ઈશ્વર પેટલીકર : ગુજરાતી ગ્રંથકાર શ્રેણી/વાર્તાકાર પેટલીકર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 7: Line 7:
આ સમયમાં વાર્તાલેખન પેટલીકર માટે અનેક શક્યતાઓથી ભરેલું હતું, પણ પેટલીકરે, નવલકથામાં રાખ્યો હતો એ જ રીતે, વાર્તામાં પણ સમાજવર્ણન કરવાનો દૃષ્ટિકોણ રાખ્યો. સમાજવર્ણનની ભૂમિકાથી પેટલીકર સુધારો અને આદર્શ તરફ ખસતા ગયા. તે છેક ૧૯૬૨ સુધી એમની વાર્તાલેખનપ્રવૃત્તિ ચાલી ત્યાં સુધી પેટલીકરે વાર્તામાં ગ્રામીણ/શહેરી સમાજ, એના પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ, સુધારો કે નારીશિક્ષણની ગતિવિધિઓ, બદલાતા સમય-સંદર્ભમાં આવતાં પરિવર્તનો, કુટુંબ, ગામ ને સમાજના, જ્ઞાતિના નવા નવા પ્રશ્નો વગેરેનું નિરૂપણ-વર્ણન કર્યા કર્યું હતું. પન્નાલાલમાં પ્રારંભે વર્તાયેલો થોડોક રોમૅન્ટિક અભિગમ પેટલીકરમાં નથી મળતો. પેટલીકરે તો વાસ્તવવાદી દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વાર્તા લખતા હોય ત્યારે પણ, મોટેભાગે, એ સમાજને જ જોતા-દર્શાવતા લાગશે. પેટલીકરની વાર્તાઓ વ્યક્તિથી સમાજ તરફ ગતિ કરે છે. વ્યક્તિગત સંવેદના કે દુઃખદર્દ પેટલીકર વર્ણવે છે ખરા, પણ એમના મનમાં ત્યારેય એનું જનરાઇલેશન કરવાનું વલણ હોય છે, એના ઉદાહરણમાં ‘દુઃખનાં પોટલાં’ જેવી વાર્તા જોઈ શકાય. સમાજવર્ણનની નેમ અને સુધારાનું ધ્યેય પેટલીકરની વાર્તાઓને બીબાંઢાળ અને ખાસ પ્રકારના નવોન્મેષ વિનાની કરી મૂકે છે. એ વાર્તાઓ સંકેતો, વ્યંજના, પ્રસંગોની સુનિયોજિત ગોઠવણ, સંવેદનોનું સઘન નિરૂપણ, સંઘર્ષની-કટોકટીની તનાવપૂર્ણ પળ — ક્ષણ ઇત્યાદિ લક્ષણો ભાગ્યે જ ધરાવે છે. એમની થોડીક સફળ નવલિકાઓને બાદ કરતાં પેટલીકરની ઘણીખરી વાર્તાઓ માત્ર કથાવર્ણન કે પ્રસંગ કક્ષાએ ગાથા બનીને અટકી જાય છે. એમાં પણ એમનો સમાજલક્ષી અભિગમ જ જવાબદાર રહ્યો છે. નવલકથા અને નવલિકા બંનેમાં પેટલીકર એમના નજીના પુરોગામી અને યુગમૂર્તિ વાર્તાકાર ર. વ. દેસાઈના વારસદાર લાગે છે, અને એટલે ૧૯૫૫ પછી નવી વાર્તાનાં વલણો પણ એમને પ્રભાવિત કરતાં નથી. એ તો સમાજને, સમાજની ઘટનાઓને વાસ્તવની ભોંય પરથી વર્ણવે છે. માનવકલ્યાણ/સમાજકલ્યાણ એમના દૃષ્ટિકોણમાં કાયમ રહે છે. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને લખવામાં વાર્તાકાળને હાનિ થાય છે કે નહીં એની એમણે હમેશની જેમ પરવા નથી કરી. એ રીતે એમણે જે પોતાની દૃષ્ટિમાં નથી ને કદાચ ગજા બહારનું છે એને વળગી રહેવાનો દંભ પણ કર્યો નથી. થોડીક વાર્તાઓની મદદથી એમના, આવાં લક્ષણો ધરાવતા, વાર્તાજગતને આપણે તપાસી જોઈશું.
આ સમયમાં વાર્તાલેખન પેટલીકર માટે અનેક શક્યતાઓથી ભરેલું હતું, પણ પેટલીકરે, નવલકથામાં રાખ્યો હતો એ જ રીતે, વાર્તામાં પણ સમાજવર્ણન કરવાનો દૃષ્ટિકોણ રાખ્યો. સમાજવર્ણનની ભૂમિકાથી પેટલીકર સુધારો અને આદર્શ તરફ ખસતા ગયા. તે છેક ૧૯૬૨ સુધી એમની વાર્તાલેખનપ્રવૃત્તિ ચાલી ત્યાં સુધી પેટલીકરે વાર્તામાં ગ્રામીણ/શહેરી સમાજ, એના પ્રશ્નો, આર્થિક સમસ્યાઓ, સુધારો કે નારીશિક્ષણની ગતિવિધિઓ, બદલાતા સમય-સંદર્ભમાં આવતાં પરિવર્તનો, કુટુંબ, ગામ ને સમાજના, જ્ઞાતિના નવા નવા પ્રશ્નો વગેરેનું નિરૂપણ-વર્ણન કર્યા કર્યું હતું. પન્નાલાલમાં પ્રારંભે વર્તાયેલો થોડોક રોમૅન્ટિક અભિગમ પેટલીકરમાં નથી મળતો. પેટલીકરે તો વાસ્તવવાદી દૃષ્ટિકોણથી વાર્તાઓ લખી છે. એ વ્યક્તિને કેન્દ્રમાં રાખીને વાર્તા લખતા હોય ત્યારે પણ, મોટેભાગે, એ સમાજને જ જોતા-દર્શાવતા લાગશે. પેટલીકરની વાર્તાઓ વ્યક્તિથી સમાજ તરફ ગતિ કરે છે. વ્યક્તિગત સંવેદના કે દુઃખદર્દ પેટલીકર વર્ણવે છે ખરા, પણ એમના મનમાં ત્યારેય એનું જનરાઇલેશન કરવાનું વલણ હોય છે, એના ઉદાહરણમાં ‘દુઃખનાં પોટલાં’ જેવી વાર્તા જોઈ શકાય. સમાજવર્ણનની નેમ અને સુધારાનું ધ્યેય પેટલીકરની વાર્તાઓને બીબાંઢાળ અને ખાસ પ્રકારના નવોન્મેષ વિનાની કરી મૂકે છે. એ વાર્તાઓ સંકેતો, વ્યંજના, પ્રસંગોની સુનિયોજિત ગોઠવણ, સંવેદનોનું સઘન નિરૂપણ, સંઘર્ષની-કટોકટીની તનાવપૂર્ણ પળ — ક્ષણ ઇત્યાદિ લક્ષણો ભાગ્યે જ ધરાવે છે. એમની થોડીક સફળ નવલિકાઓને બાદ કરતાં પેટલીકરની ઘણીખરી વાર્તાઓ માત્ર કથાવર્ણન કે પ્રસંગ કક્ષાએ ગાથા બનીને અટકી જાય છે. એમાં પણ એમનો સમાજલક્ષી અભિગમ જ જવાબદાર રહ્યો છે. નવલકથા અને નવલિકા બંનેમાં પેટલીકર એમના નજીના પુરોગામી અને યુગમૂર્તિ વાર્તાકાર ર. વ. દેસાઈના વારસદાર લાગે છે, અને એટલે ૧૯૫૫ પછી નવી વાર્તાનાં વલણો પણ એમને પ્રભાવિત કરતાં નથી. એ તો સમાજને, સમાજની ઘટનાઓને વાસ્તવની ભોંય પરથી વર્ણવે છે. માનવકલ્યાણ/સમાજકલ્યાણ એમના દૃષ્ટિકોણમાં કાયમ રહે છે. ઉપયોગિતાવાદી દૃષ્ટિકોણ અપનાવીને લખવામાં વાર્તાકાળને હાનિ થાય છે કે નહીં એની એમણે હમેશની જેમ પરવા નથી કરી. એ રીતે એમણે જે પોતાની દૃષ્ટિમાં નથી ને કદાચ ગજા બહારનું છે એને વળગી રહેવાનો દંભ પણ કર્યો નથી. થોડીક વાર્તાઓની મદદથી એમના, આવાં લક્ષણો ધરાવતા, વાર્તાજગતને આપણે તપાસી જોઈશું.
પેટલીકરના અગિયાર વાર્તાસંગ્રહો અને પાંચ વાર્તાસંકલનો પ્રગટ થયાં છે. ‘તાણાવાણા’ (૧૯૪૬), ‘પટલાઈના પેચ’ (૧૯૪૬), ‘માનતા’ (૧૯૪૭), ‘પારસમણિ’ (૧૯૪૯), ‘કાશીનું કરવત’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘લોહીની સગાઈ’ (૧૯૫૨), ‘અભિસારિકા’ (૧૯૫૪), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘મીનપિયાસી’ (૧૯૬૦), ‘કઠપૂતળી’ (૧૯૬૨) ઉપરાંત એમનાં સંકલનોમાં પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ કે ‘વાર્તાવૈભવ’ ધ્યાનપાત્ર છે. દોઢસો જેટલી વાર્તાઓનું સર્જન-લેખન એ કંઈ નાની-અમથી ઘટના ન ગણાય. પણ આમાં ધ્યાનપાત્ર, આસ્વાદ્ય વાર્તાઓ કેટલી? એવો પ્રશ્ન પણ થાય. વાર્તાકાળની એકાદી વિશેષતા પણ ન ધરાવતી વાર્તાગંધી રચનાઓ જ અધઝાઝેરો ભાગ રોકે છે ત્યારે સુપાઠ્ય વાર્તાઓ ઓછી મળવા સંભવ છે ને ઉત્તમ નવલિકાના માનદંડે પાસ થતી વાર્તાઓ તો એકાદ આંગળીના વેઢે ગણાય એટલી જ મળવાનો સંભવ છે. પન ગુણવત્તા ગણિતથી ઉપર છે. સફળ કૃતિઓનું મૂલ્ય એના સર્જકને સર્જક ઠેરવવા પૂરતું ગણાવું ઘટે.
પેટલીકરના અગિયાર વાર્તાસંગ્રહો અને પાંચ વાર્તાસંકલનો પ્રગટ થયાં છે. ‘તાણાવાણા’ (૧૯૪૬), ‘પટલાઈના પેચ’ (૧૯૪૬), ‘માનતા’ (૧૯૪૭), ‘પારસમણિ’ (૧૯૪૯), ‘કાશીનું કરવત’ (૧૯૪૯), ‘ચિનગારી’ (૧૯૫૦), ‘લોહીની સગાઈ’ (૧૯૫૨), ‘અભિસારિકા’ (૧૯૫૪), ‘આકાશગંગા’ (૧૯૫૮), ‘મીનપિયાસી’ (૧૯૬૦), ‘કઠપૂતળી’ (૧૯૬૨) ઉપરાંત એમનાં સંકલનોમાં પેટલીકરની શ્રેષ્ઠ વાર્તાઓ’ કે ‘વાર્તાવૈભવ’ ધ્યાનપાત્ર છે. દોઢસો જેટલી વાર્તાઓનું સર્જન-લેખન એ કંઈ નાની-અમથી ઘટના ન ગણાય. પણ આમાં ધ્યાનપાત્ર, આસ્વાદ્ય વાર્તાઓ કેટલી? એવો પ્રશ્ન પણ થાય. વાર્તાકાળની એકાદી વિશેષતા પણ ન ધરાવતી વાર્તાગંધી રચનાઓ જ અધઝાઝેરો ભાગ રોકે છે ત્યારે સુપાઠ્ય વાર્તાઓ ઓછી મળવા સંભવ છે ને ઉત્તમ નવલિકાના માનદંડે પાસ થતી વાર્તાઓ તો એકાદ આંગળીના વેઢે ગણાય એટલી જ મળવાનો સંભવ છે. પન ગુણવત્તા ગણિતથી ઉપર છે. સફળ કૃતિઓનું મૂલ્ય એના સર્જકને સર્જક ઠેરવવા પૂરતું ગણાવું ઘટે.
‘દુઃખનાં પોટલાં’ઃ ગામડેથી શહેરમાં આવી વસેલા એક વણકર કુટુંબની આ વાર્તામાં વાલી કેન્દ્રસ્થ સ્રીપાત્ર છે. વાલીએ રંડાપો વેઠીને દીકરા મોટા કર્યાં. બબ્બે ઘર કર્યાં ને મોટા દીકરા ગણેશને પરણાવ્યો છે. બધાં મિલમાં નોકરી કરે છે, ને ખાધેપીધે સુખી છે. પણ વાલીની ઉપરવટ જઈને દીકરો અને વહુ દિયરના છોકરાની જાનમાં જાય છે, જે દિયરે વાલીને પજવવામાં ન એની મિલકત પડાવી લેવાના પેંતરા રચવામાં કશું બાકી નહોતું રાખ્યું. એટલે દીકરા-વહુનું  પગલું વાલીને હાડોહાડ લાગી આવે છે એ મિલથી આવી એવી પહેર્યે કપડે ઘર છોડી જાય છે. એ પછી વાલું મનોમંથન વર્ણવતાં વર્ણવતાં લેખકે એને પિયરમાં બહેનને ત્યાં જતી બતાવી છે. ‘દીકરો જાનેથી આવીને બાને મનાવી લેવા આવશે ને પોતે બે વાતો કહીને માનીય જશે’ — એમ મન સાથે ગોઠવતી વાલીને બોલાવવા દીકરો ચાર ચાર દિવસ લગી આવતો નથી. આખરે બહેનને ઘેરથી પાછાં જવાને બહાને નીકળેલી વાલી ‘કૂવોહવાડો’ કરવાને બદલે પીપળાની ટોચે ચડીને પડતું મૂકે છે. ત્યારે ગણેશ, એનો મામો ને લલ્લુ વાલીની શોધમાં ત્યાં પાસેથી નીકળતાં કોઈને પીપળેથી પડતું મૂકતાં જોઈને ત્યાં આવે છે! પણ ખેલ ખલાસ થઈ ગયો છે!
'''‘દુઃખનાં પોટલાં’''' : ગામડેથી શહેરમાં આવી વસેલા એક વણકર કુટુંબની આ વાર્તામાં વાલી કેન્દ્રસ્થ સ્રીપાત્ર છે. વાલીએ રંડાપો વેઠીને દીકરા મોટા કર્યાં. બબ્બે ઘર કર્યાં ને મોટા દીકરા ગણેશને પરણાવ્યો છે. બધાં મિલમાં નોકરી કરે છે, ને ખાધેપીધે સુખી છે. પણ વાલીની ઉપરવટ જઈને દીકરો અને વહુ દિયરના છોકરાની જાનમાં જાય છે, જે દિયરે વાલીને પજવવામાં ન એની મિલકત પડાવી લેવાના પેંતરા રચવામાં કશું બાકી નહોતું રાખ્યું. એટલે દીકરા-વહુનું  પગલું વાલીને હાડોહાડ લાગી આવે છે એ મિલથી આવી એવી પહેર્યે કપડે ઘર છોડી જાય છે. એ પછી વાલું મનોમંથન વર્ણવતાં વર્ણવતાં લેખકે એને પિયરમાં બહેનને ત્યાં જતી બતાવી છે. ‘દીકરો જાનેથી આવીને બાને મનાવી લેવા આવશે ને પોતે બે વાતો કહીને માનીય જશે’ — એમ મન સાથે ગોઠવતી વાલીને બોલાવવા દીકરો ચાર ચાર દિવસ લગી આવતો નથી. આખરે બહેનને ઘેરથી પાછાં જવાને બહાને નીકળેલી વાલી ‘કૂવોહવાડો’ કરવાને બદલે પીપળાની ટોચે ચડીને પડતું મૂકે છે. ત્યારે ગણેશ, એનો મામો ને લલ્લુ વાલીની શોધમાં ત્યાં પાસેથી નીકળતાં કોઈને પીપળેથી પડતું મૂકતાં જોઈને ત્યાં આવે છે! પણ ખેલ ખલાસ થઈ ગયો છે!
વાલી જેવી સમજણી બાઈ અહમ્‌ને કારણે અને જિદ્દી સ્વભાવને કારણે જાતનું મરણ નોતરે એ જરા ગળે ન ઊતરે એવી વાત છે. વાલીને દુઃખ નથી કશું. હજી તો દીકરો ને વહુ એનું કહ્યું ઘણુંય માને છે. ને વાલીની સમજણ નવા જમાનાને ઓળખીને એને વર્તવા પ્રેરે એવી છે. બીજાં ઘણાં ઉદાહરણોમાં વાલી જુએ છે કે પોતા કરતાં વધારે ખરાબ સ્થિતિ છે. પણ ઘર છોડતાં તો છોડી ગયેલી વાલીને વણબોલાવ્યે ઘેર પાછાં જવું માથાવાઢ લાગે છે. અહમ્‌ — સ્વમાન ને પોતે વેઠેલાં દુઃખોનું અભિમાન એને ઘેરી લે છે. ન-જેવી બાબતે વાલી આપઘાત કરે છે. બીજો અંત ન સૂઝતાંં પેટલીકરે જાણે વાલીને માથે આપઘાત ઠોકી માર્યો હોય એવું લાગે છે.
વાલી જેવી સમજણી બાઈ અહમ્‌ને કારણે અને જિદ્દી સ્વભાવને કારણે જાતનું મરણ નોતરે એ જરા ગળે ન ઊતરે એવી વાત છે. વાલીને દુઃખ નથી કશું. હજી તો દીકરો ને વહુ એનું કહ્યું ઘણુંય માને છે. ને વાલીની સમજણ નવા જમાનાને ઓળખીને એને વર્તવા પ્રેરે એવી છે. બીજાં ઘણાં ઉદાહરણોમાં વાલી જુએ છે કે પોતા કરતાં વધારે ખરાબ સ્થિતિ છે. પણ ઘર છોડતાં તો છોડી ગયેલી વાલીને વણબોલાવ્યે ઘેર પાછાં જવું માથાવાઢ લાગે છે. અહમ્‌ — સ્વમાન ને પોતે વેઠેલાં દુઃખોનું અભિમાન એને ઘેરી લે છે. ન-જેવી બાબતે વાલી આપઘાત કરે છે. બીજો અંત ન સૂઝતાંં પેટલીકરે જાણે વાલીને માથે આપઘાત ઠોકી માર્યો હોય એવું લાગે છે.
લેખકનો આશય સમાજવર્ણનનો છે એ અહીં સ્પષ્ટ બને છે. વાણીની વેદનાની સામે લેખકે બીજાં છસાત પાત્રોના જીવનની લહાય બતાવી છે. પડોશણ જમનાની વાત, સ્ટેશન પરનાં ગંગામાની વાત, પિયરમાં ઉકાકાકાની વાત, નવા શેઠ ને નર્મદા ગોરાણીનું દુઃખ, છેલ્લે બહેનને ઘેર ભાણી સોનીનું દુઃખ ને ભાણો દાનો તથા વહુનું દુઃખ લેખક વર્ણવે છે. બધાંને દીકરા-વહુના વર્તનનો જ ઝઘડો છે. સાસુ-વહુ-દીકરો-સસરો-ના પ્રશ્નો લેખકે ભારે કાળજીથી વર્ણવ્યા છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘ઘેર ઘેર માટીના ચૂલા’ વધારે બંધબેસતું હતું. ‘દુઃખનાં પોટલાં’ શીર્ષક માથે થાયેલું લાગે છે.
લેખકનો આશય સમાજવર્ણનનો છે એ અહીં સ્પષ્ટ બને છે. વાણીની વેદનાની સામે લેખકે બીજાં છસાત પાત્રોના જીવનની લહાય બતાવી છે. પડોશણ જમનાની વાત, સ્ટેશન પરનાં ગંગામાની વાત, પિયરમાં ઉકાકાકાની વાત, નવા શેઠ ને નર્મદા ગોરાણીનું દુઃખ, છેલ્લે બહેનને ઘેર ભાણી સોનીનું દુઃખ ને ભાણો દાનો તથા વહુનું દુઃખ લેખક વર્ણવે છે. બધાંને દીકરા-વહુના વર્તનનો જ ઝઘડો છે. સાસુ-વહુ-દીકરો-સસરો-ના પ્રશ્નો લેખકે ભારે કાળજીથી વર્ણવ્યા છે. એ રીતે વાર્તાનું શીર્ષક ‘ઘેર ઘેર માટીના ચૂલા’ વધારે બંધબેસતું હતું. ‘દુઃખનાં પોટલાં’ શીર્ષક માથે થાયેલું લાગે છે.
પેટલીકર પાસે વર્ણનશક્તિ છે. ઘટના સાથે ઘટના જોડી દેવી, પ્રસંગમાંથી પ્રસંગ રચાતો આવે અને પોતાનું કથયિતવ્ય દૃઢ થતું જાય, સમાજ-વર્ણન પણ આવતું જાય એ — એ બધું પેટલીકર એવી સહજતાથી કરે છે કે એમાં ક્યાંય સંધાણ કે તિરાડ દેખાતાં નથી. પણ આમાંથી ઘણી ઘટનાઓને, વર્ણનોને બાદ કરીને વાર્તાનો મેદ ઘટાડી શકાય. વાર્તાને વધારે સઘન ાને સંકેતપૂર્ણ બનાવવાનું પેટલીકરને છેક નથી જ ફાવતું એવું નથી. એ લંબાણમાંય સંકેતો રચતા જ રહે છે. પણ ત્યાં એનો પ્રભાવ/પ્રસ્તાર થકી રોળાઈ જાય છે. ‘દુઃખનાં પોટલાં’ લંબાવેલી વાર્તા છે. ૭૦-૮૦ પાનાંની લંબાઈને ‘વનફોર્થ’ પણ કરી શકાઈ હોત એમ લાગે છે. પેટલીકરનું પાત્રલેખન, સમાજચિત્રણ અને પ્રસંગ આલેખન અહીં ધ્યાનપાત્ર બને છે, પણ ટૂંકી વાર્તાની રેંજની બહાર એ બધું બને છે, એટલે એ ગુણો ‘વાર્તા સર્જવામાં’ લેખે લાગ્યા નથી. વાર્તામાં અપ્રતીતિકર અંશો પણ છે. ઉપરાંત બધું જ કહી દેવાની લેખકની તાલાવેલી, ને ઝીણી વિગતોનું પણ આલેખન આપવાનો લોભ પેટલીકરની વાર્તાઓને ઘાતક નીવડે છે. ‘કાશીનું કરવત’ અને ‘અકળ લીલા’ જેવી દીર્ઘ વાર્તાઓમાં પણ આવી જ મર્યાદા ઓ વાર્તાકાળાના ગળે ટૂંપો દે છે. (આ ત્રણે વાર્તાઓ ‘કાશી કરવત’ સંગ્રહમાં છે, ત્રણ દીર્ઘ વાર્તાઓનો જ આ સંગ્રહ છે.)
પેટલીકર પાસે વર્ણનશક્તિ છે. ઘટના સાથે ઘટના જોડી દેવી, પ્રસંગમાંથી પ્રસંગ રચાતો આવે અને પોતાનું કથયિતવ્ય દૃઢ થતું જાય, સમાજ-વર્ણન પણ આવતું જાય એ — એ બધું પેટલીકર એવી સહજતાથી કરે છે કે એમાં ક્યાંય સંધાણ કે તિરાડ દેખાતાં નથી. પણ આમાંથી ઘણી ઘટનાઓને, વર્ણનોને બાદ કરીને વાર્તાનો મેદ ઘટાડી શકાય. વાર્તાને વધારે સઘન ને સંકેતપૂર્ણ બનાવવાનું પેટલીકરને છેક નથી જ ફાવતું એવું નથી. એ લંબાણમાંય સંકેતો રચતા જ રહે છે. પણ ત્યાં એનો પ્રભાવ/પ્રસ્તાર થકી રોળાઈ જાય છે. ‘દુઃખનાં પોટલાં’ લંબાવેલી વાર્તા છે. ૭૦-૮૦ પાનાંની લંબાઈને ‘વનફોર્થ’ પણ કરી શકાઈ હોત એમ લાગે છે. પેટલીકરનું પાત્રલેખન, સમાજચિત્રણ અને પ્રસંગ આલેખન અહીં ધ્યાનપાત્ર બને છે, પણ ટૂંકી વાર્તાની રેંજની બહાર એ બધું બને છે, એટલે એ ગુણો ‘વાર્તા સર્જવામાં’ લેખે લાગ્યા નથી. વાર્તામાં અપ્રતીતિકર અંશો પણ છે. ઉપરાંત બધું જ કહી દેવાની લેખકની તાલાવેલી, ને ઝીણી વિગતોનું પણ આલેખન આપવાનો લોભ પેટલીકરની વાર્તાઓને ઘાતક નીવડે છે. ‘કાશીનું કરવત’ અને ‘અકળ લીલા’ જેવી દીર્ઘ વાર્તાઓમાં પણ આવી જ મર્યાદા ઓ વાર્તાકાળાના ગળે ટૂંપો દે છે. (આ ત્રણે વાર્તાઓ ‘કાશી કરવત’ સંગ્રહમાં છે, ત્રણ દીર્ઘ વાર્તાઓનો જ આ સંગ્રહ છે.)
‘કાશીનું કરવત’ :
'''‘કાશીનું કરવત’ :'''
સાદાસીધા છગાભાઈના શાંત અને સુખી જીવનમાં સંબંધીઓની હીન વૃત્તિઓને લીધે ઝંઝાવાત આવે છે. છગાભાઈને એક જોશી લગ્નયોગ’ ને ‘બે દીકરાનું સુખ’ ચીંધી જાય છે. પંચાવન વર્ષના વિધુર છગાભાઈ આનાથી તળેઉપર થવા માંડે છે. છગાભાઈ એક તરફથી સમાજ-કુટુંબીઓને સંબંધીઓની મેલી રમતનો ભોગ બને છે ને બીજી તરફથી એમની વૃત્તિઓ માણસ તરીકેની નબળાઈઓ એમને ઘેરે છે. પરિણામે છગાભાઈનું જીવન સંક્ષુબ્ધ અને યાતનાગ્રસ્ત બની જાય છે. છગાભાઈનો આંતરિક તરફડાટ સ્પર્શક્ષમ બને છે ને પરાકાષ્ઠાએ પહોંચે છે. પેટલીકર પાસએ માનવ-સ્વભાવની પરીક્ષણશક્તિ પણ છે. સમાજની ચાલબાજી પણ એ બતાવે છે સમાજ પેટલીકરમાં બરાબર ઊતર્યો છે એ આવી વાર્તાઓ સચોટ રીતે બતાવે છે. ‘કાશીનું કરવત’માંય લંબાણ કંઈક અંશે નિર્વાહ્ય હતું જ. બબ્બે સંઘર્ષોને વર્ણવતી આ વાર્તા પેટલીકરની કંઈક અંશે સફળ વાર્તા છે એમ કહેવામાં વાંધો નથી.
સાદાસીધા છગાભાઈના શાંત અને સુખી જીવનમાં સંબંધીઓની હીન વૃત્તિઓને લીધે ઝંઝાવાત આવે છે. છગાભાઈને એક જોશી લગ્નયોગ’ ને ‘બે દીકરાનું સુખ’ ચીંધી જાય છે. પંચાવન વર્ષના વિધુર છગાભાઈ આનાથી તળેઉપર થવા માંડે છે. છગાભાઈ એક તરફથી સમાજ-કુટુંબીઓને સંબંધીઓની મેલી રમતનો ભોગ બને છે ને બીજી તરફથી એમની વૃત્તિઓ માણસ તરીકેની નબળાઈઓ એમને ઘેરે છે. પરિણામે છગાભાઈનું જીવન સંક્ષુબ્ધ અને યાતનાગ્રસ્ત બની જાય છે. છગાભાઈનો આંતરિક તરફડાટ સ્પર્શક્ષમ બને છે ને પરાકાષ્ઠાએ પહોંચે છે. પેટલીકર પાસએ માનવ-સ્વભાવની પરીક્ષણશક્તિ પણ છે. સમાજની ચાલબાજી પણ એ બતાવે છે સમાજ પેટલીકરમાં બરાબર ઊતર્યો છે એ આવી વાર્તાઓ સચોટ રીતે બતાવે છે. ‘કાશીનું કરવત’માંય લંબાણ કંઈક અંશે નિર્વાહ્ય હતું જ. બબ્બે સંઘર્ષોને વર્ણવતી આ વાર્તા પેટલીકરની કંઈક અંશે સફળ વાર્તા છે એમ કહેવામાં વાંધો નથી.
‘અકળ લીલા’
'''‘અકળ લીલા’'''
આ વાર્તામાં ચંચળબહેનને સમજાય છે કે પોતે પતિ માટે પ્રેરણાદાયક નથી, કેમ કે પોતે કશી ડિગ્રી મેળવી નથી. પતિને એમની સ્રી સહકાર્યકર આ મતલબનું કહેતી હતી એ ચંચળબહેને સાંભળેલું, પતિ સમાજસેવક છે. પતિને પત્ની સામે કશી ફરિયાદ નથી. તે ચંચળબહેનના મનમાય કશી સ્રી સહજ ઈર્ષા જન્મતી નથી, પણ તે ઇચ્છે છે કે પતિને એવી પત્ની મળે કે જે એમનાં કાર્યમાં પ્રેરક ને મદદરૂપ થઈ શકે. એમની અયોગ્યતા ને એમાંથી જન્મતી ચિતા પેટલીકરે વિકસાવ્યાં છે. વાર્તા ચંચળબહેનના ઇચ્છા-મૃત્યુની પરાકાષ્ઠા સુધી પહોંચે છે. મનનાં ઊંડાણો પેટલીકર પણ તાગી શકે છે. છતાં અહીં આડીઅવળી વાતો, ઝીણી વિગતોના ખડકલા લંબાણ અને શિથિલતા સરજે છે. એટલે ‘અકળ લીલા’ વાર્તા અપીલ કરતી નથી. ‘ચંચળબહેન’ની સમજણ, ચિંતા અને ઇચ્છા-મૃત્યુ પણ ખાસ કંઈ વાસ્તવિક લાગતાં નથી. બધું ઉપજાવેલું વધારે લાગે છે.
આ વાર્તામાં ચંચળબહેનને સમજાય છે કે પોતે પતિ માટે પ્રેરણાદાયક નથી, કેમ કે પોતે કશી ડિગ્રી મેળવી નથી. પતિને એમની સ્રી સહકાર્યકર આ મતલબનું કહેતી હતી એ ચંચળબહેને સાંભળેલું, પતિ સમાજસેવક છે. પતિને પત્ની સામે કશી ફરિયાદ નથી. તે ચંચળબહેનના મનમાય કશી સ્રી સહજ ઈર્ષા જન્મતી નથી, પણ તે ઇચ્છે છે કે પતિને એવી પત્ની મળે કે જે એમનાં કાર્યમાં પ્રેરક ને મદદરૂપ થઈ શકે. એમની અયોગ્યતા ને એમાંથી જન્મતી ચિતા પેટલીકરે વિકસાવ્યાં છે. વાર્તા ચંચળબહેનના ઇચ્છા-મૃત્યુની પરાકાષ્ઠા સુધી પહોંચે છે. મનનાં ઊંડાણો પેટલીકર પણ તાગી શકે છે. છતાં અહીં આડીઅવળી વાતો, ઝીણી વિગતોના ખડકલા લંબાણ અને શિથિલતા સરજે છે. એટલે ‘અકળ લીલા’ વાર્તા અપીલ કરતી નથી. ‘ચંચળબહેન’ની સમજણ, ચિંતા અને ઇચ્છા-મૃત્યુ પણ ખાસ કંઈ વાસ્તવિક લાગતાં નથી. બધું ઉપજાવેલું વધારે લાગે છે.
‘ચતુર મુખી’ઃ
'''‘ચતુર મુખી’ :'''
ગામડાનો સમાજ, એની પચરંગી વસ્તી અને એમાં મુખી / મુખિચાણીનો મોભો — મહિમા દર્શાવતી વાર્તા ‘ચતુર મુખી’ ધ્યાનપાત્ર ટૂંકી વાર્તા છે. ચતુર મૂળે બાઘો છે; કંઈક મૂર્ખ પણ ખરો. સૌ કોઈથી દબાઈને ચાલનારો, આળસુ/ એદી ખરો પન જમીનમાંથી પોતાનું નભે એટલુંં મળી રહેતું એથી કંઈક નફકરો, હુક્કો પીધા કરતો ચતુર જડવત્‌  જીવ્યા કરે છે. ત્યાં સરકારમાંથી ‘મુખીપદનો એનો વારો’ આવ્યાનો કાગળ એને મળે છે. હજી તો ચાર્જ લેવા જવાનું છે, પણ ચતુર તો આ જ પળથી મુખી થઈ ગયો છે, એની પત્ની પણ મુખિયાણી બની બેઠી છે! મુખીપણું એ બીજાને આપવા નથી ઇચ્છતો. કોઈથી ન દબાવાનું — કરસન મોટાથીય નહીં —, અને વસવાયાં પાસે ઢોર ચરાવવાથી માંડીને કચરો-વાસીદું, વાસણ પાણી. કપડા ધોવા સુધીનું દરેક કામ કરાવવાનું ચતુર મુખી અને એની પત્ની નક્કી પણ કરી દે છે. ચતુર તો એના અમલ માટેય ઉતાવળો છે. પણ તલાટી એને સમજાવે છે.
ગામડાનો સમાજ, એની પચરંગી વસ્તી અને એમાં મુખી / મુખિચાણીનો મોભો — મહિમા દર્શાવતી વાર્તા ‘ચતુર મુખી’ ધ્યાનપાત્ર ટૂંકી વાર્તા છે. ચતુર મૂળે બાઘો છે; કંઈક મૂર્ખ પણ ખરો. સૌ કોઈથી દબાઈને ચાલનારો, આળસુ/ એદી ખરો પન જમીનમાંથી પોતાનું નભે એટલુંં મળી રહેતું એથી કંઈક નફકરો, હુક્કો પીધા કરતો ચતુર જડવત્‌  જીવ્યા કરે છે. ત્યાં સરકારમાંથી ‘મુખીપદનો એનો વારો’ આવ્યાનો કાગળ એને મળે છે. હજી તો ચાર્જ લેવા જવાનું છે, પણ ચતુર તો આ જ પળથી મુખી થઈ ગયો છે, એની પત્ની પણ મુખિયાણી બની બેઠી છે! મુખીપણું એ બીજાને આપવા નથી ઇચ્છતો. કોઈથી ન દબાવાનું — કરસન મોટાથીય નહીં —, અને વસવાયાં પાસે ઢોર ચરાવવાથી માંડીને કચરો-વાસીદું, વાસણ પાણી. કપડા ધોવા સુધીનું દરેક કામ કરાવવાનું ચતુર મુખી અને એની પત્ની નક્કી પણ કરી દે છે. ચતુર તો એના અમલ માટેય ઉતાવળો છે. પણ તલાટી એને સમજાવે છે.
ચાર્જ લેવા જવાના દિવસો ઠેલ્યા કરતો તલાટી ચતુર પાસેથી ક્લાર્ક ક્લેક્ટરસાહેબ વગેરેને ખુશ કરવાના બહાનાથી પૈસા પડાવ્યા કરે છે. ચતુરને ખબર નથી કે આ તલાટી બધું ખિસ્સે ઘાલી બેઠો છે. ચતુર તો ઘર ધોળાવે છે, નવાં ગાદલાં ભરાવે છે, નવાં કપડાં – બધાં માટે — કરાવે છે. રખેને સાહેબ ગામમાં મહેમાન થઈને આવે તો! લોકો ચતુરની મશ્કરી કરે છે, પણ એ તો એના કેફમાં છે, મુખીપણાનો નશો સ્વાભાવિક જ મુખિયાણીને છે! તલાટી એને ‘મુખિયાણી’ કહે છે એટલે એ ખુશ થઈ ગઈ છે. ચતુર હુક્કો લઈને રોજ ચોરે બેસે છે. આમ ચાર્જ વગરની મુખીપણાના ચાર માસ થઈ જાય છે. ને આખરે તલાટી ચતુરને લઈને ચાર્જ માટે જાય છે. ત્યાં ન વાં કપડાંમાંય ન ઢંકાયેલી ચતુર મુખીની બાઘાઈથી, ને કદાચ લાંચ ત્યાં ન પહોંચ્યાથી, એને મુખીપણું મળતું નથી. એની દલીલોની સાથે એનેય ઑફિસ બહાર કાઢી મૂકવામાં આવે છે. તલાટી આ ચુસાઈ ગયેલા સાંઠાને ફેંકી દે છે. તે બિચારો ચતુર મુખી! હવે જે મળે એને હજીય મુખીપણાનો રોફ બતાવતો ફરે છે. લોકો એના ગાંડપણને પોરસાવવા એને મુખી કહે છે, ને ચતુર ખુશ થાય છે. છેલ્લે, આમ, ચતુરનું ગાંડપણ દર્શાવીને લેખકે હાસ્યની સાથે કરુણની સેર ગૂંથી લીધી છે. જરાય બોલકા બન્યા વિના તલાટીની ભ્રષ્ટ દાનત, લોકોનાં માનસ, ચતુરની ગાંડીઘેલી ચેષ્ટાઓ લેખકે ઉપસવ્યાં છે. કથાનો કશો ભાર નથી, ને મહદંશે ચતુરની માનસિકતાને વર્ણવતી બાહ્ય ઘટનાઓ જ નિરૂપિત થઈ છે. છેક અંત જતાં પરાકાષ્ઠા પછી ચોટ આવે છે. ચતુરની દયનીય સ્થિતિ આપણને હલાવી જાય છે. આપણું હાસ્ય કરુણની છાંટથી રંગાઈ જાય છે. જશવંત શેખડીવાળાએ યોગ્ય રીતે જ આ વાર્તાને પેટલીકરની સફળ વાર્તાઓમાની એક વાર્તા કહીને વર્ણવી છે. (‘પેટલીકરઃ શીલ અને શબ્દ’ઃ પૃ. ૨૩૬–૭).
ચાર્જ લેવા જવાના દિવસો ઠેલ્યા કરતો તલાટી ચતુર પાસેથી ક્લાર્ક ક્લેક્ટરસાહેબ વગેરેને ખુશ કરવાના બહાનાથી પૈસા પડાવ્યા કરે છે. ચતુરને ખબર નથી કે આ તલાટી બધું ખિસ્સે ઘાલી બેઠો છે. ચતુર તો ઘર ધોળાવે છે, નવાં ગાદલાં ભરાવે છે, નવાં કપડાં – બધાં માટે — કરાવે છે. રખેને સાહેબ ગામમાં મહેમાન થઈને આવે તો! લોકો ચતુરની મશ્કરી કરે છે, પણ એ તો એના કેફમાં છે, મુખીપણાનો નશો સ્વાભાવિક જ મુખિયાણીને છે! તલાટી એને ‘મુખિયાણી’ કહે છે એટલે એ ખુશ થઈ ગઈ છે. ચતુર હુક્કો લઈને રોજ ચોરે બેસે છે. આમ ચાર્જ વગરની મુખીપણાના ચાર માસ થઈ જાય છે. ને આખરે તલાટી ચતુરને લઈને ચાર્જ માટે જાય છે. ત્યાં ન વાં કપડાંમાંય ન ઢંકાયેલી ચતુર મુખીની બાઘાઈથી, ને કદાચ લાંચ ત્યાં ન પહોંચ્યાથી, એને મુખીપણું મળતું નથી. એની દલીલોની સાથે એનેય ઑફિસ બહાર કાઢી મૂકવામાં આવે છે. તલાટી આ ચુસાઈ ગયેલા સાંઠાને ફેંકી દે છે. તે બિચારો ચતુર મુખી! હવે જે મળે એને હજીય મુખીપણાનો રોફ બતાવતો ફરે છે. લોકો એના ગાંડપણને પોરસાવવા એને મુખી કહે છે, ને ચતુર ખુશ થાય છે. છેલ્લે, આમ, ચતુરનું ગાંડપણ દર્શાવીને લેખકે હાસ્યની સાથે કરુણની સેર ગૂંથી લીધી છે. જરાય બોલકા બન્યા વિના તલાટીની ભ્રષ્ટ દાનત, લોકોનાં માનસ, ચતુરની ગાંડીઘેલી ચેષ્ટાઓ લેખકે ઉપસવ્યાં છે. કથાનો કશો ભાર નથી, ને મહદંશે ચતુરની માનસિકતાને વર્ણવતી બાહ્ય ઘટનાઓ જ નિરૂપિત થઈ છે. છેક અંત જતાં પરાકાષ્ઠા પછી ચોટ આવે છે. ચતુરની દયનીય સ્થિતિ આપણને હલાવી જાય છે. આપણું હાસ્ય કરુણની છાંટથી રંગાઈ જાય છે. જશવંત શેખડીવાળાએ યોગ્ય રીતે જ આ વાર્તાને પેટલીકરની સફળ વાર્તાઓમાની એક વાર્તા કહીને વર્ણવી છે. (‘પેટલીકરઃ શીલ અને શબ્દ’ઃ પૃ. ૨૩૬–૭).