<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 1. ‘અથવા અને’ વાંચતાં પહેલાં
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (અ)
બોમ્બેમ્યુચિઅલ બિલ્ડિંગ રિલીફ રોડ અમદાવાદમાં આવ્યું. એને છઠ્ઠે માળે શ્રી પ્રબોધ રાવલ, શ્રી હરિપ્રસાદ વ્યાસ (અને કદાચ હરિહર ખંભોળજા) એક સામયિક ‘યુવક’ ચલાવે – રાધેશ્યામ શર્માની સંપાદન-સહાયથી. એક શનિવારે વડોદરાથી બે કવિને આ સ્થળે કવિતા વાંચવા બોલાવાયા! ગુલામ મોહમ્મદ શેખ અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. લાભશંકરને લીધે હું પણ ઉપસ્થિત હતો. એક તરફ ‘રે’ના પ્રાદુર્ભાવની ઘડીઓ ગણાઈ રહી હતી ત્યારે આ બે કવિઓએ કાન સરવા રાખી સાંભળવી પડે એવી પંચેન્દ્રિયગ્રાહ્ય રચનાઓ વાંચી. બુધસભાના હું ને લાભશંકર. મને તો છંદની જાળવણી વગર પણ કવિતા શક્ય થાય છે, એ વાતથી જ રોમાંચ થયો. શેખને પહેલી વાર 1961ની આસપાસ પહેલા જોયા ને સાંભળ્યા. જાણ્યા તો આજ સુધી નથી, પણ, કદાચ આ લેખને અંતે શેખના આંતરવ્યક્તિત્વ અને એની ભાષાની ખટાપટીને પામી શકીશ એમ લાગે છે. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (બ)
કોઈ એક સામયિકમાં હમણાં બહુ બહુ વરસે શેખની 2013માં કવિતાઓ વાંચી અને મારો રોમાંચ મારી પાસે ફોન કરાવીને જંપ્યો. ભૂપેન ખખ્ખરના મૃત્યુ પછી દસ વર્ષે સ્મરણસભા અમદાવાદની ગુફામાં યોજાઈ ત્યારે – બહુ બહુ વરસો પહેલાં ન્યૂ જર્સીમાં રોહિત શાહને ત્યાં જેમને જોયેલાં એ નીલિમા (ભાભી કહેવાય? કહેવાયસ્તો) ભાભીને મેં કહ્યું : ‘શેખ હવે કવિતા ઝાઝી લખે એમ કહેજો.’ કવિતાના ઘરથી બહુ બહુ દૂર ધકેલાયા પછી શેખ પાછા કવિતા ભણી વળ્યા છે, ત્યારે ગુજરાતી ભાષાને પ્રોડિગલ સન પાછો આવ્યાનો રોમાંચ થતો હશે – એવું રોમૅન્ટિક વાક્ય મનમાં આવ્યું તે રદ કરી, શેખની કેટલીક કવિતાઓ સમયે સમયે કેવી બદલાઈ છે, એનો આલેખ આપીશ. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 2. ‘અથવા અને’ વાંચતાં વાંચતાં
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (અ)
લાભશંકર રાવલ ‘શાયર’થી સુરેશ જોષી સુધીની શેખની શબ્દયાત્રા છેવટે વરસોથી એ બેય વગર લગરીક લગરીક ચાલી. પણ આ આછીપાતળી વહેતી કવિતાએ એના એ બે કાંઠે વહ્યા નથી કર્યું. 1960ની સાલમાં લખતા શેખ અને 2002-3માં લખતા શેખની રચનાઓ વચ્ચે બહુ મોટો ભેદ છે. લાભશંકર રાવલ પાસે ઘૂંટેલા અને લોહીમાં હરતાફરતા થઈ ગયેલા લયને કવિશરીરમાંથી બહાર કાઢવો સરલ નહોતો. સુરેશ જોષીની કવિતા અંગેની વિચારણાએ શેખ માટે પણ ડાયાલેસિસનું કામ કર્યું. ‘ઉપજાતિ’ને રદ કરીને પણ સુરેશભાઈ ‘પ્રત્યંચા’માં જે લયવટો પામી શક્યા નહોતા, તે શેખે 1956થી 1958 સુધીમાં સેવેલા અને નસેનસમાં વહેતા કરેલા લયને અલગ કર્યો – સાવ અલગ કર્યો. 1960 પછીની શેખની રચનાઓએ સુરેશ જોષીના લલિત નિબંધના ગદ્યનો અને એમની ટૂંકી વાર્તામાં આવતા ઘટનાતત્ત્વના લોપનો સ્વીકાર કર્યો અને toolsથી એમણે જે કવિતા રચી તે ચન્દ્રકાન્ત ટોપીવાળા કહે છે એમ ગદ્યકવિતા થઈ. પહેલાં ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, ઇત્યાદિ અલંકારો અને પછીની કેટલીક રચનાઓ સજીવારોપણ અલંકારના ઉપયોગથી એમણે આ કવિતા સિદ્ધ કરી. અલંકાર-આયોજને શેખને ગીતના રોમૅન્ટિક કવિમાંથી અનરોમૅન્ટિક ગદ્યકવિ બનાવ્યા. જો કે સુરેશ જોષીએ બહુ વહેલા આવતા અનિલ જોશી, રમેશ પારેખને એ રીતે રોક્યા. જો શેખ ‘ખોરડું ચૂવે’, ‘દેખતો રહું’ કે–
ધરણી ઉપર ઢોળીને રૂપ સાચાં
આકાશ ફરી નીતર્યું રે લોલ
ભૂરું એનું આભલા જેવું મ્હોરું
સાચા જેવું ચીતર્યું રે લોલ
–આવું જ લખતા રહ્યા હોત તો લાભશંકર ઠાકર રમેશ પારેખને ગુજરાતી કવિતાના અમિતાભ બચ્ચન કહે છે, એ બિરુદ શેખને એમણે આપ્યું હોત. લયના કામાતુર રાજવીને લયરહિત કરવાથી ગુજરાતી કવિતાને એકંદરે લાભ જ થયો છે; કારણ કે ગીતોમાં public idiomsનો જ ઉપયોગ થતો હોવાથી એ લોકપ્રિય થાય છે. શેખને તો આપણી ભાષાના નવા idioms આપવાના હતા. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (બ)
શેખની 1960થી 1970 દરમ્યાનની રચનાઓમાંથી બહુચર્ચિત રચનાઓ વિશે સહુ સાથે મારે સૂરમાં સૂર જ પુરાવવાનો છે. પરંતુ જેના વિશે ક્યારેય વાત ન થઈ હોય અથવા ક્યારેક જ ઉલ્લેખ પામેલી હોય એવી એક રચનાના આંતરબાહ્ય વિશ્વને તપાસવાનો ઉપક્રમ યોજવો છે. એટલે કે ‘એવું થાય છે’, ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’, ‘બપોરની ઊંઘનો સ્વાદ’, ‘નિદ્રાના ફળને’, ‘દૂરના સમુદ્રની છાતી’, ‘ઓર્ફિયસ’, ‘માણસો’, ‘સ્ટીલ લાઇફ’, ‘જેસલમેર’ જેવી રચનાઓને બાકાત રાખીને વાત કરીશ. આ રચનાઓ વિશે ફરી વાત માંડવાની ઇચ્છા આ ક્ષણે નથી. પણ શેખની અપૂજ રહેલી આ ગાળાની એક રચના વિશે વાત કરવી છે – માંડીને. રચના આમ છેઃ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> ‘સ્મૃતિ’
ખાંડના ગાંગડા પર પડેલ પાણીના ટીપાની ઘટ્ટતામાં
મીઠાશ પી પીને મરી ગઈ એક કીડી.
એ જોઈ
મારા મગજની પછવાડે ભરાઈ બેઠેલી
અધકાચી સીમ મારી હથેળીમાં ઊતરી આવીઃ
આંગળે આંગળે ઊગ્યા આંબા.
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં.
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું
કીડીઓ કીકીમાં કંટાળીનેય બેસી રહે. (પૃ. 56)
‘થીજેલ કોપરેલ જેવી પોષની ચાંદની’
‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’
‘એંઠવાડના ગોટલામાંથી ઊગેલા આંબાને
કૂકડો કોચે છે’
‘નિદ્રાના ફળને છોલીને ટુકડા કર્યા હોય
તો ઘણી શાશ્વત ભ્રમણાઓ ભાંગી જાય’
‘આટલે દૂરથી
મને મૃત્યુનાં પાંસળાં બરાબર જણાય છે’
‘કૂતરાં વગરની વસતિમાં ભસ્યા કરે છે કાળા અક્ષરો’
‘મરુથલે મોતીમઢ્યું આ નગર’
‘બધું વીર્ય એક સાથે સરી ગયું હોય
એવા લિંગ જેવું સુસ્ત શરીર લાગે છે’
કે નથી બીભત્સરસ સિદ્ધ કરતી પંક્તિઓ.
ઘાસ ખાઈ ખાઈને
કીધા પીળા પોદળા
તેની ગંધના બેય કાને પૂમડાં.
રખડવું ભૂંડ પેઠે
ફેંદવો એંઠવાડ.
આંગળે આંગળે ઊગ્યા આંબા
પગદંડીઓ પથરાઈ પાંચ દિશામાં
આંખમાંથી એક પાતળું, મોળું ટીપું નીચે પડ્યું
એને મેં ટાંકણીથી કોચી જોયું.
આવું ગુજરાતી ભાષાની કવિતામાં વારંવાર નથી બન્યું. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ક)
મને શેખની અલ્પખ્યાત બીજી રચનાએ કાવ્યાનંદ આપ્યો છે તે આમ 1962માં શરૂ થાય છે; પણ, 14-1-1974ના રોજ એની અંતિમ વાચના આપણને હાથવગી થાય છે. આ રચના નીચે શેખનું નામ ન હોય તો એ શેખે લખી છે એવું રસિક શાહ તો ઠીક જયંત પારેખ પણ ભાગ્યે જ કહી શકે. એનો અર્થ એ કે ઈ.સ. 1961ના શેખ ઈ.સ. 1974માં બહુબહુ અદલાયા-બદલાયા છે. એ સારા કવિનું કાયમી લક્ષણ લેખાયું છે અને એમાંય ‘મેજોર પોએટ’નું સારલ્ય આ રચનાનું સર્વસ્વ છે, હું એના વિશે કોઈ પિષ્ટપેષણ કરવાનો નથી કારણ એની સાદગી જ એવી છે કે કોઈ ઇન્ટરપ્રિટર અથવા આસ્વાદકની એને આવશ્યકતા નથી. એ શબ્દોનું સર્જકત્વ તમને direct મળે એમ હું ઇચ્છું છું. કાવ્ય આમ છેઃ
પાણીની જેમ
તમને ખોબામાં ઝીલ્યાં હતાં
સાચવ્યાં હતાં
આંગળું પીધું
આંગળું ઢોળ્યું
આંગળું ઊડી ગયું
હવે
આંગળા વચ્ચેના અવકાશમાં
પ્રવાહીનો સંકેત
કે આભાસ.
સુકાયેલા હાથે પત્ર લખતાં
અક્ષરોમાં અંદર
પ્રવાહીનો અણસાર...
આંગળાં અક્ષરોમાં ઊતરવા
ફાંફાં મારે છે. (અથવા અને, પૃ. 58)
હું કથકની શૈલીથી પ્રસન્ન પ્રસન્ન. જેને ખોબામાં ઝીલી હતી અને આંગળાં ભીનાં ભીનાં થયાં હતાં – તે આંગળાંવાળો હાથ સુકાઈ ગયો છે. કવિ ઇંગિતથી કાવ્યનાયકની વેદનાથી હચમચ હચમચ હચમચાવે છે, ક્યારેક ભીના અને હવે સુકાયેલા હાથનાં આંગળાં ફાંફાં મારે છે – અક્ષરોમાં ઊતરવા. આવી ક્ષણોમાં વ્યક્ત થવું અને એય ભાષામાં – કેવું દુષ્કર! આ રચનાનું અનન્યપણું વણપોંખ્યું ન જવું જોઈએ. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> (ખ)
હવે પછીની રચના 27-10-1977ની છે. પહેલી વાર ‘અને’માં પ્રગટ થાય છે. એનું શીર્ષક છે ‘વહેલી સવારે’.
કાવ્ય આમ છેઃ
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ ચળાઈ
શ્વાસની હેલી ચડી.
પ્હો ફાટ્યાં પ્હેલાં વરસ્યો અંબાર.
ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો
દેહનો રેલો
ચાદરને છીંડે છીંડે ચાલ્યો.
પરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
તને હોડે લઈ ખેપે ચડું.
જો હજી પોઢેલાં પક્ષી ઊઠ્યાં નથી.
ભીની ધૂળમાં
વાંસ લળે પગ તળે સૃષ્ટિ ગળે
બંધ મુઠ્ઠીમાં સમેટું જ્યાં તને
નાભિકુંડ ઝળહળ ઝળહળ ઝળહળે.
આ કલ્પનશ્રેણી એ એક ચિત્રકારના શબ્દ દ્વારા ચાક્ષુષ અનુભવને લક્ષે છે. સુરેશભાઈ ચિત્રકાર નહીં હોવાથી એમની કવિતાનો શબ્દ ચિત્ર સંદર્ભે આમ રમ્ય, પણ, અ-સ્પષ્ટ સંદિગ્ધપણા પાસે ભાવકને મૂકે છે. જ્યારે શેખ અલંકારના આયોજનથી શબ્દને ઉપયોગમાં લઈ ભાષાને કેન્વાસ જેમ ખપે લે છે. શેખના શબ્દો રંગ અને રેખા બેયનો અનુભવ કરાવે છે. આજે જે કાવ્યની હું વાત કરું છું–
એ કાવ્યમાં એક સવારને ચિત્રકાર જે રીતે કેન્વાસ પર ઉતારે એમ શેખ શબ્દમાં સવારને – ક્યારેક જ અનુભવાતી એક સવારને ¬– ભાષાના ફલક પર ઉતારે છે અને ત્યારે રંગ અને રેખા ઉપરાંત શેખ શબ્દની નાદ-શક્તિનો પણ અ-પૂર્વ ઉપયોગ કરે છે. અહીં સાક્ષીભાવે સવાર દોરાતી નથી – કવિ પ્રત્યક્ષ થઈ આ સવારને શબ્દમાં ઉતારે છે. અને એટલેસ્તો શ્વાસની હેલી ચડ્યાનું પહેલી જ ત્રણ પંક્તિમાં કન્ફેશન કરવામાં આવ્યું છે.આ શ્વાસ–
સહસ્ર સોયની ધારે
જાળીએ જાળીએ
રોજ જેમ પ્હો ફાટ્યા પ્હેલાં અંબાર વરસ્યો છે; પણ, દેહ ચાદરને છીંડે છીંડે ચાલ્યો છે; રેલ્યો છે કોની જેમ? તો કહે– ‘ખખડતા પુલ પરથી સરકતી ટ્રેન જેવો’
ચાદરને છીંડે છીંડે-નું અનન્યપણું સરવા કાને સાંભળો ન સંભળો ત્યાં કાવ્યનાયકપરોઢિયા જેવી પાતળી ઊંઘને
અંધકારની પથારી પર મસળતો
વાંસ લળે
પગ તળે
સૃષ્ટિ ગળે
નાભિકુંડ
ઝળહળ
ઝળહળ
ઝળહળ.
બહુ સરળ છતાં આ સંકુલ મનોજગત ધરાવતું દૃશ્ય શેખે પોતાની દ્વિવિધ શક્તિથી અવગત કરાવ્યું છે. {Center|(ઘ)}} એકવીસમી સદીના પ્રારંભમાં શેખ એક રચના કરે છે, એની રચ્યાતારીખ છે – ના, તારીખ પણ નથી, સાલ છે – 2002-2003. કાવ્યનું શીર્ષક છે ‘પાછા ફરતાં’ (શેખનો એક નિબંધ છે ‘ઘર તરફ પાછા ફરતાં’ – આવું શીર્ષક સાંભરણમાં છે.). કાવ્યનું કદ શેખની લગભગ રચનાઓ કરતાં ઘણું મોટું છે. જો કે દીર્ઘ કવિતા લખવાનો મનમાં ઉપક્રમ હશે, એવું લાગે છે; પણ આ રચના કવિએ લખવા ધારેલી દીર્ઘ કવિતાનો એકાદ ખંડ હોય એમ મને લાગે છે. ‘આયુષ્યના અવશેષે’નો રાજેન્દ્રભાઈનો નાયક અને શેખનો નાયક આમ તો એક જ પરિસ્થિતિમાં મુકાયા છે. રાજેન્દ્રભાઈનો નાયક ‘આયુષ્યના અવશેષે’ ઘર તરફ - વતનના ઘર તરફ પાછો આવે છે– (મારા અધ્યાપકના જીવને બ.ક. ઠાકોરની જૂના પિયરઘર પાછી આવતી નાયિકા – પ્રૌઢ નાયિકા કેમ યાદ આવી? આદતથી મજબૂર, બીજું શું?)
શેખનો નાયક જે અનુભવે છે એ ભાવ સમયે પાડી દીધેલી દૂરતાનો છે. એક વાર જે સાવ આપણું હોય છે – ‘આપથી અદકેરું’ હોય છે, એ વખત વીત્યે કેવું તો અજાણ્યું અજાણ્યું, પરાયું પરાયું લાગે છે – રાજેન્દ્રભાઈનો નાયક પણ અનુભવે છે અને એને પણ લાગે છે કે પોતાની જ શેરીનો શ્વાન અજાણ્યો લેખી એને ભસે છે. વહુવારુઓ, છોકરાંઓ આગંતુક તરફ જુએ એમ જુએ છે. શેખનો નાયક બહારના આવા અજાણ્યાપણાથી વધારે ધક્કો અનુભવે છે, અંદરના આગંતુકપણાથી આ પોતાના ગામમાં, પોતાના ઘરમાં એ outsider થઈ ગયો છે.‘આ મેજ, આ ખૂણો, અહીં બેસી કર્યાં કંઈ કાજ
આટલે મૂક્યા’તા પત્રો, અધૂરી કવિતા...
બધું ત્યાં જ છે.’
આમ તો બધું મૂકીને ગયા ત્યારે હતું એવું ને એવું જ છે–
‘આ બારી હજી પૂરી વસાતી નથી’
‘જાસૂદનો રંગ બદલાયો નથી’
‘આ ટોચેલાં સીતાફળ અરધાં મૂકી
પોપટ ઊડી ગયા છે’
‘અને ત્યાં ખિસકોલું ઝડપવા લપાઈ બિલ્લી, ગયા ત્યારે બચ્ચું હતી તે જ કે?’ શેખની કલમ પીંછીની જેમ ચિત્તના ફલક પર ગઈકાલ અને આજનાં અનેકને ચિત્રિત કરે છે – ગઈકાલ અને આજમાં કેવળ એક જ ભેદ છેઃ બચ્ચું હતી, એ મોટી બિલાડી થઈ ગઈ છે?
આ ચિત્ર કંઈ એમ જ, બિલાડીની વાત કહેવા નથી જ આવ્યું, એનો અહેસાસ કરાવે એવી પહેલા ખંડની છેલ્લી ત્રણ પંક્તિઓ છેઃ‘હતું તેવું જ
આ બધું
ટોળાં કેમ છોડી ગયાં?’
‘ટોળાં તો ગયાં,
ઘર હજી અકબંધ.’
‘મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં;
ભીતર થકી ત્યાં ભીની વાસી હવા તક લાધતાં
ધસી રહી શી! કો પ્રેતે જાણે લહ્યું નિજ મોચન.’
‘પણ આ વાસ શેની?
તાળું ખોલાતાં જ ફોયણે ચડી.’
આંગળેથી આગળે, નકૂચે લબડી
જાળીને સળિયે સળવળી
દીવાનખાને
ઢોલિયે
ઢળી,
ઠરી ઠામડે.’
‘હવામાં હણહણી’ આ કાવ્યની હવે પછીની પંક્તિઓ ગુજરાતી ભાષાના વાસ્તવને કઈ રીતે કાવ્યાત્મક રીતે દર્શાવાય - એ માટે ઉદાહરણ તરીકે યાદ રાખવા જેવી છે.
દીકરીના પત્રો, માનો ઘરડો પટારો, મટોડી માતા, ગોદડાં ને ગાદલાં આ સહુનો શેખે કેવો અનુપમ રીતે ઉપયોગ કર્યો છે, એ જુઓ–‘દીકરીની ચોપડીઓમાંથી
અક્ષરો ઊતરી પડ્યા
કીડિયારે.
માના ઘરડા પટારે પૈડાં આવ્યાં.
મોલેલાની મટાડી માતા
ઊતરી ગઈ પગથિયાં
– ને આ ગોદડાં ને ગાદલાંય ઊપડ્યાં!’
‘વળગણીએ ધ્રૂજતી ખંટી ઢીલી થઈ ઢળી
ને ટીંગાતું ઘર
લૂગડાંનો ગોટો વાળી
અમને નોંધારા મૂકી
ઝાંપે જઈ ઊભું.’
‘ગઈવેળાની દુનિયા
હતી તેવી ને તેવી’ છે.
‘કહે છે કે કશું થયું નથી,
શાંતિ છે,
બધું ઠરી ઠામ’
‘તો પછી આ દુકાનદાર અવળું કેમ બોલે છે?’ ‘રિક્સાવાળો ટોળાંમાંનો તો નહીં હોય?’ નક્કી એમ જ હશે ‘નહિતર ના બને આવું’ (કલાપી) – કેવું? ‘– આટલે દહાડે પાછા ફર્યા તો પણ આ ઘર અમને લેવા આગળ કેમ આવતું નથી?’ અમે જેમ જૂના પરિચિતને જોઈને હડી કાઢી ભેટીએ છીએ – એમ આ ઘર– ‘આવો, આવો બહુ દા’ડે?’ આવું કહેતું કહેતું આગળ કેમ નથી આવતું? મને લાગે છે શેખની ધારણશક્તિ લઘુકાવ્યથી વધી દીર્ઘકવિતા ધારણ કરવા તરફ જઈ રહી છે અને હું ભાવક તરીકે એની વાટ જોઉં છું. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 3. ‘અથવા અને’ વાંચ્યા પછી
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 1
શેખ પાસે આપણને ગુજરાતી કવિતારસિક તરીકે કેટલાક હક મળે છે. આ હક શેખસાહેબ, કૉહે તૂર પરથી ઊતરી આવેલી આયત જેવા મોંઘા, મૂલ્યવાન, કીમતી છે. ગુજરાતી કવિતારસિકને આપની પાસેથી સતત કવિતા મેળવવાનો અધિકાર છે. તમારા બે સમર્થ સમકાલીન લાભશંકર-સિતાંશુ જેમ તમારી કવિતાની ગુજરાતી ભાષાને ઘડાવા માટે જરૂર છે. તમે તળ ગુજરાતી શબ્દમાંની કેવળ નાદ-શક્તિ નહીં, ચિત્ર-શક્તિને પણ સુપેરે પરખો છે. જેમ જેરામ પટેલ હજી ચિત્રકાર્યમાં રત છે – તમે કેવળ ચિત્રને નહીં, કાવ્યને પણ તમારી સર્જકત્વશક્તિનો લાભ આપો. ‘માણસની વાત’, ‘વખાર’ જેવું દીર્ઘકાવ્ય આપની પાસેથી પણ પામવાનો અમને ભાવકોને અધિકાર છે. ચાલો, આમીન કહો (નાટ્યકાર; ચિનુ મોદી) <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 2
શેખની કલ્પનશક્તિ, તળશબ્દને અન્ય એવા જ શબ્દની સંનિધિ આપવાની સહજ કુનેહ (દા.ત., ‘આ એક લઈ ગડી તે સમડી કે ફફડેલી ડાળની છાયા?), અમૂર્ત અનુભૂતિને સરળ રીતે વ્યક્ત કરનારી ભાષાની નાદ અને ચિત્રશક્તિનો વિનિયોગ (દા.ત., ‘ચામડીની ભોગળો ભાંગે છે’) અને શેખ ઇચ્છે એવી કુમાશ ને બરછટતા ભાષા દ્વારા સિદ્ધ કરે છે. દા.ત.,
‘આછરેલા પાણીના અરીસામાં
સાવ સામે ઊભું,
ટગર ટગર તાકતું’ (‘મૃત્યુ’)
‘કમાઈએ મારું પેટ કાપી આંતરડે નકશા દોર્યા’ (‘સૈનિકનું ગીત’)
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> 3
તો ‘અથવા અને’ પછી પણ કાવ્યસંચય જોઈએ. <div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
(‘પ્રત્યક્ષ’, જાન્યુઆરી-માર્ચ, 2014)