મંગલમ્/એનું જીવનકાર્ય
Revision as of 01:48, 29 January 2025 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ગાંધી ગીતો<br>એનું જીવનકાર્ય}} {{Block center|<poem> એનું જીવનકાર્ય અખંડ તપો, અમ વચ્ચે બાપુ અમર રહો; એના જીવનમંત્ર સમો ચરખો, પ્રભુ, ભારતમાં ફરતો જ રહો. {{gap|3em}}અમ જીવનમાં અમ અંતરમાં, {{gap|3em}}એની ઉજ્...")
ગાંધી ગીતો
એનું જીવનકાર્ય
એનું જીવનકાર્ય
એનું જીવનકાર્ય અખંડ તપો,
અમ વચ્ચે બાપુ અમર રહો;
એના જીવનમંત્ર સમો ચરખો,
પ્રભુ, ભારતમાં ફરતો જ રહો.
અમ જીવનમાં અમ અંતરમાં,
એની ઉજ્જ્વળ જ્યોત જ્વલંત રહો;
અમ દેશનાં દૈન્ય ને દુર્બળતા,
એની પાવક આતમ-જ્વાળ દહો.
એના સત્યનો સૂર્ય સદાય તપો,
અમ પાપ નિરાશાના મેલ દહો;
એનાં પ્રેમ-અહિંસાનાં પૂર પ્રભો,
અમ ભારતના સહુ ક્લેશ વહો.
એણે જીવતાં રામ સદાયે રટ્યા,
એ તો ‘રામ’ વદીને વિદાય થયા;
લઘુ માનવમાં મહિમા ભરવા,
નિજ લોહી અશેષ વહાવી ગયા.
— જુગતરામ દવે