અમાસના તારા/સર્જક-પરિચય

Revision as of 00:12, 25 March 2024 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


Error creating thumbnail: Unable to save thumbnail to destination


કિસનસિંહ ચાવડા

જિપ્સી ઉપનામથી લેખનકાર્ય કરનાર કિસનસિંહ ચાવડા (જ.1904–અવ.1979) ગૂજરાત વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં શિક્ષણ લઈને જન્મસ્થળ વડોદરામાં, સાધના મુદ્રણાલય સ્થાપીને રહેલા. છેલ્લાં વીસેક વર્ષ એમણે અલમોડા પાસેના આશ્રમમાં નિવાસ કરેલો.

એમનાં લખાણોની રંગદર્શી અને ચિત્રાત્મક શૈલીની પાછળ જીવનની મંગલતાનો ધબકાર હતો. અમાસના તારા અને જિપ્સીની આંખે – એ બે પુસ્તકોમાં એમનાં હૃદયસ્પર્શી સંસ્મરણો છે, તો અમાસથી પૂનમ ભણી-માં અધ્યાત્મની અંતર-યાત્રા છે. કિશનસિંહે નવલકથા અને વાર્તાઓ પણ લખી હતી. એ ઉપરાંત એમણે હિંદી સાહિત્યનો ઇતિહાસ તથા કબીર સંપ્રદાય જેવા અભ્યાસગ્રંથો આપેલા તેમ જ કેટલાક અનુવાદો પણ કરેલા. સુઘડતા અને સુબદ્ધતા એમના વ્યિક્તત્વનાં મહત્વનાં લક્ષણો હતાં.