ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮

From Ekatra Wiki
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
કડવું ૧૮

[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> રાગ : સોરઠ

બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.         

પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી[1] શબ્દ બહુ સંભળાય.         

બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.         

‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર.          

મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.         

હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’         

એમ મદને દીક્ષિતપણું[2] લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ[3] કીધું.         

નારદ કહે : અર્જુન, અવિધારો,[4] ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.         

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted> વલણ


ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.         




  1. ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો
  2. દીક્ષિતપણું – યજમાનપણું
  3. વિહ્વળ – અહીં પ્રસન્ન
  4. અવિધારો – સાંભળો

Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted