સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/આનંદવર્ધનના ભણકારા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> આનંદવર્ધનના ભણકારા

કુંતકના આવા કેટલાક કાવ્યવિચારોની પ્રભાવકતા સ્વીકાર્યા પછીયે, એ નોંધવું જોઈએ કે, જાણકારોને આમાં ઘણે ઠેકાણે આનંદવર્ધનના ભણકારા વાગ્યા વિના રહેતા નથી. આનંદવર્ધન મહાકવિના શબ્દાર્થની એકરૂપતા અને કાવ્યશબ્દની અનન્યતા દર્શાવે છે, (ધ્વન્યાલોક, ૨.૧૬ અને વૃત્તિ) અલંકારોનું બહિરંગત્વ નહીં, અંતરંગત્વ જ એમને ઇષ્ટ છે, કવિને એ પણ કાવ્યસૃષ્ટિનો પ્રજાપતિ માને છે અને કવિપ્રતિભાનું આનન્ત્ય સ્થાપિત કરે છે. કાવ્યતત્ત્વજ્ઞ ને સહૃદયના કાવ્યબોધ તથા કાવ્યાસ્વાદનેયે એ યોગ્ય રીતે લક્ષમાં લે છે. કુંતકની આ વાતો આ રીતે સાવ નવી નથી, પણ એ નવી રીતે મુકાયેલી છે, પોતાનો ભાર લઈને આવેલી છે અને તેથી આપણને સવિશેષપણે આકર્ષ્યા વિના રહેતી નથી.