પરમ સમીપે/૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૨૨

એક ગહન નીરવ ચિંતનમાં મને તારા પ્રતિ વળવા દે,
મારું આ આખુંયે સ્વરૂપ તથા તેની સર્વ પ્રકારની પ્રવૃત્તિઓને
તારાં ચરણોમાં એક અર્પણ રૂપે ધરી દેવા દે;
આ શક્તિઓની સર્વ રમત મને થોભાવી દેવા દે
સર્વ ચેતનાઓને એક કરી લેવા દે;
અને પછી એમાંથી કેવળ એક જ ચેતના બની રહેશે
અને એ તારા આદેશને સાંભળી શકશે અને સમજી શકશે.
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files> …     …     …

પ્રભુ, હું નિ:સંકોચ ભાવે, નિરાગ્રહ ભાવે સર્વથા તારી છું;

તારો સંકલ્પ પૂર્ણ પ્રખરભાવે સિદ્ધ થાઓ;
મારું આખુંયે સ્વરૂપ એ સંકલ્પનો આનંદપૂર્વક સ્વીકાર કરે છે
અને એક સ્વસ્થ શાંતિપૂર્વક એને આલંબે છે.
ભાવિ માટે મારામાં હવે કોઈ પણ વિચાર નથી.
હવે તો તું જ મને, તારો મહા નિયમ શો છે
તેની એક નવીન અને વધારે સાચી કલ્પના આપીશ.
એક પરમ સમર્પણભાવે
પરમ વિશ્વાસપૂર્વક
હું રાહ જોતી બેઠી છું :
તારો શબ્દ મને માર્ગ બતાવો.
માતાજી