તેવી સર્જનકૃતિઓ મુખ્યત્વે સ્વરૂપ દૃષ્ટિએ બે પ્રકારની હોય છે. ગદ્ય અને પદ્યની કૃતિઓમાં, તે તે કૃતિ નિમિત્તે કેટલેક અંશે કર્તાનો અને વિશેષરૂપે સ્વરૂપનો અભ્યાસ અપેક્ષિત હોય છે. આ સ્વરૂપોમાં નવલકથા, ટૂંકી વાર્તા નાટક કે એકાંકી તથા પદ-ભજન-છપ્પા-રાસ-પદ્યકથા-આખ્યાન, ખંડકાવ્ય, સૉનેટ ઇત્યાદિનું શિક્ષણ ભાષાનો અધ્યાપક કૃતિઅધ્યયન નિમિત્તે આપતો હોય છે. આ વિવિધ સ્વરૂપોમાં મુખ્ય બે પ્રકાર છે: પહેલો પ્રકાર પરંપરાગત રીતે જ આપણી ભાષામાં જ જન્મેલાં અને વિકાસ પામેલા સ્વરૂપોનો છે અને બીજો પ્રકાર પાશ્ચાત્ય સાહિત્યના સંપર્કપરિચય પછી ગુજરાતી સાહિત્યમાં પ્રવેશ પામી ખેડાયો છે. આથી પદ-ભજન, છપ્પા, ચોપાઈ, બારમાસી, રાસ, આખ્યાન, પટકથા, ચરિત, સંવાદકાવ્ય વગેરે આપણાં નિજી સાહિત્યસ્વરૂપો છે. પરંપરાગત છે. ટૂંકી વાર્તા, નવલકથા, કેટલેક અંશે એકાંકી, સૉનેટ, કરુણપ્રશસ્તિ વગેરે આગંતુક સ્વરૂપો છે.