પ્રતીતિ/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


કૃતિ-પરિચય : ‘પ્રતીતિ’

પ્રમોદકુમાર પટેલનું કોઈપણ વિવેચનકાર્ય – એ પછી સિદ્ધાન્તવિવેચન હોય કે કૃતિ પરનો સમીક્ષાલેખ હોય – એ એમના ઊંડા ને વ્યાપક સ્વાધ્યાયતપનું ફળ હોય છે. ‘પ્રતીતિ’માં ‘સર્જકતા અને સાહિત્ય’, ‘લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય’, વગેરે જેવા વૈચારિક-સૈદ્ધાન્તિક લેખો છે; કોઈ વિશેષ સાહિત્યસ્વરૂપમાં તે તે સાહિત્યકારની ઊપસતી વિશેષતાઓ અને એ લેખકના પ્રદાનની ચર્ચા કરતા લેખો છે – જેમ કે ‘ઉમાશંકરની વિવેચનપ્રતિભા’, ‘દ્વિરેફની વાર્તાકળા’, ‘નવલકથાકાર મેઘાણી’. આ ઉપરાંત આ પુસ્તકમાં કૃતિની સમીક્ષા, ખરેખર તો કૃતિ-તપાસ કરતા લેખો પણ છે – જેવા કે ‘તપસ્વિની’ (મુનશી) અને ‘હિમાલયનો પ્રવાસ’ (કાલેલકર). આ સર્વ લેખોમાં હાથ ધરેલા વિષયની, મુદ્દાઓની ચોપાસથી કરેલી તપાસ છે, એમાં ચિકિત્સા છે, નિરીક્ષણો છે ને સાહિત્યનો રસ-આસ્વાદ પણ છે. આ કારણે આ પુસ્તકના લેખોનું વાચન રસપ્રદ અને વિચારણીય છે ને દરેક લેખ વાચકને-અભ્યાસીને કશુંક નક્કર સંપડાવી જાય છે.

– રમણ સોની