ચંદ્રહાસ આખ્યાન/કડવું ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૪

[હવે પ્રધાન મારાઓને આ બાળકને દૂર જંગલમાં લઈ જઈ મોતને ઘાટ ઉતારી માર્યાની કઈ નિશાની લાવવાનું કહે છે. મારાઓ બાળકને ફોસલાવી દૂર ઘનઘોર જંગલમાં લઈ જઈ તેને મારી નાખવાની તૈયારી કરે છે.]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : વેરાડી

ધૃષ્ટબુદ્ધે તેડાવ્યા ચાંડાળ, હણવા સુધાર્મિકનો બાળ;
કહે : ‘પેલો દાસીનો તન, ચાંડાળ, તમે તેને કરો નિધન.         

એણી પેરે મારવો, ન થાયે જાણ, માર્યાનું કાંઈ લાવજો એંધાણ
આપીશ ધન ઉંચકાશે જેટલું, જો કારજ કરશો એટલું.         

આનંદ પામી અંત્યજ પળ્યા, હરિભક્તને વાટે જઈ મળ્યા.
વાહીને તેડ્યો બાળક વન, દીધી આશા : જમે છે મુનિજન.’         

બાળકને છે હરિનું ધ્યાન, તેડી ચાલ્યા ચારે અજ્ઞાન,
અઘોરવનતણી જંખજાળ[1], આરડે વણિયર,[2] ફુંફવે વ્યાળ[3].          ૪

ખડુ ખાબડાં[4] પર્વત ખોહ, ગુફામાં ઘૂઘવે બહુ ઘોહ[5];
ભૂંડ ભૈરવ તણી પેર માંઝાર, દીસે પશુ વનમાં અપાર.         

ઉઝરડાયે અંગ! અતિ પામે ખેદ, શરીરથી ચાલ્યો પ્રસ્વેદ.
એક ઊંડુ સ્થાનક, જ્યાં ન મળે જંત, ત્યાં બાળક લઈ ગયા એકાંત.         

માંહે માંહે સામું જોઈ હસે, પાપી પહાણશું પાળી[6] ઘસે;
તે દેખી બાળકને થયો વિચાર : ‘મુને મારી લેશે નિર્ધાર.’         

પામ્યો દુઃખ જળનયણે ભરે, મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે.         

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ


મુખે ‘રામકૃષ્ણ’ વાણી ઊચરે, સમર્યા શ્રીગોપાળ રે.
ભટ પ્રેમાનંદ કહે કથા, કેમ ઊગરિયો બાળ રે.         





  1. જંખજાળ – ઝાંખરાની જાળી
  2. વણિયર – એ નામનું એક બિલાડીના કુળનું પ્રાણી
  3. વ્યાળ-સાપ
  4. ખડુંખાબડાં – ખાડા ખાબોચિયાં
  5. ઘોહ – ઘો નામનું સરિસૃપ
  6. પાળી – છરી

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted