મર્મર/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કૃતિ-પરિચય

મર્મર

મર્મર (૧૯૫૪, બી. આ. ૧૯૫૭) : જયન્ત પાઠકનો કાવ્યસંગ્રહ. એમાં કવિતા-પ્રેયસીની આસનાવાસના કરતી કૃતિઓ; મુગ્ધતા અને પ્રસન્નતાના ભાવોને વણતાં પ્રણયકાવ્યો; સંતવાણીનું સ્મરણ કરાવતાં જ્ઞાન, વૈરાગ્ય અને ભકિતનાં કાવ્યો; માનવપ્રેમ, ધરતી-પ્રીતિ, વ્યકિત અને સ્થળવિશેષનાં કાવ્યો છે. વિવિધ ઋતુઓનો રૂપવૈભવ આલેખતાં કાવ્યો અહીં ખાસ ધ્યાન ખેંચે છે. ‘બીજ’, ‘જિંદગી ને મરણ’, ‘અબોલા’ જેવાં મર્માળાં મુક્તકો; ‘ચંપાનો છોડ’, ‘ઉનાળો’, ‘પ્રેમઘટા ઝૂક આઈ’ જેવાં આકર્ષક ઉપાડનાં ગીતો તથા ‘મને થતું’, ‘ઉનાળાનો દિવસ’ જેવી સૌષ્ઠવયુક્ત સૉનેટરચનાઓ કવિની સૌન્દર્યાભિમુખતાની પ્રતીતિ કરાવે છે. – દક્ષા વ્યાસ
(‘ગુજરાતી સાહિત્યકોશ : ખંડ ૨’માંથી સાભાર)